Gujarat

કલંક રૂપ ઘટના ! જૂનાગઢ ના ત્રણ નરાધમો સગીર યુવતી સાથે 6-મહિના થી પોતાના હવસ ની ભૂખ સંતોષતા અંતે એક દિવસ,

Spread the love

આપણા સમાજમાંથી રોજબરોજ હત્યા, આત્મહત્યા, અપહરણ, બળાત્કારના અને કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં બળાત્કારનો કિસ્સો સામે આવતા સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડતા હોય છે. એવી જ એક ઘટના ફરી જુનાગઢ માંથી સામે આવી છે. જેમાં જૂનાગઢમાં રહેતી એક સગીર યુવતી ઉપર છ માસથી ત્રણ યુવકો વારંવાર બળાત્કાર કરતા હતા. અંતે સગીરી યુવતી ના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી લીધી છે.

વધુ વિગતે વાત કરીએ તો છ મહિનાથી યસ દુધાત્રા અને તેના બે મિત્રો કેયુર વાગડિયા અને દિવ્યેશ ગજેરા 6 મહિનાથી એક સગીર યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કરતા હતા. જેમાં સગીર યુવતીએ આ નરાધમોના ડરથી સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પિતાએ તેને કહ્યું કે તે સ્કૂલે જવાનું શા માટે બંધ કરી દીધું ત્યારે બાળકી એ જવાબ આપ્યો કે મારી નાખવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલે તો નહીં જ જાવ.

એક દિવસ પિતાએ તેને આ બાબતનું કારણ પૂછતાં દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે પિતાનું હૃદય કંપ ઉઠ્યું હતું. તો બાદમાં પિતાએ સમગ્ર મામલે ત્રણેય નરાધમો ઉપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ફરિયાદને આધારે ત્રણેય નરાધમ આરોપીઓની ધરપકડ કરી અને વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળ્યું કે સગીર યુવતી ઉપર સૌપ્રથમ યસ દુધાત્રાએ બળાત્કાર આચાર્યો હતો. ત્યારબાદ તેના બંને મિત્રો પણ પોતાના હવસ ની ભૂખ યુવતી સાથે સંતોષતા હતા. કિશોર યુવતી જ્યારે પણ સ્કૂલે જતી કે સ્કૂલેથી પરત ફરતી અથવા તો રીશેષ નો સમય ગાળો હોય ત્યારે ત્રણેય નરાધમો તેની પાસે આવીને ધાક ધમકીઓ આપતા અને હથિયારો બતાવતા અને વારેવારે તેના ઉપર સામૂહિક બળાત્કાર ગુજારતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *