India

છેલ્લા ૨૪-વર્ષ થી માતા એક જ થાળી મા લેતી હતી ભોજન ! માતા ના મૃત્યુ બાદ પુત્ર ને રાજ ની વાત જાણવા મળી કે જયારે તે, જાણો.

Spread the love

આપણા જીવનમાં ભગવાન પછી જો કોઈ વ્યક્તિનું સ્થાન આવે તો તે છે આપણા માતા-પિતા અને એમાં પણ પિતા કરતાં પણ આપણી માતાનું સ્થાન ઉચ્ચ હોય છે. માતા-પિતા એવા વ્યક્તિ છે કે જે બાળકને હંમેશા આગળ વધે એમાં ખુશ થતા હોય છે. માતા પિતા તેના બાળકના ચહેરા ઉપર ખુશી આવે તેવા તમામ પ્રયત્નો કરતા હોય છે.

પેટે પાટા બાંધીને પણ બાળકોની ઈચ્છા પૂરી કરતા હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. વાત કરવામાં આવે તો એક માતા કે જે છેલ્લા 24 વર્ષથી એક જ થાળીમાં ભોજન લેતી હતી. જ્યારે માતાનું મૃત્યુ થયું ત્યારબાદ તેના પુત્રને તે થાળીનું રહસ્ય જાણવા મળ્યું. વિક્રમ નામના એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટ દ્વારા આખી વાત જણાવી.

વિક્રમે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આ અમ્માની થાળી છે. તે છેલ્લા બે દાયકાથી આ થાળીમાં ભોજન લેતી હતી. આ એક નાની પ્લેટ છે. પોતાના સિવાય મા ફક્ત મને અને ચુલબુલી (મારી ભત્રીજી શ્રુતિ) ને આ થાળીમાંથી ખાવા દેતી. તેમના મૃત્યુ પછી, મને મારી બહેન દ્વારા આ થાળીનું રહસ્ય જાણવા મળ્યું. મેં 7મા ધોરણમાં આ પ્લેટ ઇનામ તરીકે જીતી હતી. વિક્રમે આગળ લખ્યું, ‘આ વર્ષ 1999ની વાત છે.

છેલ્લા 24 વર્ષમાં માતાએ મારી જીતેલી થાળીમાંથી ભોજન ખાધું હતું. આ સુંદર છે. તેણે મને તેના વિશે જણાવ્યું પણ ન હતું. આમાં આ માતા નો પ્રેમ સાંભળી ને લોકો ની આંખો માંથી પણ આંસુ વહેવા લાગ્યા છે. લોકો માતા નો પુત્ર પ્રત્યે નો પ્રેમ સાંભળી ને ભાવુક થઇ રહ્યા છે. લોકો ને આ વાત ખુબ જ પસંદ આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *