મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવીએ પૃથ્વી પર કુદરત ની અણમોલ રચનાઓ પૈકીની એક છે. માનવી ઘણો લાગણીશીલ અને સમજું છે. પોતાના આવા જ સારા સ્વભાવના કારણે તે ઘણી વખત એવા કામો કરી બેસે છે કે જે સમજને નવી દિશા આપે છે અને મિસાલ બની જાય છે.
આપણે સૌ જાણીએ છિએ કે લગ્ન એક પવિત્ર સંબંધ છે. પતિ પત્ની પવિત્ર અગ્નિ સમક્ષ એક બીજા સાથે ના જન્મો જનમ ના સંબંધો બાંધવાના વચનો આપે છે. જો કે ઘણા લોકો આ પવિત્ર સંબંધને પણ કલંકિત કરી મૂકે છે. અને લગ્નના આ બંધન ને એવા વેપાર બનાવી મૂક્યો છે. જેમાં લગ્નના બદલામા મોટા દહેજ ની માંગણી કરે છે.
પરંતુ કહેવાય છે કે દરેક વ્યક્તિ એક સરખા હોતા નથી. તેમજ દરેક વ્યક્તિઓ દહેજ ના ભૂખ્યા હોતા નથી. આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત ના કારણે ઓફિસર તરીકે પદ તો મેળવ્યું જ સાથો સાથ પોતાના સારા વિચારો ના કારણે સમાજને નવી દિશા પણ આપી.
મિત્રો આપણે અહીં ભૂપેન્દ્ર ચૌધરી વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે તેઓ આગ્રાના અછનેરાના અરદયાના રહેવાસી છે. જણાવી દઈએ કે ભૂપેન્દ્ર ચૌધરીએ પોતાની અથાક મહેનત અને પરિશ્રમ ના કારણે પ્રાદેશિક વન અધિકારી (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) બની ગયા છે.
જો કે ઓફિસર બન્યા છતા પણ સ્વભાવે ભુપેન્દ્ર ઘણા સરળ છે. તેઓ એક સારા વ્યક્તિ પણ છે. પોતાના આવા સારા સ્વભાવ અને નેક વિચારશરણી ના કારણે તેમણે સમાજ ને નવી દિશા આપી છે. જણાવી દઈએ કે હાલ્મ જ તેમના લગ્ન નક્કી થયા છે તેમના લગ્ન પૂજા ચૌધરી સાથે થવાના છે જણાવી દઈએ કે પૂજા અછનેરાના કચોરા ગામની રહેવાસી છે.
જો કે તેમના લગ્ન હાલમાં ઘણા ચર્ચામાં છે જયા એક બાજુ સૌ કોઈ લગ્નમાં મોટા દહેજ ની આશા રાખતા હોઈ છે તેવામાં ભુપેન્દ્ર ચૌહાણ અને તેમનો પરિવાર દહેજ ની વિરુધ્ધ છે. જો કે યુવતિ ના પરિવાર ના દબાણ ના કારણે તેમને દહેજમા 1 રૂપિયો લેવો પડ્યો આ બાબત ને લઈને ભુપેન્દ્ર ચૌહાણ નું કહેવું છે કે કન્યાજ દહેજ છે. અને દહેજ સ્વરૂપે શુકનનો જે એક રૂપિયો મળી રહ્યો છે એવું લાગે છે કે તે પૈસા લેવા પણ પાપ છે. એ વ્યક્તિ પાસેથી જે તમને તેની દુનિયા આપી રહ્યો છે.”
જો કે ભુપેન્દ્ર ચૌહાણ ના આવા વિચાર ને કારણે તેમના પરિવાર અને ખાસ તો તેમની માતા ને તેમના પર ગર્વ છે હાલમાં દરેક જ્ગ્યાએ લોકો ભુપેન્દ્ર ના આવા નેક વિચાર ના વખાણ કરી રહ્યા છે. અને દહેજ ના લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે. આમ ભુપેન્દ્ર ચૌહાણે પોતાના સારા વિચારો દ્વારા સમાજમાં એક નવી દિશા આપી છે.