સુરત મા ફરી આગ ભભુકી ઉઠી શહેરમા એક પાંચ માળ ની બિલ્ડીંગ માં લાગી આગ બે શ્રમિકો અને….
મિત્રો આપણે જાણીએ છીએ કે આગ કેટલી ખતરનાક હોઇ છે આગ ની ઝપેટ માં આવતાજ વસ્તુ હોઈ કે વ્યક્તિ તે બળીને ખાક થઈ જાઈ છે માટે જ આગથી સાવચેત રહેવું ઘણું જરૂરી છે.
તેવામાં આગ ને લઇ ને સૂરત શહેરમાં ઘણો મોટો અક્સ્માત સર્જાયો છે શહેર માં એક પાચ માળ ની બિલ્ડીંગ માં અચાનક આગ લાગી હતી. જોત જોતામા આ આગ સમગ્ર બિલ્ડીંગ માં પ્રસરી ગઈ. આ અક્સ્માત વિશે વિગત કંઈક આવી છે.
ગુજરાતના સૂરત શહેર માં સોમવાર વહેલી સવારે પાંચ માળ ની એક પેકેજિંગ બિલ્ડીંગ માં ભીષણ આગમન ભભુકી ઉઠી જેને કારણે 2 ક્ષમિકો ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો હતો જ્યારે આ એકમમાંથી 125 લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
કોડોદરા પોલીસ નિરીક્ષક હેમંત પટેલના જણાવ્યા અનુસાર આ બિલ્ડીંગ માં આગ સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યા ની આસપાસ લાગી હતી જોકે આ આગ ની શરૂઆત પહેલા માળેથી થઈ હતી પરંતુ જોત જોતામ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ. તેમણે વધુ માં જણાવ્યું કે આ બિલ્ડીંગ માં ફસાયેલા શ્રમિકો ને બચાવવા માટે હાઇડ્રોલિક ક્રેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામા હવામાં કાળા વાદળ છવાઇ ગયા આગ લાગ્યા સમયે તે બિલ્ડીંગ માં ઉપસ્થિત 125 લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદવા લાગ્યા જેને કારણે 2 લોકોના મોત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!