Gujarat

ગુજરાતના લોકપ્રિય સિંગર કાજલબેન મહેરિયાએ મહેસાણામાં નવનિર્મિત મંદિરમાં આપ્યું આટલું દાન….

Spread the love

ગુજરાતના પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરીયાએ શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના નિર્માણ માટે રૂ. 50,000/- નું દાન આપ્યું છે. આ દાનની જાહેરાત મંદિરના સંચાલકોએ કરી છે.

કાજલ મહેરીયા એક સફળ ગાયિકા છે. તેણીએ ઘણા હિટ ગીતો ગાયાં છે. તેણી ધાર્મિક માન્યતાઓ ધરાવે છે અને ભગવાન શિવના ભક્ત છે. તેમણે આ મંદિરના નિર્માણમાં અમૂલ્ય દાન આપ્યું છે.

મંદિરના સંચાલકોએ કાજલ મહેરીયાના દાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે કાજલ મહેરીયાના દાનથી મંદિરના નિર્માણમાં મદદ મળશે.

શ્રી વાળીનાથ મહાદેવના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓને અનેક સુવિધાઓ મળી રહેશે. પ.પૂ. ગુરૂદેવ બ્રહ્મલીન મહંતશ્રી બળદેવગિરિજી બાપુના વતી અંતરના આશીર્વાદ પાઠવ્યા છે તેમજ શ્રી વાળીનાથ ધામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ અખિલભારતીય રબારી સમાજ ધર્મગુરૂગાદી સ્થાન છે અને હવે ટૂંક જ સમયમાં શિવધામનું નિર્માણ કાર્ય થશે જેમાં અનેક લોકો દાન ની સરવાણી વહાવી રહ્યા છે, જેમાં કાજલબેન એ પણ પોતાનું યોગદાન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *