હૃદયકંપાવતી ઘટના ! ગુજરાત ના 7-શ્રદ્ધાળુઓ ના રાજસ્થાન માં દર્દનાક મોત. દર્શન કરવા જય રહેલ અડધે રસ્તે જ..
ભારતમાંથી અને ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ રાજસ્થાનમાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે .જેમાં ગુજરાતના પ્રવાસી દર્શન અર્થે જઈ રહ્યા હોય તે દરમિયાન 25 થી વધુ લોકો ઘાયલ થયા. અને સાત લોકોના માટે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. વધુ વિગતે જાણીએ તો આ અકસ્માત રાજસ્થાન રાજ્યના પાલેજ જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રિના લગભગ 9:00 વાગે બન્યો હતો.
જાણવા મળ્યું કે બનાસકાંઠામાં રહેતા શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં જેસલમેર ના રામદેવરા મંદિર ખાતે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ રાત્રીના સમયે એક ઝડપી આવી રહેલ ટ્રોલીએ ટ્રેકટરને ટક્કર મારી દીધી અને ભયંકર અકસ્માત સર્જાતા સાત લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હતા. ઘાયલ ને તમામ શિવપુર અને સુમેરપુર શહેરોની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જાણવા મળ્યું કે આ તમામ શ્રદ્ધાળુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા.
વધુમાં જાણવા મળ્યું કે સુમેરપુર હાઇવે પર અકસ્માત બાદ વન-વે રાખવામાં આવ્યો હતો. ટ્રેક્ટર અને બે ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત થતાં ટ્રેલર બે ટ્રેલર ની વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ પીએમઓને થતા વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણકારી શિરોહી ના કલેકટર અને એસપીને થતા તે લોકો સુમેરપુર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
રાજસ્થાનમાં ગુજરાતના સાત પ્રવાસીઓના મૃત્યુ થતાં મૃતકના ગામમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘણીવાર આવા રોંગ સાઈડ માંથી વાહનો આવતા હોય અને સામસામે અથડાવાને કારણે મોટા ગંભીર અકસ્માતો થઈ જતા હોય છે. આ અકસ્માતમાં રાત્રીનો સમય હોય અકસ્માતનો ભોગ બનેલ લોકોને બહાર કાઢવામાં ભારે હાલાકી નો સામનો પડી રહ્યો હતો. અકસ્માતમાં ટ્રેલર નો ફૂરચેકુરચો બોલી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!