શિયાળા ના આ સમયમાં ઘરે બેઠા વધારો રોગપ્રતિકારક શક્તિ માત્ર આટલી વસ્તુના સેવનથી..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા વિશ્વમાં અનેક પ્રકારના રોગો ફેલાઇ ચૂક્યા છે તેવામાં હાલમાં આખું વિશ્વ કોરોના નામની મહામારી સામે લેડી રહ્યું છે તેવામાં હાલમાં સમગ્ર લોકો સામે પોતાની રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી અને કઈ રીતે પોતાના શરીરે સ્વસ્થ રાખવું તે બાબતને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં આપણા આયુર્વેદમાં અનેક એવી વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે કે જેના સેવન માત્રથી આપણું શરીર નિરોગી બની શકે છે અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધી શકે છે ચાલો આપણે આજે એવી જ અમુક વસ્તુ વિશે વાત કરીશું કે જે આપણા શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ઉપયોગી સાબિત થાય છે.
મિત્રો આપણે અહીં અંજીર અને સૂકી દ્રાક્ષના સેવનથી શરીરને થતાં ફાયદા વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત અંજીર અને સૂકી દ્રાક્ષમા રહેલા પોશાક તત્વો અંગે કરીએ તો જણાવી દઈએ કે અંજીર માં પ્રોટીન ઉપરાંત આયર્ન, કોપર અને મેગ્નેશિયમ જેવા અનેક પોશક તત્વો હોઈ છે. જયારે સૂકી દ્રાક્ષમાં આયર્ન, વિટામિન B6 અને મેગ્નેશિયમ તથા પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે.
જો વાત અંજીર અને સૂકી દ્રાક્ષનું સેવન થતા ફાયદા અંગે કરીએ તો આ મિશ્રણનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે જે પૈકી ટાઈફોડ એક છે આ મિશ્રણ નું સેવન સવારે અને સાંજે કરવાથી ટાઇફોઇડથી છુટકારો મેળવી શકે છે. આ ઉપરાંત ટાઇફોઇડ માં આ મિશ્રણ ઘરેલુ ઉચ્ચાર તરીકે પણ ઉપયોગિ છે.
અંજીર અને સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. જણાવી દઈએ કે એનિમિયા એટલે શરીરમાં લોહીની કમી. અંજીર અને સૂકી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે કેજે શરીરમા લોહી વધારે છે. અ ઉપરાંત આ મિશ્રણ ના સેવનથી વારંવાર શરદીની પરેશાની માંથી પણ મુકાતી મળે છે અને ઇમ્યુનિટી વધે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા શરીર માં હાડકાંનૂ ઘણું મહત્વ છે આપણા આખા શરીરની રચના હાડકાં પર આધારિત છે તેવામાં જો કોઈને હાડકામાં દુખાવો થતો હોઈ તો તેમણે અંજીર અને સૂકી દ્રાક્ષનું એકસાથે સેવન કરવું કે જેથી તેમાં રહેલા કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે. ઉપરાંત તેમાં રહેલા પ્રોટીન ના કારણે સ્નાયુઓનો વિકાસ થાય છે અને મજબૂત બને છે.
હવે જો વાત કરીએ કે અંજીર અને સૂકી દ્રાક્ષનું મિશ્રણ કઈ રીતે બનાવવું તે અંગે તો આ મિશ્રણ નો ઉકાળો બનાવવા માટે સૌપ્રથમ એક પાણી ગરમ કરો. પાણી ગરમ થઈ ગયા બાદ તેમાં 5-6 સૂકી દ્રાક્ષ, 4 અંજીર અને 2-3 ગ્રામ પુષ્કળ કાલા ઉમેરો. જે બાદ આ મિશ્રણ ને સારી રીતે ગરમ થવા દો. જે બાદ મિશ્રણ નું પાણી અડધું થઈ જાય ત્યારે કાળા અંજીર અને સૂકી દ્રાક્ષને મેશ કરો. ત્યાર બાદ પાણીને ગાળીને પી લો. આમ તમારો ઉકાળો તૈયાર થઈ જશે.