જો તમે ગાડી મા કે દુકાન માં ‘માં મોગલ કૃપા’ લખાવતા હો તો ચેતજો ! મણિધર બાપુ એ આ બાબતે વિશેષ કહ્યું કે.. જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં આવેલું કચ્છ જિલ્લાના ભચાવ તાલુકામાં આવેલું મા મોગલ નું કબરાઉ ધામ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ભારત દેશની બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ અહીં માં મોગલના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અને લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં કબરાઉ ધામ આવતા હોય છે. માનતા પૂરી કરવા આવે તે લોકોને માં મોગલના ધામમાં બિરાજમાન મણીધર બાપુ ભક્તોને યોગ્ય સલાહ સુચન આપતા હોય છે.
અને લોકોને કહેતા હોય છે કે માં મોગલ પાસે સાચા મનથી જો કંઈ પણ ઈચ્છા પ્રગટ કરવામાં આવે તો તે બધી જ પૂરી થતી હોય છે. પરંતુ હાલમાં એક મણિધર બાપુ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મણિધર બાપુએ એવી વાત કરી કે.. મણીધર બાપુ કહે છે કે આપણે ગાડીમાં કારમાં અને કેટલીક દુકાનોમાં જોવા મળતું હોય છે કે માં મોગલના નામ ઉપરથી ગાડીઓમાં કઈ લખેલું હોય છે. એટલે કે ગાડીમાં દુકાનમાં મોગલ કૃપા અથવા તો માં મોગલ સાથે સંબંધિત એવું વાક્ય લખેલું હોય છે.
પણ ખરેખર શું તમે જે ગાડીની ઉપર મોગલ કૃપા એવું લખાવો છો તે કેટલા અંશે યોગ્ય છે. એટલે કે મણીધર બાપુ કહે છે કે કેટલાક લોકોને ગાડી ઉપર મોગલ કૃપા લખેલું હોય છે. પરંતુ તે લોકોની ગાડીઓમાંથી દારૂની બોટલ નીકળતી હોય છે. તે યોગ્ય કહી શકાય નહીં. મણિધર બાપુ વિશેષ કહે છે કે કેટલાક લોકો ગળામાં મોગલ ના ફોટા વાળું કંઈ પણ પહેરતા હોય છે અને હાથમાં માં મોગલ ના ફોટા વાળી વીંટી પણ પહેરતા હોય છે. પરંતુ રાત પડે તેના હાથમાં દારૂનો ગ્લાસ આવી જતો હોય છે આ યોગ્ય વસ્તુ કહેવાય નહીં.. જુઓ વિડીયો.
એમ મણિધરબાપુ લોકોને સલાહ સૂચનો આપે છે. અને કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલને વસ્તુ કંઈપણ પહેરો છો અથવા તો મોગલ નું નામ લખાવો છો તે તો તેને યોગ્ય રીતે પાળવાનું પણ રાખો. વધુમાં કહે છે કે કેટલાક લોકો દુકાનમાં પણ મોગલ નું નામ લખાવતા હોય છે. પરંતુ તેને દુકાનમાં પણ નશા યુક્ત વસ્તુઓ મળતી હોય છે. આમ મણિધર બાપુ લોકોને સલાહ સુચન આપતા કહે છે કે જો તમે મોગલ ઉપર શ્રદ્ધા રાખો છો તો તમે ગમે ત્યાં તેનું નામ ના રાખો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!