Viral video

ખજુરભાઈ આ વાત સાંભળીને વખાણ કરતા નહી થાકો, લોકોને કહ્યું કે, તમે ગરીબને ૫૦ આપશો તો મારો મહાદેવ તમને ૫૦ લાખ આપશે….જુઓ વિડિયો

Spread the love

ગુજરાતમાં માનવતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ ખજૂરભાઈ છે. ખજૂરભાઈએ જરૂરીયાતમંદની સેવા કરી રહ્યા છે પરંતુ સાથ લોકોને પણ આ ભગીરથ કાર્યમાં પણ જોડી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ જગતમાં દરેક માણસ એ ભગવાનનું જ સ્વરૂપ સમાન છે કારણ કે દરેક જીવમાં ભગવાન વસે છે. કોઈ વ્યક્તિ તમારી મદદ કરે તો સમજવું એ માણસના સ્વરૂપમાં જ એ ભગવાન છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને કહેવાય છે ને કે, માનવ સેવા એજ પ્રભુ સેવા. આ મંત્રને સાર્થક કરી રહ્યા છે. નીતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ.

હાલમાં જ ખજૂરભાઈએ એક લગ્ન પ્રસંગે સૌ લોકોને એક ખુબ જ સુંદર વાત કરી. આ વાત દરેકના જીવનમાં ઉતારવા લાયક છે. જો તમારે આ જગતમાં પુણ્યનું ભાથું બાંધવું હોય તો આ વાતની ગાંઠ બાંધી રાખજો. આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે ખજૂરભાઈ એ કહ્યું કે, અત્યારે સમય છે, સાંભળી લેજો! તમારા વલસાડમાં કોઈને ભાડા ભરવાના ઘટે, કોઈ બીમાર હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, કોઈની દીકરીના લગ્ન કરાવવાના હોય એવા લોકોની સાથે ઉભા રેજો, મહાદેવ તમારી સાથે ઉભા રહેશે. ભગવાનને તમારા પૈસાની જરૂર નથી, કોઈ દી મહાદેવે કીધું કે લાવ ૧૧૦૦૦ રૂપિયા, માતાજીએ ક્યારેય કીધું કે, લાવો ૨૦૦૦ રૂપિયા. ક્યારેય નથી કહેતા ભગવાન.

પણ જે સૃષ્ટિ પર ગરીબો છે, તે ભગવાન રૂપી છે. તમે એવા લોકોનું કામ કરશો તો હું છાતી ઠોકીને કહું છું કે, હું કદાચ ૫૦ રૂપિયા ગરીબ પાછળ વાપરૂ છું તો મારો મહાદેવ મને ૫૦ લાખ મને આપે છે. એટલે જેને નથી ખબર તેને હું દિલથી કહું છું કે, ટાઈમ છે વખત છે, જેને માતાજીએ પૈસા આપ્યા છે તેઓ ગરીબ પાછળ પૈસા વાપરો.તમારા કામ મહાદેવ કરશે.

ખરેખર ખજૂરભાઈ ની આ વાત સાથે સૌ કોઈ સહમત થવું જ જોઈએ અને આમ પણ કહેવાય છે ને કે તમારી કમાણીમાંથી એક ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ અને આ ભાગ રૂપે કાઢેલા પૈસા પણ જો તમે માનવ સેવાના કાર્ય રૂપે વાપરશો તો ભગવાનનો અઢળક રાજીપો તમે મેળવી શકશો કારણ કે, માનવ સેવા એજ પ્રભુ સેવા છે. જો તમને ઈશ્વરે સંપત્તિ આપી છે તો એ સંપત્તિમાંથી તમે માનવ સેવા માટે વાપરશો તો ઈશ્વર તમને એથી વધુ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Mayank Patel (@mack_the_traveler9969)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *