માતાજીના મંદિરે જતા એક પરિવાર ને રસ્તામાં નડ્યું વિઘ્ન જેને કારણે આ પરિવાર ના 4 સભ્યો…
મિત્રો આપણે લગભગ દરરોજ અનેક વિસ્તારમાં થી અકસ્માત ને લઇ વિવિધ માહિતીઓ જોતા હોઈએ છીએ. આવા અકસ્માત માં અનેક લોકો ઘાયલ થતા હોઈ છે તો અનેક લોકો ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે અકસ્માત માં પોતાનો જીવ ગુમાવનાર લોકોના પરિવાર પર જાણે દુઃખો નો પહાડ તૂટી પડ્યો હોઈ તેવું લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્નેહીજનોને ખોવાનું દુઃખ કેટલું આકરું હોઈ છે.
તેવામાં એક આવોજ દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ એક પરિવાર કે જેઓ માતાજીના દર્શને જઈ રહિયા હતા તેવા સમયે તેમની ગાડી એક ટ્રક સાથે ઘણી જોરથી ભટકાણી જેને કારણે તે પરિવાર ના ચાર સભ્યો નો ઘટના સ્થળે જ મોત થયા જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેને કારણે આ ગાડીનો ભૂકો બોલીગયો હતો. તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાજસ્થાન ના બાડમેર જિલ્લાના સીણદરી પાસે આવેલ ભુકા નામના ગામમાંના ભગતસિંહ મેગા હાઇવે પાસે થયો હતો. અહીં એક ટ્રક અને બોલેરો ગાડી બપોરના સમયે એક બીજા સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો વિકરાળ હતો કે જેને કારણે ગાડીના ભુકા બોલી ગયા જયારે આસપાસ ના ઝાડવાઓ ને પણ નુકસાન પહોંચ્યું હતું.
અકસ્માત નો ભોગ બનેલ લોકોની ઓળખ કંઈક આ પ્રમાણે છે. તેઓ બનાસકાંઠા વિસ્તાર ના એક સુથાર પરિવાર છે કે જેઓ રાજસ્થાન ના બાડમેર જિલ્લાના જાસોલ ના માજિસા મંદિર માં દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો જો વાત કરીએ અકસ્માત માં મૃત્યુ પામેલ લોકોની તો તેમાં ગોમતીબહેન ચેનાભાઈ સુથાર, ચેનાભાઇ કાન્જીભાઈ સુથાર કે જેઓ લવાણા, ડીસાના રહેવાસી છે જયારે ભાવનાબહેન કપૂરજી સુથાર કે જેઓ લક્ષ્મીપુરા ડીસા ના રહેવાસી છે. અને કાનાભાઇ બદાજી સુથાર છે.
જયારે જે લોકો ને અકસ્માત માં ઇજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જે લોકોને આવી ઇજા પહોંચી તેમના નામ આ પ્રમાણે છે. દેવરામ એટલેકે દેવાજી અજાજી, કપુરભાઈ અજયભાઇ અને હિના એટલેકે હિમાંશી કપુરભાઈ કે જેઓ લક્ષ્મીપુર ડીસાના રહેવાસી છે જ્યારે ભરતભાઈ ચમનભાઈ સુથાર કેજે રામપુર ડીસા અને મોહન ચેનાભાઇ કેજે લવાણા ડીસા ના રહેવાસી છે. આ ઘટના અંગે પોલીસ ને જાણ થતા તેમણે ઘટના અંગે તાપસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!