પારીવારીક ઝઘડાનો ભોગ બની બાળકી માતાએ પોતાની બાળકી સાથે કર્યું એવું કે……
મિત્રો પરિવાર ! આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવન માં પોતાનો પરિવાર ઘણું જ મહત્વ ધરાવતું હોઈ છે કારણકે પરિવાર દરેક મુસિબત માં એક બીજા સાથે ઉભા રહીને આવનારા પડકારો નો સામનો કરવા માટે એક બીજાને મદદ કરે છે. અને આપણે સૌ જાણીએ છિએ કે પરિવાર હોઈ ત્યાં મત ભેદ તો હોતા જ હોય છે. પરંતુ પરિવાર માં કયારે પણ મન ભેદ હોતા નથી.
છતા પણ ઘણી વખ્ત ઘરમાં ચાલતી કંકાસ ઘણું જ વિકરળ રૂપ ધારણ કરી લે છે જેના કારણે ઘણી વખત પરિવાર ના લોકો ને માઠા પરિણામો ભોગવ્વા પડે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી પોતાના જીવનમાં ઘણા જ સંબંધો બાંધે છે. આ બધા માં માતા અને સંતાનનો સબંધ ઘણો જ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ સંબંધ નિઃસ્વાર્થ હોઈ છે.
દરેક માતા માટે પોતાના સંતાનો અને દરેક સંતાનો માટે માતા ઘણું જ મહત્વ ધરાવે છે. માતા પોતે દુઃખ સહન કરીને પોતાના સંતાનોને જીવન માં સમગ્ર સુખ આપવાની સતત કોશિશ કરતી રહે છે. સંતાન ના ઉજવળ ભવિસ્ય માટે હંમેશા ચિંતિત રહે છે અને સંતાન આગળ વધે તે માટે સતત કામનાઓ કરતી રહે છે. માતા સંતાન પર આવનારી મુસિબતો માંથી સંતાનને બચાવે છે અને પોતાના સંતાનની સતત રક્ષા કરે છે.
પરંતુ હાલ જે બનાવ સામે આવ્યો છે એ આપણને જણજોડી મૂકી દે છે. કે જ્યા એક માતા એ માનવતાની તમામ હદો પાર કરી નાખી છે. અહીં એક માતાએ પોતાની ફક્ત 18 દિવસ ની બાળકી ને નદીના પાણીમાં ફેંકી દીધી છે. જો આ બાબત વિશે વિસ્તારમાં વાત કરીએ તો..
આ ઘટના તાપી નદી અને આસપાસ ના વિસ્તાર ની છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના સચિન ઊનના શ્રમ વિસ્તારમાં રહેતી એક મહિલએ પોતાની 18 દિવસની નવજાત બાળકીને નદીમાં ફેંકી દીધી હતી. જેની પાછળ આ મહિલા એ પોતાના પતિ સાથેના કંકાસને જવાબદાર ગણાવ્યુ છે. જો વાત આ બનાવ વિશે વિગતે કરીએ તો તે કંઈક આ પ્રમાણે છે.
શહેર નાં આ વિસ્તાર માથી શુક્રવારે સાંજે એક નવજાત બાળકી ગુમ થઈ હોવાનો ફોન પોલીસ ને કરવામાં આવ્યો હતો. આ માહિતી મળતા પોલીસ ટીમ તે સ્થળે પહોચી હતી. ત્યાર બાદ આ પોલીસે બાળકી ની તપાસ હાથ ધરી હતી. જેના માટે પોલીસ ટીમે આજુ બાજુ માં રહેતા લોકો માં તપાસ કરી હતી.
પરંતુ તેમને આ બાળકી અંગે કોઈ માહિતી મળી નહીં. જેના પછી પોલીસ દ્વારા બાળકી ના પરિવાર અને માતા પિતા સાથે વાત કરવામાં આવી જેમાં પોલીસને બાળકીની માતાની વાત પર શંકા થઈ. અને માતા સાથે ની વધુ તપાસ માં બાળકી ની માતાએ ગુનાહ નો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ઘર અને પતિ સાથેના કંકાસના લીધે તેણે પોતાની બાળકીને ચોકબજાર હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી છે.
આ બાબત ના ખુલાસા બાદ વિસ્તાર માં ઘણી જ અરેરાટી ભર્યો માહોલ છે. પોલીસ ની ટીમ દ્વારા આ બાળકી ની તપાસ માટે તાપી નદી માં રાત્રિના 12 થી 3 વાગ્યા સુધી શોધખોળ હાથ ધરવામા આવી હતી. પરંતુ બાળકી અંગે માહિતી ન મળતા શનિવારે સવારે ફાયરના જવાનોએ પોલીસની સાથે તાપી નદીમાં ડુમસ, મગદલ્લા, કોઝવે, ઉમરા કેબલ બ્રિજ સહિતના અનેક વિસ્તારોમાં શોધ કરી.આખરે રવિવારે બાળકીનો મૃતદેહ આ નદીના બ્રિજ નીચેથી મળી આવ્યો હતો.