India

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પેહલા જ અયોધ્યા પોહચ્યાં સીરિયલના રામ-સીતા અને લક્ષ્મણ !! સાથે જોઈ સૌ બોલ્યું “જય શ્રી રામ…જુઓ તસ્વીર

Spread the love

મિત્રો તમને ખબર જ હશે કે આવનારી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, એવામાં આખા દેશમાં આ ઉત્સવને લઈને આખા ભારત દેશમાં હવે ખુશીનો માહોલ છવાયેલ છે એવામાં દેશના ખૂણે ખૂણેથી રામ મંદિર માટે દાન આવી રહ્યું છે તો અનેક અનોખી ચીજવસ્તુઓ પણ આવી રહી છે.

રામાનંદ સાગર દ્વારા રચિત “રામાયણ” લોકોને ખુબ વધારે પસંદ આવી હતી, લોકડાવુંનમાં તો દરેક ઘરોની અંદર આ રામાયણનું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને દરેક ઘરોમાં લોકો પોતાના સહ પરિવાર સાથે બેઠીને જોતા હતા, આ સમયથી જ રામાયણ સિરિયલની પ્રસિદ્ધિ સાતમા આસમાને ચાલી ગઈ હતી. સિરિયલ રામાયણમાં રામ ભગવાનનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને તો લોકો અસલ જીવનમાં ભગવાન શ્રી રામથી ઓળખવા લાગ્યા હતા.

એવામાં સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે સીરિયલમાં રામ એટલે અરુણ ગોવિલ, સીતા એટલે કે દીપિકા ચીખલા તથા લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહરી અયોધ્યા રામ મંદિર ખાતે પોહચ્યાં હતા. તસવીરો તથા વિડીયો અંદર જોઈ શકાય છે તેઓની આસપાસ ખુબ વધારે પબ્લિક જોવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે સિરિયલની રામાયણમાં પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, દીપિકા ચીખલીયા અને સુનિલ લહરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાએ મોહત્સવ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પેહલા જ આ ત્રણેય કલાકારો અયોધ્યા ખાતે પોહચી ગયા છે, વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે અરુણ ગોવિલ, દીપિકા ચીખલીયા તથા સુનિલ લહરી એક સાથે ચાલતા જોવા મળી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *