મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેકનોલોજી નો સમય ગાળો છે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ટેકનોલોજી ના વિકાસનાં કારણે અનેક શોધ થઇ છે કેજે વ્યક્તિના જીવનને ઘણું સરળ બનાવે છે પરંતુ કહેવાય છે દરેક સિક્કાની બે બાજુ હોઈ છે તેની જેમ ટેકનોલોજી નો જેટલો ફાયદો છે તેમાં ઘણું વખત નુકશાન પણ થાય છે. હાલમાં આવોજ એક દુખદ અને ગંભીર અકસ્માત સામે આવ્યો છે, આ અકસ્માત રોપ વે નો છે જેને લઈને આપણે અહી માહિતી મેળવવી ની છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ઝારખંડ ના દેવધર માં થયો છે. જણાવી દઈએ કે આ વિસ્તરમાં શહેરથી આશરે ૨૦ કિમી દુર દેવદર દુમકા રોડ પાસે આવેલા મોહનપુર બ્લોકમાં ત્રિપુટી માં આવેલ દેશના સૌથી ઉચા શિખર કે જેની ઉચાઇ સમુદ્ર સપાટી કરતા આશરે ૨૪૭૦ ફૂટ ઉચી છે. અને આ ટેકરી જમીનથી આશરે ૧૫૦૦ ફૂટ ઉચી છે તેમાં પરિવહન માટે જે રોપવે ઉપયોગમાં લેવામાં આવતું હતું તેમાં અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માત ને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મુકાયા હતા જો વાત આ અકસ્માત અંગે કરીએ તો પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર અકસ્માત ટેકનીકલ ખામી અને ટેકનીકલ કારણોસર સર્જાયો છે. જેના કારણે રોપવે ની ટ્રોલીઓ એક બીજા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો. આ ઘટના ને કારણે રોપવે માં સવાર આશરે ૪૮ લોકોના જીવ જોખમ માં મુકાયા. જો કે ઘટના અંગે જાણ થતા પોલીસ અને NDRF ની ટીમ દ્વારા તરત બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું.
#WATCH | Rescue operation underway at ropeway site near Trikut in Deoghar, Jharkhand pic.twitter.com/1g1qugjuTS
— ANI (@ANI) April 11, 2022
જણાવી દઈએ કે લોકોના જીવ બચાવવા માટે સેના ના હેલીકોપ્ટર ની પણ મદદ લેવામાં આવી અને તેની મદદથી લોકને સુરક્ષિત રોપવે ની ટ્રોલીઓ માંથી બહાર કાઢવામાં આવ્યા. જયારે ઘટના ના ૨૦ કલાક વીતી ગયા પછી પણ હજુ બચાવ કર્યું શરુ છે આત્યાર સુધીમા ૨૨ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે જયારે બાકીના લોકોનો બચાવ શરુ છે. રોપવે દુર્ઘટના ને લઈને પોલીસ અને પ્રશાસન અનેક મોટા અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઇ ગયા.
જો વાત આ દુર્ઘટના ગ્રસ્ત રોપવે અંગે કરીએ તો તેની લંબાઈ આશરે ૭૬૬ મીટર જયારે ઉચાઇ આશરે ૮૦૦ મીટર છે કે જેમાં પરિવાન માટે ૨૬ ટ્રોલીઓ છે.આ રોપવેની મદદથી આ વિશાળ ટેકરીની ટોચ પર પહોચવા માટે ફક્ત ૮ થી ૧૦ મીનીટનો સમય જ લાગે છે. જો વાત આ ઘટના માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો અત્યાર સુદીમાં બે લોકોના મોત અંગે માહિતી મળી છે. જયારે અનેક લોકોના ઘાયલ થાયની માહિતી છે. ઈજાગ્રસ્ત લોકો ને સારવાર માટે નજીકની હોસ્પિટલ માં મોકલવામાં આવી રહ્યા છે.