ધ્રુજાવતી ઘટના ! પ્લાન્ટ માં કામ કરીને પરત ફરી રહેલ કર્મચારીઓ ની બસ ને કાળ ભરકી ગયો. એકસાથે 6-લોકો ના તડપી તડપી ને,
ભારતમાંથી અને ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક ક્યારેક આખેઆખો પરિવાર અકસ્માત નો ભોગ બનતો હોય છે. તો ક્યારેક એવા લોકો ભોગ બનતા હોય છે કે જે સામાન્ય ઘરના હોય છે. કેટલીકવાર લોકો ઘરે થી કોઈ કામ માટે નીકળે છે પરંતુ તે લોકો ઘરે પરત ફરી શકતા હોતા નથી. એવી જ એક ઘટના ઓડિશા થી સામે આવી છે.
ઓડિશાના ઝારસુગુડા-સંબલપુર બિજુ એક્સપ્રેસવે પર એક દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો, જ્યારે કોલસાથી ભરેલી એક ઝડપી ટ્રકે બસને ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં 20 અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Odisha | 6 dead, over 20 injured as a bus carrying employees of a company met with an accident in Jharsuguda after coal-laden truck collided with bus. Most employees severely injured. 10 referred to hospital in Burla, Sambalpur,14 under treatment here: N Mohapatra,SDPO,Jharsuguda pic.twitter.com/TNxmUoLUEs
— ANI (@ANI) September 16, 2022
આ ઘટના ઝારસુગુડા બાયપાસ રોડ પર પાવર હાઉસ ચક પાસે બની હતી. બસ કર્મચારીઓને JSW પ્લાન્ટથી ઝારસુગુડા શહેર લઈ જઈ રહી હતી. મળતી માહિતી મુજબ, મૃતકો પ્લાન્ટમાં પોતાનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો.ઘાયલોને સંબલપુરના બુરલા સ્થિત વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ માં ખસેડવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી ANIને માહિતી આપતા, ઝારસુગુડાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એન મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “એક કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ ઝારસુગુડામાં એક ટ્રક સાથે અથડાઈ હતી, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોટાભાગના કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. 10 લોકોને બર્લા, સંબલપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યારે 14 અહીં સારવાર હેઠળ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!