Gujarat

સુરત- પિતા ની છત્રછાયા ગુમાવનાર 300-દીકરીઓ ને મહેશ સવાણી એ સાસરે મોકલી પૂરું પાડ્યું ઉત્ક્રુષ્ટ કાર્ય, જુઓ ભાવુક તસ્વીર.

Spread the love

ગુજરાતમાં આવેલા સુરત જિલ્લામાં દર વર્ષે પીપી સવાણી પરિવાર દ્વારા જે દીકરીઓના પિતા ના હોય તેમની માટે લગ્નનું ખાસ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને અનોખું પુણ્યનું કામ કરવામાં આવે છે. આ વર્ષે 24 અને 25 ડિસેમ્બરના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5:00 વાગ્યે લગભગ 300 જેટલી દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી.

આ બાબતે વધુ વાત કરીએ તો પીપી સવાણી ગ્રુપ દ્વારા 300 દીકરીઓના લગ્ન કરાવીને સમાજ માટે દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેમાં પીપી સવાણી પરિવાર સાથે લેબ્રોનોન ના ગ્રુપના લખાણી પરિવાર પણ સહભાગી થયો હતો. ગુરુવારે સવારના રોજ દીકરીઓ ના હાથ ઉપર મહેંદી મુકવાની સેરેમની ઉજવવામાં આવી હતી.

આ લગ્ન પ્રસંગની ખાસ વાત એ હતી કે આ લગ્ન પ્રસંગમાં 300 દીકરીઓમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ તમામ ધર્મની દીકરીઓ જોડાય હતી અને તમામ ધર્મ પ્રમાણે દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેમાં બે ખ્રિસ્તી, ત્રણ મુસ્લિમ સિવાય 56 અન્ય જ્ઞાતિની દીકરીએ ભાગ લીધો હતો. તો આ લગ્નમાં માત્ર ગુજરાતની જ નહીં મરાઠી, મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશની દીકરીઓ પણ જોડાય હતી.

લગ્ન પ્રસંગના ફોટાઓ હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણી દીકરીઓને સાસરે વળાવી રહ્યા છે. દીકરીઓ પણ મહેશ સવાણીમાં પોતાના પિતા જોતી હોય તેમ ગળે વળગીને રડી હતી. મહેશ સવાણી દ્વારા આવા લગ્ન નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને દીકરીઓને તમામ એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લગ્ન પછી પણ દીકરીઓનો ખ્યાલ રાખવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *