Gujarat

સુરતમાં ફક્ત 17 વર્ષીય સગીરનું ચાર-પાંચ લોકોના ટોળાએ મળીને ઢીમ ઢાળી દીધું ! શું આ કારણે હત્યા થઇ ? જાણો પુરી ઘટના..

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાંથી રોજબરોજની અનેક એવી ઘટનાઓ સામે આવતી જ રહે છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, એવામાં ગુજરાત રાજ્યમાંથી થોડાક દિવસોથી હત્યાની ઘટના વધતી જ જઈ રહી છે, ત્યાં સુરત શહેરમાંથી હત્યાની એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં 17 વર્ષીય સગીરની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી, દીકરાની હત્યા થઇ જતા પરિવારજનો દુઃખમાં ગરકાવ થયા છે.

સુરત શહેરના સગરામપુરામાં તલાવડી નજીક આ ઘટના સામે આવી છે જેમાં 17 વર્ષીય માનિયા રજાઉ હુસેન નામના સગીર યુવકની ચારથી પાંચ લોકોએ મળીને ચપ્પુના તથા લાકડાના ઘા ઝીકીને ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો જે પૂરો બનાવ સીસીટીવી વીડિયોમાં પણ કેદ થયો હતો, પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનોં નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પુરી ઘટના અંગે જાણવા મળ્યું છે કે મૃતક કિશોર માનિયા રજાઉ હુસેનને તેના મિત્રના ઇસ્ન પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા, આ બાબતને લઈને ભારે જૂથ અથડામણ તથા ઝઘડો થયો હતો જેની અદાવતને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે જૂથોએ એકઠા થઈને કિશોરને ગંભીર રીતે માર માર્યો હતો જેને લઈને સગીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને મૌતને પામ્યો હતો એવામાં આ ઘટનાને લઈને પરિવારમાં ભારે દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

જયારે પરિવારજનોએ આ હત્યારાઓ વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી,મૃતક સગીર ડેકોરેશનનું કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતો હતો એવામાં તે રાત્રીના સમયે તે તેના મિત્રો સાથે બહાર ચા પીવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બની હોવાની જાણ મૃતક સગીરના પિતરાઈ ભાઈએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *