India

ટેલિવિઝન ની મશહૂર અભિનેત્રી વૈશાલી ઠક્કરે ટૂંકાવી લીધું જીવન! આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઈડ નોટ માં લખ્યું કે,

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક મોટા સેલિબ્રિટીઓ પણ આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવે છે. ટેલિવિઝનની મશહૂર અભિનેત્રી વૈશાલી ઠક્કરે પોતાના ઘરે રવિવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. સાત વર્ષથી મુંબઈમાં રહેતી વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી પોતાના ઘર મધ્યપ્રદેશ ઇન્દોરમાં રહેતી હતી જેને આત્મહત્યા કરી લીધેલી છે.

આત્મહત્યાની જાણકારી સામે આવતા તેના ચાહકો તથા ટેલિવિઝનની ઇન્ડસ્ટ્રીમાં ભારે હડકમ મચી જવા પામી છે માહિતી મળી કે જ્યારે પોલીસને આ બાબતે જાણ થય ત્યારે પોલીસ તેના ઘરે પહોંચી હતી ત્યારે પોલીસે વૈશાલીના રૂમની તપાસ કરતા તેને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે વૈશાલીને તેના બોયફ્રેન્ડ તરફથી દગો મળતા વૈશાલી ઠક્કરે આ પગલું ભરેલું છે.

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા સમય પહેલા જ વૈશાલી ઠક્કરે પોતાના instagram એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં વૈશાલી ઠક્કરે વીડિયોમાં પંખાની રીલ્સ બનાવીને મૂકી હતી. જેમાં ફરતા પંખા નો વિડીયો શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે જિસકા બંદા યા બંધી ના હો વો પંખા ઘુમાય.

હવે આ પંખા વાળી રીલ્સ ને લોકો તેના સુસાઇડ સાથે જોડી રહ્યા છે. આમ આ આખી ઘટના સામે આવતા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે હડકંપ મચી જવા પામી છે. હજુ કોઈ પાકું કારણ સામે આવ્યું નથી કે શા માટે વૈશાલી આવું પગલું ભર્યું હશે. હવે આગળ જોવાનું રહ્યું કે ખરેખર શું આમાં બહાર આવી શકે છે. આમ આવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે અને લોકો જીવનથી કંટાળીને આવું પગલું ભરી નાખતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *