દરિયામાં મોતને માત આપીને આવેલ લખનની એક ઝલક જોવા આખું સુરત શહેર ઉમટી પડ્યું !!જુઓ વિડીયો
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર લખનની ચર્ચાઓ થઈ રહી છે, વાત જાણે એમ છે કે સુરતના લખનનો તોફાની દરિયામાં 36 કલાક સુધી રહ્યા બાદ પણ ચમત્કારિ રીતે બચાવ થયો.4 લખને પોતાના જ મુખે એવી વાતો સૌ કોઈને કહી હતી કે આ સાંભળીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જાઓ.
લખન સાથે જે બનાવ બન્યો તે અંગે જાણીએ તો સુરતના દરિયામાં લખન પોતાના ભાઈને બચાવવા ગયો હતો પણ પોતાના ભાઈને તો બચાવી લીધો પરંતુ તે દરિયામાં તણાઈ ગયો અને આખરે દરિયામાં તેને ગણપતિ બાપાની મૂર્તિનું લાલ રંગનું પાટિયું મળ્યું આ પાટિયા ના સહારે તે દરિયા વચ્ચે 36 કલાક રહ્યો.
દરિયામાં ‘નવદુર્ગા’ નામની નાવ જોઈ લખને બુમો પાડતા માછીમારો લખન પાસે પહોંચ્યા હતા અને લખનને બચાવી લીધો હતો. જયારે લખન દરિયામાં તણાઈ ગયાની જાણ પરિવારને થતા પરિવારે શોધખોળ ચલાવી હતી.
બાળકને બચાવીને નવસારીના ધોવામી બંદરે લાવવામાં આવ્યો હતો. જયાં એમ્બ્યુલન્સે પહોંચીને લખનને તાત્કાલિક સારવાર અપાઈ હતી. પરિવારમાં તો હરખના આંસુઓ પણ સમાતા ન હતા કારણ કે પોતાનો બાળક મોતના મુખમાંથી પાછો આવ્યો.
હાલમાં લખનનું અનેક રાજનેતાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે, તેમજ અનેક મીડિયાઓએ પણ લખનનું ઇન્ટરવ્યુ લીધું. એક ઘટનાને કારણે લખન વિશ્વભરમાં લોકપ્રિય બની ગયો. એક વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે લખનની એક ઝલક જોવા લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.લખનનો જીવ બચી ગયો પણ લખને જે ડરનો સામનો કર્યો તેમજ હિંમત રાખી એ વખાણવા લાયક છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.