Gujarat

ભાવનગર નો યુવાન હિંમત હાર્યો ! પોલીસ ભરતી પાસ ન થતા આખરે મોત ને ભેટ્યો સ્યુસાઇડ નોટ માં લખ્યું કે મારુ સપનું,

Spread the love

આ સમયમાં યુવાનો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ વળવા લાગ્યા છે. પ્રાઇવેટ નોકરીઓમાં યુવાનોનું શોષણ થતું હોવાના કારણે યુવાનો હવે ખાસ કરીને સ્પર્ધાત્મક નોકરીઓ ની તૈયારીમાં વળવા લાગ્યા છે. સ્પર્ધાત્મક તૈયારી એવી તૈયારી છે કે જો યુવાન આ પરીક્ષા પાસ કરી લે તો તેની પેઢી પણ સુધરી જતી હોય છે. પરંતુ કેટલાક યુવાનો એવા હોય છે કે જેને આમાં ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી હોતી નથી. માત્ર નિરાશા મળતી હોય છે.

અને એવામાં યુવાનો કંઈક આડુ પગલું પણ ભરી લેતા હોય છે. એવી એક ઘટના હાલ ભાવનગર શહેરમાંથી સામે આવી છે. જેમાં બે વર્ષથી પોલીસની ભરતીની તૈયારી કરતો 30 વર્ષનો યુવાન પોલીસ ભરતીમાં પાસ થતો ન હતો. આથી યુવાને આખરે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વધુ વિગતે વાત કરીએ તો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા શ્રીજી અગરબત્તી વાળા ખાંચામાં સોરઠીયા પરિવારમાં રહેતો હિતેશ ભરતભાઈ સોરઠીયા કે જેની ઉંમર માત્ર 30 વર્ષની હતી.

તે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતો હતો. 30 વર્ષના હિતેશભાઈ સોરઠીયા નું સપનું હતું કે તે પોલીસ ઓફિસર બને આથી તે ઘણી બધી તૈયારી કરતો હતો. પરંતુ છેલ્લી બે ભરતીમાં તેને પરીક્ષા પણ આપી પરંતુ એકેય ભરતીમાં તેનો વારો આવ્યો નહીં અને નિષ્ફળતા હાથ આવી હતી. આથી સમાજના ડર અને યુવકના ડિપ્રેશનમાં આવી જવાને કારણે આખરે યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ બાબતે યુવાને આપઘાત કરતા પહેલા એક ટૂંકી સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે હું મારી મરજીથી મરું છું. તો મારા મમ્મી પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો. હું આ પગલું ભરું છું. મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું.. આમ આવી ટૂંકી સુસાઇડ નોટ લખી હતી. આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાળીયા પણ યુવાનના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા.

મૃતક ના કાકા મનીષભાઈ સોરઠીયા એ જણાવ્યું કે તેઓના ભત્રીજા ને પગમાં ફેકચર થયો હોવા છતાં તે તનતોડ મહેનત કરતો હતો બે વખત નિષ્ફળતા મળવા હોવા છતાં તે પરીક્ષામાં સફળ થતો ન હતો આથી યુવાને આ પગલું ભર્યું હતું. આમ આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *