India

નવા તારક મહેતા ની એન્ટ્રી થતા જુના તારક મહેતા એ નામ લીધા વગર અસિત કુમાર મોદી પર સાધ્યું નિશાન. કહ્યું એવું કે.

Spread the love

ભારતના હર ઘરમાં પ્રસિદ્ધ થયેલી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક પછી એક જૂના પાત્ર શોમાંથી એકઝિટ લઈ રહ્યા છે. તો જૂના પાત્રમાં સ્થાને નવા પાત્રો શોમાં આવી રહ્યા છે. એવામાં ઘણા સમયથી તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા જોવા મળતા નહોતા. અને ત્યાર પછી જાણવા મળ્યું કે શૈલેષ લોઢા પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી એક્ઝિટ લઈ લીધી છે.

ત્યારબાદ હવે બે ત્રણ દિવસથી તારક મહેતા ના રોલમાં અભિનેતા સચીન શ્રોફ આવી ચૂક્યા છે. એવામાં જૂના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ એક પોસ્ટ કરીને આ બાબતે આશિતકુમાર મોદીનું નામ લીધા વગર તેના ઉપર વ્યંગ કરેલો જોવા મળે છે. જેમાં શૈલેષ એક પોસ્ટ કરી હતી. જેમાં તેને કોઈપણ વ્યક્તિનું નામ લીધા વગર તેને આ પોસ્ટ કરી અને પોતાની કવિતામાં બધી પોતા ની વ્યથા વ્યક્ત કરી હતી.

દર્શકો કહે છે કે શૈલેષ લોઢાયે પ્રોડ્યુસર આશિત કુમાર મોદી ઉપર નિશાનો સાધ્યો હતો. એ અગાઉ પણ પ્રોડ્યુસર આશિત કુમાર મોદીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં આશિત કુમાર મોદી પણ કેટલાક લોકો ઉપર નિશાન તાકતા જોવા મળ્યા હતા. જેમાં આશિત કુમાર મોદીએ પણ ઘણું બધું કહી દીધું હતું. હવે જોવાનું રહ્યું કે શોમાં તારક મહેતાનું પાત્ર ભજવવા આવેલ સચિન જુના તારક મહેતા ને ટક્કર આપી શકશે કે નહીં.

જુના તારક મહેતા શૈલેષ લોઢા એ શો છોડ્યા બાદ કહ્યું હતું કે તેને 15 દિવસ સુધી સેટ પર બોલાવવામાં આવતા હતા અને 15 દિવસ ઘરે જ બેઠવું પડતું હતું. આ માટે તેને સમયનો સદ ઉપયોગ કરવા માટે બીજું કામ શરૂ કર્યું. તો શો દ્વારા જાણવા મળ્યું કે તે લોકો કોન્ટ્રાક્ટનો ભંગ કરી રહ્યા છે. આથી શૈલેષ લોઢા એ આ શોમાંથી એક્ઝિટ લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *