India

લગ્ન ની પ્રથમ એનિવર્સરી ની ધમાકેદાર ઉજવણી યામિની ગૌતમે તેના પતિ સાથે કરી. જુઓ પતિ-પત્ની નો અનોખો પ્રેમ..

Spread the love

બોલીવુડના અભિનેતા કોઈ ને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા ની હેડલાઈન બનાવતા જ હોય છે. 4 જૂન 2021 ના રોજ અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ મેકર આદિત્ય ઘરની સાથે લગ્નના બંધનમાં જોડાઈ હતી. યામિની ગૌતમ અને આદિત્ય ઘરનું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. એવામાં યામિની ગૌતમ અને તેના પતિ ફિલ્મ મેકર આદિત્ય ધરની લગ્નની પ્રથમ એનિવર્સરી હોય તે લોકો હિમાચલ પ્રદેશના મંદિરમાં જ્વાળાદેવીના મંદિર ઉપરાંત અન્ય એવા ઘણા મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા અને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

આ બાબત ના ફોટા યામીની એ તેના પોતાના instagram એકાઉન્ટ પર શેર કરીને દર્શકોને માહિતી આપી હતી. યામિની ગૌતમ પોતાના પતિ આદિત્ય ધર સાથે પોતાના કુળદેવી નૈના દેવી અને જ્વાલા દેવી ના મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચી અને ત્યારબાદ તેને ત્યાં સરસ રીતે પૂજા અર્ચના કરી હતી. આ પ્રથમ એનિવર્સરી ના શુભ પ્રસંગે આદિત્ય અને તેમની પત્ની યામીની ગૌતમ લગ્નના ઘરેણા સાથે ખૂબ જ સુંદર લાગી રહેલા હતા.

આદિત્ય કૃતા પાયજામ માં હતો. જ્યારે યામિની ગૌતમ સુંદર ડ્રેસ પહેરીને ગાળા માં લાલ દુપટો નાખેલો હતો. યામિની ગૌતમે ફોટો શેર કરતા જણાવ્યું કે તે હિમાચલ પ્રદેશની નાની ટૂરમાં પ્રથમ નૈના દેવીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અને ત્યાં મંદિરમાં મંદિરના વિધિ વિધાનસાથે પૂજા અર્ચના કરાવી હતી. ત્યારબાદ યામિની ગૌતમ અને આદિત્ય ધર જ્વાલા દેવીના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

યામિની ગૌતમને instagram પર ફોટો શેર કરતા લખ્યું છે કે બગલામુખી માતાના મંદિરમાં આશીર્વાદ લીધા બે દિવસ શક્તિપીઠના મંદિરોમાં વિતાવ્યા. મારા જીવનની સૌથી અવિસ્મરણીય ક્ષણોમાં એક ક્ષણ, આ મંદિર દેવીય શક્તિ અને વિશ્વાસનું કેન્દ્ર છે. આમ યામિની અને તેના પતિ આદિત્ય ધરે સુંદર રીતે એનિવર્સરી ની ઉજવણી કરી હતી. યામિની ગૌતમના કામની વાત કરવામાં આવે તો તે તુષાર ઝલોટા નિર્દેશિત ‘દાસવી’ મુવીમાં જોવા મળશે. તેમ જ તેને લોસ્ટ અને શૂટિંગ પૂરી કરી લીધી છે. તેની આવનારી કમિંગ ફિલ્મની વાત કરવામાં આવે તો ઓમજી ટુ માં જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *