કેરળ માં વરસાદ ને કારણે લોકોએ ત્રાહિમામ પોકાર્યુ અહીં ભૂસ્ખલનમાં 8 ના મોત, 5 જિલ્લામાં રેડ એલર્ટ
મિત્રો આપડે જાણીએ છીએ તેમ છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા એ સમગ્ર દેશ પર પોતાની કૃપા કરી છે ત્યારે અત્ર તત્ર સર્વત્ર વારસાદ ને કારણે સૂકા પ્રદેશો એક દમ લીલા છમ થઈ ગયા છે.
આ વરસાદી માહોલમાં આપડે અનેક સ્થળો એ પૂર જેવી પરિસ્થિતિ પણ જોઈ ભારે વરસાદ ના કારણે અનેક નાના મોટા તળાવો અને નાળા છલકાઇ ગયેલા જોવા મળે છે. તેવામાં હાલ કેરળ ની પરિસ્થિતિ પણ વરસાદ ના કારણે ઘણી ખરાબ છે આપડે અહીં ત્યાંના વાતાવરણ વિશે માહિતી મેળવવાના છીએ.
મિત્રો કેરળમાં ભારે વરસાદ ના કારણે 5 જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. અમુક જિલ્લઓ જેવાકે કોટ્ટાયમ, પઠાણમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં વરસાદ ને લઇ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય 7 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું.
આવા જીલ્લાઓ માં તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડનો સમાવેશ થાય અહીંના કોટ્ટાયમ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે આઠ લોકોના મોત થયા છે, જોકે તેમાના અમુક લોકોનાં મૃતદેહ બહાર કાઢવા માં આવ્યા છે. જોકે હજુ પણ 14 લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના પ્લેપલ્લીમાં બની હતી. અહીંના ત્રણ જેટલા મકાનોને પણ નુકસાન પહોંચીયુ છે.
જો વાત કરીએ કેરળ ની સ્થિતિ અંગે તો સોશિયલ મીડિયા ઉપર અહીંના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, કે જેમાં કેરળના અમુક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાયરલ વિડીયો માં સ્પષ્ટ નજરે પડે છે કે રસ્તાઓ પર પાણી ભરેલા છે અને લોકો આવા પાણીમાં ફસાયેલા છે.
જો વાત કરીએ કોટ્ટયમ વિશે તો તે પણ એવા પાંચ જિલ્લાઓમાંનો એક છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો એક કારને ધક્કો મારીને તે ગાડિને ઘણા ઊંડા પાણીમાંથી બહાર લાવી રહ્યા છે. આ સિવાય બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક આખી બસ ડૂબી રહી નજરે પડે છે અને લોકો તેમાંથી કોઈક રીતે બહાર નીકળી રહ્યા છે.
ભારે વરસાદ ને લઇ સરકારે પણ આ પ્રકારે સૂચનાઓ આપી છે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે લોકોએ નદીઓની નજીક તથા પર્વતો પર જવાનું હમણાં ટાળવું જોઈએ. આ સાથે લોકોને બિનજરૂરી મુસાફરી પણ ન કરવી. તેવી સલાહ પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ઓછા દબાણવાળા પવનોને કારણે કેરળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
જોકે ફરી એક વાર હવામાન વિભાગે દ્વારા આ જિલ્લાઓમાં 17 અને 18 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી કરી છે. જયારે 19 ઓક્ટોબરે વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે. સરકારે શનિવાર અને રવિવારે માછીમારોને દરિયાન ખેડવાની સલાહ આપી છે.