Gujarat

એક જ પરિવારના 4 લોકોની હત્યા કરનાર આરોપી પકડ્યો નામ જાણી ચોકી જાસો હત્યાનુ કારણ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી હત્યા ના અનેક બનાવો સામે આવ્યા છે જેના કારણે આખો સમાજ હચમચી ગયો છે આપણે લગભગ દરરોજ આવા ક્રૂર બનાવો વિશે સાંભળતા હોઈએ છિએ કે જ્યાં આર્થિક કે પ્રેમ અથવા તો ચોરી ના ઇરાદે લોકો અન્ય નો જીવ લેતા પણ ખચકાતા નથી. ખરેખર હત્યાના આવા બનાવો સમાજ માટે ખતરા સમાન છે.

તેવામાં થોડા સમય પહેલા જ અમદાવાદ ના ઓઢાવ વિસ્તારમાં આવેલ વિરાટ નગર પાસે આવેલી એક સોસાયટી માં એકજ પરિવાર ના એક સાથે ચાર લોકો ની હત્યા કરવામાં આવી હતી મૃતક માં સોનલ મરાઠી, સુભદ્રા મરાઠી, ગણેશ મરાઠી, અને પ્રગતિ મરાઠી નો સમાવેશ થાય છે જણાવી દઈએ કે આ તમામ લોકો ની હત્યા એક તિક્ષ્ણ હથ્યાર વડે કરવામાં આવી હતી.

હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. જેમાં હવે માત્ર 48 કલાક માં પોલીસ દ્બરા આરોપી ની અટકાયત કરવામાં આવી છે જણાવી દઈએ કે આરોપી નું નામ વિનોદ મરાઠી. જણાવી દઈએ કે વિનોદ મૃતક સુભદ્રા મરાઠી ના જમાઈ છે. પોલીસે હત્યારા ની પકડ ઇન્દોર માંથી કરી હતી. જો કે હત્યા ની આશંકા ને લઈને પોલીસ ટીમને મહારાષ્ટ્ર પણ મોકલવામાં આવી હતી. પોલીસ પુછતાછ માં હત્યા નું કારણ તેમની પત્ની ના અન્ય સાથે ના સંબંધ ને માનવામાં આવે છે જોકે હાલમાં પોલીસ દ્વારા આરોપી ની પૂછ પરછ કરવામાં આવી છે જે બાદ વધુ માહિતી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *