Gujarat

અમદાવાદ- કોલેજ ના વિદ્યાર્થીઓ એ ગુંડાખોરી ની તમામ હદો વટાવી દીધી. પ્રિન્સિપાલ ની કેબીન માં જઈ ને કર્યું એવું કે, જાણો વિગતે.

Spread the love

આજકાલનો યુવાનોમાં કેટલાક ગુંડા ખોરી ના તત્ત્વોનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોમાં આવા ગુંડાખોરી તત્વોનું પ્રમાણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ચાર પાંચ કોલેજના વિદ્યાર્થીઓ ભેગા થઈને પોતાનું પોતાનું ગ્રુપ ઊભું કરતા હોય છે. અને અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપકો, પ્રિન્સિપાલોને પણ હેરાન કરવામાં આવતા હોય છે. અને પોતે કોલેજમાં કઈ હોય તેવો રોપ જમાવતા હોય છે.

એવી જ એક ઘટના અમદાવાદની એલડી આર્ટસ કોલેજમાંથી સામે આવે છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ એવી હરકત કરી કે જેને સાંભળીને લોકોને ખૂબ ગુસ્સો આવી ગયો છે. જાણવા મળ્યું કે અમદાવાદની એલ.ડી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા રબારી અર્જુન, દેસાઈ આકાશ, રબારી ઝીલ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો આવી ચૂકી છે. આ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ સામે પ્રિન્સિપાલ ડોક્ટર મહિપતસિંહ ચાવડાને પહેલા પણ અનેકવાર ફરિયાદો મળી ચૂકી છે.

જેમાં વિદ્યાર્થીઓ કોલેજમાં ખૂબ તોફાન કરતા હોય તેમ જાણવા મળ્યું હતું. આ વિદ્યાર્થીઓ કોલેજના ગ્રુપમાંથી છોકરીઓના નંબરો અને છોકરીઓના ફોટા લઈને એકબીજાને ફોરવર્ડ કરતા હોય છે. અને જ્યારે છોકરીઓ ઘરે રિક્ષામાં જતી હોય ત્યારે તેની પાછળ પાછળ જઈને તેને હેરાન કરવામાં આવતા હોય છે. તથા કોલેજમાં અનેક જગ્યાએ ગાળો પણ લખી દેવામાં આવતી હતી. આ બાદ પ્રિન્સિપાલ ડોક્ટર મહિપતસિંહ ચાવડાએ તમામને બોલાવીને તેમની પાસે માફી પત્ર લખાવીને છોડી દેવામાં આવ્યા હતા.

પરંતુ તે લોકોમાં કંઈ સુધારો આવ્યો ન હતો. અને જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીઓએ ચાલુ ક્લાસે અધ્યાપક સહિત 30 વિદ્યાર્થીઓને ક્લાસની અંદર પૂરી દીધા અને દરવાજો બંધ કરી દીધો હતો. તે બાદ પ્રિન્સિપાલે આ વિદ્યાર્થીઓને તેની પાસે બોલાવ્યા હતા. આ સમયે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો અરજુન રબારી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. અને પ્રિન્સિપાલની ઓફિસમાં ખુરશીઓ ઉપાડી ઉપાડીને ફેકવા લાગ્યો હતો. જેમાં પ્રિન્સિપાલ ઉપર ખુરશી ફેકતા સમયે પ્રિન્સિપલ દૂર ખસી જતા ઓફિસની બારીને ખુરશી લાગી જતા બારી નો કાચ તૂટી ગયો હતો.

જે બાદ પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીઓ સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મળ્યું કે આ તમામ વિદ્યાર્થીઓ એન.એસ.યુ.આઇ સાથે જોડાયેલા છે. પરંતુ એન એસ યુ આઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી એ કહ્યું હતું કે તેઓ આ લોકોને જાણતા નથી. પરંતુ જો તે સભ્ય હશે તો તેની સામે પગલાં પણ ભરવામાં આવશે. આમ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *