Categories
Gujarat

આ છે ગુજરાત ના બટેટા કીંગ !સરકારી નોકરી છોડી બેટેટા નો ધંધો ચાલુ કર્યો અને આજે એવી કંપની…

મિત્રો કેહવામાં આવે છે કે જ્યારે માણસ સાચ્ચી નિષ્ઠા અને પૂરી મેહનતથી કામ કરે તો તેવા વ્યક્તિ માટે કોઈ મુકામ મેળવવું અઘરું નથી હોતું. આવી સફળતા પ્રાપ્ત કરવાના તમે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા જ હશે જેમાં કોઈ વ્યક્તિ પોતાની મેહનત અને બુધિથી પોતાનું એક ચોક્કસ મુકામ હાંસલ કરે છે. એવામાં આ લેખના માધ્યમથી અમે ગુજરાતના એક એવા વ્યક્તિ વિશે જણાવના છીએ જેને ‘બેટેટા કિંગ’ નાં બિરુદથી ઓળખવામાં આવે છે.

બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડાંગીયા ગામની આ વાત છે જ્યાં પર્થીવભાઈ ચૌધરી નામના વ્યક્તિએ એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે પર્થીવભાઈ વર્ષ ૧૯૮૧માં ગુજરાત પોલીસમાં એસઆઈ તરીકે ફરજ માટે જોડાયા હતા જે પછી તેઓ વર્ષ ૨૦૧૫માં મેહસાણાના ડીએસપી પદથી રીટાયર થયા હતા. એવામાં જ્યારે પર્થીવભાઈને જયારે પણ નોકરી પરથી રજા મળતી તો તેઓ બટેટાની ખેતી પર રીસર્ચ અને શોધ કરતા હતા.

એવામાં જ્યારે પર્થીવભાઈ રીટાયર થયા તો તેણે બટેટાની ખેતી કરવાની ઈચ્છા જગાવી. શરુઆતમાંમાં પર્થીવભાઈએ પોતાની પાંચ એકડ જમીન પર બટેટાની ખેતી શરુ કરી હતી, આ ખેતીમાં ઉત્પાદન અને સારો નફો પ્રાપ્ત થયો હતો જેથી તેઓએ વધુ જમીનમાં બેટેટાનું ઉત્પાદન કરવાનું વિચારીને આસપાસની જમીનની પણ ખરીદી શરુ કરી હતી. હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો પર્થીવભાઈ ૮૭ એકડ જમીનમાં બેટેટાની ખેતી કરી રહ્યા છે

પર્થીવભાઈને ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહી પણ દેશના ઘણા શેત્રોમાં લોકો ઓળખી રહ્યા છે કારણ કે દેશમાં તેઓ બટેટાના મોટા ઉત્પાદકોમાં તેનું નામ જોડાય છે. તમને જાણતા નવાય થશે કે પર્થીવભાઈ બટેટાનું ઉત્પાદન કરીને લગભગ ૩ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરે છે એટલું જ નહી તેઓએ આ બાબતે નેધરલેંડના એક ખેડૂતનો પણ રેકોર્ડ તોડીને પોતનું નામ ફોર્બ્સની લીસ્ટમાં શુમાર કર્યું છે.

જણાવી દઈએ કે પર્થીવભાઈ પોતાની આ ખેતી દ્વારા ૧૬ જેટલા પરિવારને રોજગારી પૂરી પડી રહ્યા છે, તેઓ ફક્ત બટેટા જ નહી હવે તેઓએ મગફળી અને બાજરી જેવા અનાજનું પણ ઉત્પાદન શરુ કર્યું છે. બનાસકાંઠામાં બટેટાનું વધારે ઉત્પાદન થાય છે જેની સાથે લગભગ લાખો ખેડૂતો જોડાયેલ છે. પર્થીવભાઈને જોઈને આપણે એમ પણ કહી શકીએ કે જો માણસ ઈચ્છે તો ગમે તે કરી શકે છે.

Categories
Gujarat

સુલતાન પાડાના મોત પછી હવે રેશ્મા નામની ભેંસ એ તેમના માલિકને માલમાલ કરશે! 33.8 લીટર દૂધ આપીને રેકોડ તોડ્યો….

તમે અત્યાર સુધી અનેક એવી કિંમતી ગાયો અને પાડા વિશેની રસપ્રદ વાતો જાણી જ હશે પંરતું આજે અમે આપને એક એવી ભેંસ વિશે જણાવશું જે 33.8 લીટર દૂધ આપે છે. આ વાત સાંભલીને તમને આશ્ચય પણ થાય પણ ખરેખર આ વાત 100 % સાચી છે. આ ભેંસમાં શું ખાસિયત છે તે જાણવું ખૂબ જ જરૂરી છે અને તેની ખાસિયત વિશે જાણીને તમને પણ અનેરો શોખ જાગશે કે આ ભેંસ મારી પાસે પણ હોય. આ વાત બિલકુલ અનોખી છે. ચાલો આ ભેંસ વિશે વધુ માહિતગાર થઈએ.

હરિયાણાના કૈથલ નો સુલતાન નામનો પાડો લોકપ્રિય હતો પણ એ હવે આ દુનિયામાં નથી રહ્યો પણ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. વાત જાણે એમ છે કે, મુર્રાહ નસલની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ જ કારણે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેં તરીકે ઓળખાય છે. ખાસ વાત એ છે કે, રેશમાએ પહેલીવાર જ્યારે બાળકને જન્મ આપ્યો તો 19-20 લીટર દૂધ આપ્યું હતું.


બીજીવાર તેણે 30 લીટર દૂધ આપ્યું હતું. જ્યારે ત્રીજીવાર રેશમા માતા બની તો તેણે 33.8 લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.ઘણા ડોક્ટર્સની ટીમે રેશમાનું 7 વખત દૂધ કાઢીને જોયું ત્યારબાદ પુષ્ટિ પામી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ 33.8 લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા 10માંથી 9.31 છે.

રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. ભેંસના માલિકને સુલતાનના સીમનથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલતાન વર્ષ 2013માં થયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા પણ રહી ચુક્યો હતો. રાજસ્થાનના પુષ્કર મેળામાં એક પશુ પ્રેમીએ સુલતાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી પણ તેણે પોતાનો દીકરો જ ગણ્યો હતો.આ કારણે ના વેચ્યો. આખરે સપ્ટેમ્બર મહિનામાં સુલતાનનું મોત થયું.

Categories
Gujarat

ખેંડુત નો દીકરો ટ્યુશન વગર ચાર વર્ષ મહેનત કરી DYSP બન્યો ! આહીર સમાજ નુ અને ગામ નુ નામ રોશન કર્યુ…

જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે પોતાનો ધેય્ય નક્કી કરવો પડે અને ત્યારબાદ તન અને મન થી એ લક્ષ્ય સુધી પહોંચવા અથાગ મહેનત કરવી પડે છે. ત્યારે તમને જીવનમાં સફળતા જરૂરુ મળે છે. આજે અમે આપને એક એવા જ યુવાનની સફળતાની કહાની જણાવશું.નાના એવા ગામ ના યુવાન નવીન આહીર દરેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. નવીન આહીર નામના યુવકે છેલ્લા 4 વર્ષ મા સરકારી ભરતી ચાર કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP ની પરીક્ષા પાસ કરી છે.

નવીને 2017 મા સરકારી પરીક્ષા આપવા માટે ની તૈયારીઓ ચાલુ કરી હતી અને સતત મહેનત બાદ ખુબ સરસ સફળતા મેળવી હતી. નવીન ની વાત કરવામા આવે તો તે એક ખેડૂત પુત્ર એ નવીનનું વતન સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા છે અને તેના પિતા પૂંજાભાઈ આહિર ખેતીકામ સાથે જોડાયેલા છે. અહી મહત્વ ની વાત એ છે કે નવીને કોચીંગ ક્લાસ વગર જ પરીક્ષાઓ પાસ કરી છે. 2017 થી તનતોડ મહેતા નવીનનુ સપનું ક્લાસ વન ઓફીસર બનવાનું હતુ અને બી.ઇ મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે સરકારી ભરતી ની તૈયારી ચાલુ કરી હતી.

નવીન નુ પહેલા થી જ સપનું હતુ કે તે ક્લાસ વન ઓફીસર બને આમ છતા 2017માં તલાટી રેવન્યુ તલાટી,તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ 3 પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી હતી. અને સચિવાલય મા આસીસ્ટન્ટ ની નોકરી સાથે તૈયારીઓ ચાલુ રાખી અને રોજ નુ 7 કલાક નુ વાંચન કરતા અને 2020 મા GST ઇસ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી પરંતુ આટલા મા સંતોષ ના માનતા GPSC પરીક્ષા બીજા પ્રયાસમાં T. D. O અને PIની પરીક્ષા પાસ કરી હતી.

ક્લાસ 2 ની પરીક્ષા ઓ પાસ કર્યા પછી પણ પોતાનો ધ્યેય ના ભુલીને પોતાની મહેનત ચાલુ રાખી હતી અને ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં 16મો ક્રમ પ્રાપ્ત કરી સીધો DYSPમાં પસંદગી પામ્યા છે. ચોરાડ પંથકમાં સૌપ્રથમ નાની વયના અને સીધા DYSP બનનાર પ્રથમ યુવાન છે. જેને લઈ સમગ્ર સમાજમાં અને જીલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

Categories
Viral video

કીર્તિ પટેલે શ્રી હરિહરાનંદ ભારતી બાપુને ગુરુ તરીકે અપનાવ્યા! બાપુ એ કીર્તિ પટેલને આ માર્ગે ચાલવાનું કહ્યું, જુઓ વિડિયો….

સોશિયલ મીડિયામાં લોકપ્રિય બનેલ કીર્તિ પટેલનો હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પાછળની હકીકત એ છે કે, કીર્તિ પટેલે પોતાના જીવનમાં ગુરુ ને ધારણ કર્યા છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે કિર્તી પટેલે કોને ગુરુ પદે ધારણ કર્યાં છે?

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કીર્તિ પટેલ કહે છે કે ” શ્રી સદગુરુ હરિહરાનંદ ભારતી બાપુના ચરણોમાં જય ગિરનારી. આજે હું મારા જીવનની અંદર એમને ગુરુ તરીકે અપનાવું છું. એમના કિધેલા વચનો અને શબ્દો પર જ હું ચાલીશ. ”

ભારતી બાપુ આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતી બાપુ કીર્તિ પટેલને આશીર્વાદ આપતા કહે છે કે, કીર્તિ તારું કર્તવ્ય સારું છે, સાથે સાથે અમુક કેસો લડીને ન્યાય અપાવ્યો છે. મારે તો તેને એક જ રસ્તો બતાવવાનો કે, બધું છોડીને સત્યને ન્યાય અપાવજે.

ભગવાન પાસે પ્રાથૅના કે ભગવાન સદબુદ્ધિ આપે અને કીર્તિ સ્ત્યનો ન્યાય આપાવજે અને તને ન્યાય મળતો રહે. એવી મારી લાડકી દીકરી કીર્તિ પટેલ. બાપુ કીર્તિ પટેલને શુભ આશિષ આપીને કંઠી ધારણ કરાવે છે, ત્યારબાદ કીર્તિ પટેલ બાપુના આશીર્વાદ લઈને બાપુના ચરણોમાં જય ગિરનારી નો નાંદ ગુજાવે છે. આ વિડીયો પર અનેક લોકોએ પોતાની પ્રતક્રિયાઓ કોમેન્ટ બોક્સમાં જણાવી છે, આ પહેલા પણ કીર્તિ પટેલ કબરાઉ ધામના બાપુના આશીર્વાદ લીધા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

5 વર્ષનો ટેણીયો તમને હસીને લોટપોટ કરી દેશે!ગમતી છોકરી માટે ટીચર પાસે એવી જીદ્દ કરી કે તમેં હસવું નહિ રોકી શકો…જુઓ વિડીયો

ક્યૂટ બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તમને તમારી શાળાના દિવસો યાદ આવી જશે. ખરેખર બાળપણમાં સ્કુલના દિવસો ખૂબ જ યાદગાર હતા અને અને આ વીડિયો જોઈને ફરી તમને જુના દિવસો યાદ આવી જશે.

5 વર્ષનો ટેણીયો તમને તમારા સ્કૂલના કાળમાં લઈ જશે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે. આપણે જાણીએ છે કે બાળપણમાં આપણે શાળામાં બેસવા માટે ખૂબ જ ઝઘડો કરતા કારણ કે આપણને મિત્ર સાથે બેસવું હોય પરંતુ જ્યારે તેની જગ્યાએ બીજૂ કોઈ બેસી જાય તો ખૂબ જ ખોટું પણ લાગતું. આ વીડિયો જોઈને તમે પણ તમારા સ્કૂલના મિત્રોને યાદ કરશો.

આ ક્યુટ બાળક પોતાના ક્યૂટ અંદાજમાં બોલે છે કે, આપણે ઉસે ક્યુ કાંટ લિયા ટીચર કહે છે કે કહી ઔર બેઠ જાઓ પણ બાળક બોલે છે કે વોહ મુજે અચ્છી લગતી હૈ સબસે જ્યાદા વો. ટીચર ફિરસે બોલતી હૈ કી કહી ઔર બેઠ જાઓ. ખરેખર આ વીડિયો જોઈને તમને ચોક્કસ સ્કૂલના દિવસો યાદ આવી જશે. આ વીડિયો જોઈને તમારો દિવસ બની જશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ  વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Categories
Gujarat

પ્રિયંકા ચોપરાએ પતિ નિક અને દીકરી માલતી સાથે રામ મંદિરના કર્યા દર્શન !…જુઓ આ ખાસ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી બનેલી હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે ભારતમાં છે. કેટલીક કામની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા પછી, પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસને ઉત્તર પ્રદેશમાં ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા લઈ જવાની ખાતરી કરી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પ્રિયંકાએ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી

દરેક ભારતીયની જેમ પ્રિયંકાનું હૃદય પણ અયોધ્યામાં રામલલાના આશીર્વાદ લેવા આતુર હતું. હવે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં ભવ્ય અભિષેક સમારોહનું આયોજન કર્યું હતું, ત્યારે પ્રિયંકા દેશમાં નહોતી. તમને જણાવી દઈએ કે આ સેરેમનીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ સહિત બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.

દર્શન માટે પ્રિયંકાએ હાફ સ્લીવ ફીટ બ્લાઉઝ સાથે પીળા રંગની સાડી પહેરી હતી. પ્રિયંકાએ આઈલાઈનર અને ન્યૂડ પિંક લિપસ્ટિક વડે તેનો લુક સિમ્પલ રાખ્યો હતો. તેની પુત્રી માલતી ગુલાબી રંગના ફ્લોરલ સૂટમાં માથા પર દુપટ્ટાની જેમ માથા પર બાંધેલી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમે નિકને પણ જોયો, જે ક્રીમ-ટોન કુર્તામાં હેન્ડસમ દેખાતો હતો.

ઈશા અંબાણીની હોળી પાર્ટી પહેલા પ્રિયંકાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક મોટી જાહેરાત શેર કરી હતી કે તે અને તેની પુત્રી માલતી ભારત આવી રહ્યા છે. અભિનેત્રીએ ગુલાબી શર્ટ પહેરેલી તેની બાળકી માલતી સાથે એક સુંદર સેલ્ફી શેર કરી હતી. આની ઉપર પ્રિયંકાએ લખ્યું હતું, “મુંબઈ માય લવ, અમે અહીં જઈ રહ્યા છીએ.” થોડા જ દિવસોમાં નિક જોનાસ પણ ભારત આવી ગયો.

પ્રિયંકાની તેની પુત્રી માલતી સાથે ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન, તેણે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવાનું નિશ્ચિત કર્યું. 6 એપ્રિલ, 2023ના રોજ, પ્રિયંકા ચોપરા તેની રાજકુમારી માલતીને સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે લઈ ગઈ હતી. એક વીડિયોમાં પ્રિયંકા તેની પુત્રી માલતીને ખોળામાં બેસાડીને જોવા મળી હતી. પૂજારી નાની બાળકીના કપાળ પર તિલક લગાવી રહ્યો હતો. લીલા રંગના એથનિક આઉટફિટમાં પ્રિયંકા સુંદર લાગી રહી હતી. જ્યારે, મેરી પીળા રંગના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Categories
Gujarat

અનંત અંબાણી નુ દીલ જીતનાર કોણ છે રાધીકા મર્ચન્ટ?? જાણો શુ કરે અને કેટલી સંપતિ ની માલિકીન છે અંબાણી પરિવાર ની ભાવી…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં હાજરી આપે છે અને હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને રાધિકા મર્ચન્ટ માટે આરંગત્રેમ સેરમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલીવાર રાધિકા એ પારંપરિક પહેરવેશ પહેરીને પ્રથમ વખત ભરતનાટ્યમનું સ્ટેજ પર્ફોમશ આપ્યું હતું. તેમજ  હાલમાજ અનંત અને રાધિકાનું પ્રિવેડિંગ થયું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ કાર્યક્રમ ખૂબ જ શાનદાર રીતે અને ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ઉધોગપતિઓ અને બોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી. ખાસ વાત એ છે કે, રાધિકા મર્ચન્ટ હજૂ સુધી પરિવારની પુત્ર વધુ ના હોવા છતાં પણ પરિવાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે રાધિકા અંબાણી પરિવારની પુત્રવધુ બનવા જઈ રહી છે તે એકલી કોરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

ચાલો અમે આપને જણાવીએ કે રાધિકા મર્ચન્ટ કોણ છે. ગુજરાતી પરિવારમાં તા.18 ડિસેમ્બર 1994માં જન્મેલી રાધિકા મર્ચન્ટ ‘એનકોર હેલ્થકેર’ના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરૂ કર્યું છે.

આ ઉપરાંત, રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં બેચલરની ડિગ્રી મેળવી છે. ભારત પરત ફર્યા પછી, તેણે 2017 માં રિયલ એસ્ટેટ ફર્મ ‘ઇસપ્રવા’ માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. રાધિકાએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને સ્વિમિંગ અને ટ્રેકિંગનો પણ શોખ છે.

ખાસ કરીને રાધિકા એક ક્લાસિકલ ડાન્સર, બિઝનેસમેન સાથે-સાથે મીડિયા ફેસ તરીકે કાર્ય કરે છે અને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી રાધિકા તેમના બોયફ્રેન્ડ અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે હાલમાજ જામનગર ખાતે પોતાનું પ્રિવેડિંગ કર્યું હતું. જેની ભાવિ ઉજવણીઓ પણ કરવામાં આવી હતી.

જે ઘરમાં રાધિકા અંબાણી પરિવારમાં પુત્ર વધુ બનાવ જઇ રહી છે, તેમને તો સંપત્તિનો અખૂટ ભંડાર છે. પરંતુ રાધિકા એ પોતાની આવડત અને મહેનત થી કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે.મીડિયા રિપોર્ટસ અનુસાર રાધિકા તેના પપ્પાનો બિઝનેસ ચલાવે છે.રિપોર્ટ મુજબ રાધિકાની નેટ વર્થ 8 થી 10 કરોડની નજીક છે,જેની માત્ર એક માલકિન છે.

Categories
Gujarat

40 દીકરીઓ ના પિતા છે જયેશભાઇ ચૌહાણ ! કરે છે એવુ કામ કે જાણી ને સલામ કરશો…જાણો વિગતે

આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જે એક સાથે 40.દીકરીના પિતા છે..તમે વિચારશો કે આ કંઈ રીતે શકગ બની શકે તો, ચાલો અમે આપને આ પિતા વિશે અધિક માહિતી આપીએ જેથી તમે જાણી શકશો કે તેઓ કંઈ રીતે દીકરીના પિતા બન્યા.

સલાબતપુરા વિસ્તારમાં જશો તો ખાંગડ શેરીમાં જયરૂપના નામે ઓળખાતા જયેશ ચૌહાણ 40 દીકરીઓના પિતા છે. આજના સમયમાં એક કે 2 બાળકોની જવાબદારી ઉઠાવતાં મા-બાપના નાકે દમ આવી જાય છે એવા સમયમાં જયરૂપભાઈ 40 દીકરીઓની જવાબદારી કેવી રીતે ઉઠાવતાં હશે? આ રીતે તેઓ 40 દીકરીના પિતા બન્યા હતા. તે વાત ખૂબ જ સરહાનીય છે, જ્યારે આ વાત સાંભળશો ત્યારે આ ઘટના તમારા હદયને સ્પર્શી જશે.

જ્યારે તેમણે ફૂટપાથ પર ચાર બાળકોને જોયા ત્યારે તેમને અંદરથી જ થયું કે હું જે કરવા ઇચ્છુ છું.તેમને આ ગરીબ બાળકો માટે કંઇક કરવા માટે આ બાળકોની જવાબદારી ઉઠાવી લીધી તેમજ નિઃસ્વાર્થ ભાવે હુંળકોની સારસંભાળ રાખવાની વાત સૌ કોઈને જાણ થઈ અને ત્યારબાદ ગરીબ, અનાથ, સિંગલ પેરેન્ટ તેમનાં બાળકોની જવાબદારી તેમને સોંપતા ગયા અને આ રીતે બાળકોનો કાફલો વધતો ગયો અને હું 40 દીકરીઓનો પિતા બની ગયો.

પહેલા ચાર બાળકોને રાખવા માટે ભાડાનો રૂમ લીધો.ત્યાં બે કેરટેકર રાખ્યા બાળકોની સારસંભાળ માટે અને જેમ બાળકો વધ્યા એમ સુવિધા વધારી. છોકરા-છોકરી બંનેને રાખતા હતા પરંતુ પછી કાયદો એવો આવ્યો કે એક જ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓને સાથે નહીં રાખી શકાય. તેના માટે 2 બિલ્ડીંગ જોઈએ અને તે 2 બિલ્ડીંગ વચ્ચે 100 મીટરનું અંતર હોવું જોઈએ એટલે નક્કી કર્યું કે દીકરીઓને રાખવી.

છોકરાઓની સંખ્યા ઓછી હોવાથી તેમને વાત્સલ્યધામમાં મોકલ્યાં અને ત્યારબાદ તેમને અનેક ઘર વસાવ્યા જેથી તેઓ આ તમામ બાળકોને રાખી શકે. આજે તેઓ ની સ્વાર્થ ભાગે આ તમામ બાળકોને રાખી રહ્યા છે, આ કાર્યમાં તેમને અનેક દાતાશ્રીઓ મળી રહે છે. આજે તમામ દીકરીઓના શિક્ષણ ની અને તેમના ભવિષ્યને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

Categories
Gujarat

ગુજરાત ની દીકરી અમેરિકા મા જજ બની ! શપથ લેતી વખતે એવી રીતે ભારતીય સંસ્કૃતી ના દર્શન કરાવ્યા કે સૌ કોઈ જોતુ રહી ગયુ…

વિશ્વનાં દરેક દેશોમાં જે રીતે ગુજરાતીઓનો દબદબો જોવા મળે છે. સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતીઓ માત્ર પોતાની ઓળખ કે સંસ્કૃતિથી નથી ઓળખાતા પરંતુ ગુજરાતી વિદેશોમાં પણ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને વિદેશોમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે.

આજે અનેક દેશોની સરકારમાં ગુજરાતીઓ છે તેમજ વિદેશોમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતી આગળ છે, ત્યારે હાલમાં જ હાલમાં જ વિદેશની ધરતી પર ભારતની વધુ એક દીકરી એ નામ રોશન કર્યું છે. ગુજરાતની સાથો સાથ અનેક રાજ્યના લોકો પોતાની પ્રતિભા દેખાળી રહ્યા છે.મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્મા એ અમેરિકામાં સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે શપથ લીધા છે. સૌથી ખાસ વાત એ છે કે, આ દીકરી એ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનાં લોકોને દર્શન કરાવીને ઉત્તમ સંદેશ આપ્યો છે, યુવાનોને કે, આપણે કોઈપણ દેશમાં હોઈએ પરંતુ આપણી સંસ્કૃતિ નાં ભુલાવી જોઈએ.

ભારતની દીકરીએ એ રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું ગર્વ વધાર્યું. ખાસ વાત એ છે કે, જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકીનું બાળપણ વિત્યું છે. અને મુઝફ્ફનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12 નો અભ્યાસ પૂર્ણ કરીને 2001માં જાનકી અમેરિકા ગઈ અને આજે અમેરિકામાં જજ બનીને ગૌરવ વધાર્યું છે.

જ્યારે રામાયણ ઉપર હાથ રાખીને જાનકી અમેરિકામાં શપથ લઈ રહી હતી તે સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાણકીના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.

Categories
National

માત્ર 15 વર્ષ ની ઉંમરે આ યુવાન કરે છે કરોડો રૂપિયા ની કમાણી. તેનું કામ જાણી ને તમે પણ ચોકી ઉઠશો…

આજનો જમાનો વિજ્ઞાન અને ઇન્ટરનેટ નો જમાનો થઇ ગયો છે. આજે દેશ અને વિદેશ ના લોકો ઇનેટરનેટ ના માધ્યમ થી લાખો રૂપિયા ની કમાંણીઓ કરતા જોવા મળે છે. કારણ કે આજનો ખાસ તો યુવા વર્ગ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માં એટલો બધો વ્યસ્ત હોય છે કે તે આસપાસ નું બધું જ ભૂલી બેસે છે. અને કેટલોક યુવા વર્ગ એવો છે કે તે સોશિયલ મીડિયા થકી લાખો અને કરોડો ની કમાણી કરી રહ્યો છે.

એક માત્ર 15 વર્ષ નો યુવાન કે જે કેલિફોર્નિયા ના લોસ એંજલસ માં રહે છે. આ યુવાન નું નામ છે ડોનલૈડ ડાઉડર. આ યુવાન ની ઉમર માત્ર હજુ 15 વર્ષ ની જ છે. આ 15 વર્ષ નો ડોનલૈડ ડાઉડર વર્ષે 20-હજાર પાઉન્ડ એટલે કે આશરે 19 કરોડ રૂપિયા ની કમાણી કરે છે. માત્ર 15 વર્ષ ની ઉમર માં આટલી બધી કમાણી કઈ રીતે કરતો હશે? આ યુવાન પાસે કાર ચાલવાનું લાઇસન્સ નથી પરંતુ તેના ઘર ના પાર્કિંગ માં લક્સરીયસ કારો ની લાઈન છે.

આ યુવાન ની યુ ટ્યુબ માં પોતાની એક ચેનલ છે. જેમાં ડોનલૈડ ડાઉડર ઘણા બધા રસપ્રદ વિડિયો પોસ્ટ કરતો હોય છે. જે વિડીયો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવતા હોય છે. તે યુ ટ્યુબ માં વિડીયો પોસ્ટ કરીને કરોડો ની કમાણી કરે છે. તેને યુ ટ્યુબ ચેનલ માં હાલ 6-લાખ થી પણ વધુ સબસ્ક્રાઈબર છે. આ યુવાન એટ્લુ બધું કમાય છે કે તેની પાસે કરોડો કરોડો રૂપિયા ની કારો છે.

ડોનલૈડ ડાઉડર ને કારો નો ખુબ શોખ છે. આથી તેની પાસે ફરારી થી માંડી ને તમામ એવી લક્સરીયસ કારો છે જેની કિંમત 30 કરોડ થી પણ ઉપર છે. જેમાં રોલ્સ રોયસ પણ સામેલ છે. ડોનલૈડ ડાઉડર માત્ર 15 વર્ષ માં જ આટલી બધા રૂપિયા કમાય છે. તેના ઘણા બધા ફેન્સ યુ ટ્યુબ માં જોવા મળે છે.