Categories
Gujarat National

બજરંગદાસ બાપા ના આ પરચાઓ પહેલા ક્યારે પણ નહી વાંચ્યા હોય! બોલો બાપા સીતારામ

બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં  ગમે જેટલાય ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે, કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે, અને કોઈ બીમારી પણ આવતી નથી.

બજરંગ દાસ બાપાનાં ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાંvઅધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. માતા શિવ કુંવરબા જ્યારે પોતાના પિયર જતા હતા તે વખતે તેઓ બળદગાડામાં બેસીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં પહોચતા જ તેમને પ્રસવ પીડા ઉપડી અને તેથી તેને આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝુપડીમાં લઇ ગયા, આજ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલરોના અવાજ સંભળાવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જમણ થયો.

બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી.

બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.

જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ.  જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો.  જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

Categories
Entertainment Gujarat

જો તમારી પાસે છે આ એક રુપીયા ની નોટ તો તમે લાખોપતિ બનવાના ઈ પાકુ છે

નવી દિલ્હી : જો તમારી પાસે જુની નોટો અને સિક્કા છે તો તમે તેનાથી હજારો અને લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. ઈ-કોમર્સ સાઈટ ઈબે  પર 1969 માં છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે કે  51 હજાર રૂપિયામાં ઓકશન થઈ રહી છે.

આ પ્રકારની એન્ટીક નોટ કે સિક્કા ખરીદનાર  તેને મોટી કિંમત ચુકવીને ખરીદતા હોય છે. આ સાઈટ પર જુના સિક્કા અને ભારતીય નોટ  ઘણા વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે. જો તમારી પાસે દુર્લભ સિક્કા કે નોટ છે તો તમે તેમાંથી લાખો રૂપિયાની આવક મેળવી શકો છો. 41 વર્ષ જુની નોટ માટેની પ્રારંભીક બોલી 100 ડોલર એટલે કે 7300 ડોલર બોલવામાં આવી છે. આ અંદાજથે તેની કિંમત 70 ગણાથી પણ વધી ગઈ છે. 2 રૂપિયાની નોટ 19.99 ડોલર એટલે કે 1460 રૂપિયામાં ઓક્સન થઈ રહી છે. એસ વેંકટરામનની સહી ધરાવતી નોટ રૂ.2190માં મળી રહી છે.

તેના શિપિંગ ચાર્જિસ વધારાના 20 ડોલર એટલે કે રૂ.1460 છે 1981/1982ના  એક રૂપિયાના બે સિક્કાની કિંમત 1241 રૂપિયા છે. જેમાં શિપિંગ ચાર્જ 1095 રૂપિયા લાગશે. 1917ના એક પૈસા સહિત ઘણા જુના સિક્કાની કિંમત રૂ.1900 છે. ઈબે પર જુના સિક્કાથી બનેલો રાજસ્થાનિ ગળાનો હાર રૂ.14,235માં ઓક્સન થઈ રહ્યો છે, આ ઓક્સન અમેરિકાથી થઈ રહ્યુ છે. આ ઓક્સનમાં તાજેતરમાં બંધ થયેલી 500 ની નોટનો પણ સમાવેશ થાય છે.

Categories
Gujarat

ભગવાનનાં રથ નિજ મંદિર પરત ફર્યા છે. 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા જ સંપન્ન થઈ..

અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

હાલમાં ત્રણેય રથ દરિયાપુર પહોંચ્યા છે. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પુરી થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં ચુસ્ત કરફ્યુ જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યાં છે જ્યાં બહાર પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યારબાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો છે. આ સાથે જ રથયાત્રા વહેલી પુરી થતા 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલ કરફ્યુ હટાવાશે આ પહેલા 2 વાગ્યા સુધીનો કરફ્યુ હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ ફરી હતી. જેને લઈને ખાસો વિવાદ થયો હતો.

રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશિર્વાદ માંગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. જેમને ખૂબ ખૂબ શુભકામના

Categories
Gujarat National Sports

અષાઢી બીજ ના દિવસે જાણો રામદેવપીર નો આ ભવ્ય ઈતિહાસ

બીજ’ એટલે એવી વસ્તુ કે જેમાંથી અંકુર ફૂટે, જેમાંથી સર્જન થાય તેને ‘બીજ’ કહેવાય. રામદેવરાએ ‘બીજ’ નો મહીમા કહેતા કહ્યું હતું કે આ સૃષ્ટિના તમામ જીવોની ઉત્પત્તિ એક બીજમાંથી જ થાય છે. અર્થાત સૃષ્ટિના તમામ જીવો એક સમાન છે તેમાં કોઇ જાતના ભેદભાવ નથી . વિચારશીલ બુધ્ધિજીવી માણસોના મનમાં વિચાર આવ્યો કે, જે રામદેવરાએ જીવનભર ‘બીજ’ નો મહિમા ગાયો, એ જ રામદેવરા ‘બીજ’ વગર પ્રગટ કેવી રીતે થઇ શકે?

માનવીના મનમાં શંકા અને કુશંકા પેદા થતી જ રહે છે.- ઇંડા વગર કેવી રીતે મરઘી ? અને મરઘી વગર કેવી રીતે ઇંડું? સ્વામી શ્રી ગુરુ ગોકુલદાસે લખેલા “મેધવંશી ઇતિહાસ’ માં નજર કરીએ તો પોકરણગઢ રાજ્યની ગૌશાળામાં ‘સાયર જૈપાલ’ નામનો માણસ કામ કરતો હતો. આ સાયર જયપાલ મેઘવંશી (દલીત) સમાજના માણસ હતા અને પૂરા દિલથી પોકરણગઢની ગાયોને ચરાવતા હતા તથા તન અને મનથી ગાયોની સેવા કરતા હતા. અજમલજીને સાયર જૈપાલ પર ખૂબ વિશ્વાસ હતો. સાથે સાથે એક ભાઇ જેટલો પ્રેમ પણ હતો.

અજમલજીના પિતા ભક્ત રણમલજી પણ મેઘવંશી (દલિત) સમાજના ભક્ત પીવણ જીને પોતાના ભાઇ સમાન માનતા હતા , ૨Eામલજી અને અજમલજીના મેઘવંશી (દલિત) સમાજના માણસો સાથેના આ સંબંધો ઘણાને મંજૂર નહોતા. પરંતુ મોં ખોલીને કોઇ કશું બોલતા નહોતા. ઇતિહાસ સાક્ષી છે કે પીંગલગઢના રાજા પઢિયાર વિજયસિંહને અજમલજીના મધવંશી સાથેના વ્યવહારો મંજૂર નહોતા. પઢિયાર વિજયસિંહ અજમલજીને ‘તુવરા ભગતડા’ કહીને પોકરણગઢ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. પીંગલગઢનો પઢિયાર વિજયસિંહ અજમલજીની દિકરી સગુણાનો સગો જેઠ થતો હતો.

વિજયસિંહે અજમલજીની દિકરી સગુણાને પોકરણગઢ (પીયર) જવા પર પણ મનાઇ ફરમાવી હતી. પરંતુ અજમલજી તો નીજાનંદની મસ્તીમાં મસ્ત હતા. કોઇ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર સાયર જૈપાલના સુખ દુ:ખના ભાગીદાર થતા હતા. સાયર જૈપાલને પણ સંતાન હતું નહીં. લોકો સાયર જૈપાલને પણ વાંઝિયો કહેતા હતા. અજમલજી લોકોનું મહેણુ દૂર કરવા કાશીનાથ અને દ્વારકાધીશની જાત્રાએ જતા હતા. પરંતુ સાયર જયપાલ માટે આવી જાત્રા શક્ય નહોતી, કારણ તે સમયે યાત્રીઓ માટે ‘સેવા કેમ્પ નહોતા થતા.

વાહનવ્યવહારની પણ પૂર્તિ સગવડ નહોતી. એ સમયે જાત્રા કરવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હતો. અને આ ખર્ચ કરવાની સાયર જૈપાલની આર્થિક શક્તિ નહોતી, અજમલજી દિકરાની પ્રાપ્તિ માટે જયારે જયારે જાત્રાએ જતા, ત્યારે ત્યારે સાયર જૈપાલ અજમલજીને એક ખોબો નૈવેધ (ચોખા) ભગવાનને ધરાવવા માટે આપતા. તથા પોતાનો સમર્પણ ભાવ ભગવાનને મોકલતા કહેતા કે-હે અન્નદાતા, મારા તરફથી ભગવાનને મારો પ્રેમભાવ અર્પણ કરજો. મારા માટે પણ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરજો.

અજમલજી દર વખતે સાયર જૈપાલનો પ્રેમભાવ ભગવાનને અર્પણ કરતા હતા. અજમલજીની છેલ્લી દ્વારકાધીશની જાત્રાના સમયે પણ સાયર જૈપાલ ખોબો નૈવેધ મોકલવાનું અને પ્રેમભાવ અર્પણ કરવાનું કહેવાનું ભુલ્યા નહોતા. પરમશક્તિ બધુ જ જાણે છે, તેને કંઇજ કહેવાની જરૂર પડતી નથી. પોતાના જન્મ સમયના સંકેતો અને નિશાનીઓ આપ્યા બાધ દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે–ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. દ્વારકાધીશની આ વાતનો મર્મ અજમલજી સમજયા કે નહીં તેની કોને ખબર ? પરંતુ, દુનિયા આખીને ખબર છે કે કાનુડાની બાળલીલા ભલે નંદબાબાના ઘરે થઈ, પણ જન્મ તો જેલમાં જ થયો હતો. દ્વારકાધીશને બત્રીસ જાતના ભોજનને બદલે મિત્ર સુદામાના તંદુર (ચોખાની કણકી) જ વધારે સ્વાદિષ્ટ લાગી હતી. બધા જાણે છે તેવી આ સત્ય હકીકત બધાને સમજાઇ ગઇ હોય તો રામદેવરાના જન્મની હકીકત પણે જોઇ લઇએ.

દ્વારકાધીશની જાત્રાએથી આવ્યા બાદ અજમલજીએ ભગવાનની પ્રસાદીના કાળી માળાના બે ફૂલો માંથી એક ફૂલ સાયર જૈપાલને આપ્યું હતું. સાયર જયપાલ શ્રધ્ધાં અને ભક્તિથી રોજ સવાર-સાંજ ફૂલની પૂજા કરતા હતા. તથા દિવસના બાકીના સમયે રાજ્યની ગાયો ચરાવવા જતા અને ગૌસેવા કરતા હતા. આ કામમાં સાયર જૈપાલના ધર્મપત્નિ પણ સાથ આપતા હતા. અજમલજી અને મીનળદેને ત્યાં વીરમદેવ નામના દિકરાના જન્મ થયા બાદ સાયર જૈપાલના ધર્મપત્નિ પણ ગર્ભવતી થયા હતા. વીરમદેવના જન્મ પછી એક વર્ષ બાદની વાત છે. ભક્ત સાયર દંપતી પોતાના નિત્યક્રમ મુજબ રાજયની ગાયો ચરાવવા વગડામાં ગયા હતા. આ સમયે વગડામાં સાયર જૈપાલના ધર્મપત્નિને પ્રસવ પીડા ઉપડી. ગાયોના ધણની વચ્ચે ગાયોના ચરાવનાર કાનુડાનો જન્મ થયો.

સાયર દંપતીએ વગડામાં પીલુડીના બે ઝાડની બે ડાળી પર લોખંડના કડા બાંધી, કપડાની ખોઇ બનાવી નવજાત બાળકને સુવડાવ્યો. રામદેવરાના આ જન્મની હકીકતની સત્યતા માટે રાજસ્થાનના મારવાડના રેગીસ્તાન જેવા બાડમેર વિસ્તારમાં ‘ઉડુકા હમીર’ નામના ગામમાં આજે પણ આ હકીકતની સાક્ષી જેવા લોખંડના બે કડા પીલુડીના ઝાડમાં જોવા મળે છે. સાંજના ગોધુલીના સમયે દંપતી પોતાના નવજાત બાળક સાથે ગાયો લઇ ગામમાં આવ્યા. સાયર દંપતીએ પોતાના નવજાત બાળક સાથે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.

નવજાત બાળકના ઘરપ્રવેશ સાથે જ દ્વારકાધીશે કહેલા પોતાના જન્મના સંકેત મુજબ ઘરના વાસણો ખખડવા લાગ્યા. પૂજા સ્થળના શંખમાંથી આપમેળે મધુર ધ્વની થવા લાગ્યો. ની જે દ્વારકાધીશે પોતાના જન્મ સમયના સંકેતોની વાત અજમલજીને કહી હતી, સાયર જૈપાલને નહીં. અચાનક થઇ રહેલી આ અલૌકિક ઘટનાથી સાયર દંપતી ગભરાઇ ગયું. ભયાનક ભૈરવ રાક્ષસની આ કોઇ માયા કે કોપ હશે એવુ સમજી સાયર દંપતી ખૂબ ડરવા લાગ્યુ. કોઇ ઉપાય ના મળતા સોયર જેપાલ તરત ૭ એમ જ મલજી પાસે દોડી ગયા, પોતાના ઘરમાં ચીન કે બની રહેલી અલોકિક ઘટનાની અજમલજીને જાણ કરી.

અજમલજ અતિતમાં સરી ગયા, દરિયાના પેટાળમાં પરમશક્તિએ આપેલ વચન અને સંકેત યાદ માળ્યા. દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે-ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. અજમલજીને જ્ઞાન થયું કે કાળી માળનું એક ફૂલ સાયર જયપાલના ઘરે ખીલ્યું છે. અતિતની યાદમાંથી બહાર આવી આનંદવિભોર થયેલા અજમલજીએ સાયર જૈપાલને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું કે-હે ભક્તરાજ, તુ ગરીબ હોવા છતાં ભગવાનનો મહાન ભક્ત અને સેવક છે. તારા ઘરે આધ્યાત્મિક દૈવી શક્તિનો ચમત્કાર થયો છે. તુ નવજાત બાળકને મને સોંપી દે, રાજકુટુંબમાં તારા બાળકનો ઉછેર થશે અને મારા રાજયનો વારસદાર બનશે તથા તારા તમામ સંકટો દૂર થશે. અજમલજી શું કહી રહ્યા છે તે સાયર જૈપાલને કંઇજ સમજાયું નહીં.

પરંતુ સાયર જયપાલને પોતાની હેસીયત અને ગરીબાઇ જરૂર સમજાઇ. પોતાના દિકરાના સુખી ભવિષ્યના સપના જોતા સાયર દંપતીએ ખૂબજ મનોમંથન કરીને અજમલજીની વાતનો સ્વીકાર કર્યો. છતાં પણ સાયર જૈપાલે શંકા વ્યકત કરતા કહ્યું કે – અન્નદાતા, ભાવી દિવસોમાં લોકોને ખબર પડશે કે આ બાળકનો જન્મ મેધવંશમાં થયો છે. તો, સંકુચિત મનના માણસો અમારા આ દિકરાને આપના વારસદાર તરીકે માન્ય રાખશે ખરા?, જાતિવાદનો ભયંકર રાક્ષસ આપને અને અમારા આ બાળકને સુખ અને શાંતિથી જીવવા દે છે ખરો?… સમાજની વાસ્તવિકતાનો અજમલજીને પણ ખ્યાલ હતો જ. પરંતુ ભગવાન પર પૂરો ભરોસો હતો. ભગવાન ભરોસે અજમલજીએ એક યોજના બનાવી.

આ સારી યોજના સાયર જૈપાલને સમજાવી. માનવ સમાજની ભલાઇ માટે આ સારી યોજનાને હંમર માટે ગુપ્ત રાખવાનું અજમલજીએ સાયર જૈપાલ પાસે વચન માંગ્યું. રાજયનો પાલનહાર હાથ ફેલાવીને ઉભો હોય અને પોતાના ઉપર ઉપકાર કરનારને નિરાશ કરે તો ભક્તિની શક્તિને લાંછન લાગે. માનવ સમાજની ભલાઇ માટે સાયર જૈપાલે આપેલ બલીદાન સાયર જૈપાલના દિલમાંજ દફન થઇ ગયું. માનવ ધર્મના સુર્યોદય માટેનો પહેલો પહોર શરૂ થયો. રાજય અને રાજમહેલના તમામ લોકો આ પહેલા પહોરની મીઠી નીંદર માણી રહ્યા હતા.

ઈ.સ 1413 (વિ.સ 1469), ભાદરવા સુદ બિજ દિવસની વહેલી પરોઢે , અજમલજીએ જૈપાલન બતાવેલી ગુપ્ત યોજના મુજબ સાયર જૈપાલ બીલ્લી પગે ચુપચાપ રાજમહેલમાં દાખલ થયા. જે પારણામાં વીરમદેવ પોઢી રહ્યા હતા, એજ પારણામાં પોતાના નવજાત બાળકને પોઢાડી બીલી પગે ચુપચાપ પોતાના ઘરે પરત ફર્યા. ત્યારબાદ અજમલજીએ પોતાની ગુપ્ત યોજના મુજબ પારણાથી રાજમહેલના દરવાજા સુધી કંકુ પગલીઓ ચીતરી દિધી. સંકુચિત મનના ઢોંગી માણસોને ચમત્કારથી નમસ્કાર કરાવવાનો આજ એક ઉત્તમ રસ્તો હતો. સમય સમયનું કામ કરી ગયો. ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું.

ઇ.સ. ૧૪૧૩, (વિ.સ. ૧૪૬૯), ભાદરવા સુદ બીજના પરોઢે, પારણામાં પોઢેલી પરમ શક્તિએ બાળવીરમદેવને ચૂંટલી ખણી. ચૂંટલીના દર્દથી વીરમદેવ રડવા લાગ્યા. વીરમદેવના રડવાના અવાજથી માતા મીનળદે જાગી ગયા અને પારણા પાસે આવ્યા. પારણામાં બે બાળકને પોઢેલા જોઇ માતા મીનળદે નવાઇ પામ્યા. બીજુ બાળક કોનું હશે? અહીં કેવી રીતે આવી ગયુ હશે? શું આ ભૈરવ રાક્ષસની કોઇ માયા હશે? …વગેરે વગેરે વિચારો માતા મીનળદેને આવવા લાગ્યા. તાત્કાલિક દાસીને મોકલીને અજમલજીને બોલાવ્યા. બધુજ જાણતા અજમલજીએ અજાણ થઇને આ કોનું બાળક છે તેની પૂછપરછ કરાવી. થોડી વાર પછી, સમય જોઇને અજમલજીએ રાણી મીનળદેને દ્વારકાધીશનું પ્રાગ્રટ્ય થયાની વાત કરી. પારણાથી દરવાજા સુધી કુમ કુમ પગલીઓ પડેલી બતાવી. મીનળદેએ સોળ કંકુ પગલીના નિશાન જોયા.

દ્વારકાધીશની જાત્રા સફળ થયેલી માની. દ્વારકાધીશના પ્રાગટ્યના સંકેત મુજબ ઘરમાં પાણી ભરેલા વાસણો દૂધથી ઉભરાવવા લાગ્યા. ચૂલા ઉપર મૂકેલ દેગ (પાણી ભરવાનું વાસણ)માંથી ગરમ દૂધ ઉભરાતા, બાળ પરમશક્તિએ પારણામાંથી જ હાથ લંબાવ્યો. ઉકળતા દૂધની દેગ ચૂલા પરથી નીચે ઉતારી, માતાને પોતાના પ્રાગટ્યનો – સંકેત આપ્યો. માનવ ધર્મની રક્ષા માટે પોકરણગઢના વારસ બનીને કુમ કુમ પગલે પધારેલી પરમશક્તિને રાજા અને રાણીએ નમન કર્યા. બધું જ ભૂલી ને આ પરમશક્તિનો વીરમદેવના નાના ભાઇ રામદેવ તરીકે સૌએ સ્વીકાર કર્યો.

Categories
Entertainment

દયાભાભી’નો કમર હલાવતો ડાન્સ જે મલાઈકા અરોરાને પણ ટક્કર મારે એવો તમે પણ જોય ને દંગ રય જશો

દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં 4 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ભલે જોવા ન મળતી હોય, પણ આજે પણ તે શોનો મહત્વનો ભાગ છે. ફેન્સ ફરી એક વખત તેને ટીવી પર જોવા માટે ઉત્સુક છે. દયાભાભીના રોલમાં દિશા વાકાણીની ગુજરાતી સ્ટાઈલમાં લહેકાભરી એક્ટિંગને ફેન્સ હજી પણ યાદ કરી રહ્યા છે.

દિશાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ’થી ઓળખ મળી હતી. જોકે દિશાએ એ પહેલાં પણ નાટક શો અને ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. દિશા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જોકે તે એટલા હીટ થયા નહોતા.

સોશ્યલ મીડિયા પર હાલ દયાભાભી એટલે કે દિશા વાકાણીનો આવો જ એક મ્યુઝિક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે માદક અદામાં સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. મરાઠી સોંગ ‘દરિયા કિનારે એક બંગલો’માં દયાભાભીનો અલગ જ અંદાજ જોવા મળે છે આ મરાઠી સોંગના વીડિયોમાં દિશા વાકાણી પીળા રંગના ડ્રેસમાં સ્ટનિંગ દેખાય છે. તેના ડાન્સના મૂવ્સ પણ શાનદાર છે. ખાસ કરીને દિશાને અલગ અંદાજમાં કમર હલાવતા જોઈને તમને પણ નવાઈ લાગશે.

નોંધનીય છે કે અત્યાર સુધી ફેન્સે દિશા વાકાણીને દયાભાભીના રોલમાં મોટાભાગે ગરબા કરતાં જોયા છે. તેના ગરબા સીરિયલની મોસ્ટ ફેમસ વસ્તુઓમાંથી એક છે. તેને ગરબા ક્વિન પણ કહેવામાં આવે છે. હવે જ્યારે જૂના એક વીડિયોમાં તેને ડાન્સના મૂવ્સ કરતાં જોઈને ફેન્સને પણ નવાઈ લાગી છે.

Categories
Gujarat

પુનમ ના દીવસે બાપા જે ભક્ત ના ઘરે જમવા ગયાં એનો જ દીકરો ગુજરી ગયો, પછી બાપા એ પણ ચમત્કાર બતાવ્યો..

બગદાણાનાં મહાન સંત એટલે ભજરંગદાસ બાપુ જેમનું જીવન સદાય રામસીતાની ભક્તિમાં વિત્યું!એવા આ મહાન સંતનું જીવન પણ એટલું જ પવિત્ર હતું કે તેમણે અનેક જીવોનું કલ્યાણ કર્યું અને સાથોસાથ એવા પરચા આપ્યા કે અનેક પેઢીઓ સુધી તેમના આ ચત્મકારોને કોઈ વિસરી નહીં શકે. આજે આપણે બાપસીતા રામના જીવનો એક યાદગાર અને ચમત્કારી પરચો સાંભળવવાનો છે.

એ દીવસ એક ગામડાનો ગરીબ માણસ બાપા સીતારામ પાસે આવ્યો અને કહ્યું બાપુ મારી એક વિનંતી મારા આંગણે જમવા પધારો. બાપુ એમ કહ્યું હું કોક દિ આવીશ ત્યારે ગરીબ માણસે પગ પકડીને કહ્યું મારી એક જ ઈચ્છા છે તમે મારા આંગણે જમવા પધારો. ત્યારે બાપાએ એક માણસને બોલાવી કહ્યું એક પેન અને કાગળ માગવી અંદર લખ્યું આ વારે અને આ તારીખે તારા ઘરે જમવા આવીશ અને મારી એક શરત છે મારી શરતએ છે કે જ્યારે હું જમવા આવું ત્યારે તારી ઘરવાળી સિરો બનાવી આપે ત્યારે હું જમવા આવું.

માણસ હરખવા લાગ્યો અને કહ્યું એમાં શું મોટી વાત છે એવું જ થશે. એ દિવસ આવી ગયો અને બજરંગદાસ બાપા તેના ઘેર આવ્યા. ત્યારે તેના ઘર આંગણે ઘણા બધા લોકો બેઠા છે ત્યારે બાપાને એ ખબર ન હતી કે શું ઘટના બની છે. જ્યારે બજરંગદાસ બાપાએ એવું કહ્યું હતું કે તારી ઘરવાળી સીરો બનાવી આપે ત્યારે જમીશ. માણસ ની ઘરવાળી એમાં કહ્યું તમે થોડીક વાર બેસો હું હમણાં બનાવીને લાવું.

જેના દીકરાનું દેહ આંગણે પડ્યું હોય એ જનેતા કયા મોઢે સીરો બનાવે. જ્યારે એમ કેહવાય સૌરાષ્ટ્રનો સંત આંગણે પધાર્યા હોય. ત્યારે જનેતાએ સીરો બનાવ્યો અને થાડમાં સીરો પીરસ્યો અને એટલુ કહ્યું બાપા જમવા પધારો આસનીયું પોથર્યું. બાપા અંતરયામી હતા આમ નજર કરીને કહ્યું તું બગદાણા આવતો હતો ત્યારે તારો દીકરો જોડે હતો એ ક્યાં છે. એને બોલાય મારી પાસે જમવા બેસાડ.

દીકરાના પિતાની આંખ માથી આંસુ નીકળી પડ્યા. તે સૌરાષ્ટ્રના સંતથી જોવાયું નહીં અને કહ્યું દીકરાને બોલાય એને મારી સાથે જમવા બેસાડ. ત્યારે એ માણસે કહ્યું તમે આવ્યા એ પેહલા મારા દીકરો મરી ગયો છે. ત્યારે બાપાએ કહ્યું એ તો રિસાઈ ગયો છે તેને મારી જોડે જમવા બેસવું છે એટલે તે રિસાઈ ગયો છે. એટલુજ કહેતા મરેલા દીકરામાં જીવ આવી ગયો અને બાપા સાથે જમવા બેસી ગયો આવો દિવ્ય ચમત્કાર હતો બાપનો તેમજ એ બંને દંપતી ભક્તિ અને આશરો ધર્મ ખૂબ દ્રઢ હતો.

Categories
Gujarat

ભક્ત વત્સલ બજરંગદાસ બાપાએ હનુમાનજીને પ્રસન્ન કરેલા તે વિશે ની એક સત્ય ઘટના. સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન

સંત શિરોમણી બજરંગદાસ બાપાને કોટીકોટી વંદન ભક્ત વત્સલ બજરંગદાસ બાપાએ હનુમાનજીને પ્રસન્ન કરેલા તે વિશે ની એક સત્ય ઘટના.બાપા સીતારામ સરસોઈ ગામના શ્રી રણછોડભાઇ જણાવે છે કે, આ ઘટના જાણમાં પછી આવી, પણ છે જૂની. બાપા જયારે સુરત -વલસાડમાં આસપાસ રહેતા હતા ત્યારની વાત છે. જે વિષે સવજીભાઈ લખે છે કે;

અંકલેશ્વર પાસેના સરસોઈ ગામના શ્રી રણછોડભાઈ જૂની મઢીએ બાપાશ્રી પાસે ત્રણ- ચાર દિવસ રોકાઈને ભાવનગર આવેલા. બાપા એ કહેવડાવેલકે ત્રણ-ચાર દિવસ રોકી એમને ભાવનગર બતાવજો.રાતે નિરાંતે બેઠા હતા ત્યારે મેં પૂછ્યું; તમે બાપાશ્રીના પરિચયમાં કેવી રીતે આવેલા ? રણછોડભાઇ કહે કે પચીસેક વર્ષ પહેલાં બાપાશ્રી ફરતા ફરતા અમારે ગામમાં આવેલા અમારા ગામનું મોટું માથું મનાતા મોતીલાલ અંબાલાલ પટેલ મળતાં વેજલપુર હનુમાનજી વિષે પૃચ્છા કરી. મોતીભાઈએ કહ્યું,

આપને ત્યાં જવું હોય તો હું સાથે માણસ સાથે મોકલું.એ જ વખતે હું ત્યાંથી નીકળ્યો એટલે મોતીલાલ પાટીદારે મને બાપાશ્રીને વેજલપુર હનુમાનજીના મંદિરે લઈ જવાનું કહ્યું. હું એમને બે ખેતરવા દૂર આવેલા મંદિરે લઈ ગયો. બાપા શ્રી દંડવત્ પ્રણામ કરી હાથ જોડી ઊભા રહ્યા. બપોરનો સમય હતો, મેં ભોજન માટે પૂછ્યું તો મંદિર લઈ આવવાનું કહ્યું. હું ગામમાં આવ્યો પાટીદાર મળતા મેં કહ્યું: મહારાજ માટે જમવાનું લેવા આવ્યો છું.

પાટીદાર એ મને કહ્યું કે શાંતિ વચ્ચે એમને પૂછી લેજો કે અહીં કેટલું રોકાવું છે ? મેં ઘરેથી ભોજન લાવી બાપાને જમાડ્યા અને ધીરેથી પૂછી લીધું કે કેટલું રોકાવું છે ? બાપા હસીને કહે કે આ હનુમાનજીએ મને બોલાવ્યો છે. મારે અહી અનુષ્ઠાન કરવું છે.તું એમાં સેવા કરીશ ? મે પૂછ્યું સેવામાં શું કરવાનું હોય ? બાપાએ મને કહ્યું તું તારા મિત્રોને લઈને સાંજે અહીં આવજે હું બધું સમજાવીશ.

ડૉ.રમણભાઈ અને બીજા ૫-૭ મિત્રો લઇ સાંજે મંદિરે ગયો. સીતારામ કરી સૌ બેઠા. મેં બધાની ઓળખાણ આપી, પછી બાપાએ પૂજાનો સામાન તલનું તેલ અગરબત્તી અબીલ – ગુલાલ, કંકુ,રૂ જવતલ તથા સારામાં સારી જાતનું પાંચ પ્રકારનું અંતર લાવવા જણાવ્યું.જમવા માટેનું પૂછતાં બાપાએ કહ્યું કે ગાયનું દૂધ સાંજે સાડા પાંચ પછી લાવવું.સવાર-સાંજ ચા. અનુષ્ઠાન શનિવારે વહેલી સવારથી શરૂ કરવાનું હોય આ બધી વસ્તુઓ શુક્રવારે સાંજે અહીં પહોંચાડી દેવી.ગામમાં આવી પાટીદારને વાત કરી તો તેણે કહ્યું : સેવા સારી રીતે કરજો, હું પણ તમારી સાથે છું,

આવા સાધુ પધારે તે આપણા સદભાગ્ય મનાય. હું જમવાનું લઈને મંદિરે પહોંચ્યો ત્યારે બાપા શ્રી હનુમાનજી સામે આસન જમાવીને બેઠા હતા. હું દૂર ઊભો રહી ગયો.થોડીવારે બાપાશ્રી દંડવત કરી ઉભા થઇ, ઊંધે માથે કૂદકો મારી ઊભા થયા. મેં પાસે જઈ સીતારામ કર્યા. બાપાએ પૂછ્યું ક્યારે આવ્યો ? ‘થોડી વાર પહેલા’. આ સાંભળી બાપા ઘડીભર મૌન થઈ ગયા. મને લાગ્યું કે હું બાપાશ્રી આસન પર બેઠેલા જોઈ ગયો છું, એવું બાપા વિચારી રહ્યા હશે ! ચા ભોજન લઇ મને રજા આપી. સીતારામ કરીને ચાલ્યો, પણ મન બાપા પાસે રહેવા લલચાયું હતુ.બાપાનું દઢ્ આસન દંડવત અને કૂદકો મગજમાં બેસી ગયા હતાં. થોડે આઘે ચાલી એક ઝાડની ઓથે ઊભો રહી ગયો. રાત પડી ગઈ હતી મોડું પણ થયું હતું બાપાશ્રી બહાર આવ્યા.

હનુમાનજીના મંદિરની આસપાસ આંબલીના બહુ ઝાડ હતા.બાપા એક આંબલી પર ચડ્યા. બે પગ એક ડાળી ઉપર રાખ્યા માથું ઊભી ડાળીએ ઓડ રાખીને બંને હાથ લટકતા મૂકી દીધા. ચાંદની રાત હતી મેં નજીક જઈ બાપાશ્રીને આ રીતે આરામ કરતા જોયા અને ઘેર ગયો. સુતો પણ ઊંઘ ન આવી – બાપા ના વિચાર જ આવતા રહ્યા વહેલી સવારે દૂધ લઈ બાપા પાસે ગયો. બાપા નાઈ – ધોઈ પરવાર્યા હતા હતા. મેં ચા બનાવી હનુમાનજી સામે બેઠા અને મને કહ્યું તુ જા, બપોરે જમવાનું લઈને આવજે. બપોરે જમ્યા પછી કહ્યું કે, પૂજા માટેની બધી સામગ્રી સાંજે આવી જાય એમ કરજે. એ બધું સાંજે મંદિર આવી ગયું. બાપા એ માટીનો નાનો યજ્ઞકુંડ બનાવ્યો, કંકુ – અબીલ– ગુલાલથી સુશોભિત કર્યો.

આ પછી બાપાશ્રીએ હનુમાનજી મહારાજનું એક ભજન ગાયું. સૂચના આપી કે હવે અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી ભોજન લાવવાનું નથી, દૂધ જ લાવવું, સવારે નવ વાગ્યા પછી જ અહીં આવવું. સાંજે હું ચાનું દૂધ લઈને મંદિર આવ્યો. બાપા એ જવાનું કહ્યું.સીતારામ કઈ ઊઠ્યો તો ખરો પણ મનના કહે. કાલાવાળા દર્શન કરવાની લાલસાએ ગઈ રાતની જેમ આઘે જઈ ઝાડની ઓથે ઊભો રહ્યો. બાપાએ આસન જમાવ્યું.પછી દંડવત પછી કૂદકો, હનુમાનજી મંદિરની પ્રદક્ષિણા કરી, આંબલી પર ચડી કાલની જેમ લંબાવ્યું, હું ઘરે આવ્યો, સૂતો પણ ઊંઘ ના આવી કારણ રાતની જેમ બાપાના પ્રસંગોમાં મનમાં ઘોળાતા રહ્યા. શનિવાર હતો, નવ વાગે દૂધ લઇ મંદિરે ગયો તો બારણાં બંધ હતાં, હું બહાર બેઠો.

એકાએક કાન ફાડી નાખે એવો બુલંદ અવાજ સંભળાયો હે રામ ! હેરામ ! મને થયું બાપા કોઇ અલૌકિક સંત છે. દરવાજો ઉઘડ્યો,બાપા બહાર આવ્યા. મેં સીતારામ કર્યા, મેં ચા બનાવી બાપાએ પીધી. યજ્ઞકુંડના અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા મન પ્રસન્ન થયું. બાપાએ કહ્યું બે નાનાં એક મોટું એમ ત્રણ કોડિયા લેતો આવજે, ઘી તેલ પણ લાવજે. હું એ લઈને સાંજના પાંચ વાગ્યે પહોંચ્યો મંદિર બંધ હતું. થોડીવારે ઉઘાડ્યું. મેં લાવેલા એક કોડિયામાં ઘી નાખ્યું, બેમાં તેલ નાખ્યું, બેમા અત્તરની એક એક શીશી ઠાલવી,ત્રીજામાં બે ઠાલવી.ચારે દિશામાં દીપ પ્રગટાવી બાપા બહાર આવ્યા. મને રજા આપી પછી પોતે આંબલી પર આરામ કરવા ચડ્યા,

ચોથે દિવસે હું મંદિરે ગયો તે પછી મારા મિત્રો ડૉ રમણભાઇ વગેરે પણ આવ્યા. બાપાશ્રી પૂજામાં હતાં થોડીવારે. હે… રામ ! હે… રામ ! નો બુલંદ નાદ ગાજ્યો. ડૉક્ટર વિચારમાં પડી ગયા ! આવો મોટો શિખર ફાડી નાખે એવો મોટો અવાજ ! મને પૂછ્યું આવો અવાજ અગાઉ તમે સાંભળેલો ? મેં કહ્યું બધા રાત્રે આવો વધુ જોવા મળશે. ત્યાં બાપાશ્રી બહાર આવ્યા. સૌએ સીતારામ કર્યા ચા પીધી. મંદિરમાંથી ફૂટ તથા મીઠાઈનો પ્રસાદ આપ્યો. હવનકુંડ અને હનુમાનજીના દર્શન કરી સૌ બેઠાં. બાપાએ કહ્યું : છેલ્લે દિવસે સાધુ, બ્રાહ્મણ,ભક્તો અને બાળકો સાથે ભોજન રાખી અનુષ્ઠાનનું સમાપન કરીશું. એનો ખર્ચ તમે ઉપાડશોને ? સૌએ હા કહી.બાપા કહે તમે અને પાટીદાર એ સિવાય કોઈને એમાં ભેળવશો નહીં.

સાંજે સૌ ફરીને આવ્યા. બેઠા, બે વાતો કરી રજા આપી, સીતારામ કરી રવાના થયા. દૂર ઊભા રહી જોવા લાગ્યા. બાપાએ દંડવત કરી કૂદકો મારી ઊભા થયા તે જોયું. રાતના આવી આંબલી પર ચડી લંબાવ્યું, તે દર્શન કર્યા. સૌ નજીક આવ્યા, રાત અજવાળી હતી. આખી મંડળી ખુબ પ્રભાવિત થઈ. એવામાં એક ભાઈને ઉધરસનું ઠસકું આવતા બાપા આંબલી પરથી નીચે ઉતર્યા અને પૂછ્યું : તમે બધા હજુ ઘરે ગયા નથી ? ના બાપા. બાપા કહે : કેમ પાછા આવ્યા ? હું કાંઈ બોલી શક્યો નહિં. ડૉક્ટર રમણભાઈ કહ્યું કે,આપના દર્શન કરવા. બાપા કહે તમે બધા દર્શન કરીને તો ગયા હતા ! રમણભાઈ કહે : અમે આંબલી પર નાં દર્શન કરવા આવ્યા છીએ.

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે સંત ની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બાપા એ જવા માટે કહ્યું ત્યારે રમણભાઈ બોલ્યા અનુષ્ટાન પૂરું થાય ત્યાં સુધી રાત્રિરોકાણ ની ઇચ્છા છે. બાપાએ રાજીખુશીથી રજા આપી. મંદિરેથી નીકળીને અમે ઘેર જતા પહેલાં પાટીદારભાઈને મળ્યા અને બધા દર્શનની વાત કરી. એમણે પણ રાત્રે સાથે આવવાની તૈયારી બતાવી.રાત્રી સૌ મંદિરે ગયા. બાપાશ્રીને આંબલી પર ચડી બંને પગ ને ડોક ડાળ પર બંને હાથ છૂટા રાખી સૂતા જોઈ પાટીદારભાઇ ખૂબ પ્રભાવિત થયા. આરામ કરી નીચે ઉતરી પૂજ્ય બાપાશ્રીએ પૂછ્યું કે કેટલા વાગ્યા છે.રમણભાઈએ પોતાની ઘડિયાળ માં જોઇ કહ્યું ત્રણ વાગ્યા છે. તેવામાં આજુબાજુના ઝાડવાંઓમાંથી હનુમાનજી મહારાજની કીકીયારી સંભળાવા માંડી. સૌ ગભરાવા લાગ્યા. બાપા એ આશ્વાસન આપ્યુ ગભરાશો નહિ. થોડીવારમાં કીકીયારીઓ શમી ગઈ. હું ઊભો થઈ દૂધ લેવા ગયો.લાવીને ચા બનાવી પીધી અને બાપા સૌને ઘેર જવાનું કહી, પોતે રોજની વિધિ કરવા મંદિરમાં પ્રવેશ્યા.સાડા નવે હે રામના પોકાર પછી બહાર પધાર્યા ત્યારે અમે સૌ હાજર હતા. બાપાએ પૂર્ણાહુતિના ભોજનની સામગ્રી લાવવા કહ્યું. તે પ્રમાણે સામગ્રી આવી. સાધુ, બ્રાહ્મણ, ગામના બાળકો અને અમે મિત્રો લાડુ, દાળ-ભાત શાક જમ્યા.યજ્ઞ પૂરો થયો પછી બીજે દિવસે અમે મિત્રો બાપા સાથે જમ્યા. બાપાએ મંદિરમાં જઈ લગોંટ પહેર્યો હાથમાં પંજાવાળી તલવાર પહેરી બહાર આવ્યા. બાપાના અલૌકિક દર્શન અમે કર્યા. ખૂબ વાતો કરી, રાત નો એક વાગ્યો બાપા એ સૌને ઘેર જવા કહ્યું, છુટા પડતી વખતે સવારે મંદિરે જવાનું અમે નક્કી કર્યું.

સવારે નવ વાગ્યે મંદિરે ગયા બાપાશ્રી ન હતા. આસપાસના ગામોમાં દિવસો સુધી તપાસ કરાવી કશી માહિતી મળી નહિ. ત્રીસેક વર્ષે મારે સૂરત આવવાનું થયું ત્યારે સ્ટેશન નજીક એક માળી દુકાને એક મસ્ત સાધુ બજરંગદાસજીની વાત સાંભળી.મેં એમના દેખાવ ચાલવાની છટા ઊંચાઈ વગેરેની વાત કરી. અને કહ્યું કે એમણે અમારા સરસોઇ ગામે વેજલપૂર હનુમાને અનુષ્ઠાન કરેલ. આ વાત થતી હતી ત્યારે એક હોડીવાળો ત્યાં ઊભો હતો તેણે કહ્યું

બજરંગદાસબાપા અશ્વિનીકુમાર ઘાટ પાસે થી બે-ત્રણ દિવસે મારી હોડીમાં બેસી તાપીમાં દોઢ-દોઢ કલાક ફરે છે. આ હોડીવાળાએ મારી અને દુકાનવાળા માળી વચ્ચે ની વાત સાંભળેલી તેથી તેણે એ પછી બાપા હોડીમાં ફરવા બેઠા ત્યારે પૂછ્યું : આપ સુરતમાં જ રહો છો ? બાપાએ હસીને કહ્યું કોઈ દિવસ નહિ ને આજે કેમ આવું પૂછે છે ? હોડીવાળાએ મારી અને માળી વચ્ચે થયેલી વાત થઈ કહી.આ પછી બાપા સુરત છોડી ગયેલા. પછી ઘણા વખતે મને ખબર મળી કે બજરંગદાસ બાપા જેમણે વેજલપુરમ હનુમાન મંદિરે અનુષ્ઠાન કરેલ તેઓ બગદાણા રહે છે એટલે મેં બગદાણા જઈ એમના દર્શન કર્યા. ચાર-પાંચ દિવસ ત્યાં રહ્યો અને અહીં તમારી પાસે રોકાયો છું. આમ છતાં એક વાત તો ખરી જ ; કે બાપાશ્રીએ હનુમાનજી મહારાજની ઉપવાસના તો કરેલી જ. રણજીત હનુમાનજ (હણોલ) રહેલા. બગદાણામા પણ હનુમાનજીને ઓટલેજ બેસતા.

કલોલવાળા કચુભાઇ ભગત લખે છે કે ; હું અને મારા પત્ની ચાર દિવસ બગદાણામાં બાપાશ્રી પાસે રહેલાં. રાત્રે બાપા સાથે વાતો થતી, તેમાં એમના અગાઉના જીવનની વાતો પણ થયેલી. આ વાતોમાં કચુભાઈ ભગતે એક વાત આ પ્રમાણે લખી છે : કે ગુરુ મહારાજે એમને હનુમાન સિદ્ધિ કરાવેલી. બગદાણા ગામમાં હનુમાનજીની એક દેરી છે, તે હનુમાનજી મહારાજને એમણે પ્રસન્ન કરેલા. પછી એમની ખ્યાતિ છે અને પ્રભાવ વધેલા,લોકો તેઓશ્રી લોકો તેઓ શ્રી પાસે આવવા લાગેલા.પછી બાપાશ્રીએ બગડ નદી આગળ ગામ બહાર આશ્રમ બનાવેલ. આજે ભલે સંત બજરંગદાસ બાપા સદેહે હાજર ન હોય પણ અનંતમાંથી ભક્તજનોની ઇચ્છા પુરી કરે છે પ્રેરણા આપે છે, અને ભક્તજનોના દુખ:ડા દુર કરે છે એ સત્ય હકીકત છે. જય બાપા સીતારામ.સુરેશભાઇ નિમાવત (ગાંધીનગર) નાં સૌને બાપા સિતારામ.પરમ પૂજ્ય બજરંગદાસ બાપા જીવન જ્યોત પહેલી આવૃત્તિ તા-૨૬-૦૧-૧૯૮૯ માંથી.બાપા સીતારામ.

Categories
Gujarat

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બોટાદના સાળગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરે આવ્યા હતા અને દાદાના દર્શન કર્યા હતા તેમજ મારૂતિ યજ્ઞ મા ભાગ લીધો હતો અને સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય અને ગુજરાત કોરોના મુકત બને તેવી દાદાને પાર્થના કરી હતી

બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા ના સાળગપુર ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે તયા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાળગપુર આવ્યા હતા અને હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. સાળગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞમાં વિજય રૂપાણી એ હાજરી આપી હતી અને યજ્ઞની પૂરણાહુતી મા બેસી આરતી ઉતારી હતી જયારે હનુમાનજી મંદિર ના કોઠારી સહિતના સંતો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ નુ સનમાન કર્યુ હતું.

મુખ્યમંત્રી ના સાળગપુર હનુમાનજી મંદિરે પ્રવાસ દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જયારે ૫ વર્ષ ના બાળક આર્યન ભગત જેણે સાળગપુર હનુમાનજી મંદિરના ઈતિહાસ વિષે મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો

આવતીકાલથી અષાઢ માસની શરૂઆત થાય છે ત્યારે આજના પવિત્ર દિવસે કષ્ટભંજન દાદાના દર્શન તેમજ મારૂતિ યજ્ઞ ની પૂરણાહુતી મા આહુતિ આપી પાર્થના કરી કે સમગ ગુજરાત કોરોના મુકત બને તેમજ સમગ્ર રાજયમાં સારો વરસાદ થાય જેથી ખેડુતો સમરુધ બને તેમજ રાજયના તમામ લોકો સુખી સમરુધી બને તેમાટે દાદા પાસે પાર્થના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું

Categories
Gujarat

બકરાં ચરાવતો નાનકડાં ગામનો છોકરો IPS થયો, સૌથી પહેલાં માતા-પિતાને કર્યું સેલ્યૂટ, આજે છે અમદાવાદમાં DCP

અમદાવાદ: કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે, જેમણે ॐ શાંતિ ॐ (Om Shanti Om) ફિલ્મ ન જોઈ હોય અને જેણે પણ આ ફિલ્મ જોઈ છે, તેમણે આ ડાયલોગ જરૂર સાંભળ્યો જ હશે, જેમાં શાહરૂખ ખાન કહે છેકે, ‘જો કોઈ વસ્તુને દિલથી ઈચ્છો તો તેને મેળવવામાં આખું બ્રહ્માંડ તેમને મદદ કરે છે. હવે આ ડાયલોગને આપણે કોઈ પણ સંદર્ભમાં જોઈ શકીએ છીએ. તેને જ ક્યાંકને ક્યાંક લૉ ઓફ અટ્રેક્શન પણ કહેવામાં આવે છે. કહેવાનો અર્થ એ છેકે, તમે જેવું વિચારો છો કે કરો છો. વાસ્તવમાં તે જ વિચાર હકીકત બને છે. હવે તમારા બધાનાં મનમાં એ વિચાર આવી રહ્યો હશેકે, અહીં ॐ શાંતિ ॐ અને લૉ ઓફ અટ્રેક્શનનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. કહેવાય છેકે, આપણે જેવું વિચારીએ, એવું જ આપણી સાથે થાય છે.

જીહા એક એવી જ વાર્તા રજૂ કરવા જઇ રહ્યા છો. તેના વિચારો અને મહેનતે તેને તે બધુ જ અપાવ્યુ છે. જેની એક સામાન્ય માણસ ફક્ત કલ્પના કરીને જ રહી જાય છે. અમે ગરીબ ખેડૂતના પુત્ર વિશે વાત કરી રહ્યા છીએ. જેમણે પોતાની એકાગ્રતા અને મહેનતને લીધે એક મહાન હોદ્દો પ્રાપ્ત કર્યો છે.આ ગરીબ ખેડૂતનો દીકરો એક સમયે ખેતીમાં કરતો હતો. એટલું જ નહી તેણે ઉંટગાડુ પણ ચલાવ્યુ છે. પરંતુ પછી તેની સખત મહેનત, સમર્પણ અને વિચારોને લીધે, તેણે છ વર્ષમાં જ 12 સરકારી નોકરીની પરીક્ષા આપી. આવામાં હવે સમજમાં આવી ગયુ હશેકે, શરૂઆતમાં કેમ ॐ શાંતિ ॐ અને લૉ ઓફ અટ્રેક્શનનો ઉલ્લેખ કર્યો હતો.

હવે તમને આ ખેડૂત પુત્રનું નામ જાણવાની ઉત્સુકતા હશે. તો થોડી ધીરજ રાખો. તેનું નામ વિશે પરિચય કરાવીશું. હા, અમે વાત કરી રહ્યા છીએ આઈપીએસ પ્રેમસુખ ડેલુ વિશે. જે રાજસ્થાનના બીકાનેર જિલ્લાના એક નાના ગામનો છે. જણાવી દઈએ તેના ગામનું નામ ‘રાસીસર’ છે. પરિવારમાં કુલ ચાર ભાઈ-બહેન છે. જેમાંથી તે સૌથી નાનો છે. તેના પિતા ખેડૂત છે.

પરિવારનું ગુજરાન ખેતી ઉપર જ ચાલે છે. ખેતી પણ વધારે ન હતી જેને કારણે હંમેશા પૈસાની કમી રહેતી હતી. જેને કારણે પ્રેમસુખ ભણવાની સાથે પિતાને ખેતીમાં પણ મદદ કરતો હતો. એટલું જ નહી ખેતરમાં ઉંટગાડી ચલાવવાનું કામ પણ કરતો હતો. આઈપીએસ પ્રેમસુખની શરૂઆતનું ભણતર ગામમાં જ થયુ હતુ. આર્થિક સ્થિતી સારી ન હતી તો 10 ધોરણ સુધી સરકારી સ્કૂલમાં ભણ્યો. જે બાદ તેણે બીકાનેરનાં ડુંગર કોલેજમાંથી 12માંની પરીક્ષા પાસ કરી હતી. ગ્રેજ્યુએશન તેણે મહારાજા ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી કર્યુ હતુ. જ્યાં તેણે પોતાની મહેનત અને લગનને કારણે ઈતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ બધુ તેની મહેનતનાં કારણે થઈ રહ્યુ હતુ. પરંતુ તેનાં જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી ન હતી. એક સમયે તેની પાસે પુસ્તકો ખરીદવા માટે પૈસા ન હતા. તેમ છતાં જેમ-તેમ કરીને તેના માતા-પિતા તેનાં ભણતરમાં મુશ્કેલી આવવા દેતા ન હતા. કંઈ પણ કરીને તેના અભ્યાસ માટે જરૂરી સામાનની વ્યવસ્થા કરતા હતા.

જેને લઈને પ્રેમસુખ જણાવે છે મારા પિતા બહુજ મહેનત કરતા હતા. પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરીને મારા અભ્યાસના દરેક જરૂરિયાતનાં સામાનની વ્યવસ્થા કરતા હતા. તેમની મહેનત, ત્યાગ અને મારા પ્રત્યે તેમનો પ્રેમ હંમેશા માટે મારા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. પિતાની હાલત અને તેમની મહેનતને જોતા મે સરકારી નોકરી મેળવવાનો દ્રઢસંકલ્પ કર્યો.

પ્રેમસુખ જણાવે છે કે તેમનું પહેલું લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું તેથી તેણે 2010માં બીકાનેરથી તલાટીની પરીક્ષા આપી. જેમાં તે સફળ રહ્યો હતો અને બિકાનેરના એક ગામમાં તલાટીની પોસ્ટ પર મુકાયો હતો. તે જ વર્ષે તેમણે ગ્રામ સેવક તરીકે પ્રદેશમાં બીજો ક્રમ મેળવ્યો આટલું જ નહીં, 2011માં તેમણે આસિસ્ટન્ટ જેલરની સાથે બી.એડની પરીક્ષા પાસ કરી હતી અને એક શિક્ષકનું કામ પણ કર્યું હતું.

શિક્ષક તરીકે ફરજ બજાવ્યાના થોડા દિવસો પછી તેમની પસંદગી મામલતદારનાં પદ ઉપર થઈ. આ દરમિયાન તેમણે અજમેરમાં મામલતદારનું પદ પણ સંભાળ્યું હતું મામલતદારનું પદ સંભાળતા તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રેમસુખ કહે છે કે નોકરી કરતી વખતે પરીક્ષાની તૈયારી કરવી ખૂબ મુશ્કેલ કાર્ય છે આવી સ્થિતિમાં યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરવી વધુ મુશ્કેલ બની જાય છે.

પ્રેમસુખ કહે છે કે જેવો તેનો ફરજ પરનો સમય પુરો થતો, એવો તરત જ તે ભણવા લાગતો હતો. અહીં અને ત્યાં વાતો કરવામાં તેણે સમય બગાડ્યો નહીં. એટલું જ નહીં સમયના અભાવે તેણે કોઈ કોચિંગ પણ નહોતી કરી. આ બધું હોવા છતાં, તેણે 2015માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને દેશમાં 170મો રેન્ક મેળવ્યો. જ્યારે તે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓમાં ત્રીજા સ્થાને રહ્યા.

એકંદરે, પ્રેમસુખની વાર્તા જણાવે છે કે જો કંઇક કરવાની ઇચ્છા હોય તો પછી ગમે તેટલી મુશ્કેલી હોય તે ટૂંકી પડે છે હૃદયમાં કંઇક કરવાની હિંમત હોવી જોઈએ.

Categories
Gujarat

સૌરાષ્ટ્ર ના સંત કે જે વર્ષો થી છે મૌન અને અન્ન નો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો

આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો અને સુરાઓ ની ભૂમી અને સંતો નુ નામ પડે એટલે ભાવનગર ના બગદાણા મા બાપા સીતારામ નુ નામ યાદ આવે બાપા સીતારામ સિવાય પણ અનેક સંતો આપણા સૌરાષ્ટ્ર મા થય ગયા છે. પરંતુ આજે અમે તમને જેની વાત કરવા જય રહ્યા છીએ એ સંત શ્રી કાળુબાપુ ની છે.

ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી કાળુબાપુ નો આશ્રમ આવેલો છે જયા રોજ અનેક શ્રધ્ધાળુ આવે છે અને આસ્થા નુ સ્થાન બન્યુ છે. આ આશ્રમ ખુબ વિશાળ છે અને રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે અહી જે કોઈ આવે એ ભુખ્યા પેટે જતુ નથી. અને આશ્રમ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન પણ કરવામા આવે છે.આ આશ્રમ ના સંત ની ખાસ વાત એ છે કે બાપુ નુ જીવન એક દમ સાદુ છે શારીરિક પર કંતાન ના વસ્ત્રો અને અને હંમેશ ના માટે મૌન રહે છે.

અને પોતાની ઝુપડી મા કલાકો સુધી ધ્યાન ધરે છે. આજ ના જમાના મા પણ કાળુબાપુ જેવા સંતો હયાત છે જે મોધીદાટ મોટરકાર અને આઈ ફોન જેવા ફોન ઉપયોગ નથી કરતા પણ સાદુ જીવન જીવ મા અને લોકો ને ઉપયોગી થવામાં માને છે. હાલ કોરોનાકાળ ના હિસાબે આશ્રમ ના અનેક ધાર્મિક કાર્યક્રમો બંધ છે.