Categories
Gujarat

ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે ૭૬ વર્ષની ઉમરે ફરી ગાંડી ગીરમાં કર્યા ધામધૂમથી લગ્ન,બળદ ગાંડું રૂડી જાન જોડીને ૭૨ વર્ષની લાડીને પરણ્યા…જુઓ તસવીરો

હાલમાં જ ગીર પંથકમાં એક અનોખા લગ્ન યોજાયા અને સૌથી ખાસ વાત એ છે કે ભાઈ અને બહેન એ પોતાના માતા પિતાની 50મી એનિવર્સરીને અનોખી રીતે ઉજવવા માટે  પોતાના માતા પિતાને ફરીથી વિધિવત રીતે પરણાવ્યા.

મીડિયા દ્વારા જાણવા મળ્યું કે ગીર પંથકના મૂળ મરમઠ ગામના રહેવાસી છે અને ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક છે. નાથાભાઈ વાઢેરએ પ 76 વર્ષની વયે  પોતાના પત્ની 73 વર્ષના નિર્મળાબેન સાથે ફરી પરણ્યા.

નાથાભાઈ વાઢેર 2007માં ઈસરોના વૈજ્ઞાનિક તરીકે સિનિયર અધિકારી તરીકે જોડાયા હતા. તેમનો એકનો એક પુત્ર વિપુલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે અને એક દીકરી નેહા અમદાવાદમાં રહે છે.

ભાઈ બહેન એ સાથે મળીને પોતાના માતા પિતાની વર્ષગાંઠના ખાસ રીતે ઉજવવા લગ્નનું આયોજન કરેલું એ પણ ગીરના ખોળે અને વરસો પહેલા જે રીતે લગ્ન થતાં એ પંરપરા અને રીતે રિવાજ પ્રમાણે ૨૦૦ થી વધુ મહેમાનોની હાજરીમાં લગ્ન નું આયોજન કરેલ.

લગ્ન માટે  રિસોર્ટમાં  અસલ ગામઠી પરંપરાનો શોધેલ તેમજ  શણગારેલા બળદ ગામડાઓમાં વર કન્યાની જાન નીકળી. તો ઢોલ અને શરણાઈનો નાદ, રાસ ગરબા, સામૈયા લગ્ન કરવામાં આવેલ.

જ્યારે નિર્મળાબેને પોતાના પતિને સોનાની માળા ભેટ તરીકે આપી હતી. સમગ્ર રાજ્યભરમાંથી 200 જેટલા સગા સંબંધીઓ લગ્નના આ ઉત્સવમાં જોડાયા હતા. આ લગ્ન હાલમાં  ચારો તરફ ચર્ચાનો વિષય બન્યા છે અને સૌ કોઈ આ અનોખા લગ્નના વખાણ પણ કરી રહ્યા છે. Image source : Zeenews

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

મહેસાણામાં દેખાય હિન્દૂ-મુસ્લિમ એકતા!! હિન્દૂ પરિવારના લગ્નમાં મામેરું લઈને આવ્યા મુસ્લિમ ભાઈઓ, લાખો રૂપિયા સહીત આ વસ્તુ… જુઓ વિડીયો

મામેરું વિના લગ્ન તો અધૂરા જ ગણાય. જ્યાં સુધી મો

સાળ પક્ષમાંથી મામેરું કરવા ન આવે તો એ લગ્ન રૂડો હોવા છતાં પણ ખાલીપાથી ખટકે છે. હાલમાં જ મહેસાણામાં જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ પરિવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં મામેરું કર્યું હતું. આ કિસ્સો આપણા સમાજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કહેવાય છે ને કે લાગણીનો સંબંધ હોય ત્યાં કોઈ જાતિ કે ધર્મ પહેલા જોવાતા તો નથી. આ જગતમાં દરેક વ્યક્તિ માનવતા સાથે જોડાયેલ હોય છે. વાત જાણે એમ છે કે, ગુજરાત સમચારમાં અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સૈયદ પરિવાર અને ચૌધરી પરિવાર વચ્ચેના સંબંધો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે.

બંને પરિવારો વચ્ચે ધંધાકીય સંબંધો સમય જતા પારિવારીક સંબંધોમાં બદલાય ગયા અને સૈયદ પરિવારના સભ્યોને છેલ્લા 10 વર્ષથી પારસંગભાઈના પત્ની રાખડી બાંધે છે . ચૌધરી પરિવારની રાખડી બાંધે છે.

ચૌધરી પરિવારની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારે મામેરું કરવાનું નક્કી કર્યું હતું. સૈયદ પરિવારના ફારૂકભાઈ, ફઝલભાઈ, સલીમભાઈ, હારુનભાઈ અને સાઈદભાઈએ 5 લાખ રોકડ અને 50 હજારના દાગીના સહિત કપડાનું મામેરું કર્યું હતું , જગતભરના લોકો આ મોંઘેરું મામેરું જોતા જ રહી ગયા.

આ કિસ્સોએ સમગ્ર સમાજમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. આ કિસ્સોએ દર્શાવ્યું છે કે કોમી એકતા એ સમાજ માટે કેટલી મહત્વપૂર્ણ છે. આપણે બધાએ એકબીજા સાથે સારા સંબંધો બનાવવા જોઈએ અને કોમી એકતાને પ્રોત્સાહન આપવું જોઈએ.

આ કિસ્સામાં સૈયદ પરિવાર અને ચૌધરી પરિવાર બંનેએ કોમી એકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનાથી આપણે બધાએ શીખવાની જરૂર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

લગ્નમાં DJ ની સાવ નજીક ડાન્સ નહીં કરતા નહિતર આવું તમારી સાથે પણ થઇ શકે !! ડીજેમાં યુવકો ડાન્સ કરતા હતું ત્યાં જ બની મોટી દુર્ઘટના…

આજના સમયમાં કોઈપણ શુભ કે ધાર્મિક પ્રસંગ હોય એટલે ડીજે અચૂકપણે હોય છે. ડીજે મીની ટ્રક અથવા ‘છોટા હાથી’ જેવા વાહન પર લગાવવામાં આવે છે. કારમાં જ જનરેટર વગેરે લગાવેલ છે, જે મ્યુઝિક સિસ્ટમ ચલાવે છે. એક વાત યાદ રાખજો કે, DJ ની સાવ નજીક ડાન્સ નહીં કરતા નહિતર આવું તમારી સાથે પણ થઇ શકે !! ડીજેમાં યુવકો ડાન્સ કરતા હતું ત્યાં જ બની મોટી દુર્ઘટના…

આ અકસ્માત આઝમગઢના ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. દશેરા પછી અહીં મા દુર્ગાની પૂજા થાય છે. 29 ઓક્ટોબરના રોજ કેટલાક લોકો દુર્ગા પૂજા કરવા જઈ રહ્યા હતા. ડીજે પર 12-15 લોકો ડાન્સ કરી રહ્યા હતા. બાદશાહનું ગીત વાગી રહ્યું હતું, ‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ.’ આ સોન્ગના તાલે સૌ યુવાનો ડાન્સ કરી રહ્યા છે પરંતુ અચાનક જ ડીજે યુવાનો ઉપર પડે છે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ દુર્ઘટનાને પગલે આઝમગઢના એડિશનલ એસપી સંજય કુમારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે શોભાયાત્રામાં મોટા ડીજે અને વાહનની ગેરવ્યવસ્થાને કારણે ડીજે પડી ગયો હતો. ઘણા લોકો ઘાયલ થયા હતા. તેથી ડીજે માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

અકસ્માતમાં 12-15 લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમની હાલત સ્થિર છે. દુર્ઘટનાએ ફરી એક વાર પ્રશ્ન ઉભો કર્યો છે કે ડીજેનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ. ડીજે વગાડતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. ડીજેના અયોગ્ય સંચાલનથી આવી ઘટનાઓ બની શકે છે..

 

Categories
Gujarat

લોકલાડીલા ખજુરભાઈના પત્ની મીનાક્ષી દવે છે મૂળ આ ગામના વતની ! બંનેની પ્રેમ કહાની એવી કે ભલભલી ફિલ્મો પાછી પડે, આવી રીતે થઇ હતી પેહલી મુલાકાત અને પછી…

લોક સેવામાં કાર્યરત રહેતા ખજૂરભાઈએ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. જ્યારે તેમને સગાઈ કરી, ત્યારે તેમની જીવનસંગીનીને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કારણ કે ખજૂરભાઈની ભાવિ પત્ની કોઈ અભિનેત્રી કે ગાયિકા કલાકાર નહી પરંતુ એક સામાન્ય પરિવારની છોકરી છે. ખજૂરભાઈ સાથે સગાઈ કર્યા બાદ મીનાક્ષી દવે પણ સેલિબ્રિટી બની ગયા હતા એવામાં હવે લગ્ન થતા તેમની લોકચાહના વધી ગઈ છે. ચાલો અમે આપને જણાવીએ કે, મીનાક્ષી દવે કોણ છે અને કઈ રીતે ખજૂરભાઈ સાથે મુલાકાત થઈ.

તમને જણાવી દઈએ કે, મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને એક નાનો ભાઈ પણ છે . મીનાક્ષી દવેની બે મોટી બહેનોનાં લગ્ન થઈ ગયાં છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમનો ભાઈ B.com નો અભ્યાસ કર્યો હતો.

મીનાક્ષી દવે B.Farma બાદ મેં અમદાવાદસ્થિત કેડિલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી હતી. જોકે, થોડા સમય પહેલાં જ તેમની મમ્મીની તબિયત ખરાબ હોવાના લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને તેમના મમ્મીની સેવામાં જ રહેવા લાગ્યા. ખજૂરભાઈ સાથેની મુલાકાત એક સંજોગ કહો કે કુદરતનો કરિશ્મા પણ ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત અનાયશે થઈ હતી.

મીનાક્ષી દવે અને તેમનો પરિવાર ખજૂરભાઈના ચાહક હતા પરંતુ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે, ખજૂરભાઈ સાથે અતુટ સંબંધે બંધાશે. નીતિન જાની પોતાનાં સેવાકાર્યોના કામ અર્થે દોલતી ગામે અંધ દાદીમા રાજીમાનું ઘર બનાવવા આવ્યા હતા. આ સમયે મીનાક્ષી દવે એ પહેલી જ વાર ખજૂરભાઈને જોયા હતા. તે સમયે મીનાક્ષી અમદાવાદમાં નોકરી કરતી હતી પરંતુ કામ હોવાથી ગામડે આવી હતી. રાજીમાના ઘરની આસપાસ મીનાક્ષીના કાકા રહેતા હતા

નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી હતા એટલે મીનાક્ષી તેમની ચાહક હતી અને એક ફેન તરીકે જ પહેલી વાર મીનાક્ષી ખજૂરભાઈને મળી હતી અને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતા. કહેવાય છેને કે વિધાતાના લેખ સામે કોઈ મેખ નથી મારી શકતું. થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીંયા દર્શન માટે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે મીનાક્ષી દવે પણ પોતાના પરિવાર સાથે ગઈ હતી.

આ દરમિયાન મીનાક્ષી અને ખજૂરભાઈનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને એકબીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો જ ગમી ગયો હતો અને ત્યારબાદ આ નીતિનભાઈ જાનીના મમ્મીએ મીનાક્ષીના પિતા સમક્ષ તેમની દીકરીનો હાથ માંગ્યો અને આ સંબંધ તો મીનાક્ષી અને તેમના પરિવાર માટે એક સ્વપ્ન સમાન હતો એટલે કઈ પણ વિચાર્યા વગર તેમને આ સંબંધની હા પાડી અને સાદગી રીતે ખજૂરભાઈ અને મીનાક્ષી દવેની સગાઈ થઈ.

હાલ ગુજરાતના લોક લાડીલા ખજુરભાઈ તથા મીનાક્ષીબેન દવે લગ્નના બંધનમાં બંધાય ગયા છે જેની તસવીરો તથા અનેક એવા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે.

Categories
Viral video Gujarat

સુરતમાં પ્રેમલગ્ન બાદ દીકરીએ આપઘાત કરી લેતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી!! રડતા રડતા હાથ જોડી એવી વાત કહી કે સાંભળી તમારી આંખમાંથી આંસુ…

સુરત શહેરમાં એક એવી દુઃખદ ઘટના બની છે, જે આજના યુગ દરેક યુવતીઓ અને યુવાન માટે એક પ્રેરણા સમાન છે. આ બનાવ ખરેખર દુઃખદાયી તો છે પરંતુ સાથોસાથ માતા-પિતાઓ માટે એક ચેતવણી સમાન અને યુવાનો માટે એક સંકેત સમાન છે કે પ્રેમ લગ્ન કરવા યોગ્ય છે કે નહીં અને પ્રેમ લગ્નનું પરિણામ શું આવી શકે છે?

આ બનાવ અંગે જાણીએ તો સુરતના વરાછા વિસ્તારમાં પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો છે. યુવતીના પ્રથમ લગ્ન સફળ ન થતાં પરિવારની મહિલાએ બીજા પ્રેમ લગ્ન રાજસ્થાની મારવાડી સમાજમાં કર્યા હતા.. તે પછી પરિવારનો આરોપ છે કે મહિલાએ આત્મહત્યા કરી કારણ કે તેના પતિ અને સાસરિયાઓ તેને દહેજના મુદ્દે ત્રાસ આપતા હતા.જેથી યુવતીએ ડિપ્રેશનના કારણેઆત્મહત્યા કરી હતી.

પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવતા માતા ધ્રુસકે ધ્રુસકે રડતા એવી હદયસ્પર્શી વાત કહી કે જે દરેક યુવલ યુવતીઓએ જીવનમાં ઉતારવી જોઈએ. આજના સમયમાં યુવક યુવતીઓ પોતાના પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે માતા પિતાની પરવાનગી પણ નથી લેતા અને ભાગીને લગ્ન કરી લેતા હોય છે. ત્યારે આ વાત દરેક યુવતી અને યુવાનોએ સમજાવ જેવી છે.

મૃતક યુવતીની માતા વિડીયોમાં કહે છે કે, હું દરેક દીકરીને વિંનતી કરું છું કે, કોઈપણ બીજી જ્ઞાતીમાં ન જતા અને જ્યાં માં બાપ પરણાવે ત્યાં જ લગ્ન કરવા અને સુખેથી જીવન જીવો. મેં મારી દીકરી ગુમાવી છે મને બહુ આઘાત લાગ્યો છે, હું દરેક દીકરીને વિનંત્તિ કરું કે પ્રેમ લગ્ન તો ન જ કરતા. મારી હાલત તો જુઓ મારી દીકરી વિના શું થયું છે, તમારા માં બાપ-ની શું હાલત થાય, દરેક મા-બાપની ઈચ્છા હોય તેમની ઈચ્છા પ્રમાણે પરણાવવાની અને ત્યાં જ લગ્ન કરો.

ખરેખર માતાની આ અપીલ સૌ કોઈ લોકો માટે એક જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવી છે. આ દુઃખદ બનાવમાં એ પણ જાણવા મળ્યું છે કે, યુવતીના સાસરા પક્ષે દહેજ ન આપવા અને માનસિક ત્રાસ અપાતા હતા તેમજ લગ્ન બાદ ગર્ભવતી બનેલી પુત્રીને દહેજ ન આપવા માટે ઈન્જેક્શન આપીને પતિએ ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ દિકરી માનસિક ત્રાસથી ડિપ્રેશનમાં રહેતી હતી આ કારણે યુવતીએ જીવન ટૂંકાવી લીધું.

 

View this post on Instagram

 

A post shared by I love surat ❤️ (@i_love.surat)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

પિંજરા માં પુરાયેલા પક્ષીઓ ને જોઈ ખજુરભાઈ આ જ કર્યું જાણી ને સલામ કારસો ! વિડિઓ જોઈ આંખો માં આંસુ આવી જશે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખજૂર ભાઈ ગુજરાત ઘરમાં એક આખું સ્થાન ધરાવે છે તેમણે માત્ર માનવસેવા જ નહીં પરંતુ જીવ દયાનું પણ એક ઉત્તમ કાર્ય કરી બતાવ્યું છે. આપણે સૌ એ તો જાણીએ છીએ કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે પરંતુ આ જગતમાં દરેક જીવ પ્રત્યે આદર્શ ભાવ અને કરુણતા દાખવી એ જ એક માનવી તરીકે આપણું કર્તવ્ય પણ છે.હાલમાં જ ખજૂર ભાઈનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયો છે સામાન્ય પરંતુ દરેક વ્યક્તિને ખૂબ જ સારો એવો સંદેશો આપી રહી છે આપી રહ્યો છે..

આપણે જાણીએ છીએ કે ખજૂર ભાઈ પોતાની કામગીરીને લીધે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેમને ભગવાનનું બિરુદ પણ આપી રહ્યા છે આમ પણ કહેવાય છે ને આ જગતમાં માનવસેવા કરવી એ સૌથી કઠિન કાર્ય છે. આજે લોકો એક રૂપિયો પણ આપી નથી શકતા, ત્યારે ખજરો ભાઈ ખજૂર ભાઈ લાખો રૂપિયા લોકો માટે ખર્ચી રહ્યા છે. ત્યારે એનાથી મોટી બીજી વાત કઈ કહી શકાય? ખજૂર ભાઈએ નિરાધારનોઆધાર બન્યા છે અને ગરીબ લોકો માટે ભગવાનરૂપ બન્યા છે.

હાલમાં ખજૂર ભાઈએ એક ઉત્તમ કાર્ય કરી બતાવ્યું જે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ આપણને રીતે બંધક બનીને રહેવું પસંદ નથી, ત્યારે વિચાર કરો કે અસંખ્ય પક્ષીઓ જેને આપણે પિંજરામાં કેદ કરીને રાખીએ છીએ એ પણ માત્ર અને માત્ર આપણા મનોરંજન માટે અને નિજાનંદ માટે તેમને પાડીએ છીએ અને પિંજરામાં રાખે છે. શુંપક્ષીઓને પિંજરામાં રહેવું ગમતું હશે આ પ્રશ્નનો જવાબ ખજૂર ભાઈ આપને બતાવે છે. .હાલમાં જ ખજૂર ભાઈ એક વિડીયો મુક્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપ પર બે છોકરાઓ કબૂતરોને લઈને જઈ રહ્યા છીએ આ તમામ કબૂતરો એક પિંજરામાં કેદ હતા.

આ પિંજરા ની અંદર 10 થી 15 કબૂતરો તો હશે જ આ જોઈને ખજુરભાઈએ તેમનો પીછો કર્યો અને રસ્તામાં તેમને ઉભા રાખ્યા. ત્યારબાદ તેમને પૂછ્યું કે આ કબૂતરો મારે લેવા છે તો એક કબૂતરનો ભાવ કહો અને એ બાળ એ બંને છોકરાઓએ કબુતર નો ભાવ પણ કર્યો પરંતુ કહ્યું કે, આ અમારા નથી પણ મારા મિત્રના છે એટલે ખજૂર ભાઈ તેમની સાથે વાત કરી અને તેમની પાસેથી તમામ કબૂતરો ખરીદી લીધા અને તમામ કબૂતરો ઉળાડવા જ ખરીદ્યા હતા અને આખરે ખજૂર ભાઈ આ વિડીયોના અંતમાં કહ્યું કે, જે લોકો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તેમને મારી વિનંતી છે કે તમે પક્ષીઓની આઝાદ કરી દો કારણ કે દરેક જીવને ઉડવાનો અધિકાર છે એમનું ઘરે આકાશ છે ના કે પિંજરૂ ખરેખર ખજૂર ભાઈ ની વાત અને ખજુરભાઈ નું આ કાર્ય આપણા સૌ કોઈ માટે એક સરહાનિયા અને એક પ્રેરણાદાયી કાર્ય બની રહેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Viral video

શિવરાજપુર બીચમાં પેરાગ્લાઈડિંગ દરમિયાન બની મોટી દુર્ઘટના, યુવાન ઉપરથી નીચે પટકાયો, જુઓ ખતરનાક વિડીયો…

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તાજેતરમાં એક દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવાન પેરાગ્લાઇન્ડિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પેરાગલાઈડિંગ દરમિયાન યુવાન ઉપથી નીચે તરફ જમીન પર પટકાય છે. આ વિડિયો ઉતારનાર યુવકની માતા બોલે છે કે, મારા દીકરાને કંઈ થવું ન જોઈએ. થોડા સમય પહેલા જ શિવરાજપુર બીચ પર આ એક્ટિવિટી બંધ કરવામાં આવેલ છતાં આવી ઘટના બની છે. આ ઘટના બદલ જવાબદાર કોણ છે?

આ ઘટના બદલ જવાબદારી કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ ઘણા લોકોની હોઈ શકે છે. આ ઘટના માટે જવાબદાર હોઈ શકે છે.યુવાને પેરાગ્લાઇડિંગ કરતી વખતે સુરક્ષા સાધનોનો ઉપયોગ કર્યો હતો કે નહીં? આ દુઃખદ ઘટનાને કારણે અનેક સવાલો થાય છે.

આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, પેરાગ્લાઇડિંગ એક ખતરનાક એક્ટિવિટી છે. આ એક્ટિવિટી કરતા પહેલા યોગ્ય તાલીમ મેળવવી અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ વાયરલ વીડિયોમાં  અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી કે યુવાન ઈજાગ્રસ્ત થયેલ છે કે નહિ પરંતુ આટલિ ઉંચાઈ પરથી યુવાન પડ્યો તે જોઇને એટલું ચોક્કસ કહી શકાય કે મોટી દુર્ઘટના થતાં બચી છે.

 

View this post on Instagram

 

A post shared by I Love Jamnagar (@ilovejamnagar)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
FOOD RECIPE

શિયાળામાં ઓળાનો ઉત્તમ સ્વાદ માણવો હોય તો એક વખત જરૂરથી વાંચજો આ રેસિપી!! એવો ઓળો બનશે કે હાથ ચાટતા રહી જશો..

રીંગણ ભરતા એ પરંપરાગત ભારતીય શાકભાજીની વાનગી છે જે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં પ્રખ્યાત છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ સારો છે. બાળકો કે ઘરના અન્ય કોઈને રીંગણ ન ગમે તો પણ તેઓને આ સ્વાદિષ્ટ બાઈંગન ભરતા ચોક્કસ ગમશે. આ રેસીપીમાં, રીંગણ ભરતા બનાવવા માટે, રીંગણને પહેલા શેકવામાં આવે છે અને પછી ટામેટાં, ડુંગળી અને મસાલા સાથે રાંધવામાં આવે છે.

સામગ્રી:
1 મોટી રીંગણ
1 નાની ડુંગળી, બારીક સમારેલી (1/3 કપ)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
2 લીલા મરચાં, બારીક સમારેલા (વૈકલ્પિક)
2 ચમચી બારીક સમારેલી લીલી ડુંગળી (વૈકલ્પિક)
2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા (1 કપ)
1/8 ચમચી હળદર પાવડર
1/2 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી તેલ
સ્વાદ માટે મીઠું
2 ચમચી બારીક સમારેલી કોથમીર

ઓછા બીજવાળા સારા રીંગણ પસંદ કરવા માટે, દેખાવમાં મોટા પરંતુ વજનમાં થોડા ઓછા રીંગણ ખરીદો. ખૂબ સખત અથવા ખૂબ નરમ પસંદ કરશો નહીં.રીંગણને ધોઈ લો અને છરી વડે દરેક બાજુ 2-3 કટ કરો. હાથ વડે અથવા બ્રશનો ઉપયોગ કરીને રીંગણની સપાટી પર તેલ લગાવો. તેને સીધું જ ગેસ પર મૂકો અને મધ્યમ તાપ પર થવા દો.

જ્યારે છાલ કાળી થઈ જાય અને સંકોચવા લાગે ત્યારે તેને બીજી બાજુ ફેરવો. એ જ રીતે રીંગણને સરખી રીતે ફેરવીને તળી લો. જ્યારે આખા રીંગણ સંકોચવા લાગે અને નરમ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો.

તેને 5-10 મિનિટ માટે ઠંડુ થવા દો. ઠંડું થાય એટલે તેની છાલ કાઢી લો.શેકેલા રીંગણને છરી વડે નાના ટુકડા કરો અથવા સ્પેટુલા વડે મેશ કરો.મધ્યમ તાપ પર એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ, લીલી ડુંગળી અને સમારેલા લીલા મરચા ઉમેરો. તેમને એક મિનિટ માટે ફ્રાય કરો.

સમારેલા ટામેટાં ઉમેરો અને ટામેટાં નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો. હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.સમારેલા રીંગણ અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 5-6 મિનિટ સુધી થવા દો.

Categories
Gujarat Religious

પરિવારે ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજીને અર્પણ કર્યો આ ખાસ હીરા જડીટ મુંકુટ!! કુલ આટલા સોનાથી બનેલ છે…

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં ભક્તો દ્વારા દાદાને અનેક ભેટો અર્પણ કરવામાં આવી રહી છે. આજે સુરતના ભંડારી પરિવારે 1 કિલો સોનાના મુગટ અને કુંડળ દાદાને અર્પણ કર્યા હતા.

આ મુગટ અને કુંડળની ડિઝાઈન ખૂબ જ સુંદર અને અલગ છે. મુગટમાં ગદા, બે મોર, મોરપીંછ અને ફ્લાવરની આકૃતિ કરવામાં આવેલી છે. મુગટમાં મોરની ચાંચ અને આંખમાં મીણાની કારીગરી કરવામાં આવેલી છે. આ સોનાના બનેલા મુગટ અને કુંડળમાં 7000થી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. મુગટ અને કુંડળની ડિઝાઈન કરતાં 1 મહિનો અને બનાવતા 10 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

ભંડારી પરિવારના વડા ગંગાધરભાઈ ભંડારીએ જણાવ્યું કે, “અમે દાદાના શતામૃત મહોત્સવમાં ભાગ લેવા માંગતા હતા. આથી અમે આ મુગટ અને કુંડળ બનાવડાવ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે દાદા આ ભેટને સ્વીકારશે અને આપણા પર આશીર્વાદ વરસાવશે.”

સાળંગપુર ધામના સંતોએ ભંડારી પરિવારના આ દાનને પ્રશંસાની વર્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, “ભંડારી પરિવારનું આ દાન દાદા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દાનથી દાદાની શક્તિ વધશે અને તેઓ આપણા પર વધુ આશીર્વાદ વરસાવશે.”

આ મુગટ અને કુંડળનું દાન એક પ્રેરણાદાયી કાર્ય છે. આ દાનથી દાદાની શક્તિ વધશે અને તેઓ આપણા પર વધુ આશીર્વાદ વરસાવશે.

Categories
Gujarat

ગુજરાતના લોકપ્રિય કિર્તીદાન ગઢવી પોતાની પત્ની સાથે પહોંચ્યા આ ખાસ સ્થળે પ્રવાસે, શેર કરી આ ખાસ તસવીરો

ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમની પત્ની સોનલ ગઢવી તાજેતરમાં કેરેલામાં વેકેશન માણવા ગયા હતા. આ વેકેશન દરમિયાન તેમણે કેટલીક સુંદર તસવીરો પાડી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

આ તસવીરોમાં કિર્તીદાન અને સોનલ ગઢવી એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યા છે. તેઓ કેરેલાના સુંદર કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે.

કિર્તીદાન ગઢવીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેમની આ તસવીરોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે. લોકો તેમની પ્રેમ અને જોડીની પ્રશંસા કરી રહ્યા છે.

કિર્તીદાન ગઢવી અને સોનલ ગઢવી ગુજરાતના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે. તેમની પ્રેમ કથા પણ ખૂબ જ પ્રેરણાદાયી છે.

આ તસવીરો એક બતાવે છે કે કિર્તીદાન અને સોનલ ગઢવી એકબીજા માટે કેટલા પ્રેમાળ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.