Categories
Gujarat

અમદાવાદ- આયેશા આત્મહત્યા કેસ. આત્મહત્યા કરનાર આયેશા ને આખરે મળ્યો ન્યાય.

ભારત માં અને ગુજરાત માં ખાસ કરીને આપઘાત ના કિસ્સાઓ સામે આવતા હોય છે. લગ્નજીવન દરમિયાન આપઘાત ના કિસ્સાઓ માં ખુબ જ વધારો થવા પામ્યો છે. લગ્ન જીવન દરમિયાન કોઈ ને કોઈ કારણોસર ઝગડો થયા કરતો હોય છે અને અંતે તે આપઘાત માં પરિણમેં છે. એવી જ એક ઘટના ગયા વર્ષે ફેબ્રુઆરી માં અમદાવાદ ની સામે આવી હતી. જેમા એક આયશા નામની યુવતી એ લગ્ન જીવન થી કંટાળીને આખરે આપઘાત કરી લીધો હતો.

અમદાવાદ મા સાબરમતી રિવરફ્રન્ટ પર થી પડતું મુક્તી વેળાએ આયશા નામની યુવતી નો વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. તેને તેના પતિં થી કંટાળીને આખરે આ પગલું ભર્યું હતું. તેનો કેસ કોર્ટ મા ચાલી જતા આખરે તેના પતિ ને સજા ફટકારવામાં આવી છે. તેના પતિનું નામ આરીફ હતું. તેના પતિ આરીફ ને આખરે કોર્ટે દસ વર્ષ ની સજા ફટકારી છે. આવા આત્મહત્યા ના બનાવો ખુબજ સામે આવતા હોય આરોપીને સજા કરીને સમાજ માં આવા બનાવો ઘટે તેનો પ્રયત્ન છે.

સમગ્ર ઘટના મા આયશાએ જયારે છેલ્લો વિડીયો બનાવીયો હતો તે દરમિયાન તેને ઘણી બધી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફખાન. ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ. ઇસ મેં કિસિકા જોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ. ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ‘અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

અને આખરે તેને આત્મહત્યા કરી લીધી હતી. બાદ માં પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો અને તેના પૂરવા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીના વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટને મહત્વનો પુરાવો કોર્ટે ગણ્યો છે. અને તેના આધારે આરોપી આરીફ ને સજા કરવામાં આવી હતી. કોર્ટે આવી બનતી ઘટના ને સમાજ માટે કલંક રૂપ ગણાવી હતી.

Categories
India

બૉલીવુડ માટે આઘાતજનક ના સમાચાર. બૉલીવુડ ના સ્ટાર એવા અભિનેતા સલીમ ઘોષ નું અવસાન.

બૉલીવુડ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડ માં ખલનાયક ના પાત્ર માટે જાણીતા એવા સલીમ ઘોષ નું ગુરુવારે 28 એપ્રિલ ના રોજ નિધન થયું છે. સલીમ ઘોષ તેની ખલનાયક ન ભુમીકા માટે ખાસ પ્રખ્યાત હતા. ઘણા લોકો ના એવા પ્રિય સલીમ ઘોષ નું અવસાન થતા ઘણા બધા સેલિબ્રેટી અને તેના ફેન્સ દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

સલીમ ઘોષ 70 વર્ષ ની વયે મૃત્યુ પામ્યા છે આ અંગે ના સમાચાર શારીબ હાશ્મીએ આપી હતી. શારિબ હાશ્મી એ સલીમ ઘોષ ના ફોટો શેર કરતા શોક વ્યક્ત કરયો હતો. અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. સલીમ ઘોષ ના બૉલીવુડ સફર ની વાત કરીએ તો તેને ઘણા બધા ફિલ્મો માં કામ કરેલું છે તેમનો અવાજ ખુબ જ સુંદર હતો. તેણે ‘મંથન’, ‘કલયુગ’, ‘ચક્ર’, ‘સારંશ’, ‘મોહન જોશી હાજીર હો’, ‘ત્રિકલ’, ‘આઘાત’, ‘દ્રોહી’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે.

સલીમ ઘોષ બૉલીવુડ ના પ્રખ્યાત કલાકારો માના એક કલાકાર છે. તેણે ઘણા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. સલીમ ઘોષે વર્ષ 1978માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે સ્વર્ગ હેલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે ચરખા, સરંશ અને મોહન જોશી ઝહિર હો જેવી ઘણી ફિલ્મોમાં તૅમનૉ અભિનય જોવા મળ્યો હતો.

તેમનું યોગદાન માત્ર ફિલ્મો માં જ નહિ પણ સિરિયલો માં પણ જોવા મળે છે. સલીમ ઘોષ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો પણ જાણીતો ચહેરો છે. તેઓએ શ્યામ બેનેગલની ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’માં રામ, કૃષ્ણ અને ટીપુ સુલતાનની ભૂમિકા ભજવી હતી. તે સિટકોમ વાગલે કી દુનિયા (1988) નો પણ એક ભાગ હતો. સલીમ ગૌસ સાથેના કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટનો પણ ભાગ રહ્યો હતો જેમાં ‘કિમ’, ‘ધ પરફેક્ટ મર્ડર’, ‘ધ ડિસીવર્સ’, ‘ધ મહારાજા ડોટર’ અને ‘ગેટિંગ પર્સનલ’નો સમાવેશ થાય છે. આમ સલીમ ઘોષ ના જવાથી બૉલીવુડ ને ઘણી ખોટ પડી છે.

Categories
India

ભોજપુરી સિંગર શિલ્પી રાજ નો વાયરલ થયો ખોટો એમએમએસ. જાણો શું છે સમગ્ર ઘટના.

એમએમએસ લીક થયા ની ઘટના ભારત મા ઘણીવાર બનતી હોય છે. જેમાં ઘણી વાર ખોટા લોકો ફસાય જતા હોય છે. ઘણી વાર કોઈ વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ ને બદનામ કારવા માટે આવી ઘટના બનતી હોય છે. તેવી જ એક ઘટના ઉત્તરપ્રદેશ થી સામે આવી છે જેમા ભોજપુરી સિંગર શિલ્પી રાજ નામની વ્યક્તિ સાથે આ ઘટના બની છે. તેમના નામનો ખોટો એમએમએસ બનાવીને વાયરલ થવાની ઘટના સામે આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી શિલ્પી રાજ ભોજપુરી ઉદ્યોગમાં તેનું જાણીતું નામ છે. તેણે પવન સિંહ, ખેસારી લાલ યાદવ, અરવિંદ અકેલા જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે કહે છે કે તે ભોજપુરીમાં સારું કામ કરી રહી છે અને તેને મુવી મા સારા ગીતો પણ મળી રહ્યા છે. હાલમાં તેનો એમએમએસ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને વાયરલ વિડીયો બાબતે તેના ફેન્સ ને જણાવ્યું હતું કે આ વીડિયો તેનો નથી. અને તેણે તેના ફેન્સ ને આ વિડીયો વાયરલ ન કરવા કહ્યું હતું.

આ વિવાદ બાદ શિલ્પીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરી અને ઘણા સવાલોના જવાબ આપ્યા. તેને ક્યુ કે, ‘એમએમએસમાં દેખાતી છોકરી તે તે નથી. તેને વધુમાં કહ્યું કે આ બધું તેને બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેને કહ્યું કે તેને વિડીયો જોયો પણ નથી અને તે વિડીયો તેણીનો છે પણ નહિ. આ બાબતે તેને પૂછવામાં આવ્યુ કે તેને કોણ બદનામ કરી શકે ત્યારે તેને જવાબ આપ્યો કે સ્પષ્ટ કહી નો શકે કારણકે તે પોતાના કેરિયર માં આગળ વધે તે કોઈ ને પસંદ નો હોય તે માટે કોઈ ના દ્વારા આ કાવતરું કરેલું છે. તેને વધુમાં જણાવ્યુંય હતું કે,અત્યારે કોઈ નું પણ નામ લેવું તે બરાબર ન કહેવાય તેવું તેને તેના ઇન્ટરવ્યૂ મા જણાવ્યું હતું. આ અંગે હવે પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુમાં તેને જણાવ્યું હતું કે આ બાબતે તેને કોર્ટ માં કેસ દાખલ કરેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ત્રણ લોકો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં એક શિલ્પી છે જ્યારે બીજો તેનો બોયફ્રેન્ડ છે. આ સિવાય અન્ય એક વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પી તેના બોયફ્રેન્ડ સાથે ઈન્ટિમેટ થઈ રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સિંગર જે છોકરા સાથે ઈન્ટિમેટ થઈ હતી તેનું નામ વિજય ચૌહાણ છે. વિડિયોમાં છોકરાઓએ તેમના ચહેરાને ઢાંકી દીધા છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ તેણે તેના ફેન્સને પણ તેને શેર ન કરવાની અપીલ કરી હતી.

Categories
India

ઉત્તરપ્રદેશ- ભાજપની જિલ્લા પંચાયત સભ્ય શ્વેતા સિંહ ગૌર એ કરી આત્મહત્યા. કારણ જાણી ને તમે પણ ચોંકી ઉઠશે.

અત્યાર ના ભારત મા હજુ ઘણા એવા લોકો છે કે જૂની પરંપરાઓ ને વળગી ને જીવન જીવે છે. અને અમુક ખોટી માન્યતાઓ સાથે જીવન જીવતા નજરે ચડે છે. અમુક વર્ગ એવો છે કે જે શિક્ષિત હોવા છતાં આવા અમુક રૂઢિચુસ્ત ખ્યાલો સાથે જીવન જીવી રહ્યો છે. અને આજના ભારત મા એવા અમુક કિસ્સાઓ સામે આવતા જ હોય છે. એવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશ જિલ્લા નો સામે આવ્યો છે.

ઉત્તરપ્રદેશ ના બાંદા જિલ્લામાં રહેવાવાળી ભાજપની જિલ્લા પંચાયત સભ્ય શ્વેતા સિંહ ગૌર. શ્વેતા સિંહ ગૌર ને ત્રણ પુત્રીઓ છે તેના પતિ નું નામ દીપક સિંહ ગૌર અને સસરા આરબી સિંહ કે જે રિટાયર્ડ ડીઆઈજી છે. આ ઘટના મા સ્વેતા સિંહ ગૌર ને ત્રણ દીકરીઓ હોય તેના પતિ તેના સસરા ને દીકરો જોતો હોય અને તેને આ બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું. અને સ્વેતા સિંહે આખરે ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો.

સ્વેતા સિંહ ની ત્રણ દીકરીઓ ના નિવેદન મા જાણવા મળ્યું કે, તેના પિતા તેના દાદા તેની માતા ને દરરોજ મેણાં ટોણા મારતા હતા અને કહેતા હતા કે આને છૂટાછેડા આપી દો. અને તેના પુત્ર ને બીજા લગ્ન જરવા કહ્યું હતું. બાદ માં સ્વૈતા સિંહ આ વાત થી કંટાળી ગયા હોય તેને આ પગલું ભર્યું હતું. સ્વેતા સિંહે આ બાબતે પોતાની માતા ને ન્યાય મળે તે માટે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ ને અરજીઓ કરી હતી. ગુરુવારે સવારે, શ્વેતાના પરિવારના સભ્યોએ તેના પતિ સહિત તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો.

દરમિયાન મા ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્યની હાજરીમાં બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી. શ્વેતાના મામાના સંબંધીઓ આ શરતે અંતિમ સંસ્કાર કરવા માટે સંમત થયા જ્યારે શ્વેતાના સસરા, નિવૃત્ત ડીઆઈજી આરબી સિંહે દીપકને ખાતરી આપી કે અડધી મિલકત ત્રણેય પુત્રીઓના નામે રહેશે. આ પછી શ્વેતાના હરદૌલી ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ હાજર હતો.

શ્વેતા સિંહ પિતા ધરમવીર સિંહે કોતવાલી પોલીસમાં ફરિયાદ કરી છે. તેના આધારે પોલીસે શ્વેતાના પતિ દીપક સિંહ ગૌર અને સસરા રિટાયર્ડ ડીઆઈજી આરબી સિંહ સહિત સાસુ અને વહુ વિરુદ્ધ હત્યા અને દહેજ એક્ટની કલમો હેઠળ રિપોર્ટ નોંધ્યો છે. 498A IPC અને 3/4 દહેજ ધારાની કલમ 302 સહિત આરોપીઓ સામે નોંધવામાં આવી છે. અને પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Categories
India

પુણે- અકસ્માત મા કાર ચાલાક ની ઘોર બેદરકારી નો ભોગ એક નિર્દોષ વ્યક્તિ બન્યો. વ્યક્તિનું ઘટના સ્થળે જ થયું મૃત્યુ.

અકસ્માત અને હિટ એન્ડ રન ની ઘટના ખુબ જ વધુ પ્રમાણ માં સામે આવતી હોય છે. આવી ઘટના મા કોઈ ને કોઈ બેકસૂરવાર વ્યક્તિ મોત નીપજતું જ હોય છે. કોઈ ની બેદરકારી નો ભોગ કોઈ બેકસુરવાર બને છે . એવી જ એક ઘટના પુણે થી સામે આવી છે. જેમાં રસ્તા પર સુતા વ્યક્તિ આનો ભોગ બની જાય છે.

મહારાષ્ટ્ર ના પુણે માંથી આ ઘટના નો વિડીયો સામે આવ્યો છે જેમાં પુણે ના પોષ માર્કેટ યાર્ડ મા આવેલા રોડ ની બાજુમાં એક વ્યક્તિ સૂતેલો હોય છે. તે દરમિયાન તેની પાસે ઉભી રહેલી એક એસયુવી કાર આવીને તે સુતેલા શખ્સ પર કાર ચડાવીને ચાલ્યો જાય છે અને તે યુવક નું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે. કાર ચાલક ની આવી ઘોર બેદરકારી નો ભોગ આ યુવક બને છે. કાર ચાલક બાદ મા ત્યાંથી ફરાર થઈ જાય છે. કાર ચાલાક ની કાર ના પૈડાં ની વચ્ચે તે યુવક નું માથું આવી જાય છે.

આ ઘટના મા મૃત્યુ પામનાર વ્યક્તિ પાસે થી ઓળખના કોઈ આધાર પુરાવા મળી આવિયા નથી. આ ઘટના નો આખો વિડીયો ત્યાં આવેલી એક કરિયાણાની દુકાન મા લાગેલા સીસીટીવી કેમેરા મા કેદ થય જાય છે. જેમાં સુતેલ વ્યક્તિ ની બાજુમાં એક કૂતરો પણ જોવા મળે છે. અને ભોગબનનાર વ્યક્તિ નશા ની હાલત મા હોય તેવું સામે આવ્યું છે. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસે આ અંગે ગુનો નોંધી કારચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસ ની તાપસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.કંબલે એ જણાવ્યું હતું કે કારચાલક વિરૃદ્ધ આઇપીસી કલમ 279, 304(A)(બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 134, 187 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તપાસ કરી રહેલા પોલીસે કહ્યું હતું કે ઘટના સ્થળ ની આગળ કે તે વિસ્તાર માં લાગેલા વીસ થી વધુ સીસીટીવી કેમેરા ની તપાસ કરવામાં આવી હતી બાદ માં તેમાથી ગાડી નો નંબર અને ગાડી ના મોડેલ ની જાણ થઈ હતી. તે કારચાલક ઝડપથી પકડાય જાય તે માટે પોલીસે નિવેદન આપ્યું હતું.

Categories
India

બૉલીવુડ ની આ સ્ટાર ની કાર ને નડ્યો અકસ્માત. કાર દુર્ઘટના દરમિયાન તેને થઈ ઈજાઓ અને હોસ્પિટલ મા એડમિટ. જુઓ ફોટા.

એકસીડન્ટ થવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે. કારચાલક કાબુ ગુમાવતા એક્સીડંટ ની ઘટના થતી હોય છે. એવી જ એક એક્સીડંટ ની ઘટના મુંબઈ થી સામે આવી છે. જેમાં બૉલીવુડ ની હસ્તી એવી મલાઈકા ની કાર ને એકસીડન્ટ નડ્યો છે.

મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જોવા મળી હતી. આ શોમાં શિલ્પા શેટ્ટી જજ છે, પરંતુ શિલ્પા બે એપિસોડ આવી શકે તેમ નહોતી, એટલે મલાઈકા આવી હતી. મલાઈકા પુણે ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. દરમિયાન માં પરત ફરતી વખતે તેની કાર ને મુંબઈ નજીક પનવેલ વિસ્તાર મા અકસ્માત નડ્યો હતો. મલાઈકાના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવી બેસતા અકસ્માત થયો હતો. આ દિવસે ગુડી પડવો હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું હતું.

આ દિવસે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓ મુંબઈમાં આવ્યા હતા. આ કાર્યકર્તાઓને લીધે મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જે દરમિયાન પનવેલ નજીક અચાનક ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક કાર મલાઈકા ની કાર રેન્જ રોવર હતી. અકસ્માત દરમિયાન મલાઈકાના માથામાં ઈજા થઈ હતી. તેથી તેને અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

રવિવાર, 3 એપ્રિલના રોજ સવારે મલાઈકાને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. તેના એક નજીક ના મિત્ર તરફથી જાણવા મળ્યું કે મલાઈકા અકસ્માત થયો તે સમયે એકદમ ડરી ગઈ હતી. અને વધુમા જાણવા મળ્યું હતું કે, મલાઈકાના મલાઈકાને માથામાં થોડાંક ટાંકા આવ્યા હતા. તેને માથામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી, કારણ કે મલાઈકા રેન્જ રોવર કારમાં માથા પર કુશન રાખીને આરામ કરતી હતી. માથા આગળ કુશન હોવાથી તેને ગંભીર ઈજા થઈ નહોતી.

તે દરમિયાન આખી રાત મલાઈકાને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે. CT સ્કેન પણ કરવામાં આવ્યો હતો. મલાઈકા ને માથામાં સામાન્ય ઈજા થઈ હતી. ઈલાજ બાદ તેને સવારે ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

Categories
India

બૉલીવુડ સ્ટાર મૌસુમી ચેટર્જી એ કરી તેના 74 મા જન્મદિવસ ની ઉજવણી.

બૉલીવુડ માના ઘણા બધા એક્ટર અને એક્ટ્રેસ પોતાનું ખુબ જ ઊંચું નામ કમાય ચુક્યા છે. ઘણા કલાકારો એવા છે કે તેને બોલોવુડ મા અવવા માટે ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડ્યો છે. બધા કલાકારો ની પોતપોતાની અલગ જ કહાની હોય છે. એવા જ એક બોલોવુડ ના જુના કલાકાર જાણીતા હેરોઇન મૌસમી ચેટર્જી. મૌસુમી ચેટર્જી ને આજના જમાના માં બહુ જ ઓછા લોકો ઓળખતા હશે.

મૌસુમી ચેટર્જી એ બૉલીવુડ મા તેના જમાનાની એક સફળ હીરોઇન હતી તેને કેટલીય હિટ સુપરસ્ટાર ફિલ્મો માં કામ કરેલું છે. તેને ઘણી જ ફિલ્મો માં લીડ રોલ પણ કરેલા છે. મૌસુમી ચેટર્જી એ બૉલીવુડ ના હીરો એવા અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શશિ કપૂર, જિતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું હતું. તેણે મંઝીલ, અનુરાગ, રોટી કપડા ઔર મકાન, પ્યાસા સાવન, ઘર એક મંદિર, પ્યાસા સાવન સહિત ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

મૌસુમી ચેટર્જી એ માત્ર 16 વર્ષ ની ઉંમરે બંગાળી ફિલ્મ ‘બાલિકા બધુ’થી ડેબ્યૂ કર્યું હતું. અને તેને પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી. મૌસુમી ચેટર્જીએ લગ્ન પછી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મૌસુમી ચેટર્જી હાલ ખાસ ચર્ચા માં જોવા મળે છે કારણ કે મૌસુમી ચેટર્જી એ તાજેતર માં જ તેના 74 મા જન્મદિવસ ની ઉજવણી કરી હતી. મૌસુમી ચેટર્જી ની એક ખાસ વાત દરેક મુવી મા જોવા મળે છે તે વાત એ છે કે તેને ક્યારેય મુવી મા ગ્લિસરીન નો ઉપયોગ કરેલો નથી.

એટલે કે મુવી દરમિયાન એવા કોઈ રડવા ના સીન કરવામાં આવે ત્યારે રડવા માટે ગ્લિસરીન નો ઉપયોગ કરવાંમાં આવતો હોય છે. પણ મૌસુમી ચેટર્જી એ મુવી ના રડવા અને સીન દરમિયાન એકેય વાર તેનો ઉપયોગ કરતા ન હતા તે જયારે આવા સીન કરતા ત્યારે તેને અંદર થી જ રડવાની ફીલિંગ આવી જતી હતી અને તે આવા સીન સહજ રીતે કરી શકતા હતા.

મૌસુમી ચેટર્જી વચ્ચે પણ એક વાર ચર્ચા માં જોવા મળે છે. મૌસુમી ચેટર્જી એ તેના જમાઈ વિરૃદ્ધ એક વાર કેસ કરેલો ચર્ચા માં આવ્યું હતું કારણકે મૌસુમી ચેટર્જી ની દીકરી પાયલ સિંહા ને ડાયાબિટીશ ની બીમારી હોય તેની પુત્રી નું 2019 માં અવસાન થઈ ગયું હતું. બાદ મા મૌસુમી ચેટર્જી તેના જમાઈ પર બેદરકારી ના રિઓપ લગાવ્યા હતા. અને તેણે તેના જમાઈ સામે કેસ દાખલ કર્યો હતો. મૌસુમી ચેટર્જીના જમાઈએ સાસુ પર મોટા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે પાયલના મૃત્યુ બાદ મૌસુમી ચેટર્જી તેને મળવા પણ ન આવી અને ન તો તેણે અંતિમ સંસ્કારમાં હાજરી આપી. માત્ર મૌસુમી ચેટર્જીની બીજી પુત્રી અને તેના પતિએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

Categories
India

તામિલનાડુ- મીનાક્ષી મંદિર. શું તમે જાણો છો આ મંદિર મા કોની પૂજા થાય છે? આ મંદિર કેટલા વર્ષો જૂનું છે? શું છે મંદિર નો ઇતિહાસ?

ભારત દેશ અતિપ્રાચીન કાલથી વિવિધ સંસ્કૃતિઓ નો દેશ રહ્યો છે. ભારત માં બધા જ રાજ્યો મા અતિ પૌરાણિક મંદિરો આવેલા છે જે મંદિરો નું કોતરણી કામ જોઈ ને સૌ કોઈ સ્તબ્દ્ધ રહી જાય છે. ખાસ તો દક્ષિણ ભારત મા ખુબ જ અતિપ્રાચીન મંદિર આવેલા છે. બધા મંદિરો ની સાથે કોઈને કોઈ પૌરાણિક કથાઓ જોડાયેલી જ હોય છે. એવું જ દક્ષિણ ભારત મા આવેલું મંદીર જે ભક્તો માટે ફરીથી ખોલવાંમાં આવી રહ્યું છે.

તામિલનાડુ મા આવેલું મીનાક્ષી મંદિર અતિપ્રચીન મંદિરોમાંનું એક છે જે કોરોના મહામારીને કારણે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું જેને ફરીથી ભકતો માટે ખોલવામાં આવશે. મીનાક્ષી મંદિર માં માતા મીનાક્ષી દેવી ની પૂજા કરવામાં આવે છે. મીનાક્ષી એટલે માતા પાર્વતી નો અવતાર. આ મંદિર વિશ્વ ની સાત અજાયબીઓ માનું એક છે. આ મંદિર સાથે શિવ અને પાર્વતી માતા ની કથા સંકળાયેલી છે. હિન્દૂ પૌરાણિકે કથા અનુસાર શિવ ભગવાન સુંદરેશ્વર ના રૂપ મા પંડ્યા રાજા મલયધ્વજ ની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે લગ્ન કરવા માટે મદુરાઈ માં આવ્યા હતા.

કથા અનુસાર પંડ્યા રાજા મલયધ્વજ ની આકરી તપસ્યા ને અંતે દેવી પાર્વતી એ તેમના ઘરે તેમની પુત્રી ના રૂપ મા અવતાર લીધો હતો. ત્યારબાદ ભગવાન શિવ ત્યાં આવીને તેમની પુત્રી મીનાક્ષી સાથે પરણવા માટે નો પ્રસ્તાવ મૂકે છે. તે લગ્ન ના પ્રસ્તાવ નો સ્વીકાર કરીને માતા મીનાક્ષી ના લગ્ન ભગવાન શિવ સાથે કરાવે છે. આ રીતે માતા મીનાક્ષી ને તામિલનાડુ મા મા મીનાક્ષી અમ્મા ના રૂપ માં પૂજા કરવામાં આવે છે. મંદિર ની વાત કરી એ તો આ મંદિર 17 મી સદી નું છે મંદિર મા આઠ સ્તંભો મા લક્ષ્મીજી ની આઠ મૂર્તિઓ મુકવામાં આવેલી છે.અને ભગવાન ની કથા ત્યાં કોતરાવવામાં આવેલી છે.

મંદિર માછલી ની આંખો ના રૂપ માં સમર્પિત છે માછલી પંડયા રાજાઓ નું પ્રતીક છે. મંદિર નું ગર્ભગૃહ 3500 વર્ષ જનુ છે. આ મંદિર માં 12 ઊંચા ગોપુરમ આવેલા છે. આ મંદિર ના ઇતીહાસ નું વર્ણન તમિલ સાહિત્ય માં જોવા મળે છે. આ મંદિર કોરોના ના કારણે બંધ હોય હવે સોમવાર થી પાછું ભક્તો માટે ખોલવામાં આવી રહ્યું છે. જેના માટે મંદિર પ્રશાશન દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે મંદિર માં માસ્ક સાથે જ પ્રવેશવા દેવાંમાં આવશો અને સાથે સોસીયલ ડિસ્ટન્સ નું પાલન થવું જરૂરી છે. ભક્તો ને તાત્કાલિક દર્શન માટે 100 થી 50 રૂપિયા ની ટિકટ લઈને સાઉથ ટાવર દ્વારા પ્રવેશ મળશે બાકી ના ભક્તો ને માત્ર પૂર્વીય પ્રવેશ થી જ પ્રવેશ આપવામાં આવશો.

અને 10-વર્ષ થી ઓછી ઉમર ના બાળકો 65-વર્ષ થી મોટી ઉમર ના લોકો અને સગર્ભા મહિલા ને પ્રવેશ મળશે નહિ. મંદિર સોમવાર થી સવારે 6 વાગ્યા થી બપોરે 12:30 સુધી અને સાંજે 4 વાગ્યા થી 8 સુધી દર્શન માટે ખુલ્લું રહેશો.

Categories
Gujarat

કેરી ના રસિયાઓ માટે સમાચાર. કેરી ના પહેલા બોક્સ ના ભાવ 16000 રૂપિયા!!!

ઉનાળા ની સિજન થતા જ લોકો ને પ્રિય ફળ એવી કેરી ની રાહ જોતા હોય છે. જેમ જેમ ગરમી નો પારો ઊંચો જાય તેમ આંબે લટકતી કાંચી કેરી સંપૂર્ણ પાકલ અવસ્થામાં આવી જાય છે ત્યારબાદ કેરી ની એન્ટ્રી બજાર મા થતી હોય છે. હાલમાં કેરી ના રસિયાઓ માટે સારા સમાચાર છે કે ગીર ના તાલાલા ના માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરી વહેંચાવા માટે આવી ગઈ છે. ગયા વર્ષે તોઉંકતે વાવાઝોડા ને લીધે કેરી નો ઘણોખરો પાક નિષ્ફળ ગયો હતો ખાસ કરીને ગીર, અમરેલી, જૂનાગઢ જેવા કેરી પકવતા જિલ્લાઓમાં ખુબ જ ભારે નુકશાન થયું હતું. તેથી ગયા વર્ષે કેરી ના ભાવ પણ ખુબ જ ઊંચા હતા.

આ વર્ષે થોડાક સમય પહેલા જ ગુજરાત મા માવઠા ની આગાહી હતી જે દરમિયાન ગીર અમરેલી ના અમુકે કેરી પકવતા ગામોમા વરસાદ ના જાપટા પણ પડ્યા હતા. તે દરમિયાન ખેડૂતો ને થોડું ઘણું નુકશાન કેરી ના પાક ને થયું હતું. માવઠા ની અસર કેરી ના પાક મા થાય તેથી આ વખતે પણ કેરી ના ભાવ વધુ રહે તેવી સંભાવનાઓ સેવાય રહી છે.આ વખતે બહાર થી કેરી ગુજરાત માં આવવાની પણ સંભાવનાઓ ખુબ જ ઓછી છે. પહેલા દરેક બગીચામાંથી 300-400 બોક્સ હરાજી માટે બજાર માં આવતા હતા આ વખતે અત્યારે માત્ર 15-60 બોક્સ જ હરાજી માં આવ્યા છે.

ગીર માં કેરી નો પાક લેતા ખેડૂતો માથે ખુબ જ મહામુસીબત આવી પડે તેમ છે કારણકે, શરૂઆત માં તે લોકો એ કેરી ના પાક મા 15-લાખ જેટલી રકમ ઉપજશો તેમ હતું હવે આ માવઠા ની અસર ને લઈને માત્ર 5-લાખ જ ઈજારો થાય તેવી ચિંતા સેવાઇ રહી છે. હાલમાં કેસરના એક બોક્સનો ભાવ 800, 1200 અને મહત્તમ 1500 રૂપિયા આવી રહ્યો છે. ઇજારદારો ને જો પોતાની મૂડી ઉભી કરવી હોય તો કેરી ના એક બોક્સ ની અંદાજિત કિંમત 1500-2000 સુધી રાખે તો જ તે લોકો ને ઈજારો થાય તેવી સંભાવનાઓ છે. આ વખતે 15-જૂન સુધી કેરી ની સીઝન ચલાવે તેવી સંભાવનાઓ છે એટલે કે કેરી ની સીઝન આ વખતે લાંબી ચાલે તેવી સમભાવનો છે.

તાજેતર માં જ એમએલએ વિમલ ચુડાસમા એ તાલાલા માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત લીઘી હતી અને તેને ખેડૂતો સાથે વાત કરી હતી. વધુમાં તેને ખેડૂતો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ખેડૂતો છેલ્લા 5-વર્ષ થી બાગાયતી પાકો જેવા કે ચીકુ, કેરી વગેરે માં કોઈને કોઈ કારણોસર નુકશાન ભોગવતા આવ્યા છે. વિમલ ચુડાસમા સોમનાથ વિસ્તાર ના ધારાસભ્ય હોય તેને આ બાગાયતી પાકો ને પાક વીમા માં આવરી લેવાય તે માટે ધારાસભા માંરજૂઆત કરી હતી. અને તેને “ગૌશાળા” ના લાભાર્થે 16-હજાર રૂપિયા માં કેરી નું એક બોક્સ ખરીદ્યું હતું. આ સાથે કેરી રસિયાઓ એ કેરી ના સ્વાદ માટે ખુબ જ મોટી કિંમત ચૂકવવી પડે તેવું લાગી રહ્યું છે.

Categories
Gujarat

છોટાઉદેપુર- મોડેલ એશ્રા પટેલ પર સરપંચ અને તેના પતિ-પુત્ર દ્વારા કરાયેલ જીવલેણ હુમલો.

તાજેતર મા મોડેલ એશ્રા પટેલ પર હુમલા ની ઘટના બહાર આવેલી છે. જેમાં છોટાઉદેપુર ના સંખેડા તાલુકાના કાવીઠા ગામની ગ્રામસભાના લોકો, સરપંચ અને તેના પુત્ર દ્વારા એશ્રા પર જીવલેણ હુમલો કરવામાં કરવામાં આવ્યો હતો. જે બાબતે એશ્રા પટેલ દ્વારા તમામ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.એશ્રા પટેલે પાણી અને આવાસ બનાવવા બાબતે કાવિઠા ગ્રામપંતાયતના ઝાભ, ચંદાનગર અને કાવિઠા ગામમાં જરૂરિયાતમંદ ગરીબ લોકોને આવાસ મળે એવી મેં રજૂઆત કરી હતી.

એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામ માં ગ્રામપંચાયત ની ચૂંટણીમાં હારી ગયા હતા. જેમા તેની હાર થતા એશ્રા એ તેના વિરોધી ઉમેદવારે તેના પર હુમલો કરવા બાબતે ફરિયાદ કરી હતી. હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનુભાઇએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં મોડેલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અત્યારે એશ્રા પટેલ સંખેડા ના ગામ કાવીઠા ની ગ્રામપંચાયત મા પાણી બાંબતે ફરિયાદ કરવા માટે ગયા હતા. સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતા. એ સમયે ગામમાં 6 પાણીનાં ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપ્યાં છે અને બીજાં બગડેલાં છે. જે બાબતે તે દરમિયાન સરપંચ અને તેના લોકો વિરુદ્ધ એશ્રા પટેલ ની બોલાચાલી થતા મામલો ઉંચકીયો હતો.

જે દરમિયાન એશ્રા પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન કૈલાસબેન નાયક અને બીજા લોકો મને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. અને તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાદ માં એશ્રા પટેલે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ક્યુ કે સરપંચ અને તેના પુત્ર દ્વારા તેને ની:વસ્ત્ર કરવાની ની કોશિશ કરવા માટે તેની ઓઢણી ખેંચવામાં આવી હતી. અને તમને મહાનુભાવો ર્ડોક્ટર બાબાસાહેબ ના જન્મદિવસ ની ઉજવણી માટે કહેવામાં આવ્યું હતું તે દરમિયાન માં સરપંચ દ્વારા તેની પરમિશન પણ નોતી મળી.

અને તેણે કહ્યું કે ડો. બાબાસાહેબ આંબેડકર ઊજળિયાતોને નથી પસંદ, જેના જવાબમાં એશ્રા પટેલે કહ્યું હતું કે તમે ઊજળિયાતોનું કેમ ખોટું બોલો છો અને હવો ગાંધીજયંતી આવી રહી છે, તો તમે કેમ વિરોધ કરો છો, એમ કહેતાં મનુભાઇએ કહ્યું હતું કે તું માપમાં રે, નહીં તો તને જોઇ લઇશ. એશ્રા પટેલે કહ્યું હતું કે ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યા છે. તેમનો વિરોધ કેમ? એમ કહેતાં મનુભાઇ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને મનુભાઇ, તેમનાં પત્ની જ્યોતિબેન ઊભાં થઇને એશ્રા પટેલને મારવા માટે ધસી ગયાં હતાં. આ બાબતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.