એકતરફી પ્રેમ માં પાગલ યુવાને યુવતી ને જીવતી સળગાવી યુવતી નું છેલ્લું નિવેદન સાંભળી ધ્રુજી જશે જુઓ વિડીયો.
આપણા ભારતમાંથી અને ગુજરાતમાંથી રોજબરોજ એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય કે આપણે સાંભળીને હચમચી જતા હોઈએ. થોડા મહિના પહેલા જ આપણા ગુજરાતના સુરત શહેરમાંથી એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવાને એક યુવતીને ભર બજારે છરી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. એવો જ એક કિસ્સો હાલ આપણી સમક્ષ આવેલો છે.
જેમાં 17 વર્ષની એક સગીરા ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. તેના પ્રેમમાં એક તરફી પાગલ યુવાને તેને એવો દર્દનાક મોત આપ્યો કે જાણીને તમે પણ હચમચી જશે. આ ઘટના દૂમકાની છે દૂમકામાં રહેતી અંકિતા કે જે ધોરણ 12 માં અભ્યાસ કરતી એના પ્રેમમાં પાગલ શાહરૂખ નામના યુવાને તેના ઉપર પેટ્રોલ નાખીને તેને જીવતી સળગાવી દીધી હતી. આ શાહરૂખ નામના યુવાને તેને પેટ્રોલ નાખીને સળગાવી ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં તેને શાહરૂખ ને સજાની માંગ કરી હતી. બાદમાં તેનું મૃત્યુ નીપજી ગયું હતું. જ્યારે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી ત્યારે તેણે તેનું છેલ્લું નિવેદન મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેને કહ્યું કે સોમવારે રાત્રે તેને તેના પિતાને શાહરુખના આ ઘટનાની વાત કરી હતી ત્યારે તેના પિતાએ કહ્યું હતું કે તે શાહરૂખ નામના યુવાનને સવારે જોઈ લેશો. આ નિવેદન નોંધાવ્યું હતું. યુવતી કહે છે કે હું જે રીતે મરી રહી છું તેવી જ સજા શાહરૂખને પણ મળવી જોઈએ. યુવતી ના પ્રેમમાં એક તરફી પાગલ શાહરૂખે 23 ઓગસ્ટના રોજ અંકિતા ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી.
जैसे हम मर रहें हैं वैसे ही #शाहरुख़ को भी तड़प कर मरना चाहिए: #झारखंड की #अंकिता के आख़िरी शब्द #दुमका #झारखंड #dumka#शाहरुख_को_फांसी_दो pic.twitter.com/J4uBsgdXdj
— Dinesh Panwar (@dinumali159924) August 30, 2022
ત્યારબાદ અંકિતાનું શરીર 90% દાઝી ગયું હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં શાહરૂખ અને તેના મિત્ર છોટુ ખાનની પોલીસે ધરપકડ કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ જીવ વયો જતા હાલ અનેક શહેરોમાં હિન્દુ સંગઠનો આ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથોસાથ યુવતીની અંતિમ વિધિમાં ડીએસપી વિજયકુમાર અને ઘણા ઊંચા અધિકારીઓ અંકિતા ની અંતિમ વિધિમાં હાજર રહ્યા હતા. સાથો સાથ ધુમકા આવાસમાં પોલીસે કલમ 144 લાગુ કરી દીધી હતી. લોકો આ યુવતી નો છેલ્લો વિડિયો જોઈને હચ મચી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!