દિલ્લીમાં એક મીઠાઈ ની દુકાન માં થયો ગોળીબાર જેને કારણે પોલીસે કર્યું……
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ સમગ્ર દેશમાં તહેવારો નો સમય ચાલી રહ્યો છે. સૌ કોઈ આ તહેવાર ને વધુ ને વધુ સારી રીતે ઉજવવા માટે અનેક વસ્તુઓ કરી રહ્યા છે તહેવાર ના કારણે લોકોમાં ઘણોજ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ સમાજ માં એવા પણ અમુક લોકો છે કે જે આવા સમયે પણ લોકોમાં દર અને ભઈ નો માહોલ ફેલાવવમાં લાગ્યા છે.
તેવો જ એક બનાવ હાલ દિલ્હી માંથી સામે આવી રહ્યો છે. અહીં બે બદમાશો એ એક મીઠાઈ ની દુકાનમાં જઈને ગોળીબારી કરી છે. તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. મિત્રો મળતી માહિતી અનુસાર આ બનાવ દિલ્લીના નજફ ગઢ માં થઇ છે. અહીં આવેલી એક મીઠાઈ ની દુકાન કે જેનું નામ મિત્તલ સ્વીટ્સ છે કે જે નજફ ગઢ ના છાવલા સ્ટેન્ડ પાસે આવેલ છે. ત્યાં બે બદમાશો એ ગોળી બારી કરી હતી. જોકે આ ગોળીબારી માં કોઈ જાનહાની ની માહિતી હજુ સુધી મળી નથી.
જો વાત આ દુકાન ના માલિકે જણાવેલ વિગતો અંગે કરીએ તો સામાન્ય દિવસો ની જેમ તે દિવસે લોકો ની ભીડ તેમની દુકાનમાં હતી તેવામાં બે વ્યક્તિઓ કે જેમણે ગમછો અને માસ્ક પહેર્યા હતા. તેઓ તેમના કાઉન્ટર પાસે આવ્યા અને ગોળીબારી કરી. જેને કારણે ત્યાં અફરા તફરી મચી ગઈ હતી, અને આ બંને વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવ અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તાપસ શરૂ કરી. તેમણે સીસીટીવી ની મદદ થી આ બંને વ્યક્તિઓ ની ઓળખ કરી અને હરિયાણા પોલીસને આ બંને વ્યક્તિઓ ઝજ્જર જશે તેવી આશંકા વ્યક્ત કરી. ત્યાર બાદ પોલીસે આ બંને વ્યક્તિને પકડી પડ્યા છે તેમાંથી એક વ્યક્તિ નું નામ સોનુ જયારે બીજી વ્યક્તિનું નામ અર્જુન છે તેવું જાણવા મળ્યું હતું આ બંને વ્યક્તિઓ નંદુ ગેંગ માટે કામ કરે છે તેમ જાણવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!