EntertainmentIndia

શું ખરેખર મલાઈકા અરોરા ના પુત્ર ને માતા મલાઈકા અરોરા પસંદ નથી? મલાઈકા અરોરા એ પુત્ર વિશે એવી વાત કહી કે…

Spread the love

બૉલીવુડ ની સ્ટાર અભિનેત્રી એવી મલાઈકા અરોરા પોતાની પર્સનલ જીવન ને લીધે ઘણી બધી ચર્ચા માં રહેતી હોય છે. મલાઈકા અરોરા પોતાના ફિટનેસ ઉપર ઘણું બધું ધ્યાન આપતી જોવા મળે છે. મલાઈકા અરોરા ના લગ્ન 1998 માં અભિનેતા અરબાઝ ખાન સાથે થયા હતા. અરબાઝ અને મલાઈકા અરોરા ની મુલાકાત 1993 માં થઇ હતી. બન્ને પ્રથમ વાર એક કાર્યક્રમ માં મળ્યા હતા. ત્યારથી એકબીજા ને પસંદ કરવા લાગ્યા હતા.

બન્ને ત્યારથી જ એકબીજા ની નજીક આવ્યા હતા. બન્ને એકબીજા ને ડેટ કરતા હતા. લગભગ 5-વર્ષ સુધી બન્ને એકબીજા ને ડેટ કરતા હતા. અને બાદ માં 1998 માં બન્ને એ લગ્ન કર્યા. બન્ને એ પોતપોતાના ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મલાઈકા અરોરા એ પુત્ર ને જન્મ આપ્યો હતો. બન્ને એ પોતાના પુત્ર નું નામ અરહાન ખાન રાખ્યું હતું. અરહાન ખાન નો જન્મ 2002 માં થયો હતો.

જે 19 વર્ષ નો થયો છે. મલાઈકા અરોરા અને અરબાઝ બન્ને લગ્ન ના 19 વર્ષ બાદ અલગ થઇ ગયા હતા. અને વર્ષ 2017 માં બન્ને એ લગ્ન તોડી નાખ્યા હતા. બન્ને એ તલાક લઇ લીધું અને અલગ થઇ ગયા. તલાક બાદ પુત્ર ની જવાબદારી મલાઈકા અરોરા ને મળી હતી. મલાઈકા અરોરા હાલ માં પણ પોતાના પુત્ર સાથે જ રહે છે. હાલમાં જ મલાઈકા અરોરા એ તેના પુત્ર ને લઇ ને એક વાત કહી છે.

તેને કહ્યું કે, તેનો પુત્ર તેને માં કહી ને નથી બોલાવતો. મલાઈકા અરોરા એ કહયું કે તેનો પુત્ર તેને માં નહીં પરંતુ બ્રો કહી ને બોલાવે છે. એટલે કે બનેં વચ્ચે એક મિત્રતા નો સંબંધ જોવા મળે છે. એટલે કે તે બન્ને માતા-પુત્ર ઉપરાંત એક સારા મિત્ર પણ છે. બન્ને વચ્ચે કોઈ અનબન્ધ નથી. પરંતુ મલાઈકા અરોરા અને અરબાઝ બનેં પુત્ર ને માટે ક્યારેક ક્યારેક મળે છે. ખાસ વાત તો એ કે મલાઈકા અરોરા એ અરબાઝ સાથે થી અલગ થઇ ને અભિનેતા અર્જુન કપૂર સાથે ખાસ ચર્ચા માં જોવા મળે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *