ગમખ્વાર અકસ્માત ! હાથ માં ડ્રેસિંગ કરાવવા હોસ્પિટલ જય રહેલા 45-વર્ષીય આધેડ ને કાળ ભરકી ગયો..થયું એવું કે..
ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાના ઘરેથી કામ માટે જતા હોય પરંતુ ક્યારેક એવો દિવસ હોય છે કે તે લોકો અકસ્માતનો ભોગ બનતા મૃત્યુ પામતા હોય છે. અને ઘરે પહોંચતા હોતા નથી. ગુજરાતમાંથી અને ભારતમાંથી એવા ગંભીર ગંભીર અકસ્માતો સામે આવતા હોય છે કે આપણે સાંભળીને પણ હચમચી જતા હોઈએ.
એવો જ એક કિસ્સો ફરી રાજકોટ જિલ્લાના જીઆઇડીસી માંથી સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વધુ વિગતે જાણવા મળ્યું કે રાજકોટ જિલ્લાના રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા 45 વર્ષના સુરેશભાઈ છગનભાઈ નિમાવત નું જીઆઇડીસી વિસ્તારમાં પોતાનું બાઈક અને સામેથી આવતા ટ્રક વચ્ચે અથડામણ થતાં ઘટના સ્થળ પર જ સુરેશભાઈ નિમાવત નું મૃત્યુ થયું હતું. વધુ વિગતે જાણવા મળ્યું કે મૃતક સુરેશભાઈને અગાઉ કોઈ બીજી ઇજા પહોંચી હોય એટલા માટે હાથના ભાગે ડ્રેસિંગ કરાવવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
આ દરમિયાન શહેરના જીઆઇડીસી વિસ્તારમાં એક ટ્રક ફુલ સ્પીડે આવી રહ્યો હતો. અને સુરેશભાઈની ગાડીને અડફેટે લેતા સુરેશભાઈ નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજી ગયું હતું. આ બાબતની જાણ પરિવાર અને પોલીસને થતા પરિવારના લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને મૃતક સુરેશભાઈ નિમાવતના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારજનોએ ટ્રક ચાલક વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને પોલીસને આ બાબતે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સુરેશભાઈ નિમાવત નું એક્સિડન્ટમાં મૃત્યુ થતાં પરિવારજનો માં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બનતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. થોડા સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આવા અનેક કિસ્સાઓ શહેરમાંથી સામે આવતા હોય છે. લોકો મૃત્યુને ભેટતા રહે છે. ક્યારેક હિટ એન્ડ રન ની ઘટના પણ સામે આવતી હોય છે. જેમાં નિર્દેશ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!