જાન માં જવું પડ્યું ભારે ! રસ્તામાં તળાવ પાસે બની આવી ઘટના કે ચાર વ્યક્તિઓ ને….
મિત્રો લગ્ન એ એક ઘણોજ મહત્વ અને ખુશીનો પ્રસંગ છે જેમના લગ્ન હોઈ તેઓ ને તો ખુશી હોયજ છે પરંતુ તેમના પરિવાર માં પણ આનંદ નો માહોલ જોવા મળે છે. પરંતુ આવા માહોલમાં જો કોઈનું મૃત્યુ થઇ જાઈ તો? સમગ્ર પરિવાર કે જ્યાં ખુશીનો માહોલ હતો તે એકા એકા દુઃખ માં ફેરવાઈ જાઈ છે. આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે માહિતી મેળવશુ કે જ્યાં જાન માં જતી એક કાર સાથે અકસ્માત સર્જાયો છે.
ચાલો સમગ્ર અકસ્માત વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. આ અકસ્માત ગુરુવારે રાતે બિજનૌર ના કોત્તીવાલી દેહાત ના અલીમપુર એટલેકે ખેડા પાસે થયો હતો. કે જયા એક વેગેનાર કાર અનિયંત્રિત થઇ ને તળાવ માં ગરકાવ થઇ હતી. ગાડીમાં સવાર ચાર લોકો ના મોત થયા જયારે એક વ્યકતિ ની હાલત ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલ લઇ જવામાં આવીયો.
જો વાત કરીએ આ ગાડીમાં સવાર લોકો વિશે તો ગાડીમાં પ્રશાંત કુમાર, વિશાલ કુમાર, રજત કુમાર, અક્ષય અને દિપક ગાડીમાં હતા આ લોકો સહીત ગાડી અનિયંત્રિત થતા તે તળાવ માં ડૂબી ગઈ. ગાડીમાં સવાર નિખિલ અને તેનો ભાઈ અભિજીત સિંહ, ઘણી મહેનત બાદ ગાડીની બારી ખોલીને બહાર આવી ગયા. અને મદદ માટે લોકો ને બોલાવવા પ્રયત્ન કર્યા.
તેમનો અવાજ સાંભળી આસ પાસ ના લોકો અહીં પહોંચી ગયા અને ઘણી મહેનત બાદ તેમણે ગાડીમાં સવાર પાંચેય યુવકને બેહોશ હાલત માં બહાર કાઢ્યા. તેમની નાજુક હાલત જોતા તેમને સારવાર અર્થે કોતવાલી દેહાત ના એક ખાનગી ક્લિનીક માં લઇ ગયા.
તેમની ખરાબ હાલત જોતા તેમને બિજનૌર મોકેલવામાં આવ્યા જ્યાંની જિલ્લા હોસ્પિટલમા તેમને દાખલ કરવામાં આવ્યા. ત્યાંના ડૉક્ટર એ વિશાલ, રજત, પ્રશાંત, અને અક્ષય ને મૃત જાહેર કર્યા જયારે દિપક ની હાલત વધારે ખરાબ થતા તેને મેરઠ મોકલવામાં આવ્યા. જોકે આ ઘટના અંગે હજુ સુધી પોલીસ ને જાણ કરવામાં આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!