India

મોટાભાઈના જન્મદિવસ પર જ નાના એવા માસૂમનું મૃત્યુ થયું તો આખો પરિવાર હીબકે ચડ્યો ! કેક ખાતો હતો ત્યાં જ માસુમ…

Spread the love

ઘણીવાર એવી ઘટનાઓ જોવા મળી જતી હોય છે કે જે ખુશીઓને માતમ મા બદલી નાખતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વારાણસી માથી સામે આવી રહ્યો છે જ્યાં નાના બાળકનું કેક ખાવાના કારણે દર્દનાક અવસાન થયું છે. જ્યાં મોટા  ભાઇનો જન્મદિવસ તેનું મોતનું કારણ બની ગયો છે.વાસ્તવમાં મોટાભાઇ ના જન્મદિવસ પર લાવેલ કેક ને જડપથી ખાવાના કારણે 8 વર્ષના પ્રાંજલ શ્રીવાસ્તવ નું અવસાન થયું છે.

કેક સ્વાસનળી માં પહોચીને અટકી ગયું હતું , બાળક ની હાલત ગંભીર થવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર ના મળતા બાળકનું કમકમાટીભર્યું અવસાન થયું. આ ઘટના થાણા વિસ્તાર ના સલોઇ ગામનો છે જ્યાના નિવાસી ધિરાજભાઈ શ્રીવાસ્તવ કે જે શિક્ષક છે. અને 2 દીકરા છે જેમાં મોટા દીકરાનો જન્મદિવસ સોમવારના રોજ હતો. મોડી રાત્રે કેક કાપ્યા બાદ નાના દીકરા પ્રાંજલ એ ખાધું હતું જેના થોડા સમય બાદ પ્રાંજલ ની તબિયત ખરાબ થવા લાગી હતી .

આથી પરિવારના લોકો બાળકને લઈને નજીકના હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં સરવારના 2 દિવસ બાદ પ્રાંજલ નું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર આવતા જ માતા અમને અન્ય પરિવારના લોકો દુખના ઘેરામાં સરી પડ્યા હતા અને શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. પરિવારના લોકોનું માનવમાં આવે તો તેમણે 3 થી 4 હોસ્પિટલના ચક્કર માર્યા હતા પરંતુ ક્યાય સારવાર થઈ શકી નહીં.

મૃતકના પિતાએ જણાવ્યુ કે પ્રાંજલ બે ભાઈઓમાં નાનાઓ ભાઈ હતો. કેક કાપ્યા બાદ જ્યારે તેને કેક ખાધું તો અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી. આના પછી લોકો ઉતાવળથી તેને નજીકના નર્સિંગ હોમમાં લઈ ગ્યાં જ્યાં જવાબ મળ્યા બાદ તેમણે અન્ય બે હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો જ્યાર પછી તેને અન્ય એક ખાનગી હોસ્પિટલ માં લઈ ગ્યાં હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *