India

જો તમે AC વાપરતા હો તો નીચે ની વાતો ખાસ ધ્યાન માં રાખો. AC માં ધડાકા થવાથી એક યુવક નું ગંભીર રીતે…

Spread the love

રોજબરોજ મૃત્યુ થવાના અનેક સમાચારો સામે આવતા જ રહે છે. લોકોનું મૃત્યુ કયા કયા કારણોસર થઈ જાય તે કંઈ જ ના શકાય. એવી જ બે ઘટના હાલ હચ મચાવતી સામે આવી છે. જેમાં એક એર કન્ડિશનરે બે વ્યક્તિનો જીવ લીધો. આ બે ઘટના અલગ અલગ રાજ્યમાં બની છે. જેમાં વધુ વિગતે જાણીએ તો તારીખ 31 જુલાઈના દિવસે તમિલનાડુ રાજ્યના ચેન્નાઈના એક વિસ્તારમાં એસીમાં ધડાકો થવાને કારણે 27 વર્ષના એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

27 વર્ષીય યુવકનું નામ પી શ્યામજાણવા મળ્યું હતું. એસી માં ધડાકો એટલો જોરદાર અને ભયંકર હતો. કે તે જે બિલ્ડિંગમાં રહેતા હતા તેમા જ રહેતા બીજા વ્યક્તિ પ્રભાકર ભાઈએ જ્યારે ધડાકો થયો. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયા. અને ઘટનાની જાણ લીધી તો તેને શ્યામ ના ઘરેથી ધુમાડના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા. એટલી બધી ધુમાડાના હતા કે જોવા વાળાને તો આખો જ ફાટી ગઈ હતી.

બીજી ઘટનાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યના નોઈડા માં એક બહુમાળી બિલ્ડીંગમાં એસીમાં એવો જ ધડાકો થયો હતો. જાણવા મળ્યું કે જે બિલ્ડિંગમાં ધડાકો થયો હતો. ત્યાં ભયંકર આગ ફાટી નીકળી હતી. અને આખે આખો ફ્લેટ કે જેમાં જે વ્યક્તિ રહેતા હતા. તે બળી ને ખાક થઈ ગયો હતો. પોલીસ વિભાગે અહીં આવીને વધુ તપાસ હાથ ધરી હતી. એર કન્ડિશનરમાં થતા ધડાકા નું કારણ જાણીએ તો ગમે તે સીઝન હોય તેમાં એસી ને બે થી ત્રણ વખત સર્વિસ કરાવવી જરૂરી છે.

કારણ કે એસીમાં જો ધૂળ જમા થઈ જાય તો બહારથી આવતી ગરમીના કારણે તેનું વિસ્ફોટ થવાનું જોખમ વધી જાય છે. એક એસી આઉટડોર યુનિટમાંથી 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ ગરમી ખેંચે છે. અને તે ઠંડક કરે છે. પરંતુ જ્યારે બહારની ધૂળ એસીમાં જમા થાય છે. ત્યારે ગરમી બહાર નીકળી શકતી નથી. અને અંદરને અંદર એસીની ઠંડકમાં ઘટાડો નોંધાય છે. જેના કારણે એસી નું અંદરનું તાપમાન ખૂબ જ વધી જાય છે. આને કારણે દબાણ વધવાથી એસીમાં ધડાકોત થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. માટે ખાસ કરીને એસીની સર્વિસ કરાવવી જરૂરી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *