India

બકરીદ ના દિવસે આ બકરો અને માલિક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ! જુઓ વિડીયો. બકરીદ ના દિવસે શા માટે કુરબાની અપાય છે? જાણો વિગતે…

Spread the love

આપણા દેશ માં વસતા ઘણા લોકો એવા હોય છે કે, તે માણસ ની જેમ જ પશુઓ અને પ્રાણીઓ અને પક્ષીઓ ને ખુબ જ પ્રેમ કરતા હોય છે. ક્યારેક આવા અનેક વિડીયો જોવા મળે છે. લોકો પોતાના ઘર માં પણ કુતરા અથવા તો બિલાડી ઓ ને પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે. એવામાં એક એવો જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો છે. હાલમાં બકરી ઈદ ના દિવસે એક માલિક તેના બકરા ને ગળે લગાવતા જ રોવા લાગ્યા હતા.

વિડીયો માં એક માલિક તેના બકરા ને ગળે વળગાળી ને ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળે છે. બકરી ઈદ ના દિવસે આ વિડીયો જોઈ ને ઘણા લોકો ભાવુક થઇ ગયા હતા. જેમાં માત્ર માલિક જ નહીં પરંતુ તેનો બકરો પણ તેના મલિક ના ખભા પર માથું ઢાળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. પરમ્પરા મુજબ એક બકરો એક માર્કેટ માં આવ્યો હતો. ત્યાં આ ભાવુક ઘટના બની હતી. બકરો તેના માલિક ને છોડવા તૈયાર ન હતો. જુવો વિડીયો.

બકરો એટલો બધો રોતો હતો કે સૌ કોઈ ત્યાં ઉભેલા લોકો ભાવુક થઇ ગયા. મલિક અને બકરો બંને ઉભા ઉભા ખુબ ભાવુક થતા જોવા મળ્યા હતા. આ વિડીયો ક્યાં વિસ્તાર નો છે કે, ક્યાં દેશ નો છે તે જાણવા મળ્યું નથી. બકરી ઈદ ના દિવસે પરમ્પરા મુજબ બકરી ની કુરબાની દેવામાં આવતી હોય છે. મુસ્લિમ ધર્મ ના લોકો ના મુખ્ય તહેવારો માનો એક આ મુખ્ય તહેવાર છે. આ દિવસે મુસ્લિમ ધર્મ ના લોકો દરગાહ માં જય ને વિશેષ રૂપે નમાજ અદા કરતા હોય છે. ભારત માં આ વર્ષે 10-જુલાઈ ના રોજ બકરી ઈદ ઉજવવામાં આવી હતી.

બકરીદ પર બકરાની કુરબાની શા માટે કરવામાં આવે છે? તો બકરીદ પર કુરબાની પાછળ ઇસ્લામમાં માન્યતા છે કે પયગંબર હઝરત ઇબ્રાહિમ 80 વર્ષની વયે પુત્ર ઇસ્માઇલના પિતા બન્યા હતા. તેઓ તેમના પુત્ર ઈસ્માઈલને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ હઝરત ઈબ્રાહીમને સ્વપ્ન આવ્યું કે તેઓ પોતાની સૌથી પ્રિય વસ્તુનું બલિદાન આપે. ઇસ્લામિક નિષ્ણાતોનું કહેવું છે કે આ અલ્લાહનો આદેશ હતો અને હઝરત ઇબ્રાહિમે પોતાના પ્રિય પુત્રની કુરબાની આપવાનો નિર્ણય કર્યો હતો.

હઝરત ઈબ્રાહીમને લાગ્યું કે કુરબાની કરતી વખતે તેમની લાગણીઓ આડે આવી શકે છે, તેથી તેણે આંખે પાટા બાંધી દીધા. જ્યારે તેણે બલિદાન આપ્યા પછી આંખની પટ્ટી હટાવી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર તેની સામે જીવતો ઊભો હતો. કાપેલું ઘેટું વેદી પર પડેલું હતું, ત્યારથી આ પ્રસંગે બકરા અને ઘેટાંની બલિ ચઢાવવાની પ્રથા ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *