Gujarat

ધ્રુજાવનારી ઘટના ! 20-વર્ષીય યુવતી એ ઘરે ફાંસો ખાઈ મોત ને કર્યું વ્હાલું સ્યુસાઇડ નોટ માં લખ્યું કે મારા મોત પાછળ,

Spread the love

ગુજરાતમાંથી આપઘાતના બનાવના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. રોજબરોજ આપઘાતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પૈસાની લેતી દેતીમાં, ક્યારેક પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી બેસતા હોય છે. ખાસ કરીને યુવાનોમાં આપઘાત કરવાનું દૂષણ વધુ જોવા મળે છે અને યુવાનોમાં આપઘાત કરવાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ જ હોય છે. ફરી એક આપઘાતની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે.

પરંતુ તેમાં આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે. વધુ વિગતે વાત કરીએ તો રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી શીતલ ખીમજી નામની 20 વર્ષની યુવતીએ વહેલી સવારે પોતાના ઘરના ઉપરના માળે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જાણવા મળ્યું કે શીતલ સવારે પોતાના ઘરે કપડાં ધોઈને કપડાં સૂકવવા માટે તેની બહેન આરતી ને કહીને ગઈ કે તે કપડાં સૂકવવા માટે ઉપર જઈ રહી છે.

ત્યારબાદ કલાક વીતી ગયા છતાં પણ શીતલ નીચે આવી નહીં. આથી આરતી ઉપર જઈને જોયું તો તેની બહેન શીતલનો મૃતદેહ લટકતો મળ્યો હતો. જે બાદ પરિવારજનોમાં જાણ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને માત્ર એવું લખ્યું હતું કે મારા આ પગલા પાછળ પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદાર નથી.

આમ માત્ર ટૂંકી એવી સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે. આમ આવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી રહે છે. આવી ઘટના બનતા પરિવાર ના લોકો ના માથે ભાર દુઃખ ના વાદળો છવાય જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *