Categories
Gujarat

મહાન હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલનો છે આ ગામના વતની ! આવી રીતે બન્યા હવામાનશાસ્ત્રી, આવી રીતે કરે આગાહી…જાણો તેમના વિશેની અજાણતી વાતો વિશે

ગુજરાતમાં આંબાલાલ પટેલ નું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ ખુશ થઈ જાય છે, જેની આગાહીમાં સરકાર પણ વિશ્વાસ કરે છે,એવા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેમને જાણીને નવાઈ લાગશે કે, એક વખત તેમના જીવનમાં એવો સમય આવ્યો હતો જ્યારે, તેઓ આગાહી કરી હતી ભૂકંપની ત્યારે તેમની ધરપકડ કરવામા આવી હતી અને સરકારને દોડતી કરી મૂકી હતી. આ આંબાલાલ પટેલ કંઈ રીતે બન્યા ગુજરાતનાં લોકપ્રિય હવામાનનાં નિષ્ણાત તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

તમનેજણાવીએ કે અંબાલાલ પટેલનું આખું નામ અંબાલાલ દામોદર પટેલ છે. આજે તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ ડોકટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમા છે. રાજેન્દ્ર પટેલ ધ્રાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે.સતિષ પટેલ આઇટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરે છે. પુત્રી અલ્કા પટેલ પણ ડૉકટર છે, તેણી બારડોલીમાં સરકારી દવાખાનામાં ફરજ બજાવે છે. તેમનું પરિવાર એક સુખી સંપન્ન અને આર્થિક રીતે સધ્ધર પરિવાર છે.

હવામાન આગાહી બદલ તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે. ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ નો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલને હવામાન નિષ્ણાત તરીકે ખૂબ જ નામના મેળવી છે. 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં અંબાલાલ પટેલનો જન્મ થયો હતો અને તેમણે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કર્યું છે.

1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવીએ અનેપછી ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી અને જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.

તેમને જ્યોતિષ વિષયમાં ખૂબ જ રસ હતો એટલે તેમને વિચાર આવ્યો કે જો ખેડૂત ને વરસાદ ને લઈને પહેલા ખબર પડે તો તેમને લાભ. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. જ્યોતિષ માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક, વગેરેમાં લેખો લખે છે. ખરેખર ગુજરાતમાં અંબાલાલ પટેલ સારું એવું વર્ચસ્વ જમાવ્યું છે. આજે અનેલ મીડિયા રિપોર્ટ તેમને પોતાના ન્યૂઝ ચેનલ બોલાવે છે અને વરસાદ ને લઈને મહત્વની આગાહી અને જાણકારી અપાવે છે. આ એવા વ્યક્તિ છે જેમને લોકો તેમના નામ અને હવામાન ની આગાહી તરીકે જ ઓળખે છે

Categories
Gujarat

શું દરિયા માં ચક્રવાત માફક ફરી રહેલ ‘બિપોરજોય વાવઝોડુ છે ? ખુબ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો, જુઓ એવું તો શું છે આ વીડિયોમાં?

મિત્રો તમને તો ખબર જ હશે કે થોડાક છેલ્લા સમયથી ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે, આ વાવાઝોડાને પગલે હાલ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમ જ માછીમારો દરિયો ન ખેડે અને બંદરો પર પણ એલર્ટ સિંગલ લગાડી દેવામાં આવ્યા છે.આજના દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી જવા પામી છે તેમજ વાદળ છાયુ વાતાવરણ પણ થઇ ચૂક્યું છે.

એવામાં હાલ અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યા છે જે ખરેખર વાવાઝોડાના છે કે નહીં તે અંગે તો કાંઈ ન કહી શકીયે પરંતુ બતાવી રહ્યા છે વાવઝોડુ જ તે. એવામાં એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચક્રવાત દરિયાની અંદર ગતિમાન થઇ રહ્યો હોય તેવું દેખાય રહ્યું છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાવાઝોડું પાણીમાં પસાર થઇ રહ્યું છે અને ખુબ ઝડપી ચક્રવાતની જેમ ગોળ ગોળ ફરીને આગળ વધી રહ્યું છે, ખરેખર આવા દ્રશ્યોએ દરેક સોશિયલ મીડિયા યુઝરોને હલાવી જ દીધા હતા કારણ કે જીવનમાં ઘણા એવા સોશિયલ મીડિયા યુઝરોએ પેહલી વખત આવું દ્રશ્ય જોયું હશે.

વિડીયો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે આ ‘બિપોરજોય’ વાવાઝોડું છે પરંતુ આ ખબર અંગે અમારી વેબસાઈટ પુષ્ટિ કરતી નથી ફક્ત આ એક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જ વિડીયો લેવામાં આવ્યો છે. વિડીયો જોયા બાદ અનેક યુઝરો લખી રહ્યા છે કે ‘દ્વારકા વાળો બધું સાંભળી લેશે’ જ્યારે અનેક યુઝરોએ ખુબ અનોખી અનોખી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jadav Mayur (@itz_fouji_lover_1931)

Categories
Gujarat

ગુજરાત પર ‘બિપોરજોય’નું સંકટ !! હાલ ક્યાં છે આ વાવાઝોડું ?? કેટલા વિસ્તારને અસર કરશે? વાવાઝોડાની લોકેશન જાણી તમને આંચકો લાગશે….

ગુજરાતમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને તંત્ર ઘણું સાવચેત થઇ ચૂક્યું છે અને તમામ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બંદર વિસ્તારોમાં જરૂરી ચેતવણી આપતા સિગ્નલો લગાવીને માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી રહી છે. વર્તમાન દિવસોમાં તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરને પગલે પવનની ઝડપમાં પણ વધારો થવા પામ્યો છે.

હાલના વાતારવર્ણમા જોઈ શકાય છે કે પવનની ઝડપ ખુબ વધી ગઈ હોવાની સાથો સાથ જ દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ ઉદભવી હતી. એવામાં હાલ આ વાવાઝોડું ક્યાં ગતિ કરી રહ્યું છે અને ક્યાં પોહચ્યું છે તે અંગેની માહિતી આજે અમે આજના આ લેખના માધ્યમથી લઈને આવ્યા છે.હાલના સમયમાં દરેક બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ જેવા અનેક કાંઠાના વિસ્તારોમાં થશે આથી ત્યાં બચાવકાર્યોની ટીમને પણ તેનાત કરી આપવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત પર આ વાવાઝોડું નહીં ત્રાટકે જે હકીકત જ છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર તો જોવા મળશે જ તેવું હવાણ વિભાગ દ્વારા પણ જાણવામાં આવ્યું હતું.બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છનો વિસ્તાર પર અસરગ્રસ્ત થઇ શકે છે. વાવાઝોડું નજીક આવતા દરિયા ખુબ મોટો કરંટ પણ જોવા મળ્યો હતો. સુરતના સુવાલીના દરિયાકાંઠે 4થી5 ફૂટ મોટા મોટા મોજા ઉછળી રહ્યા હતા.

જ્યારે આ વાવાઝોડાને પગલે સુંવાલી અને ડુમસ બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા હતો, જયારે દ્વારકાના શિવરાજ પૂર બીચ પર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે ત્યાં સૌથી વધારે પ્રવાસીઓ હાલ જતા હોય છે, એવામાં જાણતા ન જાણતા કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને પ્રશાસન દ્વારા આવું મોટું પગલું લેવામાં આવ્યું છે.

વાવાઝોડાની લાઈવ લોકેશન ચેક કરવા અહીં ક્લિક કરો :https://www.windy.com/?18.198,58.579,6,m:eebah1j

Categories
Gujarat

ગુજરાતીવાસીઓ ચેતી જજો !! ‘બિપોરજોય’ નું સંકટ હજી ટળ્યું નથી, દિશા બદલી લેતા…જુઓ કેટલું દૂર છે આ વાવાઝોડું

છેલ્લા થોડાક દિવસોથી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાજોડાનું સંકટ મંડરાય રહ્યું છે, એવામાં હજી થોડાક સમય પેહલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ વાવઝોડુ હવે ઓમાન તરફ પલટાય ગયું છે પરંતુ હાલ ફરી એક વખત આ વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ વાવઝોડાએ પોતાની દિશા બદલી લેતા ગુજરાત રાજ્ય પર ખતરાની ઘંટી વાગી ગઈ છે, તો ચાલો આ વિશેના અગત્યના સમાચાર તમને જણાવીએ.

બિપોરજોય વાવાઝોડું(biporjoy cyclone) આવનારા 24 કલાકોમાં વાવાઝોડાનું જોર વધી શકે છે, હાલ દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદ્દભવતું ચક્રવાત બિપોરજોય સાયક્લોનિક સ્ટોર્મ બનીને આગળ વધી રહ્યું છે. બિપોરજોયે પોતાની દિશા બદલી લેતા સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની ચિંતામાં વધારો થયો છે, તમને જણાવી દઈએ કે આ વાવાઝોડય 6 કલાકની અંદર 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

હાલ પોરબંદરથી આ વાવાઝોડું 640 કિમિના અંતરે આવેલ છે જે ધીર ગતિએ ગજરાતના દરિયાકાંઠે પોહચી રહ્યું છે, એવામાં હાલ હવે આ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. આગામી 10થી14 જૂનના રોજ આ વાતાવરણને પગલે ગુજરાતના(gujarat) દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે જ્યારે 10 જૂનના રોજ હવાની હવાની ઝડપ 30 થી 55 કિમિ પ્રતિ કલાકની ગણવામાં આવી રહી છે.

એવામાં 14 તારીખ સુધી હવાની ગતિ વધતી જ જશે, જયારે 14 જૂનના રોજ હવા 70 કિમિ પ્રતિ કલાક તેનાથી વધારેની ગતિમાં પણ ફુકાય શકે છે. વાવાઝોડાને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકવાની સંભાવના છે.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?16.584,49.790,5,m:d27ahEW

Categories
Gujarat

શું ‘બિપોરજોય’ નું સંકટ ટળી ગયું?? ગુજરાતમાં ક્યારે બેઠશે ચોમાસુ?? અંબાલાલે કરી આ તમામ બાબતને લઈને મોટી આગાહી…જાણો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજન્યની અંદર જો કોઈ વાત વિષે દહેશત ફેલાયેલી હોય તો તે છે બિપોરજોય વાવાઝોડાની. હાલ હવામાન વિભાગ દ્વારા તો જણાવી દેવામાં આવ્યું છે કે આ વાવાઝોડું હવે ઓમાન તરફ ગતિમાન થશે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે. એવામાં આવી બાબતોને લઈને અંબાલાલે પણ ખુબ ચોંકાવી દેતી આગાહી કરી છે.

અંબાલાલે જણાવ્યું હતું કે ભલે વાવાઝોડું ઓમાન તરફ વળી જાય પરંતુ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાની અનેક સંભાવનાઓ રહેલી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યના અનેક વિસ્તારો જેવા કે પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેશે, એટલું જ નહીં અંબાલાલે એમ પણ જણાવ્યું હતું કે આવનાર બે દિવસોમાં જ ચોમાસાનું આગમન પણ ગુજરાતમાં થઇ શકે છે.

ચોમાસાની સિઝનને લઈને અંબાલાલે જણાવ્યું હતું કે 18થી 19 જૂનની આસપાસ ગુજરાતની અંદર પ્રોપર ચોમાસુ બેઠી શકે છે, આ વખતની ચોમાસાની સીઝન સારી રહેશે તેવી હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ જણાવ્યું છે.બિપોરજોયનું વાવાઝોડાનું સંકટ આમ તો ટળિ ગયું છે પરંતુ ગુજરાત તથા મહારાષ્ટ્રના અનેક એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યા છે.

આવનાવર બે દિવસોમાં મહારાષ્ટ્રં તથા ગુજરાતના અનેક કાંઠાના વિસ્તારોમાં 50થી70કિમીની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, વાવાઝોડાની સંભવિત અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક ભાગો જેવા કે વલસાડ ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર જેવા અનેક શહેરોમાં સંભવિત વરસાદની આગાહી કરવામાં આવી છે.