ડોક્ટર ને મળ્યું ભયંકર મોત ! ડોક્ટર ના શરીર માં લોખંડ ના સળિયા આરપાર થઇ ગયા..ઘટના જાણી હૃદય કંપી ઉઠશે.
આપણા ભારતમાંથી અને ગુજરાતમાંથી અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક અકસ્માતમાં આખેઆખો પરિવાર હોમાઈ જતો હોય છે. તો ક્યારેક પરિવારના મોભીનું અકસ્માતમાં મૃત્યુ થઈ જતું હોય છે. એવી જ એક ઘટના જયપુર થી સામે આવે છે. જેમાં બે ડોક્ટર મિત્રો જયપુર ખરીદી કરવા ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તે લોકો ની કાર એક ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં ટ્રેલરમાં લોખંડના સળિયા ભરેલા હોય તે લોખંડના સળિયા ટ્રેક્ટર બહાર નીકળી ગયા હતા. આથી રાત્રિના સમયે તે બહાર આવેલા સળિયા કાર ચાલકને બતાણા નહીં અને ટ્રેલર ની પાછળ કાર ઘુસી જતા કારચાલક ના શરીરમાં પાંચથી સાત ફૂટ સળિયા અંદર ઘૂસી ગયા. અને કાર ચાલકનું કમ કમાટી ભર્યું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ સાથે કારચાલકના મિત્ર ને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે વધુ માહિતી મેળવીએ તો દૌસાના રહેવાસી ડોક્ટર પ્રવીણ વ્યાસ અને તેમના મિત્ર ડોક્ટર અમિતકુમાર બંને મિત્રો જયપુર ખરીદી અર્થે ગયા હતા. અને ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી. મૃતક ડોક્ટર પ્રવીણ વ્યાસ કે જે ગોવિંદ નગર ન્યુ મંડી રોડના રહેવાસી છે. જ્યારે તેમના મિત્ર ડોક્ટર અમિત કુમાર રાય નર્સિંગ હોમના રહેવાસી છે. આ અકસ્માતની ઘટના જયપુરના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
જયપુરના ઘાસગેટ પાસે એક ફૂલ સ્પીડ આવી રહેલી કાર ટ્રેક્ટર ટ્રોલીના પાછળના ભાગે અથડાય ટ્રોલીમાં રહેલા સળિયા ટ્રોલીની બહાર હોય તે સળિયા તબીબ ડોક્ટર પ્રવિણકુમાર વ્યાસના શરીરમાં ઘૂસી ગયા. અને આરપાર થઈ ગયા હતા. અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતની જાણ પોલીસને અને પરિવારોને તથા તે લોકો ત્યાં દોડી આવ્યા હતા. પોલીસે ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી.
આ બનાવ આ રાજધાની ના આગ્રા રોડ પર અગ્રવાલ કોલેજ પાસે બન્યો હતો. મૃતક ડોક્ટર પ્રવિણ વ્યાસને પત્ની શિક્ષિકા છે અને તેમને બે બાળકો છે. પ્રવીણ વ્યાસ દૌસા જિલ્લા હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. અને ગંભીર રીતે ઘાયલ થયેલ તેમના મિત્ર ડોક્ટર અમિતકુમાર ફિઝિશિયન છે. આમ આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકની ઘોર બેદરકારી સામે આવી હતી કે જેણે પોતાના ટ્રેક્ટરમાં સળીયાને બહારના ભાગે રાખ્યા હતા. અને આ ઘટનાનો ભોગ એક કારચાલક બન્યો. આવા અનેક બનાવો સામે આવતા હોય છે અને લોકોના કમ કમાટી ભર્યા મોત નીપજતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!