મગરો ની નદી એવી વિશ્વામિત્રી નદી મા યુવાને મોત ની છલાંગ લાગવી મોત ને વ્હાલું કર્યું…
ગુજરાત માં અવારનવાર આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. વડોદરા જિલ્લા માં ભીમનાથ બ્રિજ નજીક એક યુવક વિશ્વામિત્રી નદી માં કૂદી પડ્યો હતો. વડોદરા શહેર ના સયાજીગંજ વિસ્તાર માં આવેલા દર્શન ફ્લેટ નજીક થી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં એક યુવાને જમ્પ્લાવ્યું હતું. અને યુવાન મૃત્યુ પામ્યો હતો. રવિવારે આ ઘટના બનતા ભારે ચકચાર થવા પામી હતી.
આ અંગે એક મિહલા એ કહ્યું કે, તેની નજર ની સામે જ તે યુવાને નદીમાં જંપલાવ્યું હતું. આ બાબતે મહિલા એ ફાયર બ્રિગેડ ને કહેતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ માહિતી રાત્રી દરમિયાન મળતા રાત્રે અંધારું હોવાથી ફાયરસ્ટાફ દ્વારા શોધખોળ સ્થગિત રાખવામાં આવી હતી. અને આ વિશ્વામિત્રી નદી માં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોય રાત્રે શોધખોળ કરવી અઘરી હતી.
બાદ માં યુવાનનો મૃતદેહ 48 કલાક બાદ ભીમનાથ બ્રિજ થી 500 મીટર ના અંતરે મળ્યો હતો. ત્યાંથી રાહદારીઓ પસાર થતા હતા તે દરમિયાન લોકો એ જોયું કે તે યુવાનનો મૃતદેહ મગરો ખેંચિ રહ્યા હતા. આ બાબત ની જાણ તરત જ ફાયર સ્ટાફ ને કરવામાં આવી હતી. અને લાશ બહાર કાઢવામાં આવી હતી. આ બાબતે પોલીસ તરફ થી જાણવા મળ્યું કે, યુવાન ગુમ થયો હોય તેવી કોઈ ફરિયાદ હજુ સુધી મળી નથી.
પોલીસે આ બાબતે આગળ ની તપાસ હાથ ધરી છે. ભારે જહેમત બાદ યુવાન નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ સુધી પોલીસ ને આ બાબતે કોઈ જાણકારી મળી નથી. યુવાન નો મૃતદેહ પોલીસે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આમ ગુજરાત માં અવારનવાર આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારે વ્યક્તિઓ શું કરી બેસે તે કહી જ શકાતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!