India

કરૂંણ મોત! ઘરે થી ગણપતિ બાપ્પા ને જોવા ગયેલ માતા પિતા નો એક નો એક 7 વર્ષ નો પુત્ર વીજ ના થાંભલા ને અડકી જતા ત્યાં જ તે..

Spread the love

છેલ્લા ઘણા દિવસથી આખા ભારતમાં ગણપતિ બાપાના ઉત્સવ ધૂમધામ થી ચાલી રહ્યો છે ઠેર ઠેર સોસાયટીઓમાં અને સામાજિક સ્થળો પર લોકોએ ગણપતિ બાપા ના પંડાલા ઉભા કરી દીધા છે અને સવાર સાંજ ધૂમધામથી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે. એવામાં હવે ગણપતિ ઉત્સવ પૂરો થવાને આરે છે. પરંતુ ભોપાલમાંથી એક દુઃખદ ઘટના સામે આવે છે. જેમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતો સાત વર્ષનો મોહિત ગણપતિ બાપા ના પંડાલ માં ઘરેથી નીકળ્યો હતો પરંતુ થોડી વારમાં તેના ઘરે તેના જ મોતના સમાચાર આવી પહોંચ્યા હતા.

આ બાબતે વધુ વિગતે જાણીએ તો મોહિતની માતા જણાવે છે કે તે ઘરેથી ગણપતિ બાપા ની આરતી માં જવું છું તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ ઘરે પાછો ફર્યો ન હતો. આ બાબતે જાણવા મળ્યું કે સાત વર્ષનો મોહિત એક પાર્કમાં ગયો ત્યારે પાર્કના મેન ગેટ પર આવેલા વીજળીના થાંભલા પર કરંટ દોડતો થયો હતો. આ કરંટ થાંભલામાં લાગેલા તારમાં પણ ફેલાઈ ગયો હતો.

મોહિતનો હાથ થાંભલામાં લાગેલા અર્થિંગ વાયરના અડી જતા તેને ઝાટકો લાગ્યો. અને તે થાંભલાના વાયર સાથે જ ચીપકી ગયો હતો. અને ત્યાં તેનું મૃત્યુ નીપજી ગયું હતું. આ બાબતે આજુબાજુના લોકોને જાણ થતાં મોહિતના માતા પિતા સાથે પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. આ બાબતે પોલીસ ની ટીમ પણ આવી પહોંચી હતી. ત્યારબાદ મોહિતની લાશને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોહિતના મામા આ બાબતે કહ્યું કે આ થાંભલામાં ઘણા દિવસોથી કરંટ લાગી રહ્યો છે.

છેલ્લા ઘણા દિવસોમાં ઘણા લોકોને આમાં કરંટ લાગેલ ની ઘટના પણ સામે આવી છે અને મામાએ વિજ વિભાગ ઉપર કેસ કરવા પણ જણાવ્યું હતું એટલે કે આ બાબતે વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. તેમ જણાવ્યું હતું મોહિતના માતા-પિતા નો મોહિત એકનો એક દીકરો હતો. અને તે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો. માતા અને પિતાના રોઈ રોઈને ખૂબ જ ખરાબ હાલ થઈ ચૂક્યા છે. આમાં આ ઘટના બનતા પરિવાર લોકોના માથે દુઃખોના વાદળ છવાઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *