Gujarat

આ યુવતી સાથે ટ્રેનમાં એવું તો શું થયું કે તેનો મૃત દેહ ગાળા ફંસા ખાધેલી હાલતમાં મળ્યો….

Spread the love

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માતો અંગેના કિસ્સાઓ જોતા અને સંભાળતા હોઈએ છીએ આવા દરેક અકસ્માતો માં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે આપણે સૌ પોતાના સ્વજનોના મૃત્યુ નું દુખ જાણીએ છીએ. પોતાના સ્વજનોને ખોવાનું દુખ શું છે તેના વિશે સૌ કોઈ જાણીએ છીએ. આપણે સમાજમાં અનેક એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે જે આપણને વિચારમાં મૂકી દે છે એવો જ એક કિસ્સો હાલના સમય માં સામે આવ્યો છે કે જ્યાં એક ટ્રેન માંથી એક યુવતી નો મૃત દેહ મળી આવ્યો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકો ટ્રેનનો ઉપયોગ પરિવહન માટે કરે છે.

પરંતુ જો આવી ટ્રેન માંથી કોઈ નો મૃત દેહ મળી આવે તો ? આસ પાસ ના લોકો માં અફરા તફરી મચી જાય છે. આવોજ એક બનાવ વલસાડ તરફ આવતી ટ્રેનમાં બન્યો છે કે જ્યાં એક યુવતીનો મૃત દેહ ગાળા ફાંસો ખાધેલી હાલત માં મળી આવ્યો છે તો ચાલો આપણે આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ આ ઘટના વલસાડ રેલ્વે સ્ટેસન ની છે અહી રાતના સમયે નવસારી થી વલસાડ તરફ આવતી ટ્રેન માંથી એક યુવતી નો મૃત દેહ મળી આવ્યો છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને મૃત યુવતીનો દેહ પોતાના કબજામાં લીધો. પોલીસ દ્વારા આ યુવતીનો મૃતદેહ કબજામાં લઈને તે યુવતી વિશે માહિતી મેળવવાની તપાસ શરુ કરી. જોકે હજુ સુધી આ યુવતીએ પોતે આત્મ હત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પોલીસની શરૂઆતની તપાસ માં એવું માલુમ પડ્યું છે કે આ યુવતીનું નામ માનસી ગુપ્તા છે. તેઓ પોતે નવસારી માં આવેલા જલારામ નગર ના રહેવાસી છે. તમને જણાવી દઈએ કે માનસી પોતાનો અભ્યાસ વડોદરામાં કરતી હતી. તે અહી એક કોલેજમાં પહેલા વર્ષ માં અભ્યાસ કરતી હતી.

હજી થોડા સમય પહેલાજ તે પોતાના નવસારી ના ઘરે આવી હતી. માનસીના પરિવાર ના જણવ્યા અનુસાર તેઓ પોતાના અભ્યાસ ની સાથો સાથ એક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલ હતી. જેને કારણે તેમને ઘણી વાર બહાર જવું પડતું હતું. આજ વખતે પણ પોતે કામ પૂર્ણ કરીને ઘરે આવશે તેવું કહીને નીકળી. પરંતુ ફક્ત તેમની મૃત્યુ અંગેની ખબરજ ઘરે આવી. માનસીના મૃત્યુ બાદ તેમના પરિવાર માં શોક નો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *