આપણા પૂર્વજો ના જમાના માં આપણા સમાજ માં ઘણા બધા કુરિવાજો ઘર કરી ગયા હતા. જેમાં દીકરી ને દૂધપીતી નો રિવાજ, વિધવા વિવાહ પુનઃર્લગ્ન જેવા અનેક કુરિવાજો આપણા સમાજ માં પ્રસરેલા હતા. આજ ના જમાના માં હજુ પણ એવા છેવાડા ના ઘણા ગામો એવા છે કે, આવા અનેક કુરિવાજો હજુ પણ જોવા મળે છે. અને દીકરીઓ ને જન્મ પહેલા જ તેનું મૃત્યુ નિપજાવી દેવામાં આવતું હોય છે.
પરંતુ, એવા ઘણા લોકો એવા પણ છે કે, જે આવા ભેદભાવો માં માનતા હોતા નથી. અને દીકરી-દીકરાઓ ને બધા ને એકસમાન જ માને છે. ઘણા લોકો ના ઘરે દીકરી નો જન્મ થતા ખુબ જ મોટા પાયે ઉજવણી કરતા હોય છે. એવો જ એક કિસ્સો હાલ મધ્ય પ્રદેશ થી સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના રઘુનાથપુરા માં રહેતા કુલદીપ સિંહ ની પત્ની એ 26 માર્ચના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. ગુરુદિપસિંહ ના પિતા કુલદીપસિંહ એ જણાવ્યું કે તેમને ત્રણ દીકરાઓ છે. પરંતુ તેમના પુત્ર ગુરદિપસિંહ ના ઘરે દીકરીનો જન્મ થતા આજે તેનું પરિવાર પૂરું થઈ ગયું છે.
26 માર્ચના રોજ ગુરુદિપસિંહ ની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. હોસ્પિટલમાં બે દિવસના આરામ બાદ તેને રજા આપવામાં આવી હતી. ત્યારે દીકરીને હોસ્પિટલ થી ઘરે લઈ જવા માટે ખાસ મોટર શણગારવામાં આવી હતી. શણગારેલી મોટરમાં ઘરે તેમનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આખા ઘરને લાલ કલરના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. અને દીકરીને ઘરે લાવતા જ તેના પગલા ઘરમાં દાખલ થતા પહેલા જ પાડવામાં આવ્યા હતા.
આ પરિવારમાં 33 વર્ષ બાદ દીકરીનો જન્મ થતા પરિવારમાં અનોખી લાગણી છવાઈ ગઈ હતી. દીકરીને અને માને ઘરમાં આવતા પહેલા બંનેની આરતી ઉતારવામાં આવી હતી. અને ત્યારબાદ ઘરમાં પગલા પાડવામાં આવ્યા હતા. આખા ઘરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. દિકરી ઉપર ફૂલો વરસાવીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આ પરિવારની સોચને ખરેખર સલામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!