Categories
Gujarat Religious

ગીર સોમનાથ જાવ તો હરસિધ્ધિ માતાના મંદિર તથા જગડુશા આશ્રમ જરૂરથી જજો ! ઇતિહાસ એટલો રોચક છે કે જાણી તમે કહેશો “જય હરસિદ્ધિ માતા…

શેઠ સગાડશાનું નામ તો તમે સાંભળ્યું જ હશે? જેને આતિથ્ય ભાવ ખાતર પોતાના દિકરાને ખાંડી ને અતિથિ ને જમાડ્યા હતા. આ અતિથિ એટલે જગતના નાથ ભગવાન નારાયણ! ખરેખર ધન્ય છે, તેમની ભક્તીને! આવા જ ભક્ત પહેલા શેઠ જગડુશા થઈ ગયા અને જેમને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. આજે આપણે તેમની સાથે જોડાયેલ પૌરાણીક કથા વિશે વાત જાણીએ.

આ કથા વિશે અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ! ગીર સોમનાથ જિલ્લામાંનું ગામ જયાં વર્ષોથી જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. સૌથી નવાઈ ની વાત એ છે કે, અહીંયા ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે.આ ગેસ સળગે પણ છે. છતાં આ ગેસની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.

અહીંની જમીનમાં કુદરતી ગેસનો ભંડાર આવેલો છે. આ જગ્યા પર સેંકડો વર્ષોથી અહીંની જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. મહત્વની વાત એ છે કે,ગેસનો ઉપયોગ અહીં જગ્યા પૂરતો ચા બનાવવા તેમજ રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. શેઠ જગડુશા અને હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. નાનકડો આશ્રમ પણ છે. જ્યા સાધુ સંતો આવીને રોકાઈ શકે છે. ગેસથી પ્રજ્વલિત અખંડ જ્યોત પણ જોવા મળે છે. જેને હિમાલયમાં આવેલાં જવાલાજી સાથે સરખાવામાં આવે છે.
.
ગીર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની શેઠ જગડુશાએ કર્ણનો અવતાર હતા. મહાભારત કાળમાં કર્ણએ સોના ચાંદીનું મબલખ દાન કર્યું હતું. આથી જ કર્ણે દાનેશ્વરી તરીકે ઓળખ મેળવી. કર્ણ જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યારે સ્વર્ગમાં તેઓને ભોજન માટે સોનાની થાળીમાં હીરા અને ઝવેરાત પીરસવામાં આવ્યું ત્યારે કર્ણે કહ્યું..’આ કેમ જમી શકાય..?’ ત્યારે સ્વર્ગના દેવો દ્વારા કર્ણને કહેવામાં આવ્યું ‘આપે આપનાં જીવનકાળ દરમિયાન માત્ર સોના ચાંદી અને હીરા ઝવેરાતનું જ દાન કર્યું છે.

આપને અહીંયા પણ એ જ મળે.’ ‘હે અંગરાજ કર્ણ આપ ફરી વખત પૃથ્વી પર જાઓ અને અન્નનું દાન કરો.’ આથી બીજા જન્મમાં શેઠ જગડુશા સ્વરૂપે જન્મ્યા અને પુષ્કળ પ્રમાણમાં અનાજનું દાન કર્યું હતું.દરરોજ ગાય ધરાઈને પાછી આવે.’ તેવું વરદાન માગ્યું. માતાજીએ પ્રસન્ન થઈને આ વરદાન આપ્યું. ત્યારથી આજ દિવસ સુધી આ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી.આથી જ આ વિસ્તારને આજે પણ “લીલી નાઘેર” તરીકે ઓળખવામાં આવે છે.ખરેખર જીવનમાં આ સ્થાનની મુલાકાત અચૂક લેવી જોઈએ.

Categories
Religious Gujarat India

ગીતાબેન રબારી પર થયો રૂપિયાનો વરસાદ, રૂપિયા એટલા કે સ્ટેજ પર જ મોટો પથારો થઈ ગયો… જુઓ તસ્વીર

અમદાવાદના ધંધુકામાં તુલસી વિવાહના શુભ પ્રસંગ અંતગર્ત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક ડાયરામાં ગીતાબેન રબારીએ ભજનની રમઝટ બોલાવી હતી. તેમના ભજનોથી પ્રેરાઈને લોકોએ તેમના પર લાખો રૂપિયા ઉડાવ્યા હતા. આ તસવીરો હાલાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

ગીતાબેન રબારી એક પ્રખ્યાત લોક ગાયિકા છે. તેમના ભજનો અને લોકગીતોએ લોકોના દિલ જીતી લીધા છે. તેમના ભજનોમાં ભક્તિ અને ભાવનાનો સુંદર સમન્વય જોવા મળે છે. તેમના ભજનો લોકોને ભક્તિમાં ડૂબાવી દે છે. આપણે જાણીએ છે કે, ગીતાબેન રબારી એ દેશ વિદેશમાં ભજનની રમઝટ બોલાવી છે અને વિદેશી રૂપિયાનો પણ વરસાદ થયેલો છે.

હાલમાં ધંધુકા લોક ડાયરામાં ગીતાબેન રબારીએ અનેક ભજનો અને લોકગીતો ગાયા હતા. તેમના ભજનોથી પ્રેરાઈને લોકોએ તેમના પર લાખો રૂપિયા ઉડાવ્યા હતા. આ તસવીરો હાલાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ ઘટના દર્શાવે છે કે ગીતાબેન રબારી એક પ્રખ્યાત લોક ગાયિકા છે અને તેમના ભજનો લોકોને ખૂબ જ ગમે છે.

હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે ગીતાબેન ની ચર્ચાઓ થઈ રહી છે, આપણે જાણીએ છે કે ગીતાબેન રબારી પર લાખો રૂપિયાનો વરસાદ થાય છે, આ પહેલીવાર ઘટના નથી બની પરંતુ તુલસી વિવાહમાં આયોજિત આ ડાયરો ગીતાબેન માટે યાદગાર બની રહેશે.

 

Categories
Religious

વિદેશી ભૂરિયાઓએ બોલાવી ભગવાન ઠાકરની જય જય કાર ! બંને વિદેશી યુવકોની બોલી સાંભળી તમારું મનમોહય જશે..જુઓ વિડીયો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે રોજબરોજના જીવનના આવા અનેક વિડીયો વાયરલ થતા રહે છે, જેને જોયા પછી ક્યારેક આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ તો ક્યારેક આપણે હસીએ છીએ, આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધી ગયો છે કે હાલમાં દરેક વ્યક્તિ આપણી પાસે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે અને ઘણા વીડિયો અને કેટલીક તસવીરો પણ લોકોને પસંદ આવી રહી છે.

આવી સ્થિતિમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે વિદેશી યુવકો જય ઠાકરની જય જય કારના નારા લગાવી રહ્યા છે.આ કોઈ પહેલો વિદેશી નથી જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ પહેલો છે અને અમે અમારી સામે આવા ઘણા વિડીયો છે.આ એક એવી ફિલ્મ છે જે જોયા પછી આપણું પણ મનોરંજન થાય છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે.

આવી સ્થિતિમાં હાલમાં જ આ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે તમારો ગુજરાતી યુવક બે વિદેશી ભૂરિયાઓને મળે છે અને તેને “જય ઠાકર” કહેવાનું કહે છે, વીડિયોની ખાસ વાત એ છે કે આ સાંભળીને આ બે વિદેશી યુવકો “જય ઠાકર” બોલવાનું પણ શરૂ કરો. હા, તાજેતરના સમયમાં આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે તે અમને કૉમેન્ટમાં જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Religious

કીર્તિ પટેલ પહોંચી કબરાઉ ધામ! મણીધર બાપુ પાસે માંગ્યા આશીર્વાદ કે….જુઓ વિડિયો શું માગ્યું

ગુજરાતમાં સૌથી ચર્ચિત નામ એટલે કીર્તિ પટેલ. હાલમાં જ કીર્તિ પટેલ એ કબરાઉ ધામમાં માં મોગલના દર્શન કરીને મરણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને કહ્યું કે હું બાપુની દીકરી છું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આખરે કીર્તિ પટેલ બાપુ પાસે કેવા આશીર્વાદ માંગ્યા તે તમે જાણશો તો ચોંકી જશો.

હું કબરાઉ ધામ પહેલીવાર આવી છું, મારે બાપુ એવા આશીર્વાદ જોઈ છે કે દુનિયામાં ક્યાંય પણ ખોટું થતું હોય તો ત્યાં હું આગળ આવીને અવાજ ઉપાડું અને હરેક વ્યક્તિને ન્યાય અપાવું એવા આશીર્વાદ આપો બાપુ. આજથી હું બાપુની દીકરી છું.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો હાલમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયો પર સૌ કોઈ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ખરેખર આ વિડીયો જરૂરથી જોજો.

Categories
Religious

કેરેલા ખાતે યોજાયેલ શ્રી રામ કથામાં લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી એ પરિવાર સાથે આપી ખાસ હાજરી, જુઓ આ ખાસ તસવીરો…

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમની પત્ની સોનલ ગઢવીએ તાજેતરમાં ગુરુવયુર, કેરળમાં વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુની ભવ્ય અને દિવ્ય શ્રી રામ કથા સાંભળી હતી. આ કથા સાંભળીને કિર્તીદાન અને સોનલ ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છે.

કિર્તીદાન ગઢવીએ આ કથા સાંભળવાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, “ગુરુવયુરમાં પૂજ્ય મોરારીબાપુની શ્રી રામ કથા સાંભળીને અમે બંને ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ.

મોરારીબાપુની કથામાં રામકથાના સાચા અર્થ અને મહત્વને સમજવા મળ્યું. તેમની કથા સાંભળીને અમે આત્મશાંતિ અને શાંતિનો અનુભવ કર્યો છે.”

મોરારીબાપુની રામ કથામાંથી સૌને શીખ મળે છે કે આપણે હંમેશા સારા માર્ગે ચાલવું જોઈએ. આપણે હંમેશા સત્યનો પક્ષ લેવો જોઈએ. આપણે હંમેશા દુઃખીઓની મદદ કરવી જોઈએ. આપણે હંમેશા ધર્મનું પાલન કરવું જોઈએ.”

મોરારીબાપુની કથાએ મારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. કિર્તીદાન અને સોનલ ગઢવીની આ પોસ્ટને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. લોકોએ તેમને આ કથા સાંભળવા બદલ અભિનંદન આપ્યા છે.

 

 

Categories
Religious Gujarat

જાણો શુ છે સુરાપુરા ધામ ભોળાદ નો ઈતિહાસ ??? દાદા એ ખુબ જણાવ્યુ કે કેવી રીતે નોકરી કરતા સાથે ધર્મકાર્ય….જુઓ વિડીઓ

શ્રી સુરાપુરા દાદા ભાળોદ ( shree surapuara dada) અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે.  આજે ગુજરાતના (Gujarat) ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

આજે અમે આપને જણાવીશું કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે અને શ્રી દાનભા બાપુ એ ધર્મકાર્યની શું વાતો જણાવીશું, જે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે. ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન (life) કલ્યાણકારી બનાવી રહ્યા છે, તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે.

દાનભા ભુવાજીએ અમૃતભક્તિમાં આપેલ ઇનરવ્યુમાં શ્રી સુરાપુરા દાદાનો ઇતિહાસ વિશે જણાવેલ જે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ. વર્ષ 2016મા અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં તે જે સ્થાન પર હતા એ મારગ દેખાડ્યો. દેવી પૂજકના મકાનો હતા તેની આગળ દાદાની ખાંભીઓ છે.

દાનભા ભુવાજીએ જણાવેલ કે, જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે.જેથી દાનભા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે પણ આ આપણા પૂર્વજ તો છે. હવે આપણે તેનું ભજન કરવુ. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યાં હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરજો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે.

શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓની આવશે અને લોકોના કામ થશે અને ત્રણ ટાઇમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે.

આ ઇન્ટવ્યૂમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કાઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી  દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી (job)કરું એ મારું કર્મ છે અને હું આ કે કાર્ય કરું એ ધર્મકાર્ય છે અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરૂં છું તેમાંથી મારું બધું પુરુ થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રધ્ધાનું નહિ પણ આસ્થાનું ધામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Categories
Entertainment Featured Religious

શ્રાવણ માસ મા મહાદેવ ને પ્રસન્ન કરવા કરજો આ ખાસ કામ ! થઈ જશો માલામાલ….જાણો વિગતે

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી નું પૂજન કરવામાં આવે છે. આમ તો ભગવાન ની પૂજા અર્ચના કરવા માટે ઘણા પ્રકાર ની સામગ્રીઓ ચડાવવામાં આવતી હોય છે. પરંતુ થોડા વિશેષ પારકારના ફૂલ પણ એમને ચડાવવામાં આવતા હોય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર દરેક ભગવાન ને ફૂલ બહુ જ પ્રિય હોય છે.

પરંતુ પુરાણો અને શાસ્ત્રો ની માનવામાં આવે તો થોડા ફૂલો એવા પણ હોય છે કે જે ઘણા ભગવાન ને ચડાવવામાં આવતા નથી. ભગવાન શિવ જી ના શિવલિંગ પર કેતકી, જુહી, કુંદ, શિરીષ, મદંતી, કેવડા, બાહેંડા, કરેણ અને કમળ અર્પિત કરવામાં આવતા નથી. તો આવો જાણીએ કે ભગવાન શીવ ને ક્યાં ક્યાં ફૂલો / પાન અર્પિત કરી શકાય છે.

બિલીપત્ર : ભગવાન શિવ ને બિલીપત્ર અર્પિત કરીને તેમને જલ્દી જ પ્રસન્ન કરવા હોય તો કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર બિલીપત્ર બહગવાન શિવ ની ત્રીજી આંખ નું પ્રતિક ગણાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી ને એક સાથે બિલીપત્ર ચડાવવાથી સુખ સમૃધ્ધિ , ધન , ઐશ્વર્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ભાંગ ના પાંદડા : ભગવાન શિવ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેર ને પોતાના ગળામાં ધારણ કરીને નીલકંઠ કહેવાયા છે. એવામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને ભાંગ ના છોડ ના પાંદડા એ આવશ્ય ચડાવો, શિવલિંગ પર ભાંગ ના પાંદડા ને ચડાવતી તમારા મન ના વિકારો અને નકારાત્મકતા દૂર થઈ જાય છે.

શમી પત્ર : ભગવાન શિવ ને શમી ના પાન પણ બહુ જ પ્રિય છે, એવામાં જો શ્રાવણ મહિનામાં શિવ લિંગ પર અભિષેક કર્યા બાદ શમી ના પાન ચડાવવામાં આવે તો તેનાથી ભોળાનાથ ની સાથે સાથે શનીદેવ ની પણ કૃપા મળી રહે છે.

દુર્વા : ધાર્મિક માનયતા અનુસાર દુર્વા માં અમૃત નો અંશ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશ જી ને દૂર્વા અતિપ્રિય છે. આથી જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને દૂર્વા અર્પિત કરવામાં આવે તો અકાળ મૃત્યુ ના ભય દૂર થઈ જાય છે.

ધતૂરો : શિવપુરાણ અનુસાર શિવજી ને ધતૂરા બહુ જ પ્રિય છે. જો ધતૂરા ના પાનને શિવલિંગ પર અર્પિત કરવામાં આવે તો ભક્તો ના દરેક ખરાબ વિચાર નસ્ટ થઈ જાય છે અને તેમના વિચાર સકારાત્મક થઈ જાય છે.

પીપળના પાન : શાસ્ત્રો અનુસાર પીપલ માં ત્રિદેવો નો વાસ હોય છે. પીપળ ના પાન પર ભગવાન શિવ નો વાસ હોય છે ભગવાન શિવ ને પીપળ ના પાન જો અર્પિત કરવામાં આવે તો ગ્રહો ના દોષ દૂર થઈ જાય છે અને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવી જાય છે.

આંકડા : આંકડાના ફૂલ અને પાંદડા બંને જ શિવજીને બહુ જ પ્રિય છે. માનીતા છે કે જે ભક્ત ભગવાન શીવ ને આંકડાના ફૂલ અથવા પાન અર્પિત કરે છે તે ને ભગવાન શિવ દૈહિક, દેવિક અને ભૌતિક દરેક પ્રકાર ના કષ્ટો હારી લે છે.

આંબાના પાન : જો ભગવાન શી ને આંબાના પણ અર્પિત કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃધ્ધિ આવે છે અને ભક્તોનું દુર્ભાગ્ય દૂર થાય છે આ સાથે જ ધન લાભ ની સંભાનાઓ વધી જાય છે.

Categories
Religious

શું તમને ખબર છે ? ગાયને રોજ રોટલી ખવડાવાથી થાય છે આ આ ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…..

હિન્દૂ ધર્મ વિશે જો વાત કરવામાં આવે તો ગાયને હિન્દૂ ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે, એટલું જ નહીં કહેવામાં આવે છે ગાયોની અંદર 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થઇ જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમન ગાયને રોટલી ખવડાવવાના ક્યાં ક્યાં ફાયદા થાય છે તે અંગેની વાત લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં પણ આ અંગેની અનેક જાણકારી આપવામાં આવી છે જેમાં ગાયને શું ખવડાવું અને કેવી રીતે ખવડવો તો તેના ફાયદા મળી રહે.

જો તમે રોટલી બનાવતી વખતે તેનો લોટ બાંધતા હોવ તો સૌ પ્રથમ તમારે એ જ વિચાર મનમાં રેહવો જોઈએ કે પેહલી રોટલી ગાય માટે બનવી જોઈએ અને તેને જ ખવડાવી જોઈએ. તમારી ઈચ્છા હોય તો તમે એક કરતા વધારે રોટલી પણ ગાયને ખવડાવી શકો છો. આમ તો સામાન્ય લોકો ગાયને વાસી રોટલી અથવા તો વધેલી રોટલી ખવડાવતા હોય છે જે સારી વાત નથી કારણ કે જેમ બને તેમ ગાયને પણ ગરમ રોટલી ખવડાવી જોઈએ.

તમે આ માહિતીથી તો અજાણ જ હશો કે જયારે પણ તમે ગાયને રોટલી ખવડાવા જાવ ત્યારે રોટલી સામાન્ય ન હોવી જોઈએ, તેમાં ગઈ તથા અમુક વખત આવા રોટલીની અંદર ગોળના ટુકડાને પણ નાખવા જોઈએ, જો તમે આવું કરશો તો તમને ભગવાન સારું ફળ આપશે તેમ જ ભગવાન તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે ગાયને સવારે તથા સાંજના સમયે પણ રોટલી આપી શકાય છે તે રોટલી આપવા અંગે કોઈ ચોક્કસ સમય રહેલો હોતો નથી.

શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો ગાયને રોટલી ખવડાવાથી ઘરમાં બરકત બની રહી છે અને ઘરમાં લક્ષ્મીનું પણ આગમન થતું રહે છે, એટલું જ નહીં આવું કરવાથી કરિયર તથા બિઝનેશમાં પણ ઘણો ફાયદો થાય છે. ગાયને રોટલી ખવડાવાથી ભાગ્ય પણ ખુલ્લી જતા હોય છે, ગાયને રોજ આવી જ રીતે રોટલી ખવડાવાથી ઈશ્વરની કૃપા પણ આપણી પર બની રહે છે. આવું સેવાનું કાર્ય કરવાથી મન શાંત તેમ જ સ્થિર પણ બન્યું રહે છે.

Categories
Gujarat India Religious

શરીરમાં હનુમાનજી આવ્યાનું કહી પૂજારીએ પીધું અઢળક સિંદુર પરતું પછી જે થયું જોઇને લોકો આશ્ચર્ય પામ્યા કારણ કે તરતજ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ દુનિયા ઘણી વિશાળ છે જેના પર અનેક જીવ અને અન્ય વસ્તુઓ આવેલ છે. ત્યારે ઘણી વખત એવો વિચાર આવે કે આખરે આ સમગ્ર દુનિયા ને કોણ ચલાવતું હશે ત્યારે એકજ જવાબ સામે આવે છે કે આ દુનિયાના માલિક પરમાત્મા છે. આપણે સૌ પરમાત્મા ની દૈવીય તાકાત ને અલગ અલગ રૂપમાં પૂજીએ છીએ અને દરેક ને આ તાકાત પર અતુટ વિશ્વાસ છે. તેવામાં આ કળયુગ માં પણ ઘણી એવી ઘટના સામે આવે છે જે ઘટના બનવા પાછળ નું કારણ કોઈ જાણી શકતું નથી લોકો તેને ચમત્કાર કહે છે.

આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ હનુમાન જયંતી હતી, આ ધરા પર હનુંમાંજી અજર અમર દેવ છે કે જેમની ભક્તિ માત્રથી તમામ દુઃખ દુર થાય છે હનુંમાંજી ને સાચા મનથી યાદ કરવામાં આવે તો તે પોતાના ભક્તો ની વહારે જરૂર આવે છે તેવામાં હનુમાન જયંતી ના દિવસે લોકો દ્વારા હનુંમાંજી ની ભવ્ય ભક્તિ અને પૂજા કરવામાં આવી આ સમયે એક એવો બનાવ સામે આવ્યો જેને જાણીને ચોકી જાસો.

આ ઘટના જામનગર ની છે. જણાવી દઈએ કે અહી કિશન ચોક પાસે એક હનુમાનજી નું મંદિર આવેલ છે. જેને લોકો ફુલીયા હનુંમાંજી મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર ઘણું પ્રાચીન છે જેમાં વર્ષોથી ઘણીજ ધામ ધૂમ થી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. અહી ના પુજારી દીપક ભાઈ કુબાવત છે કે જેઓ તેમના પિતા અને દાદા બાદ ત્રીજી પેઢીએ આ મંદિર ની સેવા કરી રહ્યા છે.

પરંતુ આ મંદિર માં હનુમાન જયંતી ના દિવસે જે નજરો જોવા મળ્યો તેના કારણે લોકો ચોકી ગયા કારણ કે મંદિરમાં સાંજના સમયે પૂજા અને આરતી કર્યા બાદ આશરે ૫.૩૦ ના સમયે પુજારી દીપક ભાઈ કુબાવત ને હનુમાનજી આવ્યા નો ભાસ થયો જે બાદ તેમણે હનુમાનજી ના થારમાં રહેલ સુકાનની સિંદુર ની પ્રસાદી અને તેલ ના થાળી જેટલા મિશ્રણ ને દીપક ભાઈ કુબાવત પુજારી પી ગયા.

કહેવાય છે કે સિંદુર પીવાના કારણે વ્યક્તિ નો અવાજ ચાલ્યો જાય છે અને તેમનો અવાજ ને પણ નુકશાન થાય છે. જોકે આટલું બધું સિંદુર પીધા પછી પણ દીપક ભાઈ કુબાવત પુજારીને કોઈ વાંધો આવ્યો નહિ. આ જોઈને લોકો ઘણા આશ્ચર્ય પામ્યા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India Religious

સાવધાન! આ દિવસે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ધાર્મિક રીતે આટલી વસ્તુનુ રાખવું ધ્યાન નહીં તો થશે આ નુકશાન..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું અંતરીક્ષ ઘણું જ વિશાળ છે લોકો દ્વારા અંતરીક્ષ ને લઈને માહિતી મેળવવામાં ઘણી રૂચી જોવા મળે છે સામાન્ય વ્યક્તિથી લઈને વૈજ્ઞાનિકો સુધી દરેક માટે અંતરીક્ષ એક રસનો વિષય છે કારણકે અંતરિક્ષમાં જોવા મળતી સમયે-સમયે ઘટના વ્યક્તિઓને ઘણી જ આશ્ચર્યચકિત કરી મૂકે છે આવી ઘટનાઓ વૈજ્ઞાનિક તથા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે હાલમાં આવી જ ઘટના ટૂંક સમયમાં જોવા મળશે જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે

જાણકારી માટે જણાવી દઈએ કે સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચાંદ હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે. જ્યારે ખગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક ભાગ જ ઢંકાય છે.

જો વાત હાલના સૂર્ય ગ્રહણ અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થવાનું છે. આ દિવસે શનિચરી અમાવસ્યા છે. જેના કારણે આ સૂર્ય ગ્રહણનું ખાસ મહત્વ છે. જણાવી દઈએ કે આ સૂર્ય ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ છે જેના કારણે ગ્રહણ નું સુતક સમયગાળો માન્ય રહેશે નહીં, પરંતુ આ દરમિયાન કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તે જીવન પર ભારે પડી શકે છે.

સૌ પ્રથમ જો વાત આ ગ્રહણ ના સમયગાળા અંગે કરીએ તો જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણ બપોરે 12:15 થી 04:07 સુધી ચાલશે. આ દરમિયાન દેશમાં 1 મેની તારીખ હશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 52 મિનિટનો રહેશે.

હવે જો વાત ગ્રહણ દરમિયાન ધ્યાન માં રાખવા ની બાબત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ગ્રહણ ના સમયને શુભ માનવામાં આવતો નથી. માટેજ આ સમયે ભગવાનનું ધ્યાન કરવુ ઉપરાંત તુલસીના પાનને ભોજન અને પાણી વગેરેમાં નાખો, જેથી ગ્રહણની નકારાત્મક અસર તેમના પર ન પડે. ઘરના મંદિરને પડદા, દરવાજા અથવા કોઈપણ કપડાથી ઢાંકી દો અને અંતે સૂર્યગ્રહણ પૂરા થઈ ગયા પછી સ્નાન કરો અને દાન કરો.

જણાવી દઈએ કે એવી માન્યતા છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે માટે આ સમય માં કોઈ પણ શુભ કાર્ય ન કરવું. ગ્રહણ ના સમય્ દરમિયાન ભોજન ન બનાવવુ અને જમવું પણ નહીં સાથો સાથ બહાર જવાનું ટાળવું જોઈએ.

જે મહિલા ગર્ભવતી છે તેમના માટે આ ગ્રહણ માં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જણાવી દઈએ કે એવી માન્યતા છે કે ગ્રહણની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ પર જ પડે છે. તેથી, ગર્ભવતી મહિલાઓને ગ્રહણના સમયગાળા દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ કે ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમય દરમિયાન તે સારા પુસ્તકો વાંચવાની સાથે ભગવાનની પૂજા પણ કરી શકે છે.