Categories
Gujarat India Religious

જાણો ક્યાં છે મનોકામના પૂર્ણ કરનાર આ મંદિર કે જ્યાં સક્ષાત બિરાજે છે બાર બીજના ધણી રામદેવ પીર..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી ધરતી ઘણી જ પાવન અને પુણ્યશાળી છે અહીં અનેક સાધુ સંતો થઈ ગયા આ ઉપરાંત આ પાવન ધારા પર ભગવાને પણ સાક્ષાત અવતાર લીધા છે. માનવ જાત ને સમયે સમયે માર્ગદર્શન આપવા માટે અનેક મહાન વ્યક્તિ પૃથ્વી પર આવ્યા. આપણે અહી રામદેવપીર વિશે વાત કરવાની છે.

જણાવી દઈએ કે એવી માહીતી છે કે રામદેવ પીર]નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાન ના બારમેર માં કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

જણાવી દઈએ કે રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ ( કૃષ્ણા ) ના અવતાર માનવામાં આવે છે. રામદેવ પીર ની પૂજા ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત ના વિસ્તાર માં કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

આપણે અહીં આવા જ એક મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં બાર બીજના ધણી તરીકે ઓળખાતા રામદેવ પીર સાક્ષાત બિરાજમાન છે આ મંદિર નીલકંઠ તોરણીયા ધામ તરીકે ઓળખાય છે. કે જ્યાં ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે અહીં દૂર દૂર થી લોકો દર્શને આવે છે અને આરતી નો લાભ લે છે અહીં એક ભવ્ય રસોડું પણ છે કે જ્યાં ભક્તો ને પ્રસાદી આપવાનું અને ભોજન આપવાનું કામ કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India Religious

મોગલમા ના એક દિવાની તાકાત દંપતીની તકલીફ થઈ દૂર ઘટના જાણી બાપુએ કહ્યું કે માતાજી પર…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર પૃથ્વી ઈશ્વર ની છે અને તેમના દ્વારા જ સમગ્ર પૃથ્વી નું સંચાલન થાય છે આપણે સૌ તે પરમાત્મા પર અતૂટ વિશ્વાસ રાખીએ છિએ જ્યારે પણ આપણે કોઈ મુશ્કેલી માં હોઈએ કે પછી કોઈ ખુશી નો માહોલ હોઈ ત્યારે આપણે સૌ પ્રથમ ભગવાન ને જ યાદ કરીએ છિએ. ભગવાન પણ પોતાના ભક્તો ની વહારે આવે છે.

સાચા મને ઈશ્વર ને યાદ કરનાર વ્યક્તિ ની ભક્તિ ક્યારે વ્યર્થ જતી નથી. આવો જ એક શ્રદ્ધા અને ભક્તિ નો બનાવ સામે આવ્યો છે જેમા માં મોગલ પર વિશ્વ અને માતાજી ના નામના માત્ર એક દિવા ની તાકાત શું છે તેના વિશે ખ્યાલ આવે છે તો ચાલો આપણે શ્રદ્ધા ના આ બનાવ વિશે વધુ માહિતી મેળવીએ.

મળતી મહિતો અનુસાર આ બનાવ એક દંપતિ નો છે કે જ્યાં એક મહિલા ના પતિનું સોના નું કડુ ખોવાઈ ગયું હતું જે બાદ પરિવાર દ્વારા અનેક જગ્યાએ ગોતવા છતા કડુ ના મળતા પરિવાર ના લોકો હેરાન થઈ ગયા અને અંતે મહિલાએ માં મોગલ ને દિવો કરી કડુ મળી જાય તેવી માનતા કરી અને માત્ર કલાક માં જ કડુ મળી ગયું.

માનતા પૂરી થતાં મહિલા મોગલ માં ના મંદિરે 2100 રૂપિયા માં ના ચરણો માં અર્પણ કરવાના ઇરાદે મણીધર બાપુને આપ્યા ત્યારે બાપુએ પૈસા લઇ તેમાં એક રૂપિયો ઉમેરી દંપતિ ને પરત કર્યા અને કહ્યું કે આ બધું માતાજી નું જ આપેલ છે તમારું કડુ મળ્યું એ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારી શ્રદ્ધા છે માં મોગલ પર્ હંમેશા શ્રદ્ધા રાખજો અંધશ્રધ્ધા નહીં.

Categories
India National Religious

આ મંદિર છે કાશ્મીરી હિંદુ માટે આસ્થાનું કેન્દ્ર! જાણો મંદિર અંગે ખાસ અને રહસ્યમય વાતો પરંતુ કશ્મીરમાં હોવા છતાં પણ આજે કોઈ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ ભગવાન અને સંતો ની ભૂમિ છે આપણે સૌ જાણીએ છીએ કે અહી ભગવાને સમયે સમયે પોતાના માનવીય રૂપમાં આવી ને ધરતી પરથી રક્ષાસો નો નાસ કરી લોકોને નવા જીવન તરફ રાહ બતાવી છે આ રાહ પર કઈ રીતે ચાલવું તેનું જ્ઞાન ભારતીય સંતો દ્વારા આપવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન ભારત જ્ઞાન અને સમૃધી બાબતે ઘણું અગ્રેસર હતું વિશ્વનો કોઈ દેશ ભારત ને ટક્કર આપી શકતું ના હતું.

આજે પણ ભારત માં આવી અનેક જગ્યા છે કેજે ભારત ના પ્રાચીન પ્રાચીન અને સમૃદ્ધ વારશાના દર્શન કરાવે છે આવુજ એક મંદિર કશ્મીર માં પણ છે જેને લઈને હાલમાં ઘણી ચર્ચામાં થઇ રહી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ દેશમાં કશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રીલીઝ થઇ હતી જેમાં કાશ્મીરી હિંદુ સાથે થયેલ અત્યાચાર અને તેમની હત્યા તથા મહિલા ના બળાત્કાર ઉપરાંત અને અનેક બાબતો અંગે દર્શાવવામાં આવ્યું છે.

 

અને કઈ રીતે કાશ્મીરી હિંદુઓ ને ભાગવા પર મજબુર કર્યા છે તેની સમગ્ર વાર્તા આ ફિલ્મમાં છે જેને લઈને હવે લોકો કશ્મીર અને કાશ્મીરી હિંદુઓ વિશે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જે કાશ્મીરી હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તે પ્રાચીન રીતે તથા આધ્યાત્મિક રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે તો ચાલો આપણે આ મંદિર વિશે વધુ માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે આ મંદિર શિક્ષા ની દેવી શારદા ને સમર્પિત છે. આ મંદિર પાકિસ્તાન ના કબજા વાળા કશ્મીર માં મુજફ્ફરા બાદથી ૧૪૦ કિમી ઉપરાંત કુપવાડાથી ૩૦ કિમી દુર નિયંત્રણ રેખા પાસે આવેલ નીલમ નર્ગી પાસે આવેલ છે. આ મંદિર આશરે ૫ હજાર કરતા પણ વધુ વર્ષો જુનું છે, આ મંદિર ની ગણના શક્તિપીઠ માં કરવામાં આવે છે. જણાવી દઈએ કે પ્રાચીન સમયમાં આ મંદિર શિક્ષા નું કેન્દ્ર હતું. મંદિર ની સ્થાપના મહારાજ અશોક દ્વારા ઇસ વીશન પૂર્વે ૨૩૭ માં થઇ હોવાનું માનવામાં આવે છે.

આ મંદિર કાશ્મીરી હિંન્દુઓ માટે ખાસ મહત્વનું છે અહી અનેક લોકો દર્શને આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદિર ની સારસંભાળ લેવામાં આવી નથી ઉપરાંત છેલ્લા ૭૦ વર્ષથી મંદિરમાં પૂજા પણ કરવામાં આવી નથી જેના કારણે આ મંદિર ને લઈને જયારે પણ વાત આવે ત્યારે દરેક કાશ્મીરી પંડિત ના આંખમાં આંસુ આવી જાય છે. જો વાત મંદિર ના પ્રાચીન સમય અંગે કરીએ તો કહેવાય છે કે આ મંદિર શક્તિ સંપ્રદાઈ નું પહેલું તીર્થ સ્થળ છે. અહી જ પહેલી વખત દેવીની પૂજા કરવામાં આવી હતી.

માનવામાં આવે છે કે જયારે ભગવાન શિવ દ્વારા માતા સતી ના દેહ ત્યાગ બાદ તેમના શબને લઈને જયારે તાંડવ કરી રહ્યા હતા ત્યારે માતાનો જમણો હાથ અહી પડ્યો હતો. આ મંદિર ને ત્રણ શક્તિ નું સંગમ માનવામાં આવે છે જેમાં માતા શારદા કે જેઓ શિક્ષાન દેવી છે માતા સરસ્વતી કે જેઓ જ્ઞાનના દેવી છે અને માતા વાગ્દેવી કે જેઓ વાણી ના દેવી છે. જણાવી દઈએ કે એવી પણ માન્યતા છે કે શૈવ સંપ્રદાય ના જનક એવા શક્રચાર્ય અને રામાનુજાચાર્ય અહી આવીને જ અનેક શક્તિ મેળવી હતી

Categories
Gujarat India National Religious

ગુરુ ભક્તો માટે માઠા સમાચાર! ગોંડલ સંત 1008 મહામંડલેશ્વર પૂ હરિચરણદાસ બાપુના દિવ્ય આત્મા પરમાત્મા માં વિલીન..

મિત્રો આપને સૌ જાણીએ છિએ કે સદીઓ થી આપણી ભારત ની ભૂમિ સંતો અને ઋષિઓ ની રહી છે આ પાવન ધરા પર અનેક મહાન આત્મએ સમયે સમયે જન્મ લીધો લોકોને સાચો માર્ગ બતાવ્યો સમાજ ને અંધકાર માંથી બહાર કાઢવાનું કામ પણ આવા જ સંતોએ કર્યું સાચી ભક્તિ અને સેવા થકી માનવતા મહેકાવી પરંતુ જ્યારે આવા પથદર્શી આપણા વચ્ચેથી જાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે.

હાલમાં સમજ ને આવોજ ખોટ નો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હાલમાં એક ઘણી જ દુઃખદ માહિતી મળી રહી છે કે ગોંડલના રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ દુઃખદ માહિતી મળતા ભક્તો માં શોક વ્યાપી ગયો છે ઉપરાંત અનેક લોકો ગુરુજી ના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે.

જણાવી દઈએ કે ગુરુજી એ 100 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહ્યું છે જણાવી દઈએ કે હાલમાં તેમના પાર્થિવદેહને મંદિરમાં ભાવિકો ના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જે બાદ અંતિમ ક્રિયા માટે તેમના પાર્થિવ દેહ ને ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. જણાવી દઈએ કે ભારતના દમદાર એવા ક્રિકેટર પૈકી એક ચેતેશ્વર પૂજારા પણ ગુરુજી ને ઘણું માનતો હતા.

જો વાત ચેતેશ્વર પૂજારા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ જન્મ દિવસ, વર્ષ ગાંઠ કે પછી રમત પર જતા પહેલા અચૂક પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ લેતા હતા. જણાવી દઈએ કે 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ નું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું.

જો વાત ગુરુજી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ બિહારના પંજરવામાં ચૈત્ર સુદ છઠ ના દિવસે વર્ષ 1921માં થયો હતો. જો વાત ગુરુજી ના ધાર્મિક કર્યો અને સેવાકીય કર્યો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના દ્વારા અનેક સેવાકીય કર્યો કરવામાં આવ્યા છે જણાવી દઈએ કે વર્ષ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી તેઓ ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું.

અને હાલમાં તેઓ આશરે 70 વર્ષથી તેઓ સેવા કરી રહ્યા છે 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. આ ઉપરાંત તેમણે પોતાના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરિયુ નદીના કિનારે ભજનો પણ કર્યા છે. જણાવી દઈએ કે ગુરુજી એ ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું ઉપરાંત રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી.

જો વાત છેલ્લા અમુક સમયથી ગુરુજી ની તબીયત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયું હોવાથી તેમની સ્થિતિ થોડી ગંભીર હતી આ ઉપરાંત ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં ગુરુજી ને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. જે બાદ તેમની સારવાર કરવામાં આવી હતી આ ઉપરાંત 2 ફેબ્રુઆરી 2020માં તેઓ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતાં થાપામાં ફ્રેક્ચર થયું હતું જે બાદ રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી.

Categories
Gujarat India Religious

સાચી ભક્તિની મિસાલ! માનતા પૂરી થતાં યુવકે અધધ આટલા રૂપિયા મોગલમા ના ચરણે મૂક્યા પરંતુ બાપુએ જેકહ્યું…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર સંસાર ને એક દૈવિય તાકાત ચલાવે છે જેમને આપણે ભગવાન તરીકે ઓળખીએ છિએ. આપણે સૌ જાણીએ છિએ કે આ કલયુગ માં પણ એવા ઘણા બનાવો છે કે જ્યાં ભગવાનના અનેક પર્ચા જોવા મળે છે. વ્યક્તિ જ્યારે પણ મુશ્કેલી માં મૂકાઈ ત્યારે તે સૌથી પહેલા પ્રભુ શરણ માં જ જાય છે.

ભગવાન પણ સાચા મનથી ભક્તિ કરનાર લોકો પર પ્રશન થાય છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. આપણે આજે પણ એવા ઘણા મંદિર વિશે જાણીએ છિએ કે જ્યાં પ્રાર્થના કરવા માત્રથી ભક્તો ના સંકટો દૂર થાય છે. આવું જ એક મંદિર કાબરાઉ માં છે કે જ્યાં માં મોગલ બિરાજે છે.

આપણે સૌ મોગલ મા ના અવાર નવાર થતાં પર્ચા વિશે જાણીએ છિએ માની સાચા મનથી ભક્તિ કરનાર વ્યક્તિ હંમેશા આબાદ રહે છે. અને કોઈ પણ મુશ્કેલી તેને નડતી નથી. માટે જ લોકો દૂર દૂર થી માની માનતા રાખવા અને માના દર્શન કરવા માટે આવે છે. હાલમાં આજ બાબત ને લઈને એક અનોખો બનાવ સામે આવ્યો છે કે જ્યાં સાચી ભક્તિ ના દર્શન થાય છે.

આ બનાવ એક વ્યક્તિની છે કે જેણે પોતાના કાર્યને પૂરું થાય તે માટે માતાજી ની માનતા રાખી હતી. જે બાદ વ્યક્તિ ની મનોકામના પૂર્ણ થતાં વ્યક્તિએ માના ચરણોમાં 3 લાખ 20 હજાર રૂપિયા ની ભેટ અર્પણ કરવા ત્યાં હાજર મણીધર બાપુ ને આ રકમ આપી જે બાદ પહેલા તો બાપુએ આ રકમ લઇ લીધી.

પરંતુ તે બાદ બાપુએ યુવક ને પુછ્યુ કે શું માતાજી એ તમારી મનોકામના પૂર્ણ કરી ? જેના જવાબ માં વ્યક્તિ એ હા કહ્યું જે બાદ બાપુએ યુવકે આપેલા 3 લાખ 20 હજાર રૂપિયાના બે સરખા ભાગ કર્યા અને તેમાં બે રૂપિયા ઉમેરી ને યુવક સાથે આવેલ બે યુવતિ ને આપ્યા અને કહ્યું કે આ રકમ મોગલ માએ આપી છે.

બાપુએ કહ્યું કે માતાજી ને આ પૈસાની જરૂર નથી. આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માતાજી તમારાં પર પ્રશન રહે ઉપરાંત બાપુએ એ પણ કહ્યું કે માતાજી પર વિસ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ના રાખવા કહ્યું કે બાપુએ કહ્યું કે માતાજી આપવા વાળા છે પરત લેવા વાળા નથી.

Categories
India National Religious

કુપ્રથા! આ વિસ્તાર માં દિકરી ના લગ્ન પોતાના જ પિતા સાથે કરવામાં આવે છે કારણ કે પિતાને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લગ્નને ઘણો પવિત્ર સંબંધ માનવામાં આવે છે. લગ્ન એ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્મા નું મિલન છે. લગ્ન બાદ પતિ પત્ની કાયમ માટે એક બીજા ના સુખ દુઃખ ના ભાગીદાર થઈ જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક ધર્મ જાતિ માં લગ્નને લઈને અલગ અલગ અનેક માન્યતા છે. જે પૈકી અમુક સારી બાબતો છે તો અમુક કુપ્રથા પણ છે.

આપણે અહીં આવીજ એક કુપ્રથા વિશે વાત કરવાની છે કે જેણે જાણીને તમે હેરાન રહી જાસો. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પિતા પુત્રી નો સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે દરેક પુત્રી માટે તેના પિતા ભગવાન સમાન હોઈ છે. આપણા દેશમાં તો દીકરી ને દેવી ની જેમ પૂજવામાં આવે છે દિકરી પ્રત્યે ખરાબ વિચાર લાવવા પણ પિતા માટે પાપ છે.

પરંતુ આપણે અહીં એક એવી પ્રથા વિસે વાત કરવાની છે કે જ્યાં દીકરી ના લગ્ન પિતા સાથે કરાવવામાં આવે છે. આ કુપ્રથા બાંગ્લાદેશમાં રહેતી મંડી જનજાતિમાં છોકરીઓના લગ્ન તેમના પિતા સાથે જ કરવામાં આવે છે. આ પ્રથાને લઈને અહીંની એક મહિલા કે જેમનું નામ ઓરોલા છે તેમણે ચોકાવનારા ખુલાસો કર્યો છે.

ઓરોલા ના જણાવ્યા અનુસાર તેઓ ઘણા નાના હતા કે જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવશાન બાદ ઓરોલાની માતાના નોટેન નામના એક વ્યક્તિ સાથે લગ્ન કરાવ્વામા આવ્યા. નોટેન ને લઈને ઓરોલા હંમેશા વિચારતી હતી કે તે કેટલા સારા છે. જો કે ઓરોલા ને તેના બીજા પિતા પસંદ હતા.

આ બાબત ને લઈને ઓરોલા કહે છે કે જ્યારે તે યુવાન થઈ ત્યારે તેને ખબર પડી કે તેના બીજા પિતા નોટેન જ તેના પતિ છે. આ અંગે સાંભળીને ઓરોલાને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે, પરંતુ તે સાચું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 3 વર્ષની હતા ત્યારે તેમના લગ્ન પિતા સાથે થયા હતા. આમ ઓરોલાના પિતા જ તેમના પતિ હતા. જો કે આ અહેવાલ થોડો જૂનો છે, પરંતુ આજે પણ આ પ્રથા પ્રચલિત છે.

સૌજન્ય:- અંગ્રેજી વેબસાઇટ ધ ગાર્ડિયન

Categories
Gujarat India National Religious

સાવધાન! આવનાર હોળીમા નાં કરતા આ કામ નહીંતો થશે નુકશાન જાણો હોળી ના ખાસ મુહૂર્ત વિશે..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણો દેશ અનેક સંસ્કૃતિ અને સભ્યતા ના લોકોનો વસવાટ ધરાવતો દેશ છે આપણો દેશ વિવિધ ધર્મ અને સંપ્રદાયનો દેશ છે અહીં અનેક વિચારધારાવાળા લોકો વસે છે આપણા દેશમાં અવાર નવાર અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે વારંવાર આવતા તહેવારોમાં લોકો ઘણો આનંદ માણે છે આપણે સૌ જાણે છે કે હાલમાં કોરોના મહામારી ને કારણે છેલ્લા બે વર્ષથી લોકોમાં તહેવારને લઈને ઘણા પ્રતિબંધો જોવા મળ્યા હતા પરંતુ હવે જ્યાં કોરોના ની સ્થિતિ હળવી પડી છે તેના કારણે દેશમાં ફરી એક વખત તહેવારને લઈને ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે અહીં હોળી દહન ના મુહૂર્ત અને હોળીના દિવસ ને લઈને અમુક ખાસ બાબતને લઈને રાખવાની થતી સાવચેતી વિશે વાત કરવાની છે ચાલ આપણે આ અંગે વિસ્તારથી વાત કરીએ

આપણે સૌ જાણીએ છિએ કે હોળી રંગો નો તહેવાર છે આ દિવસે લોકો એક બીજા ને પ્રેમથી રંગ લગાવી ને હોળી ની શુભેચ્છા પાઠવે છે. આપણે સૌ જાણીએ છિએ કે હોળીનો દિવસ અસત્ય, વેર, અને ધ્રુણા વૃતિ પર પ્રેમ અને સચાઇ ની જીત નું પ્રતીક છે. જો વાત આ વખત ની હોળી અંગે કરિએ તો તેના ચોઘડિયા આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે પંચાંગ માં જણાવ્યા અનુસાર, હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન માટે પ્રદોષ કાલનો સમય પસંદ કરવામાં આવ્યો છે, જેમાં ભદ્રાનો પડછાયો ન હોઈ. જો વાત અંગ્રેજી કેલેન્ડર મુજબ કરીએ તો જણાવી દઈએ કે તે મુજબ હોલિકા દહન ગુરુવાર એટલે કે 17 માર્ચે ના રોજ કરવામાં આવશે. જો વાત હોલિકા દહનના મુહૂર્ત અંગે કરીએ તો આ માટે શુભ સમય રાત્રે 9:06 થી 10:16 સુધીનો રહેશે. આ સમય દરમિયાન ભદ્રાની પૂંછડી રહેશે.

આપણે સૌ જાણીએ છિએ કે હોળી ના બીજા દિવસ ને ધુળેટી તરીકે ઉજવ્વામા આવે છે કે જ્યાં લોકો એક બીજા પર રંગ લગાવી મજાક મસ્તી થી દિવસ ની ઉજવણી કરે છે. એટલે કે જો વાત તારીખ પ્રમાણે કરીએ તો 18 માર્ચ ના રોજ ધુળેટી હશે. આ માટે શુભ મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધી રહેશે. જણાવિ દઈએ કે આ હોળીનો અભિજીત મુહૂર્ત છે.

હવે જો વાત કરીએ કે હોળી ના દિવસે કઈ બાબત અંગે ખ્યાલ રાખવાનો છે તે અંગે તો જણાવી દઈએ કે હોલિકા દહનના દિવસે કાળા રંગના કપડાં પહેરવાના નથી કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવશાળી હોય છે. ઉપરાંત હોલિકા દહન દરમિયાન માથું ખુલ્લું ન રાખવું. જણાવી દઈએ કે આ દિવસે અમુક લોકો જાદુ-ટોણા પણ કરે છે. જેથી આ દિવસે તમારે કોઈના ઘરે ભોજન ન કરવું જોઈએ.

વધુમાં જણાવી દઈએ કે નવી પરિણીત મહિલાઓએ હોળી દહન ન જોવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે હોળીકા દહન જોવાથી નવી પરિણીત મહિલાઓના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. ઉપરાંત હોલિકા દહનના દિવસે વાસી ખોરાકનું સેવન ન કરવું અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ભોજન પણ ન કરવું જોઈએ.

આ ઉપરાંત જણાવી દઈએ કે હોલિકા દહનની રાત્રિને તંત્રની રાત્રિ માનવામાં આવે છે. આ કારણથી આ દિવસને કોઈ પણ સુમસામ વિસ્તારોમાં ન જશો. હોલિકા દહનના દિવસે કોઈપણ પ્રકારની નશો કરવાનો નથી. ઉપરાંત જણાવી દઈએ કે જો કોઈને પુત્ર પ્રાપ્ત થયો હોય તો તેણે જાતે હોલિકા દહન ન કરવું જોઈએ. તમે તેને કોઈ પંડિત અથવા અન્ય કોઈ દ્વારા કરાવી શકો છો.

હવે જો વાત હોળી ના પર્વ ની મહતા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે હિન્દુઓના અન્ય તહેવારોની જેમ હોલિકા દહન પણ ખરાબ પર સારા ની વિજય નું પ્રતીક છે. હોળીના 8 દિવસ પહેલા પ્રહલાદને બંદી બનાવીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેથી જ હોળીના 8 દિવસ પહેલા હોલાષ્ટક કહેવાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

Categories
National Religious

શું આજ વખતે ફળોના રાજા કેરીનો સ્વાદ નહિ મળે? વાતાવરણ ખરબ હોવાથી આટલો જોવા મળશે ભાવ. વેપારીઓ કહ્યુકે..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ખાવા પીવાનો શોખીન છે. તેવામાં જો વાત આપણા રાજ્યના લોકો અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ લોકોને અલગ અલગ અને સ્વાદીસ્ત વસ્તુઓ ખાવી ઘણી પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાળો આપણા જીવનના ઘણા મહત્વના ભાગ છે. તે સ્વાદે તો મીઠા હોઈજ છે સાથો સાથ તે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ ઘણી મદદ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હવે ગરમીનો સમય આવી ગયો છે તેવામાં આ સમય ફળોના રાજા મનાતા કેરીનો છે. દરેક વ્યક્તિને કેરી ખાવી ઘણી પસંદ છે.અને લોકો તેના સ્વાદનો ઘણો આનંદ માણે છે. પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તેના કારણે લોકોના કેરીના રંગમાં ભંગ પડી શકે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ફેબ્રુઆરી બાદ અને માર્ચની શરૂઆતમાં કેરીની સીઝન શરુ થઇ જાય છે.

પરંતુ આજ વખતે હજુ સુધી આ સીઝન શરુ થઇ નથી જેની પાછળ ખરાબ વાતાવરણ જવાબદાર છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે અનેક પાકને નુકશાન થયું છે માટે આજ વખતે કેરીની સીઝન આશરે ૧૫ દિવસ મોડી રહેશે.

ઉપરાંત કેરીના ઉત્પાદન માં પણ થયેલા નુકસાન ને અને ઓછા ઉત્પાદન ને લઈને કેરીના ભાવ વધુ જોવા મળશે. વેપારીએ કેરીના ભાવ વિશે જણાવતા કહ્યું કે હાલમાં કેરીની અછત છે માટે તેના ભાવ વધુ છે પરંતુ જયારે કેરીની આવક બજારમાં થશે ત્યારે ભાવ ઘટવાની સંભાવના છે તેમના જણાવ્યા અનુસાર પાછલા વર્ષ કરતા આશરે ૨૫ થી ૩૦ ટકા કેરી મોંઘી જોવા મળશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India National Religious

શું પૃથ્વી અંત તરફ વધીરહી છે? વિશ્વયુદ્ધ અને પ્રાકૃતિક આપદાઓ વચ્ચે ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ કલયુગની વાત સામે આવી અંત થઈને રહેશે જાણો પૃથ્વી નો ક્રૂર અંત!

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આખું વિશ્વ કોરોના નામના દાનવ સામે લડી રહ્યું છે તેવામાં આ દાનવ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઇ ચુક્યો છે. પરંતુ જો તમે ધ્યાન આપ્યું હોઈ તો આ કોઈ પહેલી ઘટના નથી કે જાણ કારણે મનુસ્ય હેરાન થતો હોઈ આ પહેલા પણ અનેક એવા બનાવો સામે આવ્યા છે કે જેના કારણે મનુસ્યના અસ્તિત્વ સામે પણ જોખમો ઉભા થયા છે. અનેક રોગ અને કુદરતી આપદાઓ યુધો વગેરે તેના પ્રમાણ છે. આ સમગ્ર ઘટના જોતા સૌ કોઈ પૃથ્વીના અંત ની વાત કરી રહ્યા છે.

તો શું સાચે જ આ દુનિયા સમાપ્ત થઇ રહી છે? તો ચાલો આપણે આ બાબત અંગે આપણા શાસ્ત્રો શું કહે છે તેના વિશે જાણીએ. જણાવી દઈએ કે આપનો ધર્મ વિશ્વનો સૌથી જૂનો અને આધુનિક ધર્મ છે તેમાં લખાયેલા દરેક ગ્રંથો અને વેદો વર્ષોથી અને આજે પણ લોકોને સાચો માર્ગ બતાવી રહ્યા છે તેવામાં આપણા અનેક ગ્રંથોમાં ભવિસ્ય અને વર્તમાન સમય ને લઈને અનેક માહિતીઓ અગાઉથી જ આપી દેવામાં આવી છે જેને જોતા અને સમજતા એવું લાગી રહ્યું છે. કે શાસ્ત્રોમાં કલયુગ વિશે જે જણાવવામાં આવ્યું તે એક એકદમ સાચું છે. અને જે રીતે શાસ્ત્રોમાં કળયુગ અંગે માહિતી આપવામાં આવી છે તે એકદમ સાચી છે.

આપણે અહીં વિવિધ અહેવાલો અને ધાર્મિક માન્યતાઓ ના આધારે કળયુગ નો સમય ગાળો અને પૃથ્વીના અંત વિશે જાણવાની કોશિશ કરીએ. મળતી માહિતી અનુસાર આજથી આશરે 5000 વર્ષ પહેલા જ ભગવાન કૃષ્ણ દ્વારા કળયુગને ને લઈને ભવિસ્યવાણી કરવામાં આવી હતી કેજે હવે સાચી પડી રહી છે. જો વાત આ ગ્રંથોમાં કરવામાં આવેલ પૃથ્વીના અંત અંગેની ભવિસ્યવાણી અંગે કરીએ તો જે વાત જણાવવામાં આવી છે તેને જાણીને ચોકી જાસો.

તેમાં દર્શવવામાં આવ્યું છે કે કળયુગમાં ધર્મ, શારીરિક બળ, પ્રેમ લાગણી જેવી વસ્તુઓ નું કોઈ મૂલ્ય રહેશે નહિ. અને શક્તિશાળી લોકોનું વર્ચસ્વ વધશે. કાનૂન અને ન્યાય પણ આવા લોકો આસપાસ ફરશે. પુરુષ અને મહિલાઓ માં એક બીજા પ્રત્યે શારીરક આકર્ષણ જ વધશે. અને શરીર સુખ માટે લોકો સાથે આવશે. ઉપરાંત ધરતી પર ખરાબ અને પાપી લોકોની બોલબાલા થઇ જશે. રાજનીતિ ને લઈને કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સામાજિક વર્ગથી જ તાકાતવર હશે તે સતા પર આવી શકશે.

લોકોને ઠંડી ગરમી અને વરસાદ હેરાન કરી મુકશે. ઉપરાંત અવાર નવાર ની બીમારીઓ, ભૂખ, યુદ્ધ, અને નાના મોટા ઝઘડાઓ લોકોને અશાંત કરી મુકશે. એવું પણ જણાવવામાં આવ્યું કે જયારે કળયુગ પોતાની ચરમ સીમા નજીક હશે તેમ તેમ વ્યક્તિનું જીવન ટૂંકાટૂં જશે અને 50 વર્ષ સુધી થઇ જશે. બાળકો અને પોતાના માતા પિતાને સાચવવા ને બદલે તિરસ્કાર કરશે. અને દરેક સંબંધ કરતા પૈસા મહત્વના થઇ જશે. લોકો થોડા પૈસા માટે પણ ખોટા કામો કરતા કે સંબંધ ને તોડતા વિચારશે નહિ.

આપણે સૌ જાણીએ છીએ કે અને આપણા શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેવી હા રીતે પૃથ્વીના જન્મ બાદ તેનો અંત નિશ્ચિત છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીમાં ત્રણ રીતે અંતના દિવસો જોવા મળશે. 1) નૈમિત્તિકા 2) પ્રાકૃતિક અને 3) આત્યાન્ટિક (તરતજ). પૃથ્વીના અંત ને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે પૃથ્વીનો અંત દક્ષિણ મહાસાગર ના પાણીમાં કોઈ વિસ્ફોટને કારણે થશે. જે પહેલા 12 વર્ષો સુધી અનેક સમસ્યાઓ નો સામનો મનુસ્યને કરવાનો રહેશે.

આવી ઘટનામાં નદી અને સરોવરો સુકાઈ જશે. અનેક જગ્યાએ ભૂકંપ આપશે. ધરતી એકદમ કડક થઇ જશે. પૃથ્વીની અંદર પેટાળમાં રહેલા સપના મોંમાંથી આગ નીકળશે. જે પાતાળ અને પૃથ્વીને બાળી મુકશે. ઠેર ઠેર અગ્નિ વિસ્ફોટ જોવા મળશે. અને વાતાવરણ એકા એક ગરમ થવા લાગશે. વાદળો પણ ફાટશે જેની અગ્નિથી અનેક લોકો મરણ ને સરણ થશે. અને જોત જોતામાં માનવ સભ્યત્તા નાસ પામશે.

જણાવી દઈએ કે કળયુગને લઈને ઘણા મહાભારત સમયમાં જ ભગવાન કૃષ્ણ દ્વારા ભવિસ્યવાણી કરવામાં આવી હતી. મહાભારત ના વિકરાળ યુદ્ધ પછી જયારે પાંડવોએ ભગવાન કૃષ્ણ ને ભવિસ્ય અને કલયુગ અંગે પૂછ્યું ત્યરે ભગવાને તેમને જગલમાં જઈને જોવા કહ્યું અને જે જોવા મળે તેને જણાવવા ગયું જયારે પાંડવો જંગલ ગયા ત્યારે તે હેરાન થઇ ગયા કારણકે એક પક્ષી કે જેની આંખ પર વેદો લખેલા હતા તે માસ ખાઈ રહ્યું હતું.

પાંડવોએ આ વાત ભગવવાને કરતા તેમણે કહ્યું કે કળયુગ આવો જ હશે કે જ્યાં બુદ્ધિમાન લોકો અન્યનું નુકસાન કરશે લોકોને ઉશ્કેરસે. અંગત સ્વાર્થ માટે લોકોને હેરાન અને ભ્રમિત કરશે. જો વાત કલયુગ અંગે કરીએ તો જણાવી દઈએ કે ગીતાજીના 12 માં સ્કંધના 24 માં સ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુ, શુક્ર, અને ચંદ્ર પુષ્પ નક્ષત્રમાં એક સાથે હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો દસમો અવતાર કલકી સ્વરૂપે અવતરશે. જો કે એવી પણ માન્યતા છે કે કળયુગની સમયમર્યાદા 32 હજાર વર્ષની છે જે પૈકી માનવામાં આવે છેકે અત્યાર સુધીમાં કળયુગને 5119 વર્ષજ થયા છે એટલે કે હજુ અંત નજીક નથી.

પરંતુ કલયુગ અંગે જણાવતા તેના લક્ષણો પણ આ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું કે જયારે 7 વર્ષની નાની બાળકી પોતાના બાળકોને જન્મ આપવા લાગે ત્યારે સમજી લેવુંકે હવે કલયુગ પોતાના ચરમ પર છે. આ કળયુગની શરૂઆત મહિલા ના માથાના વાળ દ્રારા થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. મહિલાઓ પોતાના સજાવટ માટે મહત્વ ધરાવતા વાળને કાપવા લાગશે. લોકો પોતાના વાળના પ્રાકૃતિક કલરને છોડી ને કુત્રિમ કલરો કરવાંમાં માંડશે. મહિલાઓ એકદમ અસુરક્ષિત થઇ જશે અને તેમના ઘરમાં જ તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભાઈ પિતા પુત્રી જેવા સંબંધો કોઈ મહત્વ ધરાવશે નહિ.

Categories
Gujarat India National Religious

બમ બમ ભોલે! મહાશિવરાત્રી નિમિતે પ્રથમ જ્યોતિર્લિંગમાં મહાઆયોજન જાણોઆ દિવસનું મહત્વ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી દુનિયા ઘણી જ વિશાળ છે અને પૃથ્વી પર અનેક લોકો વસે છે તેવામાં એક વિચાર આવે કે આ આખી પૃથ્વીનું સંચાલન કોણ કરતું હશે. આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી ને કોઈ દિવ્ય શક્તિ ચલાવે છે જેને લોકો અલગ અલગ સ્વરૂપે પૂજે છે. પરંતુ દરેક શક્તિ નું ઉદગમ બિંદુ એક જ છે મહાકાલ.

આપણે સૌ જાણીએ છિએ કે હવે મહાદેવા ની મહાશિવરાત્રી આવી રહી છે જેને લઈને ભક્તો માં ઘણો ઉત્ત્સાહ જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે ભગવાન શિવ દેવો ના દેવ મહાદેવ છે મહાદેવ તમામ દુઃખો અને કસ્તો નું નિવારણ કરે છે. મહાદેવ ને ભોળાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે મહાદેવ એક માત્ર દેવ છે કે જેમના નામ માત્રથી તમામ દુઃખ અને સંકટ ટળી જાય છે.

તેવામાં મહાશિવરાત્રિ નિમિતે પૂજા નું અને પ્રભુ ભક્તિ નું ખાસ મહત્વ છે. આપણે અહીં પ્રથમ જ્યોતિર્લિંગ માં યોજાનાર મહાશિવરાત્રી નિમિતે જે ભવ્ય પૂજા અને વિધિ નું આયોજન થવાનું છે તેના વિશે આપણે અહીં માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે પણ પ્રભુ ભક્તિમાં લીન થઈ જઈએ.

જો વાત મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મંદિર માં યોજાનાર પૂજા અંગે કરીએ તો જણાવી દઈએ કે તા.28 થી તા.1 માર્ચ દ૨મિયાન મંદિર માં બે દિવસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. તા.1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઈ સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લુ રહેશે.

જો વાત આ દિવસે મંદિરમાં યોજાનાર કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ દિવસે પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યુ છે. જો ભક્તો ને એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે હજુ કોરોના ગયો નથી માટે આ તમામ પ્રકરના આયોજન માં દર્શનાર્થીઓએ સરકારની ગાઈડ લાઈનનુ પાલન કરવાનું રહેશે.

જણાવી દઈએ કે આખા વર્ષમાં કરેલી શિવપૂજાનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા, દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. જણાવી દઈએ કે આ જે ભાવિક ભક્તો ને તત્કાલ શિવપૂજન અને સુવર્ણ કળશ પૂજન ઉપરાંત ધ્વજાપુજન કરી શકે તે માટે મંદિર પરિસરમાં સંકિર્તન ભવનમાં વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જો વાત દિવસ ની શરૂઆત અંગે કરીએ તો આ મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે. જે બાદ સવારે બ્રાહ્મણો દ્વારા વેદગાન, પાલખીયાત્રા સહિત વિશેષ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવેલ છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ડિજીટલ સમય છે જેમાં અનેક વસ્તુઓ શક્ય છે તેવામાં જો તમે સોમનાથ મંદિરે જઈને મહાદેવ ની પૂજા કે આરતી નથી કરી શક્તા તો હવે તમારી પાસે ડિજીટલ રીતે પૂજા નો અને દર્શન નો રસ્તો છે આ માટે તમારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.sOMNATH.ORG’ તથા સોશ્યલ મીડીયા માધ્યમ ફેસબુક ‘@SomnathTempleOfficial’, ટવીટર ‘@somnath_Temple’, ઇન્સ્ટાગ્રામ somnathTempleofficial, 42464- Somnath Temple – official Channel, વોટ્સએપ એડ્રોઇડ તથા એપલ સ્ટોર પરથી સોમનાથ યાત્રા મોબાઇલ એપના માધ્યમથી પણ દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લ્હાવો દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા લઇ શકશે.

જો વાત મંદિર દ્વારા ભક્તો માટે કરવામાં આવેલ સગવડ અંગે કરીએ તો જણાવી દઈએ કે મંદિરે આવતા ભક્તો માટે મહા પ્રસાદ અને ફરાળ પણ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા પણ કરાય છે કે જે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે. જણાવી દઈએ કે તા.28 અને.1 ના રોજ સાંસ્કૃતિક કાર્યનિહાોમનાથ લોકરંગ મહોત્સવનું આયોજન સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત રાજય અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી રામ મંદિર ઓડિટોરીયમ ખાતે કરવામાં આવેલ છે.

આ લોક રંગ મહોત્સવ માં અનેક કલાકારો ભજન, ગરબા, લોકસંગીત અને વિવિધ લોકનૃત્યો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરવામા આવશે. આ કાર્યક્રમ ને લોકો સાંજે સાડા સાત થી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી જોઈ શક્શો.