Categories
Helth India

માતા એ અઢી વર્ષ ના પુત્ર સાથે આપઘાત નો પ્રયાસ કરતા પુત્ર એ ગુમાવ્યો પગ કારણ જાણવા મળ્યું કે….

આજના જમાનામાં લોકો નાની નાની વાતો માં આપઘાત કરી બેસે છે. ક્યારેક પરિવાર માં થતા નાના ઝગડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. પરિવાર માં ચાલતા ઝગડાઓ માં ક્યારેક પરિવાર ના અમુક સદસ્યો આપઘાત વહોરી લેતા હોય છે. એવી જ એક બિહાર ની ઘટના સામે આવી છે. જેમાં એક માતા એ તેના અઢી વર્ષ આ પુત્ર ને લઈને આપઘાત કરવાની કોશિશ કરી.

સમગ્ર ઘટના માં જાણવા મળતું કે બિહાર ના બક્સર રેલવે સ્ટેશને શુક્રવારે એક મહિલા પોતાના બાળક સાથે હતી અને તે કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. દરમિયાન માં દાણપુર-પુણે સ્પેશિયલ ટ્રેન આવી તો મહિલાએ તેના પુત્ર સાથે અચાનક જ ટ્રેક પર છલાંગ લગાવી દીધી. માતા નું નામ ડિમ્પલદેવી અને પુત્ર નું નામ દિવ્યાંશ છે.

આ દરમિયાન ટ્રેન ની અડફેટે આવી જવાથી માતા એ બન્ને હાથ ગુમાવી દીધા અને પુત્ર એ ડાબો પગ ગુમાવી દીધો. ટ્રેન પસાર થયા બાદ લોકો એ તાત્કાલિક બન્ને ને હોસ્પિટલે ખસેડ્યા હતા. બન્નને ની હાલત ગંભીર છે. ડિમ્પલ ના પતિ નું નામ દિનેશ પાંડે છે. જે ઉત્તરપ્રદેશ બલિયા જિલ્લામાં રહે છે. બન્ને ને સારવાર અર્થે બકસર ની સદર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

વધુ માં જાણવા મળ્યું કે મહિલાનો પોતાના પતિ સાથે ઝગડો ચાલી રહ્યો હતો. તેનાથી કંટાળીને જ કાદાચ આ પગલું ભર્યું હશે. બનાવ ની જાણ મહિલા ના પિયરવાળા ને થતા તે દોડી આવ્યા હતા. મહિલા ના સાસરિયા પક્ષ ના કોઈ આવ્યા ન હતા. પરિવાર ના લોકો એ આ બાબતે વધુ કઈ માહિતી આપી ન હતી. ઘટના ની જાણ GRP ને કરવામાં આવી અને પોલીસ ને કરવામાં આવી હતી.

Categories
Gujarat Helth

માતા તો બચી ગયા પણ પિતા અને બહેનનું મુત્યુ થય ગયું, આ ઘટના વિશે જાણીને તમે પણ……

રોજબરોજ દિવસ દરમિયાન કેટલીય દુર્ઘટનાઓ થતી હોય છે. કેટકેટલાય લોકો દુર્ઘટના માં મૃત્યુ પામતા હોય છે. ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે આખો પરિવાર તબાહ થઇ જતો હોય છે. એવી જ એક ઘટના સુરેન્દ્રનગર ના હળવદ થી સામે આવી છે. એક દુર્ઘટના માં એક જ પરિવાર ના એક સાથે ત્રણ સભ્યો ના મૃત્યુ નિપજ્યા છે. દુર્ઘટના માં એક સાથે ઘણા બધા લોકો દુર્ઘટના નો ભોગ બનેલ છે.

સુરેન્દ્રનગર ના હળવદ માં એક મીઠા ની ફેક્ટરી માં કામ કરતા મજૂરો માથે અચાનક જ એક દીવાલ ધરાશાયી થઇ હતી. દીવાલ ની નીચે કેટલાય લોકો દબાયા હતા. હળવદ ની જીઆઇડીસી માં સાગર સોલ્ટ કંપની માં એકસાથે 20 મજુરો મીઠાની થેલીઓ ગોઠવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ દુર્ઘટના થઇ છે અને એક સાથે બાર લોકો દીવાલ પડતા દીવાલ નીચે આવી ગયા હતા.

મીઠા ની થેલીઓ ગોઠવતા તે દીવાલ પર વજન વધી જતા આ દુર્ઘટના સર્જાય હતી.જેમાં એક લખનભાઇ નામના યુવક તેના પિતા,માતા અને બહેન સાથે ત્યાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દીવાલ ધરાશાય થતા તે બધા દીવાલ નીચે આવી ગયા હતા. લખનભાઇ એ તેમની માતા નો હાથ પકડી બહાર કાઢ્યા પણ તેમના પિતા અને બહેન ને ન બચાવી શક્યા.

આંખો ની સામે જ પિતા અને બહેન નું કરુણ મોત થઇ ગયું હતું. જાણવા મળ્યું કે લગ્ન ની સીઝન હોય મજૂરો ની સંખ્યા ઓછી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાવાના સંકેત હતા. લખનભાઇ પોતાના પિતા અને બહેન ને ન બચાવી શક્યા તેનું તેમને ખુબ જ દુઃખ છે. તે ઘટના ની યાદ મિટાવી જ શકતા નથી. એક સાથે ઘર ના બે સભ્યો ના કરુંણ મોત થતા પરિવાર માં શૉક ફેલાય ગયો.

Categories
Gujarat Helth

પિતા એ બે વર્ષ ની માસૂમ પુત્રી ને ફાસા પર લટકાવી બાદ પોતે પણ ખાય લીધો ગળાફાંસો. જાણો કયા બની ઘટના.

ગુજરાત માં અવારનવાર આત્મહત્યા માં કેસો સામે આવતા જ રહે છે. ક્યારેક જાણવું મુશ્કિલ થય પડે છે કે આત્મહત્યા કયા કારણોસર થય? લોકો આત્મહત્યા કરીને પોતાના પરિવાર ને નોંધરો મૂકીને ચાલ્યા જાય છે. પરિવાર સાવ રસ્તા પર આવી જતો હોય છે. ગુજરાત માં આવી જ એક ધટના સામી આવી છે. આ ઘટના સાંભળતા જ આપડા રૂંવાટા બેઠા કરી દે એવી ઘટના છે.

આ ઘટના ગૂજરાત માં ભાવનગર જિલ્લા ની સામે આવી છે. માત્ર ૨૪-વર્ષ ના યુવાને પહેલા પોતાની બે વર્ષ ની માસૂમ પુત્રી ને ગળાફાંસો ખવરાવી અને બાદ માં પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. બગદાણા પોલીસે સ્ટેશન વિસ્તાર ના રતનપર નવાગામ ખાતે રહેતા માત્ર ૨૪ વર્ષ માં શૈલેષ ભુપતભાઈ બાંભણિયા એ સવાર નાં પોતાની બે વર્ષ ની પુત્રી નિશા ને લઇ ને ઘરે થી નીકળી ગયો હતો. બાદ માં રસ્તા માં પોતાની પુત્રી ને નાસ્તો કરાવી બોરલા ગામ ની સીમ માં લઈ ગયો હતો.

બોરલા ગામ ની સીમ માં લીમડા ના ઝાડ પર પહેલા પોતાની પુત્રી નિશા ને ફાસા પર લટકાવી અને મૃત્યુ નીપજાવી દીધું અને ત્યારબાદ પોતે પણ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગામના લોકો આ ઘટના ની જાણ થતાં દોડી આવ્યા હતા. અને બાદ માં બગદાણા પોલીસ પણ આવી પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. મરનાર યુવક ની પત્ની જાગૃતિ એ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પિતા અને પુત્રી નાં મૃતદેહો ને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા નું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસ પછી જ ખ્યાલ આવી શકે. એક જ ઘર નાં બે વ્યક્તિઓ એ ઘરમાં થી ચાલ્યા જતા પરિવાર આખો નોંધારો બની ગયો. પરિવાર માં સંભ્યો નાં આખ માંથી આંસુ સુકાતા નથી.

Categories
Helth India

મહારાષ્ટ્ર- લાકડા ના ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે થયો ભીષણ અકસ્માત 9- નિર્દોષ લોકો ને મળ્યું દર્દનાક મોત.

ભારત માં રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને એમાં અનેક લોકો મોત ને ભેટતા હોય છે. લોકો ને માથે મહામુસીબતો આવી પડે છે. રોડ અકસ્માત ના વારંવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે લોકો નું બચવું મુશ્કિલ થઇ પડે છે. લોકો ને ભારે નુકશાન સહન કરવું પડતું હોય છે.

એવી જ એક ઘટના મહારાટ્ર ની સામે આવી છે. મહારાષ્ટ્ર ના ચંદ્રપુર માં એક એવો અકસ્માત થયો કે જોનારાઓ ની આંખો ફાટી ગઈ. ઘટના એવી ભયંકર હતી કે એકસાથે 9 લોકો ના મૃત્યુ થઈ ગયા. મહારાષ્ટ્ર ના ચંદ્રપુર ખાતે એક ડીઝલ ટેન્કર ચંદ્રપુર થી ગઢચિરોલી જય રહ્યું હતું. અને તે દરમિયાન એક લાકડાથી ભરેલો ટ્રક ચંદ્રપુર જય રહ્યો હતો.

આ બન્ને રાત્રે ચંદ્રપુર ના ચિચપલ્લી ગામે સામસામે એવા અથડાના કે બન્ને નો કુરચો બોલી ગયો. ડીઝલ ટેન્કર અને લાકડાથી ભરેલો ટ્રક હતો માટે બન્ને ની ટક્કર બાદ ભયંકર આગ લાગી ગઈ. અને તેમાં એકસાથે 9 લોકોં મૃત્યુ પામ્યા. મૃત્યુ પામનાર માં ટેન્કર અને ટ્રક ના 2-ડ્રાયવર, 2-ક્લીનર, અને 5-મજૂરો ના મોટ નિપજ્યા હતા.

અકસ્માત ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથો સાથ ફાયરસ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફ ની ભારે જહેમત બાદ આગ ને કાબુ માં લેવામાં આવી હતી. ચારેબાજુ આગ ના ગોટેગોટા જોવા મળતા હતા. રોડ પર થી અવરજવર કરવા વાળા વાહનો માટે પણ મુશ્કિલેં સર્જાય હતી.

Categories
Gujarat Helth

ભાવનગર ના પ્રોફેસર પતિ એ તેની જ પત્ની ની હત્યા કરવા એવો ક્રૂર રસ્તો પસંદ કર્યો કે પત્ની ને રોજે રોજ…..

ગુજરાત વારંવાર હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં એક બીજા ની હત્યા કરી બેસે છે. ક્યારેક એક જ પરિવાર ના સભ્યો તેના જ પરિવાર ના સભ્યો ની હત્યા કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના ભાવનગર જિલ્લા ની સામે આવી છે.

એક ઘટના જેમાં ભાવનગર માં શિક્ષક ની નોકરી કરતા એક શિક્ષકે તેની જ પત્ની ની હત્યા કરી નાખી છે. દેવજીભાઈ નામના એક શિક્ષકે તેના પત્ની હંસાબહેન ની હત્યા કરી નાખી છે.દેવજીભાઈ તળાજા તાલુકાની સરકારી કોલેજ માં પ્રોફેસર ની નોકરી કરે છે. દેવજીભાઈ અને હંસાબહેન ના લગ્ન ને 16 વર્ષ થયા છે.

બન્ને ને 14 વર્ષ નો એક દીકરો છે. માહિતી માં જાણવા મળ્યું કે દેવજીભાઈ હંસાબહેન ને ઘરમાં જ રાખતા તેમને જમવાનું પણ નોતા આપતા. ઘણા સમય પછી હંસાબહેન ને જમવાનું ન મળતા હંસાબહેન ના શરીર માં નબળાઈ આવવા લાગી. આ વાત ની તેમના પાડોશીઓ ને ખબર પડતા તેઓ તેમને હોસ્પિટલ લઇ ગયા હતા. અને તેમના પતિ તેમને સારવાર માટે અમદાવાદ લઇ જશો એમ કહી ને લઇ ગયા પણ તે હંસાબહેન ને હોસ્પિટલે લઇ જવાના ના બદલે ઘરે જ રાખ્યા હતા.

હંસાબહેન ના ભાઈઓ ને આ વાત નો ખ્યાલ આવતા તે પોલીસ ની મદદ લઇ ને હંસાબહેન ને જૂનાગઢ હોસ્પિટલે લઇ ગયા. પણ ત્યાં સુધીમાં વાર થઇ ગઈ હતી. અને હંસાબહેન નું 12 મેં ના રોજ સારવાર દરમિયાન મોત થયું. પતિ જે રીતે હંસાબહેન સાથે વ્યવહાર કરતો તે જોઈ ને ભલભલા ગભરાય જાય તેવું વર્તન હતું.

Categories
Helth India

પિતા ના અસ્થિ વિસર્જન કરી પરત ફરતી વેળા એ અકસ્માત માં બે પુત્રો અને માતા નું થયું દુઃખદ અવસાન લોકો એ કહ્યું કે….

રોજબરોજ અકસ્માત ની એવી એવી ઘટના સામે આવતી હોય છે કે સાંભળીને રુંવાટા બેઠા થઈ જાય. પિતા ના અસ્થીનું વિસર્જન કરી પરત ફરતી વેળા એ બે પુત્રો સહીત માતા નું પણ મોત નીપજ્યું. સમોદ ના વોર્ડ નંબર 11 માં રહેતા ગોરધનલાલ રેગરનું 1999 માં અવસાન થયું હતું. પરિવાર માં પત્ની અને બે પુત્રો છે. પિતા ની વિધિ જેમતેમ પૈસા એકઠા કરી ને કરી પણ અસ્થિ ઘરે જ રાખી મુક્યા હતા.

15 મેં ના રોજ માતા અને બે બાળકો સહીત પરિવાર ના અન્ય 15 સભ્યો અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયેલા હતા. ઘરે પરત ફરતી વેળા એ પોતાની ક્રુઝર ગાડિ નું ભયંકર એક્સીડંટ થયું. સામે થી આવતા એક કન્ટેનરે ગાડી ને ભયંકર ટક્કર મારી દીધી. એક્સીડંટ ભયંકર હતું અને ગાડી આખી ફંગોળાય ને કુરચો બોલી ગયો હતો. શાહજહાંપુર બોર્ડર થી 8 કિમિ દૂર બાવલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આ ઘટના બની હતી.

રોડ પર થી પસાર થતા લોકો એ એક્સીડંટ ની માહિતી પોલીસ ને આપી હતી. પોલીસે આવીને તમામ ઘાયલોને હોસ્પિટલે ખસેડ્યા હતા. કન્ટેનર ચાલક કન્ટેનર લઇ ને ફરાર થઇ ગયો હતો. અકસ્માત માં સામોદ ગામના 5 લોકો ના મોત થઈ ગયા. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. મરનાર વ્યક્તિઓ માં મોહરીદેવી 76-વર્ષ, માલુરામ 53-વર્ષ, મહેંદ્ર 39-વર્ષ (ગોરધનભાઈ ના પત્ની અને પુત્ર) આશિષ 15-વર્ષ (માલુરામ નો પુત્ર) સુગના 47-વર્ષ ના મોત નિપજ્યા હતા.

ઘાયલ લોકો માં બિનદેવી, ગીતાદેવી, મંગલીદેવી, બનવારી લાલ, કૈલાશ, સંતોષ કુમારી, અંકિત રાજા, વીરેન્દ્ર, ઉર્મિલા, દુગ્ગુ, ગુડિયા નો સમાવેશ થાય છે. અકસ્માત એકલો ભયંકર હતો કે અમુક નું બચવું ખુબ જ મુશ્કિલ હતું. પાંચ લોકો ના મોત બાદ પરિવાર અને ગામ ના લોકો ની આંખ માંથી આંસુ સુકાતા નથી.

Categories
Helth India

ભયકંર દુર્ઘટના માં એક સાથે 17 લોકો ને ટ્રકે અડફેટે લેતા ત્રણ લોકો ના ઘટનાસ્થળે થયા મોત ચારે તરફ જોવા મળ્યું….

રોજબરોજ એક્સીડંટ ની કેટકેટલીય ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને તેમાં કેટકેટલાય લોકો મોત ને ભેટે છે. ક્યારેક એક્સીડંટ એટલા ભયંકર હોય છે કે એક સાથે આખો પરિવાર તબાહ થઇ જતો હોય છે. હરિયાણા થી એક એક્સીડંટ ની ઘટના સામે આવી છે. એક્સીડંટ એટલો ભયંકર હતો કે એક સાથે 17 લોકો ને અડફેટે લઇ લીધા. હરિયાણા ના ઇજ્જર જિલ્લા માં એક એક્સીડંટ બનવાની ઘટના સામે આવી છે.

બહાદુરગઢ ના કુંડલી માનેસર પાલવડે હાઇવે ના એક્સપ્રેસ વે પર એક બેકાબુ ટ્રકે 17 લોકો ને અડફેટે લઇ લીધા હતા. એક્સીડંટ માં ત્રણ લોકો ના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકો ને તાત્કાલિક ના ધોરણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બની એની માહિતી પોલીસ ને મળતા જ એસ.પી. અને એ.એસ.પી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

જાણવા મળ્યું કે આ ઘટના જ્યાં બની ત્યાં રોડ પર કામ ચાલી રહ્યું હતું એટલે ત્યાં કામ કરવા વાળા બધા મજદૂરો હતા. મજદૂરો કામ કરીને એક બાજુ રસ્તા પર આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક ફૂલ સ્પીડે આવીને તેની ઉપર આવી ગયો. ટ્રક ની ઝડપ એટલી હતી કે લોકો ને બચવાનો સમય જ ન મળ્યો. ટ્રક ત્યાંને ત્યાં જ રસ્તા પર પલ્ટી મારી ગયો હતો.

એસ.પી તરફ થી જાણવા મળ્યું કે આ ઘટના નું મુખ્ય કારણ હોય શકે કે કાંતો ટ્રક ડ્રાયવર નશાની હાલત માં હશે અથવા તો તે ઊંઘ મા હશે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જાણવા મળ્યું કે આ તમામ મજદૂરો ઉત્તરપ્રદેશ થી આવેલ છે. તમામ અહીં કામ કરવા માટે આવ્યા હતા. ટ્રક ચાલક ને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Categories
Gujarat Helth

વડોદરા- ચાલુ ઇકો કાર માં આગ લાગતા ઇકો ચાલાક નું થયું દર્દનાક મોત. ગાડી માં જ થઈ ગયો બળી ને ભડથું.

અત્યાર ના સમય માં વારંવાર દર્દનાક ભરી ઘટનાઓ સામે આવે છે. એવી એવી ઘટનાઓ સામે આવે છે કે આપડા રુંવાટા બેઠા કરી દે છે. વડોદરા થી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક ઈકો કારમાં આગ લાગતા એક કાર સવાર બળી ને થઇ ગયો ખાખ. વડોદરા ના સિંધ રોડ પર આ ઘટના બની છે જેમાં એક ઇકો કાર માં અચાનક જ આગ લાગી હતી અને તેમાં હરેશ દાદુભાઇ અમીન નામનો યુવક મૃત્યુ પામ્યો છે.

આગ એટલી ભયંકર હતી કે ઇકો ડ્રાયવર બહાર પણ નીકળી શક્યો ન હતો. આગ લાગવાની જાણ ફાયર સ્ટાફ ને થતા ફાયર ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ગાડી ઘટના સ્થળે આવે તે પહેલા જ યુવક બળી ને ખાખ થઈ ગયો હતો. આ ઘટના થી રસ્તા પર ચારેતરફ ભય નો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો એ ઘટના નજરોનજર નિહાળી હતી.

લાશ ને પોસ્ર્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલ તરફ થી માહિતી મળી કે મૃતદેહ હોસ્પિટલે આવ્યો ત્યારે શરીર નો મોટા ભાગ નો ભાગ બળી ગયો હતો. અને પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે યુવક નું મોત દાઝવાથી થયેલું છે. પોલીસે કહ્યું કે આની વધુ તપાસ કરવામાં આવશો કારણકે જયારે ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કાર નો ડાબી બાજુ નો દરવાજો ખુલ્લો હતો તેમ જાણવા મળ્યું હતું. તેમ ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલા એ જણાવ્યું હતું. ત્યાં ના લોકો એ વધુ માં માહિતી આપી કે જયારે કાર માં આગ લાગી હતી ત્યારે કાર માથી દોડીને કોઈ ભાગી ગયું હતું.

પણ આ વાત માં પોલીસે તપાસ કરતા હજુ સુધી એવું કઈ બહાર આવ્યું નથી. આ બાબતે હજુ રહસ્ય ઘેરાયેલું છે. વધુમાં જાણવા મળ્યું કે હરીશભાઈ અમીન કરોડો ની સંપત્તિ ના માલિક છે. તેનો વિવાદ નેતા સાથે અને નાપાના માથેભારે લોકો સાથે પણ ચાલી રહ્યો હતો. હરીશભાઈ ના પરિવાર ને આ બાબત ની જાણ કરવામાં આવી હતી જે બાબતે પરિવાર ના લોકો એ પ્રતિક્રિયાઓ આપવાની ના પડી દીધી હતી. હરીશભાઈ ને પત્ની પૂજા અને પુત્ર કરણ છે. તે લોકો આલીશાન બંગલામાં રહે છે.

Categories
Gujarat Helth

હચમચાવી દેતી ઘટના ૧૬ વર્ષીય દીકરી ના માથે આગ નું તણખલું પડતા મોત નીપજયુ,જાણો કયા બની ઘટના.

અમુકવાર લોકો ના માથે અણધારી મુસીબતો આવી પડતી હોય છે. જેના કારણે પરિવાર ને ખૂબ જ સહન કરવાનો વારો આવે છે. અમુકવાર એવી દુર્ઘટના બનતી હોય છે કે પરિવાર ની માથે મહામુસીબતો આવી પડે છે. એવી જ એક ઘટના ભાવનગર જીલ્લા ના શિહોર તાલુકાના એક ગામ ની સામે આવી છે. જેમાં દુર્ઘટના માં એક ૧૬ વર્ષ ની દીકરી નું નિધન થઈ ચૂક્યું છે.

ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકાના ગઢુલા ગામે રહેતા રમેશભાઇ ચોહાણ ની પુત્રી એક દુર્ઘટના માં મૃત્યુ પામી છે. પ્રાપ્ત માહિતી મા જાણવા મળ્યું કે શિવાનીબહેન રમેશભાઇ ચોહાણ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન તેનું અકસ્માતે મોત નિપજ્યું હતું.

શિવાનીબહેંન પોતાના ઘરે રસોઈ વાળા રૂમ માં ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન ચૂલા માંથી એક આગ નું તણખલું ઊડીને મેળા માં કડબ નો જથ્થો જ્યાં રાખેલો હતો ત્યાં પડ્યું હતું. આ આગ નું તણખલું કડબ ના જથ્થા માં પડતા તેમાં આગ લાગી હતી. આગ લાગેલી કડબ શિવાની ના માથે પડી હતી. અને શિવાની અચાનક દાઝવા લાગી હતી.

શિવાની ના માથે કડબ પડતા તે બૂમાબૂમ કરવા લાગી હતી. આ દરમિયાન ઘર ના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. ઘર ના લોકો એ પાણી નો છટકાવ કર્યો હતો છતાં પણ તેને ઇજા થઇ હતી અને ગંભીર હાલતે શિવાની ને શિહોર નાં સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. અને શિવાની ત્યાં મૃત્યુ ને ભેટી હતી. આ અંગે ની જાણ સોનગઢ પોલીસ ને થતાં પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે માત્ર ૧૬ વર્ષ ની દીકરી ને ગુમાવી દેતા પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.

Categories
Helth India

દિલ્હી- બિલ્ડીંગ માં ભયંકર આગ લાગવાથી 27 લોકો ના થયા મોત, આગ થી બિલ્ડીંગ બળી ને થઈ ગયું ખાક. જુઓ ફોટા.

ગરમી ની સિજન હોય એવામાં ગરમી ને કારણે આગ લાગવાના કિસ્સાઓ ઘણી વાર સામે આવતા હોય છે. હાલ દિલ્હી માં એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી માં આગ એકલી ભયકંર હતી કે એકસાથે 27 લોકો આગ ની ચપેટ માં આવીને મૃત્યુ પામ્યા છે. ઘાયલો હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. ઘાયલો માંથી પણ હજુ મૃત્યુ નો આંકડો વધી શકે તેમ છે.

દિલ્હી માં શુક્રવારે મૂંડકા મેટ્રો સ્ટેશન પાસે ના એક 3-માળ ના કોમર્શિયલ બિલ્ડીંગ માં ભયંકર આગ લાગી હતી. બિલ્ડીંગ માં આગ લાગવાનું મુખ્ય કારણ પહેલા માળે સી.સી.ટી.વી ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં અચાનક જ શોર્ટસર્કીટ થયું હોય એટલે અચાનક જ આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટના માં 27 લોકો મૃત્યુ પામ્યા. જેમાં બે ફાયર સ્ટાફ ના અધિકારી નો પણ સમાવેશ થાય છે.

આગ માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને હજુ સુધી 19 લોકો લાપતા છે. આ ઘટના પછી બિલ્ડીંગ ના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલ ની પોલીસે અટકાયત કરી છે. આગ ની જાણ થતા દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી બન્ને દોડી આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે આગ માં મૃત્યુ પામનાર ને 10 લાખ રૂપિયા અને ઘાયલ થનાર ને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આગ દરમિયાન ફાયર સટાફ અને એન.ડી.આર.એફ ની ટિમ પહોંચી હતી અને 150 લોકો ને રેસ્ક્યુ કરાયા હતા. ઘાયલ લોકો ને તાત્કાલિક સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ ઘણા લોકો બિલ્ડીંગ ની નીચે દબાયા હોય તેવી આશંકા છે. તાત્કાલિક ના ધોરણે ફાયર ની 27 ગાડીઓ આગ ઓલવવા આવી પહોંચી હતી. અમુક લોકો એ આગ ના ડર થી બિલ્ડીંગ પર થી નીચે કૂદી ગયા હતા. આગ ખુબ જ ભયંકર હતી.