Categories
India

ભારતીય યુવતી એ વિદેશી ભુરા સાથે ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા! જુવો લગ્નની ખાસ તસવીરો.

આપણા ગુજરાતી માં કહેવત છે લંકા ની લાડી ને ઘોઘા નો વર તે કહેવત ને આજે ઉલ્ટી થય ગય અને એક ભારતીય છોકરી એ લંડન માં રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા. બિહાર ના કહલગામ માં જન્મેલ અને ઉત્તરપ્રદેશ માં સ્થાયી થયેલ ઝેના વત્સ જે એન્જીનીયરીંગ ના અભ્યાસ પૂરો કર્યા બાદ 7-વર્ષ પહેલા લંડન માં નોકરી કરવા ગય હતી. જ્યાં તે એક ટેલિકોમ કંપની માં કામ કરતી હતી અને તેની નજીક માં રહેતા એક યુવક સાથે મિત્રતા થતા તે લગ્ન માં પરિણમી હતી.

પ્રેમ માં સરહદ,ધર્મ કે જાતિ ના બંધન હોતા નથી અને તેવું જ કંઈક આ બંને એ સાબિત કરી દીધું. બંને ની મુલાકાત થયા બાદ બંને ની મિત્રતા ધીરે ધીરે આગળ વધી હતી અને અંતે તે લગ્ન ના બંધન માં જોડાય ગયા હતા. નવાય ની વાત તો એ છે કે બંને એ ભારતીય પરમ્પરા અનુસાર લગ્ન ના બંધન માં જોડાયા હતા. બંને ના લગ્ન બે વર્ષ પહેલા જ થવાના હતા પણ કોરોના ના લીધે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.

બે વર્ષ બાદ જેના વત્સ ના પિતા એ છોકરા ને ભારત લગ્ન કરવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના ના પિતા નું આમંત્રણ સ્વીકારીને સેમ ના માતા-પિતા, ભાઈ-બહેન તથા તેના 8-મિત્રો લગ્ન કરવા માટે ભારત આવ્યા હતા. બંને ના લગ્ન ભારતીય પરમ્પરા મુજબ કરવા માં આવ્યા હતા. બંને ના લગ્ન બાબા વૈદ્યનાથ મહાદેવ ના મંદિર માં હિન્દૂ રીત રિવાજો પ્રમાણે કરવામાં આવ્યા હતા. અને તેના સાક્ષી બાબા વૈદ્યનાથ મહાદેવ થયા હતા.

જેના ના પિતા એ જયારે તેની પુત્રી ને ભારત આવીને લગ્ન કરવા કહ્યું ત્યારે તે રાજી ના હતી ત્યાર બાદ માં તેના પિતા એ તેના બંને ના લગ્ન બાબા વૈદ્યનાથ મહાદેવ ના મંદિરે કરવા માટે કહ્યું તે તરત જ ભારત આવા માટે રાજી થય હતી. અને બંને એ મહાદેવ ના આશીર્વાદ લય ને લગ્ન નજ બંધન માં બંધાયા હતા. બાબા વૈદ્યનાથ મહાદેવ ના પૂજારી એ કહ્યું કે એક વિદેશી છોકરો ભારત માં આવીને આપણા સનાતન ધર્મ અપનાવીને હિન્દૂ પરમ્પરા મુજબ લગ્ન કરે તે ભારતીયો માટે એક ગર્વ ની વાત કહી શકાય.

 

Categories
India

બાળકે બસ માથી મોઢું બહાર કાઢતા લોખંડના દરવાજા સાથે અથડાયું અને મોત નીપજ્યું ! માતા નુ હૈયાફાટ રુદન.

ધોરણ-4 માં અભ્યાસ કરતો વિધાર્થી સ્કૂલે જતો હતો ત્યારે એવી ભયાનક ઘટના બની કે તમે પણ ચોકી ઉઠશો. ધોરણ-4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલ બસ માં જયારે સ્કૂલે જતો હતો ત્યારે તે મોત ને ભેટી ગયો હતો. ગુજરાત માં અકસ્માત ના કિસ્સાઓ ખુબ જ બહોળા પ્રમાણ માં નજરે ચડે છે. અને એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થી ને સ્કૂલે લય જતી બસ કે ઓટો ને અવારનવાર અકસ્માત નો ભોગ બનતી નજરે ચડે છે.

એવી જ એક ઘટના સામી આવી છે. અનુરાગ નહેરા માત્ર 12-વર્ષ નો વિદ્યાર્થી જયારે સ્કૂલે જવા નીકળે છે ત્યારે તેને બસ માં અકસ્માત નો સામનો કરવો પડે છે. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે તે વિદ્યાર્થી જયારે સ્કૂલે જાય છે ત્યારે શરુ બસે પોતાનું મોઢું બારી બહાર કાઢે છે અને બારી બહાર મોઢું કાઢતાની સાથે જ તે નું મોઢું એક પોલ સાથે અથડાય જાય છે અને માસુમ નું મોત નીપજે છે.

આ આખી ઘટના ની જાણ તેના પરિવાર અને પોલોસ ને કરવામાં આવે છે કે તરત જ પરિવાર અને પોલોસ તાપસ અર્થે દોડી જાય છે. પરિવાર નૂ કહેવું છે કે આ શાળા સંચાલકો ની બેદરકારી નું પરિણામ છે. જયારે શાળા સંચાલકો પોતાના નિવેદન માં કહે છે કે બાળક ને ઉલ્ટી થતી હોય તેને પોતાનું મોઢું બારી બહાર કરેલું અને અચાનક જ સામેથી પોલ આવતા તેનું મોઢું પોલ સાથે અથડાતા તેનું મોત થયું હતું.

આમ શાળા ના સંચાલકો દ્વારા પોતાનો બચાવ કરવામાં આવે છે અને પરિવારો દ્વારા શાળા ના સંચાલકો પર બેદરકારી નો આક્ષેપ મુકવાનમાં આવી રહ્યો છે. માત્ર 12- વર્ષ ની ઉંમરે જ બાળક નું અકસ્માતે મૃત્યુ થતા તેના પરિવાર માં શોક નું વાતાવરણ જોવા મળ્યું હતું.

Categories
India

સૈફઅલી ખાન ના દિકરા અને પલક તિવારી વચ્ચે શુ ચાલી રહ્યુ છે ! સોસીયલ મિડીઆ પર વિડીઓ વાયરલ, જુવો વિડીઓ

બૉલીવુડ માં કામ કરતા એક્ટ્રેસ ખુબ જ ચર્ચા માં રહેતા હોય છે. બૉલીવુડ માં કામ કરતા એકટ્રેસ ના અવનવા ન્યૂઝ વાયરલ થતા હોય છે. હાલમાં બૉલીવુડ ના હીરો સેફલીખાન ના પુત્ર ઇબ્રાહિમ ખાન અને ટીવી એક્ટ્રેસ સ્વેતા તિવારી ની પુત્રી પલક તિવારી ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. પલક તિવારી અને ઇબ્રાહિમ ખાન વચ્ચે શું ચાલી રહ્યું છે કે હાલમા તે બંને ખાસ ચર્ચામાં જોવા મળે છે.

સ્વેતા તિવારી ની પુત્રી પલક તિવારી હજુ હમણાં જ એક મ્યુઝિક આલબમ મા કામ કરેલું છે અને થોડા જ સમય માં તે બૉલીવુડ માં ડેબ્યુ કરવાની છે. તે તેની સુંદરતા અને અદાઓ થી લોકો ને આકર્ષક કરતી હોય છે લોકો તેને પસંદ પણ કરતા હોય છે. તે બોલોવુડ માં ડેબ્યુ કરવાની હોય તે પહેલા જ તે ચર્ચા માં આવી ગય છે. પલક તિવારી અને ઇબ્રાહિમ ખાન થોડા દિવસ પહેલા સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. આ વાત ને લય ને પલકે આ વાત ની હકીકત જણાવી હતી.

આ પહેલા પલક તિવારી અને ઇબ્રાહિમ બંને એક સાથે જન્યુઆરી માં પણ એકસાથે કાર માં જોવા મળ્યા હતા. તે દરમિયાન બંને ને એકસાથે જોઈને ન્યૂઝ વાળા બંને ના એક સાથે ના ફોટા પાડવા લાગ્યા હતા આ દરમિયાન માં પલક તિવારી કેમેરા થી પોતાનું મોઢું છુપાવવાની કોશિશ કરતી હતી અને કેમેરા માં કેદ થવાથી બચતી હતી. તેની સાથે ઇબ્રાહિમ ખાન પણ નજર ચડ્યો હતો. ત્યારબાદ માં પલકે તેની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ખરેખર તેની માતા શ્વેતા તિવારી હતી જેનાથી તે પોતાનો ચહેરો છૂપાવી રહી હતી.

પલકે વધુમાં કહ્યું હતું કે તે અને ઇબ્રાહિમ માત્ર એક સારા મિત્ર છે તેમના વચ્ચે બીજું કઈ નથી તે લોકો પોતાના મિત્ર સાથે બહાર ગયા હતા. તે કહે છે કે ઇબ્રાહિમ એક સારો છોકરો છે તે બંને ભાગ્યે જ એકબીજા સાથે વાતો કરતા હોય છે. પલક કહે છે કે તેની માતા તેને હંમેશા પાપારાઝી ના ફોટા ને આધારે ટ્રેક કરતી હોય છે. પલક સાથે ની વાત માં જાણવા મળ્યું કે પલક વિશાલ મિશ્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ માં તે પોતાનું ડેબ્યુ બૉલિવુડ માં કરવાની છે જે એક હોરોર મુવી હશે તેમના તે મલ્લિકા શેરાવત અબે અરબાઝ ખાન સાથે કામ કરવાની છે. વધુમાં સોશિયલ મીડિયા પર વાયરલ થય રહેલો આ વિડીયો…..

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
India

રોડ અકસ્માત માં ડોક્ટર નો પૂરો પરિવાર મોત ને ભેટ્યો. ઘટના ને સાંભળીને તમારું હ્રદય પણ કંપી જશે……

રાજ્સ્થાન માં રહેતા એક પરિવાર ના સભ્યો એક જ સાથે અકસ્માત માં મૃત્યુ પામવા ની ઘટના સામે આવી છે. એક જ પરિવાર ના સભ્યો મૃત્યુ પામતા તેમના પરિવાર ના માથે આભ ફાટે તેવી મહામુસીબત આવી પડી હતી. લોકો એકબીજા ને સંભાળી પણ શકવામાં સક્ષમ ન હતા તેની માતા ની આંખ માંથી આંસુ સુકાવાના નામ લેતા નથી.રાજસ્થાનના સીકરના ડોક્ટર સતીશ પુનિયાના પરિવારના સાત સભ્યોનું પંજાબમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

મંગળવારે સાંજે અકસ્માતનો ભોગ બનેલા ડૉક્ટર, તેમની પત્ની અને પુત્રના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. ડોક્ટર અને તેની બહેનનો પરિવાર હિમાચલથી પરત ફરતી વખતે પંજાબમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. યુવકનો મૃતદેહ આવતા જ પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મંગળવારે ડૉક્ટર સતીશ કુમાર પુનિયા, તેમની પત્ની સરિતા અને પુત્ર દક્ષાના મૃતદેહને મૂળ ગામ ઠીકરિયા લાવવામાં આવ્યા હતા.

બધાને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને ઘરના આંગણામાં રાખવામાં આવ્યા હતા. પોતાના બાળકોને આ હાલતમાં જોઈને પિતા આઘાતમાં ચૂપ થઈ ગયા. અકસ્માતના સમાચાર સાંભળીને ડો.સતીશની માતા રડી-રડીને બેભાન થઈ ગઈ હતી.ડોક્ટર ના પિતા માટે આ વાત માનવી મુશ્કિલ હતીં કે તેનો પરિવાર અકસ્માત માં ચાલ્યો ગયો છે. પિતા ની આંખો પુત્રવધૂ અને પૌત્રને જોઈને તેની આંખો ફૂલી જતી. પરિવારની હાલત જોઈને આસપાસના લોકો પણ પોતાને રોકી શક્યા નહીં અને અત્યન્ત દયનિય સ્થિતિ માં પરિવાર ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

માતાની આંખમાંથી આંસુ જ વહી રહ્યાં હતાં. સ્ત્રીઓ તેમને સંભાળવા માટે ખૂબ જ પ્રયત્ન કરતી રહી, પરંતુ પુત્રો અને બાળકોની હાલત જોઈને બધા અસ્વસ્થ થઈ ગયા.આમ પોતાના પરીવાર ને એક જ જાટકામાં તબાહ થતો જોઈ ને તેની માતા ના આંસુ સુકાતા નોતા. અને બધા ની અર્થીઓ એક સાથે ઉપડી હતી. અને તેના પરિવાર ના સદસ્યો અને બીજા લોકો એ તેને કાંધ આપી હતી. ડોક્ટર ના ભત્રીજા એ આ બધાને અગ્નિદાહ આપ્યો હતો.

Categories
Gujarat

હવામાન વિભાગ ની આગાહી ગુજરાત મા પડી શકે કમોસમી વરસાદ જાણો વધુ વીગતે.

ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે એક રાહત ના સમાચાર કહી શકાય. હવામાન વિભાગે ગુજરાત મા બે દિવસ માટે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. લોકો ગરમી બચવા માટે વોટર-પાર્ક, બાગ બગીચા વગેરે જેવી જગ્યાઓ પર ખાસ નજરે ચડે છે એવા માં હવામાન વિભાગે એક રાહત ના સમાચાર આપ્યા અને ગુજરાત માં બે દિવસ માટે વરસાદ પડે તેવી સંભવનાઓ વ્યક્ત કરી છે.

વરસાદ પડે તો લોકો ને ગરમી થી આંશિક રાહત મળી શકે પરંતુ વરસાદ ની આગહી એ ખેડૂતો ની ચિંતામાં વધારો કરી દીધો છે. વરસાદ ની આગાહી ને લઈને ખેડૂતો પોતાના ઉનાળુ પાક ને લય ને ખુબ જ ચિંતા માં મુકાય ગયા છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ આગામી બે દિવસ એટલે કે બુધવાર અને ગુરુવારે 20-21 તારીખ ના રોજ ગુજરાત માં વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળે છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાત ના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાત માં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, દાહોદ,વડોદરા જેવા જિલ્લા ઓ માં ઠંડક રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યકત કરી છે. સાથોસાથ હવામાન વિભાગે ખેડૂતો ને પોતાના પાક ને યોગ્ય જગ્યા એ રાખવાની સલાહ પણ આપી છે.

વરસાદ ની આગાહી ને લય ને ગુજરાત ના અમુક વિસ્તારો માં ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળશે. અને ગરમી થી લોકો ને આંશિક રાહત મળશો. હાલમાં સમય માં ગુજરાત માં ગરમી નો પારો 41-42 ડિગ્રી સુધી ઊંચો નોંધાય રહ્યો છે. એવા માં વરસાદ પડવાથી હવામાન મા થોડાક દિવસો માટે પારો નીચે રહે તેવી સંભાવનાઓ છે.

Categories
Gujarat

અમદાવાદ ના આડેધે આપઘાત કરી લીધો અને કંપાવનારી સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે “હવે મારા થી સહન થતુ નથી…

આ ઘટના અમદાવાદ ના વેજલપુર વિસ્તાર નિ સામી આવી છે જેમાં એક આધેડે બેંક લોન ના હપ્તા ન ભરવા ના કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટના ને લયને આજુબાજુ મા ખુબ જ ચકચાર થવા પામી છે. આપઘાત કરનાર આધેડ ના ક્રેડિટ કાર્ડ પર એક દંપતી એ લોન લીધી હોય તે લોન ના હપ્તા ન ચુકવતા હોય અને તેના લીધે બેંક વાળા ના પ્રેસર ના લીધે આધેડે અંતે આ પગલું ભર્યું હતું.

વેજલપુર વિસ્તાર માં રહેતા મહેન્દ્રભાઈ ગોહેલ જે વસ્ત્રાપુર ની ખાનગી કંપની માં એમ સ્કવેર મિલેનિયમ પ્લાઝ્મા માં ડ્રાયવર તરીકે કામ કરતા હતા. અને તેમની સાથે જ નોકરી કરતા યોગેશ શુકલા અને તેમની પત્ની એ મહેન્દ્રભાઈ સાથે મિત્રતા કેળવીને તેમની મિત્રતા નો ખોટો ફાયદો ઉઠાવીને તેમને મરવા મજબુર કરી દીધા હતા. યોગેશ શુકલા એ તેમની સાથે મિત્ર કર્યા બાદ માં મહેન્દ્રભાઈ ના ક્રેડિટ કાર્ડ પર લોન લીઘી હતી.

દંપતી એ મહેન્દ્રભાઈ ના ક્રેડિટ કાર્ડ પર ઇલેક્ટ્રિક વસ્તુઓ લોન પર લેવાનું શરૂ કર્યું હતું. ઇલેકટ્રીક વસ્તુઓ લોન પર લીધા બાદ દંપતી લોન ના હપ્તા ચુકવતા ન હતા ક્રેડિટ કાર્ડ મહેન્દ્રભાઈ નું હોય તેથી બેંક માંથી હપ્તા ભરવા માટે મહેન્દ્રભાઈ પર ફોન આવતા થય ગયા અને ઉઘરાણી કરવા વાળા પણ મહેન્દ્રભાઈ ને લોન ભરવા માટે ધમકીઓ આપવા લાગ્યા હતા.

મહેન્દ્રભાઈ તેના ઘર ના કમાનાર વ્યક્તિ હોય તેના ઘર મા ખુબ જ ગમગીન વાતાવરણ થય ગયું. મહેન્દ્રભાઈ આ વાત થી ખુબ જ કંટાળી ગયા હતા માટે તેને કોઈ બીજો રસ્તો ન મળતા અંતે તેને મરવાનું પગલું ભર્યું હતું. મહેન્દ્રભાઈ એ આ પગલું લેતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેને લખ્યું હતું કે, યોગેશ શુક્લ અને તેની પત્ની એ તેના ક્રેડિટ કાર્ડ પર વસ્તુઓ લીધા બાદ તે છેલ્લા બે મહિના થી હપ્તા ભરતા ન હતા અને બેન્કવાળા તેના ઘરે ઉઘરાણી માટે અવારનવાર આવતા હતા આ વાત થી તે ખુબ જ કંટાળી ગયા હતા. બેન્કવાળાઓ નું એટલું બધું પ્રેસર હતું કે તે શાંતિ થી સુઈ ન શકતા, ન શાંતિ થી જમી શકતા, કે ન નોકરી કરી શકતા હતા.

મહેન્દ્રભાઈ નું ક્રેડિટ કાર્ડ પણ તે દંપતી પાસે હતું તે લોકો એ મહેન્દ્રભાઈ નો પગાર પણ ઉપાડી લીધો જે મહેન્દ્રભાઈ થી સહન થતું ન હતુ. અને અંતે મહેન્દ્રભાઈ એ છેલ્લું પગલું ભર્યું હતું સાથે સાથે યોગેશ શુક્લ અને તેની પત્ની ને એની સજા મળે તેવી વિનંતી કરી હતી. આ બનાવ ની માહિતી વેજલપુર પોલીસ ને મળતા પીઆઇ એચ.જી.પાલાચારીયા એ આપઘાત નો ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી. બાદ માં વેજલપુર પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના ની તપાસ એસટી-એસસી સેલ ને સોંપવામાં આવી હતી અને સેલ દ્વારા દંપતી ને પકડવા બેન્ક ના ક્રેડિટ કાર્ડ અંગે બધી જ માહિતી મેળવવા તપાસ નો

Categories
India

આ ચોર તો જુવો ! ચોરી કરી અને ઉપરથી કેમેરા સામે એવી હરકત કરી કે જાઈને તમે…

તમે લોકો એ ચોર તો ઘણા જોયા હશો પણ ચોર ને ચોરી કરતા સમયે ડાન્સ કરતા જોયો છે? ડાન્સ કરતા ચોર નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થય રહ્યો છે જેમાં ચોર ચોરી કર્યા બાદ માં ડાન્સ કરતો જોવા મળે છે. અને આ વિડીયો જોઈ ને સૌ કોઈ આનંદ માણી રહ્યા છે લોકો આ વિડીયો ને જોઈ ને પોતાની પ્રતિક્રિયા પણ ખુબ આપી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં હાર્ડવેર સ્ટોરમાં થયેલી લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક હાર્ડવેર ની દુકાન માં એક ચોર ચોરી કરવા માટે દુકાન માં પ્રવેશે છે દુકાનની અંદર સિસિટીવી કેમેરા લગાડેલા હોય તેમાં આ સમગ્ર ઘટના કેદ થય ગયેલી જોવા મળે છે. ચોર દુકાન માં આરામ થી પ્રવેશતો જોવા મળે છે.

ચોર ચોરી કરતા કરતા અચાનક જ ડાન્સ કરતા જોવા મળે છે ચોર ને શું થયું હશો કે તે અચાનક ડાન્સ કરવા લાગ્યો હશો? લોકો આ વિડીયો જોઈ ને મજા માણી રહ્યા છે પોલીસે આ અંગે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી હતી. અને ડાન્સ કરતા ચોર ને પકડવામાં પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પોલીસે દુકાન ના સિસિટીવી ફૂટેજ મેળવી ને વધુ તપાસ કરી હતી.

આ ઘટના 16-એપ્રીલ ની વહેલી સવાર ની છે ચોર પહેલા દુકાન માં પ્રવેશી ને કેશ કાઉન્ટર પર થી બધી રકમ લય લે છે ત્યારબાદ તેનું ધ્યાન સિસિટિવી કેમેરા પર પડે છે ચોર કેમેરા ની સામે અચાનક જ ડાન્સ કરવા લાગતો નજરે ચડે છે. ચોર નું મોઢું સ્પષ્ટ જોઈ શકાતું નથી કારણકે તેને પોતાનું મોઢું કપડાં થી બાંધેલું છે. જુઓ વિડીયો……….

Categories
India

ગાય ના વાછરડા પર મધમોટા અજગરે હુમલો કર્યો! વિડીઓ જોઈ હચમચી જશો….

સોશિયલ મીડિયા પર અત્યારે એક ભયાનક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અજગર દ્વારા એક ગાય ના વાછરડા પાર જોરદાર હુમલો કરીને વાછરડા ને ગળી જવાનો પ્રયત્ન કરતો નજરે પડે છે. સાપ ને જોય ને સૌ કોઈ લોકો ને ડર લાગવા લાગે છે. વાછરડા પર હુમલો કરનાર અજગર લગભગ 10-ફૂટ લાંબો હતો.

10-ફૂટ લાંબો અજગર ગાયો ના વાડા માં ઘુસી જાય છે. વાડા માં કેટલીક ગાયો અને વાછરડા પર અજગર અચાનક જ હુમલો કરી નાંખે છે વિડીયો માં અજગર એક વાછરડા પર અચાનક હુમલો કરી બેસે છે અને વાછરડા ને ગળી જવાનો પ્રયત્ન કરે છે વાછરડું ભાગવાનો પ્રયત્ન કરે છે પણ અજગર તેના પગ ને જોરદાર રીતે પકડી રાખે છે.

વાછરડું પોતાને છોડવાનો ખુબ પ્રયત્ન કરે છતાં તે છોડાવી શકતું નથી. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ની વાઇલ્ડલાઇફ-એનિમલ નામની સાઈટ પર જોઈ શકાય છે.

આ વિડીયો જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે અને લખે છે કે આ વિડીયો કોણે બનાવીયો અને તેણે વાછરડા ને બચાવવાનો જરાક પણ પ્રયત્ન ના કર્યો? વિડીયો મા વાછરડા નો મલિક પણ જોવા મળતો નથી.  જુઓ વિડ્યો..

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat

પ્રખ્યાત સિરિયલ તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા ના પ્રસિદ્વ કોમેડી કલાકાર જેઠાલાલ ગુજરાત ના પ્રવાસે.

ભારત ના દરેક ઘર મા પ્રખ્યાત એવી કોમેડી સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં નું એક કોમેડી પાત્ર એટલે જેઠાલાલ ગડા નુ પાત્ર. જેઠાલાલ ના નામે પ્રસિદ્ધ જેઠાલાલ નું સાચું નામ દિલીપ જોશી છે. દિલીપ જોશી અત્યારે ગુજરાત ના પ્રવાસે જોવા મળે છે. દિલીપ જોશી વર્ષો થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તે જે પણ જગ્યા એ જાય ત્યાં સ્વામિનારાયણ ના મંદિર મુલાકાત અવશ્ય લે છે.

દિલીપ જોશી અત્યારે ગુજરાત ના પ્રવાસે જોવા મળે છે. ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી ના લગ્ન માં હાજરી આપવા માટે દિલીપ જોશી ગુજરાત આવ્યા હતા. અને તેની સાથે તેમની ધર્મપત્ની પણ આવ્યા હતા તે દરમિયાન દિલીપ જોશી અને તેમના પત્ની જલારામ બાપા ના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાં ભગવાન શિવ ની પૂજા કરી હતી. અને ત્યાં થોડા સમય માટે રહ્યા હતા. તે દરમિયાન લોકો માં પ્રિય એવા દિલીપ જોષી ની સાથે મુલાકાત કરવા તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

તેણે અને તેમની પત્ની એ મંદિર માં પૂજા કર્યા બાદ માં ત્યાં જલારામ બાપા નો પ્રસાદ પણ લીધો હતો. જલારામ બાપા ના ભક્ત પુના આણંદી તથા ટ્રસ્ટી દામજીભાઈ પટેલે અને મેનેજર રાજુભાઈ રાજપૂતે તેનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને જલારામ બાપા ની મુર્તી પણ આપી હતી. દિલીપ જોશી અને તેમની પત્ની પોરબંદર થી અમદાવાદ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પુત્ર નું રિસેપ્શન હોય ત્યાં હાજરી આપવા આવ્યા હતા અને તેથી વચ્ચે સમય મળતા જલારામ બાપા ના મંદીરે દર્શન કરવા રોકાણ કર્યું હતું.