Categories
India

લખનઉ- કોન્સ્ટેબલ ની ફરજ બજાવનાર મહિલા નુ એકસિડેન્ટ મા કમકમાટી ભર્યું મોત.

એકસિડેન્ટ ના કિસ્સાઓ ખુબ જ વધારે પ્રમાણ મા બનતા હોય છે. અને જેમાં કોઈ નિર્દોષ વ્યક્તિ એ જીવ ગુમાવવાનો વારો આવે છે. કારો કે ગાડી ની સ્પીડ એટલી બધી હોય છે કે ક્યારેક કોઈનું મૃત્યુ ઘટના સ્થળે જ થઈ જાય છે. એવી જ એક દુર્ઘટના લખનૌ ની સામે આવી છે.

લખનઉના હનુમાન સેતુ પાસે અકસ્માતમાં બાઇક અથડાતા જાનકીપુરમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ માલા શુક્લા નું સારવાર દરમિયાન મોત થયું હતું. ઈન્સ્પેક્ટર દિનેશ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, 2016 બેચના કોન્સ્ટેબલ છે. માલા શુકલા કોન્સ્ટેબલે ની ફરજ એક કોર્ટ માં હાલમાં બજાવતા હતા. તેના પતિ સંદીપ પાંડે એરફોર્સમાં કામ કરે છે અને ગુવાહાટીમાં પોસ્ટેડ છે. તેમની હાલમાં વેડિંગ એનિવર્સરી ની વર્ષગાંઠ હોય તેને સેલિબ્રસન કરવા માટે માલા એરપોર્ટ જય રહી હતી અને ત્યાંથી ગોવાહાટી મા જવાની હતી.

માલા તેના દિયર સાથે બાઈક લઇ ને એરપોર્ટ જતી હતી તે દરમિયાન એક કાર પાછળ થી આવીને તેની બાઈક ને ટક્કર મારી દેતા માલા શુકલા ને ઈજા થઈ હતી બાદ માં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જે દરમિયાન ત્યાં તેનું મોત થયું હતું. તેના દિયર ને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.જે કાર વડે ટક્કર થાય હતી તે કારચાલાક ત્યારથી નાસી ગયો હતો.

માલા ના પરિવાર દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તાર ના સીસીટીવી કેમેરા ના રેકોર્ડ જોઈ ને કારચાલાક ની શોધખોળ શરુ કરી હતી.

 

Categories
India

મધપ્રદેશ- ડ્રાયવર ની નોકરી કરતા પિતા ની પુત્રી એ સિવિલ જજ ની પરીક્ષા પાસ કરી. સમાજ માટે દ્રષ્ટાંત.

ભારત મા અભ્યાસ કરતા વિધ્યારથીઓ માં દરેક નું સપનું ઊંચું હોય છે. સૌઉ કોઈ ને ઊંચું પદ મળે તેવું સપનું દરેક વિદ્યાર્ર્થીઓનું હોય છે. ખાસ એમાં ગરીબ ઘરના દીકરી કે દીકરીઓ જ્યારે પાસ થતા હોય છે ત્યારે તેનો આનંદ જ કઈ અલગ હોય છે. એવી જ એક દીકરી કે જેના પિતા જજ ના ડ્રાયવર છે અને તે ડ્રાયવર ની પુત્રી એ સિવિલ જજ વર્ગ 2 ની પરીક્ષા પાસ કરીને એક સમાજ માં દાખલો બેસાડી દીધો.

મધ્યપ્રદેશ ના નિમચ ગામમાં થી હાઈકોર્ટ સિવિલ જજ વર્ગ-2 ની પરીક્ષા બે દીકરીઓ એ પાસ કરી છે. જેમાં નીમચની બે દીકરીઓને સફળતા મળી છે. તેમાંથી એક, જાવદ, સિવિલ જજના ડ્રાઇવરની પુત્રી છે જેણે પહેલા જ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી છે.અને બીજી દીકરી કે જેના પિતા પુસ્તક વિક્રેતા જીતેન્દ્રની પુત્રી દુર્ગાએ બીજા પ્રયાસમાં આ સફળતા મેળવી છે.

બને દીકરીઓ સામાન્ય ઘર ન હોવા છતાં દેશ ની ખુબ જ અઘરી પરીક્ષા પાસ કરી છે. તેણે ઓલ ઈન્ડિયા લેવલમાં 7મો રેન્ક મેળવ્યો. સાદા પરિવારમાંથી ઉછરીને આ પદ હાંસલ કરવું એ એક આનન્દ ની વાત છે, બંને એ સખત મહેનત અને સમર્પણથી પરીક્ષા પાસ કરી. ખાસ વાત એ છે કે બંને દીકરીઓએ તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાની પ્રેરણા, મહેનત અને સમર્પણને આપ્યો છે.

હકીકતમાં, રાજ્યભરની અદાલતોમાં 252 ખાલી જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી 350 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં નીમચ શહેરની બે દીકરીઓની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાં વંશિતા ગુપ્તા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ન્યાય વિભાગના નાના પગારના કર્મચારી (ડ્રાઈવર) અરવિંદ ગુપ્તાની પુત્રી છે. વંશિતા પ્રથમ પ્રયાસમાં જ સિવિલ જજ બની હતી, જેને રાજ્યમાં સાતમો રેન્ક મળ્યો છે. અને વધુંમાં તેણે કહ્યું હતું કે હજુ તે આગળ પણ અભ્યાસ શરુ રખશે.

Categories
India

સ્કૂલ ફંકશન મા વિદ્યાર્થિનીએ એવો ડાન્સ કર્યો કે…..લોકો જોતા જ રહી ગયા.જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. એવા અવનવા વિડીયો જોઈ ને લોકો તેનો આનંદ લેતા હોય છે. ખાસ કરીને નાના બાળકો ના ફની વિડીયો જોવાની ખુબ મજા આવતી હોય છે. ક્યારેક સ્કૂલ મા ફંક્સન યોજાતા હોય તેમાં નાના બાળકો ના ખૂબ સારા વિડીયો જોવા મળે છે.

એવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. વિડીયો ને જોઈ ને લોકો તેને આનંદ ઉઠાવી રહ્યા છે. શાળા કોલેજો માં ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તેમાં બાળકો મુવી ના સોન્ગ્સ પર સ્ટેપ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડીયો એક સ્કૂલ નો છે જેમાં બાળકો તેમજ તેમના શિક્ષકો નાચતા કે ગાતા જોવા મળે છે.

વીડિયો માં જોઈ શકાય છે કે, એક છોકરીએ હરિયાણવી ગીત પર ખૂબ જ સારો ડાન્સ કર્યો છે. કોલેજ માં કઈ પ્રોગ્રામ હોય જે એક રૂમની અંદર કરવામાં આવી રહ્યો છે અને એક છોકરી જેણે તેની કોલેજનો યુનિફોર્મ પહેર્યો છે. તે બધાની સામે આવે છે અને હરિયાણવી ગીત પર જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. આ જોઈને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ તાળીઓ પાડવા લાગે છે અને ડાન્સની મજા માણે છે.

આ વિડિયો ટોપ 5 સીજી દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. જે વિડીયો ને અત્યાર સુધીમાં લખો થી પણ વધારે લોકો જોઈને આનંદ માની રહ્યા છે. વિડીયો જોઈ ને સૌ કોઈ પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે પણ જુઓ વિડીયો.

Categories
Gujarat

ભાવનગર- કોબડી ના તળાવ મા 17-વર્ષીય યુવક નું ડૂબી જવાથી મોત. પરિવાર મા શોક નું વાતાવરણ.

ભાવનગર ના કોબડી ગામની એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. ભાવનગર ના કોબડી ના તળાવ મા એક યુવક નું ન્હાવા જતા મોત નીપજ્યું હતું.
નાની ઉમર માં જ યુવક નું મોત નિપજતા ઘર મા વાતાવરણ અચંબિત બન્યું હતું.

ભાવનગર ના મામાસા ગામમાં રહેતા 17 વર્ષીય યુવાન પ્રવીણ પોલાભાઈ મકવાણા જે તેના મિત્રો સાથે કોબડી ના તળાવ મા ન્હાવા માટે ગયો હતો તે દરમિયાન મા તેનું તળાવ મા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પરિવાર ને તેનો પુત્ર ન મળતો હોય તેને તેની શોધખોળ હાથ ધરી હતી. બાદ માં પરિવાર ને બુધવારે જાણ થઈ હતી કે તેનો પુત્ર તળાવ માં ડૂબી ગયો છે.

ગુરુવારે સવારે ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોંચી યુવક નો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને યુવક ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલે લય જવામાં આવ્યો હતો. મરનાર યુવક ના પિતા પોલભાઈ મકવાણા ખેતી નું કામ કરે છે. તેના પુત્ર ના મોત ની જાણ થતા પરિવાર મા ની માથે આભ ફાટે તેવી મુસીબત આવી પડી હતી.

ફાયર બ્રિગેડ ને ઘટના ની જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બોટ અને દોરડા વડે શોધખોળ શરુ કરી ને યુવક નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

Categories
Gujarat

અમદાવાદ- આયશા આત્મહત્યા કેસ. આયશા ના પિતા એ તેની પુત્રી વિશે એવું કહ્યું કે સાંભળીને તમારું હૃદય પણ પીગળી પણ પીગળી જશે.

અમદાવાદ મા એક વર્ષ પહેલા ફેબ્રુઆરી મહીનામાં આયશા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નદી પર આત્મહત્યા કરી લીધી હતી. તેને સાબરમતી માં જમ્પલાવ્યા પહેલા વિડીયો બનાવીને શેર કર્યો હતો. જેમાં તેને તેના મારવાનું કારણ પણ જણાવ્યું હતું. આ આખા કેસ મા આયશા ના પતી આરીફ ને કોર્ટ દ્વારા 10 વર્ષ ની સજા કરવામાં આવી છે. આરોપી તેના પતિ આરીફ ને સજા કરાયા બાદ આયશા ના પિતા લિયાકત અલી મકરાણી એ તેની વ્યથાઓ વ્યક્ત કરી હતી. અને તેની દીકરી ને ન્યાય મળ્યો તે માટે કોર્ટ નો આભાર પણ માન્યો હતો.

આયશા ના પીતા એ આયશા ની તમામ વાત કહી હતી. તેને કહ્યં કે આયશા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે તેના રૂમ માં જ્યાં બેસી ને અભ્યાસ કરતી તે જગ્યા પણ તેના પિતા એ બતાવી હતી. તેના પિતા લિયાકત અલી મકરાણી જણાવે છે કે આયશા જ્યાં અભ્યાસ કરવા બેસતી ત્યાં તે ની સામે ની દીવાલ પર તે પોતાના માર્ક લખી રાખતી હતી તેના પિતા તેને પૂછતાં આ શા માટે ત્યારે આયશા એ જવાબ આપ્યો કે તેને આગળના ધોરણ માં જેટલા માર્ક લાવવાના છે તે તેણે લખેલા છે તે જયારે 12 માં ધોરણ માં હતી તે દરમિયાન તેને 93 થી 94 માર્ક તેની દીવાલ પર લખી રાખ્યા હતા કે જે તેનો ટાર્ગેટ હતો અને 12 માં ધોરણ માં તેને 98 થી પણ વધુ માર્ક્સ આવ્યા હતા તેમ તેના પિતા એ જણાવ્યું હતું. તેના પિતા કહે છે કે આયશા સાયકોલોજી નું ભણતી હતી અને તેને પીએચડી કરીને પ્રોફેસર બનવું હતું.

આયશા ના પિતા કહે છે કે આયશા તેની ખુબ જ નજીક હતી તેના માતા થી પણ વધુ તેના પિતા ની નજીક હતી. વધુમાં જણાવ્યું કે જયારે આયશા એ આત્મહત્યા કરી ત્યારે બનાવેલા વિડીયો માં પણ તે તેના પિતા ને ઉદ્દેશીને જ વાત કહેતી હતી કારણકે તેને ખબર હતી કે તેના પિતા જ તેની વાત સમજી શકે તેમ છે. તેમ તેના પિતા એ કહ્યું હતું. આયશા ના પિતા અમદાવાદ ના વટવા વિસ્તાર ના અલમિના પાર્ક માં રહે છે અને સિલાય નુ કામ કરે છે. તેના પિતા એ આયશા ની વાત કહેતા તેની આંખો માંથી આંસુ નીકળવા માંડ્યા હતા અને તેનું શરીર પણ ધ્રુજતુ હતું.

આયશા ના પિતા કહે છે જયારે કેસ કોર્ટ માં ચાલતો હતો ત્યારે આરીફ અને તેના પિતા ના ઘણા ફોન તેમના પર આવતા હતા અને તે લોકો આમ વચ્ચે નો રસ્તો કાઢવા માટે તેને કહેતા હતા. અને આયશા ના પિતા ના મામા પણ આ માટે તેને વારંવાર કહેતા હતા. વધુમાં તેના પિતા કહે છે કે હજુ તે સરકાર ને દરખાસ્ત કરવા માંગે છે કે તે આરોપી આરીફ ને ફાંસી ની સજા આપે. તે કહે છે કે એક માણસ 350 કિલોમીટર દૂર થી પણ કોઈ ને મારવા મજબુર કરી દે છે અને તેને મરવા મજબુર કરી દે છે તો તેણે ફાંસી ની સજા શા માટે નો થાય? સાથે સાથે તેના પિતા એ સમાજ ની તમામ દીકરીઓ ને પણ કહ્યું હતું કે આયશા ને તે લોકો અયડલ ન બનાવે અને તેને જેનાથી ત્રાસ હોય તે લોકો વિરૃદ્ધ હિંમ્મત થી લડે.

આયશા ના પિતા કહે છે આયશા દ્વારા જે છેલ્લો વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વીડિયો ને તેને હજુ સુધી જોયો નથી કારણકે તે કહે છે કે તેનો વિડીયો જોવાની તેનામાં હિમ્મત જ નથી. તે જણાવે છે આ બનાવ બાદ તેને તેને હિન્દૂ ઉપરાંત મુસ્લિમ લોકો મળવા આવતા હતા અને તે લોકો તે ને કહેતા જે મદદ જોઈ એ તે લોકો કરવા તૈયાર છે.

Categories
India

ભોપાલ- સામુહિક આત્મહત્યા. પતિ એ તેની પત્ની અને બે બાળકો ને ઝેર આપીને પોતે પણ ખાઈ લીધો ગળાફાંસો.

આપણા સમાજ મા અવારનવાર આત્મહત્યા ના બનાવો બનતા જ હોય છે. અને ક્યારેક સામુહિક આત્મહત્યા ના બનાવો પણ નજરે ચડે છે. વ્યક્તિ પાસે કોઈ રસ્તો ન રહેતા તે અંતે આત્મહત્યા કરી લેતા હોય છે ક્યારેક તે તેના પરિવાર ને મારીને પોતે પણ આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના ભોપાલ ની સામે આવી છે. જેમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર થવા પામી છે.

ભોપાલ માં રહેતા એક સોની પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. ભોપાલ મા રહેતા અને સોની દુકાન ધરાવતા એક શખ્સે પહેલા તેની પત્ની અને બે પુત્રો ને મારી ને પોતે પણ આત્મહત્યા કરી લે છે. જેમાંથી એક નાનો પુત્ર જે બચી ગયો હતો અને તેથી તેને ભોપાલ ની હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવેલ છે પણ તેની હાલત પણ ગંભીર છે. મરનાર વ્યક્તિ નું નામ જીતેન્દ્ર સોની છે જેને મારતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મારવાનું મુખ્ય કારણ જમીન વિવાદ હતો તેમ બહાર આવ્યું છે.

સમગ્ર ઘટના મા 35 વર્ષીય નિવાસી જીતેન્દ્ર સોની, 32 વર્ષીય રીંકી સોની અને 12 વર્ષીય વૈષ્ણવ સોની મૃત અવસ્થામાં નીચે પડ્યા હતા. 10 વર્ષીય પુત્ર કાર્તિક સોનીના શ્વાસ ચાલી રહ્યા હતા એટલે તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જીતેન્દ્ર સોની નું ઘર રાયસેનની વાડી કસ્બાના વોર્ડ નં-8 માં આવેલું છે. જીતેન્દ્ર સોની ને હિંગળાજ મંદિર રોડ પર બાલાજી જ્વેલર્સ નામની દુકાન છે. તે ઉપરાંત તેને બે તેનાથી નાના ભાઈઓ છે જેમાંથી એક મુંબઈમાં અને બીજો ભોપાલમાં નોકરી કરે છે. તેનો પરિવાર શ્રીમંત પરિવાર હતો. જીતેન્દ્ર પાસે બે માળનું ઘર અને એક કાર છે. ઉપરાંત તેની સોની ની દુકાન પણ પણ સારી ચાલી રહી હતી.

જીતેન્દ્ર ની સુસાઈડ તેને જણાવ્યું હતું કે, હું ખૂબ જ અસ્વસ્થ છું. મારો ધંધો પણ બંધ થઇ ગયો છે. મને સમજાતું નથી કે, શું કરવું? હું મારી પત્ની અને બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું. હું આવી જિંદગી ના જીવી શકું. હું ખૂબ જ સમજી વિચારીને આ પગલું લઈ રહ્યો છું. જો હું એકલો મરી જઈશ તો મારા પરિવારનું શું થશે? આ જમાનો ખૂબ જ ખરાબ છે. મારે આવો નિર્ણય લેવો પડે છે તેમાં કોઈનો પણ વાંક નથી માટે મારા અંગત કોઈને પણ પરેશાન ના કરશો. મારી આ પરિસ્થિતિ માટે હું પોતે જ જવાબદાર છું અને સૌથી મોટો જવાબદાર તે છે, જે મારા પરિવારની બ્લોક જમીન નથી આપતો. મારા પરિવારને હજુ સુધી કઈ મળ્યું નથી. ક્યાં સુધી સરકાર સામે લડવું, લાંબો સમય વીતી ગયો, પરંતુ જોવાવાળું કોઈ નથી.

જો યોગ્ય સમયે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોત તો કદાચ મેં આ પગલું ભરવાનું ક્યારેય વિચાર્યું ના હોત. મને મારી વાત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરો. જમીન મારા પરિવારને મળે, જેથી અમારી હાલત ઠીક થઈ જાય. ઘરના સભ્યોને હું આવું પગલું ભરીશ તેવો અંદાજો પણ નહિ હોય, પરંતુ મારી સામે બીજો કોઈ રસ્તો નથી. મને માફ કરો. નીરજ, પંકજ, માતા-પિતાનું સારું ધ્યાન રાખજો. તેમને કોઈ તકલીફ ના પડે. તેમને તમારી સાથે લઇ જજો, જેથી તેમને લોકોની વાતો સાંભળવી ના પડે. સમગ્ર ઘટના ની તપાસ ASP અમૃત મીણાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. પત્ની અને બંને બાળકોના ગળા પર પણ દોરડાના નિશાન છે. તેથી મોત ગળું દબાવવાથી થયું છે કે ઝેરના કારણે થયું છે તે સ્પષ્ટ નથી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આમ સુસાઇડ નોટ માં સમગ્ર ઘટના જમીન વિવાદ ને લઇ ને બનેલી જોવા મળે છે. મારનાર ની અર્થી એકસાથે ઉઠતા તેના પરિવારો માં ખુબ જ શોક નું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમના નાના ભાઈ પંકજ સોનીએ ત્રણેયને ભેગા મળીને મુખાગ્ની આપી હતી. તેમની બાજુમાં રાહતા પાડોશીઓ તરફ થી જાણવા મળ્યું કે મારનાર જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે કોઈને કોઈવાર વિવાદ ચાલતો હોય તેવું લાગતું હતું.

Categories
India

કેનેડા મા ભારતીય વિદ્યાર્થી એ કર્યો આપઘાત. જાણો વિગતે.

કોરોના મહામારી એ આખા વિશ્વ માં એક ભયંકર વાતાવરણ નું સર્જન કર્યું છે. કોરોના ની બીમારીને કારણે કેટલાક ના જીવ ગયા તો કેટલાક કોરોના ના લીધે આર્થિક રીતે પાયમાલ થી જતા અંતે આત્મહત્યા કરી ને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. કોરોના ના કેસ માં ઘટાડો થયો પણ તેની અસર હજુ ભયંકર રીતે જોવા મળે છે. લોકો કંટાળીને આર્થિક રીતે નબળા પડી ને અંતે આત્મહત્યા કરે છે. એવી જ એક ઘટના સામી આવી છે.

એક ભારતીય વિદ્યાર્થી કે જે કેનેડા માં અભ્યાસ કરતો હોય તેને કેનેડામાં જ આત્મહત્યા કરી લીધેલી છે. કેનેડામાં એક પંજાબી યુવકે આર્થીક પરિસ્થિતિનો સામનો ન કરી શકવાના કારણે આત્મહત્યા કરી છે. મારનાર ની ઓળખ થતા જાણવા મળ્યું કે યુવક નું નામ અર્શદીપ વર્મા છે.જે પટિયાલાના ગામ ગગ્ગાના રહેવાસી છે.

મારનાર યુવક અર્શદીપ વર્મા વર્ષ 2019 માં સ્ટડી વીજા લઈને ભારત થી કેનેડા ની ઓન્ટારિયોની કેમ્બ્રિજ કોલેજ માં અભ્યાસ કરવા ગયો હતો. ત્યારબાદ કોરોના મહામારી ની શરૂઆત થઈ હોય તે આર્થિક રીતે ડિપ્રેસન માં આવી ગયો હતો. કોરોના મહામારીને કારણે કેનેડામાં ખુબ જ મોટા પ્રમાણ માં શેક્ષણિક સંસ્થાઓ બંધ થઇ ગય હોય વિધ્યાર્થીઓ ને આની ખુબજ અસર પડી હતી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઈઓ ના લગભગ 9-લાખ થી 12-લાખ જેટલું નુકશાન થયું હતું. આ કારણોસર વિદ્યાર્થી આર્થિક રીતે ચિંતા મા મુકાય ગયા હતા. વિદ્યાર્થીઓ આ માટે ભારત સરકાર ને અરજી કરી હતી કે તેમને પૈસા પરત કરવામાં આવે.

વિધાર્થીઓ એ કેનેડા ની સંસ્થાઓ માં 12-લાખ રૂપિયા ભરીને અભ્યાસ માટે અરજીઓ કરી હતી. બાદ માં કોરોના ને કારણે બધું જ બંધ થઇ જતા ભારત માં પાછા ફરવું પડ્યું હતું. થોડા દિવસ પહેલાં જ કેનેડામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ જવાના કારણે ભારત પરત ફરેલા અનેક યુવાનોએ અમૃતસર ના રણજિત એવન્યુમાં એક ખાનગી સંસ્થાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ભારત સરકાર પાસે ફીસ ના પૈસા પરત કરવા માટે માંગણી કરી હતી અને તે લોકો અહીં ભારત માં જ અભ્યાસ આગળ કરી શકે.

Categories
India

ભોજપુરી સિનેમાની રાણી. રાની ચેટર્જી એ આલિયા ભટ્ટ ના સોન્ગ્સ “મેરી જાન” પર એવા હોટ એક્સપ્રેશન આપ્યા કે…..જુઓ વિડીયો.

ભોજપુરી સિનેમામાં નામ બનાવેલ એવી રાની ચેટર્જી. રાની ચેટર્જી એ કેટલાય મુવી મા અભિનય કરેલો છે. ભોજપુરી સિનેમા મા તેનું એક અલગ જ નામે છે. તે તેના મુવી ને કારણે ખાસ ચર્ચા માં રહેતી હોય છે. હાલમાં તે તેના વિડીયો ને લઈને ખુબ જ ચર્ચા માં જોવા મળે છે.

રાની ચેટર્જી નું આગામી મુવી આવાનું હોય તેને લઈને તે ચર્ચામાં હતી. આગામી દિવસો તેનું મુવી “લેડી સિંઘમ” રીલીજ થવાનું હોય તેના ફેન્સ તેની રાહ જોઈ ને બેઠ્યાં છે. તેનું મુવી રિલીઝ થયા અગાઉ રાની ચેટર્જી એ તેનો એક હોટ વિડીયો બનાવીને મુકેલો છે. આ વિડીયો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેના ચાહકો દ્વારા વિડીયો બાબતે ખુબ જ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળે છે.

રાની ચેટર્જી એ આલિયા ભટ્ટ ના સોન્ગ્સ ‘મેરી જાન’ સાથે લિપ-સિંક કરે છે. આ વિડીયો એટલો બધો હોટ છે કે તેના ફેન્સ દ્વારા તેના વિડીયો મા પણ હોટ કેમેંન્ટ લખવામાં આવી રહી છે તેનો વિડીયો જોઈને એક ચાહકે લખ્યું કે, ઉફ્ફ ક્યા અદા ક્યા જલવે. આ રીતે તેના ચાહકો પણ હોટ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડીયો મા જોઈ શકાય છે કે, રાની ચેટર્જી એ પીળી સાડી પહેરેલી છે. અને તે અરીસાની સામે ઊભી રહીને, આલિયા ભટ્ટના ગીત ‘મેરી જાન’ સાથે લિપ-સિંક કરે છે. આ દરમિયાન તેણે સાડીની સાથે મેચિંગ પીળી બિંદી અને લાઇટ મેકઅપ સાથે લાલ લિપસ્ટિક પણ લગાવી છે.

આ વીડિયો પોસ્ટ કરતા અભિનેત્રીએ લખ્યું, ‘મેરી જાન’. આ વિડિયોમાં રાની ચેટર્જી ગીત સાથે લિપ-સિંક કરતી વખતે સુંદર એક્સપ્રેશન આપી રહી છે. ઉપરાંત, તે સાડી પહેરેલા પરંપરાગત પોશાકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. રાની નો આવો હોટ અંદાજ જોઈ ને તેને વધુ ને વધુ લોકો જોઈ રહ્યા છે. જુઓ વિડીયો.

Categories
India

પુષ્પા મુવી ના સોન્ગ્સ “ઓઓ અંતવા” પર વિરાટ કોહલી એ એવો ડાન્સ કર્યો કે તેના ફેન્સ પણ બોલી ઉઠ્યા…જુઓ વિડીયો.

ભારતીય ક્રિકેટરો સોશિયલ મીડિયા પર છવાયેલા જ રહે છે. તે તેના અવનવા વિડીયો અને ફોટા સોસીયલ મીડિયા પર શેર કરતા જ હોય છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તેના તેના દેખાવ પરફોર્મન્સ લઈને ખાસ એવા ચર્ચા મા જોવા મળતા હોય છે. હાલમાં આઇપીએલ શરુ હોય અને એવામાં આઇપીએલ ટિમ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ના ખેલાડી મેક્સવેલ ના લગ્ન થયા હોય તેણે તેના લગ્ન ની પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી મા બેંગ્લોર ની ટિમ ના તમામ ખેલાડીઓ એ હાજરી આપી હતી. જેમ વિરાટ કોહલી નો જોરદાર ડાન્સ વાયરલ થઈ રહ્યો છે.

બેંગ્લોર ના ખેલાડી અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે તાજેતરમાં ભારતીય મૂળના વિન્ની રમન સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક મિત્રોએ હાજરી આપી હતી. તે જ સમયે, હવે મેક્સવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને તેના લગ્નની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં RCB ના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.જે દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી એ બ્લેક કુર્તા અને સફેદ પાયજામા મા જોવા મળે છે.

લગ્ન ની પાર્ટી હોય બેંગ્લોર ના તમામ ખેલાડીઓ એ હાજરી આપી હતી તે દરમિયાન ડીજે ના ગીત ઉપર તમામ ખેલાડીઓ ખુબ જ ડાન્સ કરતા નજરે ચડે છે. જેમાં વિરાટ કોહલી નો પુષ્પા મુવીના સોન્ગ્સ “ઓઓ અંતવા” પર ખુબ જ સુંદર રીતે ડાન્સ કરી રહેલો નજરે ચડે છે. તેના આ અતરંગી ડાન્સ ને જોઈ ને સૌઉ કોઈ અચંબિત રહી જાય છે. આ વીડિયોને ‘ફિલ્મફેર’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. કોહલી ના ડાન્સ ને તેના ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અત્યારે આઇપીએલ ચાલી રહી હોય કોહલી તેના પ્રદર્શન ને લઇ ને પણ ચર્ચા માં છે. કોહલી આ વખતે આઇપીએલ મા ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે એવામાં હવે તેનો ડાન્સ કરતો વિડીયો જોઈ ને કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. તમે પણ જુઓ કોહલી નો વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Categories
Gujarat

ખજુરભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે. સોમાકાકા અને ભીખાકાકા નો નવો લુક જોઈ ને તમારા પણ ઉડી જશે હોશ. જુઓ ફોટા અને વિડીયો.

નીતિનભાઈ જાની એટલે બધાના પ્રિય એવા ખજુરભાઈ. ખજુરભાઈ અને તેની ટિમ આખા ગુજરાત મા સેવા ના કાર્ય માટે પ્રખ્યાત છે. નીતિનભાઈ ને ગુજરાત ના સોનુ સુદ નું બિરુદ્દ મળેલું છે. તે તેના સેવા કાર્ય થી બધા લોકો ની ખુબ ને ખુબ મદદ કરતા નજરે ચડે છે. તેના યૂટ્યૂબ ના વિડીયો એટલા બધા ફની અને કોમેડી હોય છે કે બધા લોકો ખુબ જ પ્રિય લાગતા હોય છે. યૂટ્યૂબ મા ખાસ તો જિગલી અને ખજૂર ના વિડીયો ખુબ જ કોમેડી હોય છે અને બધા જોઈ ને હસી હસી ને બેવડા વળી જતા હોય છે. હાલમાં જ નીતિનભાઈએ એવું કામ આરંભ્યું હતું કે સૌ કોઈ તેના પ્રિય થઈ ગયા છે.

નીતિનભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે હાલમાં ગયેલ છે. તે તેના કામ ના સેલિબ્રેશન માટે દુબઇ ના પ્રવાસે જોવા મળે છે. ગયા વર્ષે ગુજરાત માં એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાન ગુજરાત ના કેટલાક ગામોમાં બહોળા પ્રમાણ માં ખુબ જ તારાજી સર્જાઈ હતી. અને લોકો ના ઘરો અને ઝુંપડા બધું જ તબાહ થઈ ગયા હતું. આ તૌકતે વાવાઝોડુ જયારે ગુજરાત માં આવ્યું ત્યારપછી ખજુરભાઈ એ એક સુંદર કાર્ય આરંભ્યું હતું. ખજુરભાઈ અને ટિમ દ્વારા જેટલા ઘરો ને નુકસાન થયું હતું. તે બધાજ ઘરો ને ફરીથી બનાવીને આપવાનું કાર્ય આરંભ્યું હતું અને તે અને તેની ટીમે ગુજરાત મા 200 ઘરો ને ફરીથી બનાવીને આપવામાં આવ્યા છે. અને આ ખુબ જ ઉમદા કાર્ય કરીને લોકો ના દિલ જીતી લીધા છે.

આ સુંદર કાર્ય ને પૂરું કાર્ય બાદ અત્યારે સેલિબ્રશન માટે ખજુરભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે જોવા મળે છે. તેમાં ખાસ કરીને તેની ટીમના સોમા કાકા અને ભીખા કાકા ખાસ એવા ચર્ચા માં જોવા મળે છે. કારણકે દુબઇ જઈને બન્ને નો લુક બધા ને સુંદર લાગી રહ્યો છે. નીતિનભાઈ એ સોમાકાકા અને ભીખાકાકા નો લુક બદલી નાખ્યો છે જે ભીખાકાકા એ 60 વર્ષ થી પેન્ટ પેહર્યું નથી.અને તે ચોયણી પહેરતા હતા તેને સૂટ બુટ માં તૈયાર કરી ને વિદેશી બનાવી દીધા છે અને ઉપર થી ચશ્મા પેરાવ્યા છે એક નજર માં જોઈ ને કોઈ ઓળખી ના શકે એવા તૈયાર કરી દીધા છે.

આ બધા ફોટા નીતિનભાઈ એ તેના સોશિયલ મીડિયા પર મુકેલ જોવા મળે છે. આ ઉપરાંત નીતિનભાઈ એ તેના ઘણા વિડીયો પણ યુ ટ્યૂબ પર મુકેલા છે જેમાં આબુધાબી એરપોર્ટથી લઈને તેમના દુબઈ પ્રવાસ સુધીના તમામમાં વિડીયો શેર કરેલા છે. અને તેના ફેન્સ દ્વારા ખુબ જ જોવા મા આવી રહ્યા છે.તે અને તેની ટિમ દુબઇ મા ખુબ જ મજા કરી રહી છે અને ટીમ મેમ્બર્સ પોતાના દુબઈ પ્રવાસ દરમિયાન બુર્જ ખલીફા અને સ્કાય વોક એટલાન્ટિસ હોટેલ પાલ્મ વ્યૂ ની પણ મજા લે છે. તેવા ફોટા અને વિડીયો નીતિનભાઈ એ શેર કરેલા જોવા મળે છે. . જુઓ વિડીયો.